Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 285
________________ અવંતિનું આધિપત્ય કેવી રીતે ભાગ પડ્યા હતા તેની વિગત આપણને ક્યાંયથી પણ જાણવા મળતી નથી, સિવાય કે બૃહત્કથાનું રૂપાન્તર બૃહત્કથામંજરી લખે છે કે, રાજાએ-વિષમશીલે ( હાલે ) વિરવરને-વિક્રમશક્તિને (શદ્રકને) નર્મદાના કિનારા સહિત લાદેશ, સમુદ્ર અને ગૌડ. - સહિત દક્ષિણાપથ આપ્યો હતો. મને કથામંજરીને ઉલેખ વ્યવસ્થિત કે સ્પષ્ટ સમજાતે નથી, તેથી શુદ્રકને આપેલા અર્ધ રાજ્યમાં કયા કયા પ્રદેશે સમાતા હતા એ સમજવું મુશ્કેલ છે. મને લાગે છે કે, બૃહત્કથાનું સંસ્કૃત રૂપાન્તર કરતાં બુક કથામંજરીકારે મન સ્વી રીતે કામ લીધું છે. પ્રાયઃ ખરી વાત એ હોવી ઘટે છે કે, શાલિવાહને શદ્રકને ઉત્તર ભારતના પ્રદેશને શાસક નીમી તેને બહારના આક્રમણથી આ~રાજ્યના સંરક્ષણની જવાબદારી સેંપી હશે. શુદ્ધકે એ જવાબદારીને વફાદાર રીતે અદા પણ કરી છે. જો કે ધાર્યું હોત તે તે આખા ય આ... રાજ્યને પચાવી પાડત, પરંતુ તેણે તેમ કર્યું નથી, એટલું જ નહિ, બલકે તે આરાજ્યની આંતરિક ખટપટમાં પણ ઉદાસીન પણે વર્યો હોય એમ જણાય છે. પરિણામે, આ% રાજા શિવને પિતાના ગૌત્રજ રાજાઓથી ઉપદ્રવ થતાં રાજ્યભ્રષ્ટ પણ થવું પડ્યું છે. કદાચ, શુદ્રકની ગેરહાજરીનું એ પરિણામ હોય તો તે એક જુદી વાત છે, કારણ કે, એ વખતે તે કારૂરના યુદ્ધમાં રોકાય હતે. પુરાણોમાં સુંદર (સા. ક. ) ૫છી ચકોર (સા. ક.) ને આશ્વરાજકર્તા જણાવ્યું છે; પરંતુ અનુમાન થાય છે કે, સુંદર રાજા પછી શિવ (સા. ક.) પ્રતિષ્ઠાનની ગાદી પર આવ્યું હશે, કે જેને તેના દાયાદ ચકેરેચકેર પર્વતના રાજા ચન્દ્રકેતુએ યુદ્ધમાં હરાવવાથી તે અવન્તિની ઉન્નચિનીમાં ચાલ્યો ગયે હતું અને જેણે વૈભવવતી કુમુદિક વેશ્યાની તથા બલવાન મિત્ર રાજાની મદદથી પ્રતિષ્ઠાનને પાછું મેળવ્યું હતું. બૃહત્કથાના રૂપાન્તરમાં, દાયાદેથી રાજયભ્રષ્ટ થયેલા વિક્રમસિંહે કે વિક્રમસેને ઉજજયિનીની વેશ્યાની અને બલવાન મિત્ર રાજાની મદદ મેળવી પિતાનું આ% રાજય પાછું મેળવ્યું એમ જે જણાવવામાં આવે છે તથા “હર્ષચરિતમાં કે ચકેરના રાજા ચન્દ્રકેતુને કેવી યુક્તિથી દૂર કર્યો એનું જે વર્ણન છે, તે વિક્રમસિંહ કે વિકમસેન, બલવાન મિત્ર રાજા (ધવલકીર્તિ ) અને ચન્દ્રકેતુ અનુક્રમે આશ્વ રાજા શિવ, આબ્રભૂત્ય રાજા શુદ્રક અને પુરાણેએ નેધેલા રાજા ચકેરથી ભિન્ન હેય એમ નથી લાગતું. કારૂર આગળ કુશાણ રાજાની સામેના યુદ્ધમાં વિજય મેળવી પરવાર્યા બાદ વિજયી શુદ્રકે જ શિવ (સા. ક)ને પ્રતિષ્ઠાન મેળવવાની યોજના ઘડી આપી લશ્કરી સહાય કરી હતી. પ્રતિષ્ઠાન પર બરાબર સ્થિર થયા બાદ આ આ% રાજા શિવ સાતકર્ણીએ અવનિ પરનું આધિપત્ય મેળવ્યું હતું અને તેના વંશના હાથમાં એ ૬૦ વર્ષ સુધી રહ્યું હતું, તેથી હવે અહિં એ આધ રાજાના આલેખનને પ્રસંગે ઉપસ્થિત થતે હેઈ તેને આલેખીએ.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328