________________
અવંતિનું આધિપત્ય
૨૯
૭૭ વર્ષે પરાજય અને નાશ કરી વિજય મેળવવા પૂર્વક તે મધ્યભારતમાં ચાલ્યા ગયા ત્યારે ચષ્ટને મહાક્ષત્રપ ખની કચ્છમાં રાજા તરીકે રાજ્ય કરવા માંડયું હતું. કેટલાકનુ’ માનવું છે કે, તેના પિતાએ જ ઇ. સ. ૭૮ વર્ષે સ્વતંત્ર થઈ કચ્છમાં રાજય કરવા માંડયું હતું અને તેની પાછળ તેની ગાદીએ ચષ્ટન આવ્યેા હતા કે જેણે સૌરાષ્ટ્ર વિગેરે દેશે જીતી લઇ મહાક્ષત્રપ બનવા પૂર્વક ગિરિનગર ( હાલના જૂનાગઢની જગાએ રહેલા ) માંથી રાજ્ય કરવા માંડયું હતું. ઘણાખરા સશાધકા તા એમ જણાવી રહ્યા છે કે, ચષ્ટને પશ્ચિમ ભારતના કેટલાક દેશોને જીતતાં અવન્તિ પણ જીતી લીધા હતા અને તે ઉજ્જયિનીમાં રહી રાજ્ય કરતા હતા. હું આની વિરુદ્ધમાં પહેલાં પ્રસ ંગાપાત લખી ગયા છું કે, ઉજ્જચિનીના વિજેતા ચષ્ટન હેતે જ નહિ. ગમે તેમ હે; પરતુ એ વાત તેા નકી જ છે કે, આન્ધ્રરાજ્યના પશ્ચિમ ભારતની દક્ષિણના કેટલાક પ્રદેશે। (દક્ષિણુ રાજપૂતાનાથી લઈ લાટ પન્તના ) આન્દ્રે રાજા શિવના હાથમાંથી શક મહાક્ષત્રપ ચષ્ટનના હાથમાં જતા રહ્યા હતા. આ જ સમયે પશ્ચિમ ભારતના વાયવ્ય પ્રદેશામાં કડફીસિઝ પહેલાના પુત્ર કડીસિઝ ખીએ ( વિમ ) આન્ધ્રરાજ્યની સર્વોપરીતાને ફગાવી દેતા પંજાબને જીતી લઈ મધ્યદેશના પ્રદેશેામાં પેાતાની સત્તા સ્થાપી રહ્યો હતા કે સ્થાપવા પ્રયત્ન કરી રહ્યો હતા.
આન્ગ્રેસમ્રાટ્ શિવ સા॰ ક॰, એ શક ચષ્ટન અને કુશાન વિમના આક્રમણ્ તરફ્ સક્રિય હતા કે નિષ્ક્રિય હતા અને, જો સક્રિય હાય તા, તેણે તેમને કેવી રીતે સામના કર્યાં હતા તથા તેમાં તેને કેવી રીતે નિષ્ફળતા મળી હતી, આ વિષે આપણને ઇતિહાસમાંથી કંઈ પણ જાણવા મળતું નથી. વળી તેને નિષ્ફળતા મળવામાં તેની તથા આન્ધ્ર સામ્રાજ્યની કયી નબળાઈઓએ ભાગ ભજવ્યેા હતેા, એ વિષે પણ જાણવાનાં સાધન આજે ઉપલબ્ધ નથી. ફક્ત, જૈનગ્રન્થાથી એટલું આપણને જાણવા મળે છે કે, તેના રાજ્યનાં છેલ્લાં વર્ષોમાં લાંખા કાળને એક ભયંકર અને વ્યાપક દુષ્કાલ પ્રવર્તી રહ્યો હતા, કે જેને લઈ ચેાગ્ય આહાર મેળવવાની મુશ્કેલી પડતાં પેાતાના પટ્ટધર વજ્રસેનને અપરાન્તકમાં-કેાકણુમાં વિહાર કરાવી શ્રીવસ્વામીએ અનશન કર્યુ હતું. આથી પૂર્વે શ્રીવા જ્યારે મગધમાં હતા ત્યારે પણ એક દુકાળ પડયા હતા અને જૈનસંઘને ત્યાંથી મહાપુરીમાં લઈ જવાના વખત આવ્યા હતા. આવા દુષ્કાળથી દેશના અર્થ તન્ત્રને ફટકો પડતાં લશ્કરીખળ સાચવવાની મુશ્કેલી પડે; પરંતુ તેથી એક મેાટુ સામ્રાજ્ય નિષ્ક્રિય બનીને બેસી ન રહે યા તેા સામના કરવા જતાં શત્રુઆથી પાછું ન પડે. મને લાગે છે કે, શૂદ્રક સમા સમ લશ્કરી પુરુષ જતાં આંતરિક અવ્યવસ્થા જાગી હશે અને તેને દૂર કરવા પુરતું ડહાપણુ અને તાકાત રાજા શિવમાં નહિ હાવાથી તે પોતાના સામ્રાજ્યને હાસ થતા અટકાવી શકયા નથી.
રાજા શિવ અવન્તિને અધિપતિ બન્યા તે સમયે એટલે મ. નિ. ૫૪૫, વિ. સં. ૧૩૫ (ઈ. સ. ૭૮) વર્ષે એક સંવત વહેતા થયા હતા, કે જે હાલ ‘શાલિવાહન શાકે’