Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 311
________________ અવંતિનું આધિપત્ય ૨૩ ખજાને તથા અસંખ્ય હાથી આપવાની ફરજ પાડી.” લડાઈનો દંડ ઉઘરાવવાનું કામ પિતાના સરદારને સેપી તે અહિંથી પિતાના મુખ્ય લશ્કર સાથે એરેઝિયા, જિઆના થઈ કર્માની આ ચાલ્યા ગયા હતા. એના રાજત્વકાલનાં છેલ્લાં વર્ષોમાં રેમનોએ મેસિડનીઅન સત્તાની સાથે યુદ્ધ આરંભી મ. નિ. ૨૯ઈ. સ. પૂ. ૧૬૮ સુધીમાં તેને ધુળભેગી કરી દીધી હતી. આ સમયની લગભગમાં રેમન સામ્રાજ્યની હદ યુક્રેટીસ નદી પર્યન્ત પહોંચી હતી અને સિલ્યુકિડી સામ્રાજયમાંથી નીકળી જઈ પશ્ચિમ ઇરાનનો પ્રદેશ પાર્થિયન સામ્રાજ્ય તરીકે બની ગયો હતો. મિથોડેટસ (મિથિડેટિસ)ના રાજકાલમાં આ ઘટના બની હોય એમ લાગે છે. અસેંસ નામના ચાર રાજાઓનો રાજત્વકાલ મ. નિ. ૨૧૭ થી ૨૮૬-ઈ. સ. પૂ. ૨૫૦થી ૧૮૧ સુધી ૬૯ વર્ષ હતું. તે પછી કેટસ પહેલાએ મ. નિ. ૨૮૬ થી ૨૯૩ (૨૯૬)–ઈ. સ. પૂ. ૧૮૧-. ૧૭૪ (૧૭૧) સુધી ૭ કે ૧૦ વર્ષ રાજ્ય કર્યું અને પછી મ. નિ. ૩૩૧-ઈ. સપૂ. ૧૩૬ સુધી ૩૮ કે ૩૫ વર્ષના રાજત્વકાલવાળો ઉપરોક્ત મિથોડેટસ આવ્યો હતો, કે જે દ્ધો આરસેકસ અને મિથોડેટસ નામવાળા રાજાઓમાં પહેલું હતું. આ પાર્થિયન રાજ ગાદીએ આવ્યો. તેની પૂર્વે કેટલાં ય વર્ષોથી બેકિટ્રયન રાજા ડિમેટ્રીયસ ભારત પર ચઢાઈ કરી રહ્યો હતો. તેણે મ. નિ. ર૭૭ થી ૨૯-ઈ. સ. પૂ. ૧૯૦ થી ૧૭૫ સુધીમાં કાબુલ, પંજાબ અને સિંધ પર પિતાની સત્તા સ્થાપી દીધી હતી. તે જ્યારે હિંદ પરની ચઢાઈઓમાં ગુંથાયો હતો ત્યારે બેકિયા પરની તેની પકડ શિથિલ થતાં યુક્રેટાઈડિસ નામના એક શખે સફળ બળ કરતાં તેને બેકિયા ગુમાવવું પડયું. યુક્રેટાઈડિસ બેકિટ્રયાને સ્વામી થયો અને ડિમેટ્રીયસ તાબે કરેલા ભારતના પ્રદેશના રાજા રહ્યો. કદાચ એની રાજધાની સાલમાં (સીઆલકેટમાં) હોય. યુક્રેટાઈડિસે ડિમેટ્રીયસના ભારતના રાજ્ય પર પણ ચઢાઈ કરી અને મ. નિ. ૩૦૭ થી ૩૧૨–ઈ. સ. પૂ. ૧૬૦ થી ૧૫૫ સુધીના સમયમાં તેણે હિંદને પણ પિતાના કબજે કર્યું હતું, પણ મહાપ્રયત્નથી મેળવેલી એની એ જીતે ટુંક મુદતની જ નીવડી. ડિમેટ્રીયસ સામે વિજયવંત કારકીર્દી ભેગવનાર એ રાજાને એના પુત્ર એપલેડેટસે જ ઘર તરફ પાછા ફરતાં રસ્તામાં મારી નાખ્યો હતો. યુક્રેટાઈડિસનું મૃત્યુ તેના પુત્ર હેલિએકલેસ દ્વારા થયું હતું એમ મી. રૌલિનસનનું મતાંતર છે. એપોલોડટસના સિક્કાઓ એવા મળી આવે છે કે જેના પર યુક્રેટાઈડિસે પિતાની છાપ મારી છે. આ પરથી નક્કી થાય છે કે, એપલડોટસ યુથીડિમસ શાખાનો હતો અને તેના હાથમાંથી કાબુલ-કંદહાર યુક્રેટાઈડિસે લઈ લીધાં હતાં. આ એપલેડેટસ બીજાએ યુક્રેટાઈડિસનું ખૂન કર્યું હોવું જોઈએ અને એના કરેલા એ ખૂનનું વેર વાળવા યુક્રેટાઈડિસ પછી બેકિટ્રયાની ગાદીએ આવેલા તેના પુત્ર હેલિઓકલેસે એનું–એપ ડોટસનું ખૂન કરેલું. હોવું જોઈએ. આ એપ ડોટસ પછી કાબુલ-કંદહાર પર મીન્ડર આવ્યો હતો. એના રાજ્યની શરૂઆત મ. નિ. ૩૦૭–ઈ. સ. પૂ. ૧૬૦થી થઈ હતી અને તેનું મૃત્યુ મ. નિ. ૩૨૭–ઈ. સ. પૂ. ૧૪૦માં થયું હતું. એનું જન્મસ્થાન અલસંદ (અલેક્ઝાંડ્યિા) હતું. મી. સ્મીથને એ યુક્રેટાઈડિસના કુટુંબને લાગે છે, પણ યુથીડિમેસના કુટુંબન એ હતો એવી અન્યની માન્યતા છે. સંભવ છે કે, તે ડિમેટ્રિયસને સરદાર હાઈ એને અને એપલેડોટસ (૨)ને નજીકન સગો હશે. એના રાજ્યની શરૂઆતથી લઈ અંત સુધીમાં બેકિટ્યામાં હેલિફેકસ અને ઈરાનમાં મિથોડેટસ (૧) રાજાઓ હતા. વીર અને વિદ્વાન ગણાતા મીન્ડરે એ તરફ લક્ષ્ય ન આપતાં ભારતને જીતવા તરફ જ પ્રયત્ન કર્યો. મ. નિ. ૩૧૨–ઈ. સ. પૂ. ૧૫૫ થી પૂર્વની નજીકના સમયમાં માનેજરે ભારત પર ચઢાઈ કરી ડિમેટ્રિયસના પ્રાંત પર કાબુ મેળવી લીધે અને પછી સિંધુને દોઆબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજપૂતાના પણ જીતી લીધાં. મથુરા (સુરસેન ) પરના હલ્લામાં ડિમેટ્રિયસને સફળતા નહિ મળી હતી એમ લાગે છે, પણ તેની પછી ત્યાં આક્રમણ લઈ જનાર આ મીન્ડરે મથુરા નગરીને જીતી લીધી હતી અને તે ઠેઠ પાટલીપુત્ર સુધીના પ્રદેશને ભયજનક થઈ પડયે

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328