________________
અવંતિનું આધિપત્ય
૨૯૩
ખજાનો તથા અસંખ્ય હાથી આપવાની ફરજ પાડી.” લડાઇને દંડ ઉઘરાવવાનું કામ પિતાના સરદારને સેંપી તે અહિંથી પિતાના મુખ્ય લશ્કર સાથે એરેઝિયા, જિઆના થઈ કર્માની આ ચાલ્યો ગયો હતો. એના રાજત્વકાલનાં છેલ્લાં વર્ષોમાં રેમન કેએ મેસિડોનીઅન સત્તાની સાથે યુદ્ધ આરંભી મ. નિ. ૨૯૯ઈ. સ. પૂ. ૧૬૮ સુધીમાં તેને ધુળભેગી કરી દીધી હતી. આ સમયની લગભગમાં રોમન સામ્રાજ્યની હદ યુક્રેટીસ નદી પર્યન્ત પહોંચી હતી અને સિલ્યુકિડી સામ્રાજ્યમાંથી નીકળી જઈ પશ્ચિમ ઈરાનનો પ્રદેશ પાથિયને સામ્રાજ્ય તરીકે બની ગયો હતો. મિથોડેટસ (મિથિડેટિસ )ના રાજત્વકાલમાં આ ઘટનાઓ બની હોય એમ લાગે છે. અસેકસ નામના ચાર રાજાઓનો રાજવંકાલ . નિ. ૨૧૭ થી ૨૮૬-ઇ. સ. પૂ. ૨૫૦થી ૧૮૧ સુધી ૬૯ વર્ષ હતું. તે પછી કેટસ પહેલાએ મ. નિ. ૨૮૬ થી ૨૯૩ (૨૯૬)–. સ. પૂ. ૧૮૧૧૭૪ (૧૭૧ ) સુધી ૭ કે ૧૦ વર્ષ રાજ્ય કર્યું અને પછી મ. નિ. ૩૩૧–ઈ. સ. પૂ. ૧૩૬ સુધી ૩૮
૧ વર્ષના રાજત્વકાલવાળો ઉપરોક્ત મિથોડેટસ આવ્યો હતો, કે જે પ્રશ્નો આરસેકસ અને મિથોડેટસ નામવાળા રાજાઓમાં પહેલું હતું. આ પાર્થિયન રાજા ગાદીએ આવ્યો તેની પૂર્વે કેટલાં ય વર્ષોથી બેકિટ્રયન રાજા ડિમેટ્રીયસ ભારત પર ચઢાઈઓ કરી રહ્યો હતો. તેણે મ. નિ. ૨૭૭ થી ૨૮૨–ઈ. સ. પૂ. ૧૯૦ થી ૧૭૫ સુધીમાં કાબુલ, પંજાબ અને સિંધ પર પિતાની સત્તા સ્થાપી દીધી હતી. તે જ્યારે હિંદ પરની ચઢાઈઓમાં ગુંથાયો હતો ત્યારે બેકિટ્રયા પરની તેની પકડ શિથિલ થતાં યુક્રેટાઈટિસ નામના
એક શખ્સ સફળ બળવો કરતાં તેને બેકિટ્રયા ગુમાવવું પડયું. યુક્રેટાઈડિસ બેકિટ્રયાનો સ્વામી થયો અને ડિમેટ્રીયસ તાબે કરેલા ભારતના પ્રદેશોનો રાજા રહ્યો. કદાચ એની રાજધાની સાકલમાં (સીઆલકેટમાં) હોય. યુક્રેટાઈડિસે ડિમેટીયસના ભારતના રાજય પર પણ ચઢાઈ કરી અને મ. નિ. ૩૦૭ થી ૩૧૨–ઈ. સ. પૂ. ૧૬૦ થી ૧૫૫ સુધીના સમયમાં તેણે હિંદને પણ પિતાના કબજે કર્યું હતું, પણ મહાપ્રયત્નથી મેળવેલી એની એ જીતે ટુંક મુદતની જ નીવડી. ડિમેટ્રીયસ સામે વિજયવંત કારકીદ ભગવનાર એ રાજાને એના પુત્ર એપલેડેટસે જ ઘર તરફ પાછા ફરતાં રસ્તામાં મારી નાખ્યો હતો. યુક્રેટાઈડિસનું મૃત્યુ તેના પુત્ર હોલએલેસ દ્વારા થયું હતું એમ મી. રોલિનસનનું મતાંતર છે. એપેલાડીટસના સિક્કાએ એવા મળી આવે છે કે જેના પર યુક્રેટાઈડિસે પિતાની છાપ મારી છે. આ પરથી નક્કી થાય છે કે, એપોલેડોટસ યુથીડિમસ શાખાનો હતો અને તેના હાથમાંથી કાબુલ-કંદહાર યુક્રેટાઈડિસે લઈ લીધાં હતાં. આ એપોલેડેટસ બીજાએ યુક્રેટાઈડિસનું ખૂન કર્યું હોવું જોઈએ અને એના કરેલા એ ખૂનનું વેર વાળવા યુક્રેટાઈડિસ પછી બેકિટ્રયાની ગાદીએ આવેલા તેના પુત્ર હેલિઓકલેસે એનું-એલેડેટસનું ખૂન કરેલું હોવું જોઈએ. આ એપેલેડોટસ પછી કાબુલ-કંદહાર પર મીકેન્ડર આવ્યો હતે. એના રાજ્યની શરૂઆત મ. નિ. ૩૦૭–ઈ. સ. પૂ. ૧૬૦ થી થઈ હતી અને તેનું મૃત્યુ મ. નિ. ૩૨૭–ઈ. સ. પૂ. ૧૪૦માં થયું હતું. એનું જન્મસ્થાન અલસંદ (અલેક્ઝાંડિયા ) હતું. મી. શ્મીથને એ યુક્રેટાઈડિસના કુટુંબનો લાગે છે, પણ યુથીડિમેસના કુટુંબનો એ હતું એવી અન્યની માન્યતા છે. સંભવ છે કે, તે ડિમેટ્રિયસને સરદાર હાઈ એને અને એપલેડેટસ (૨)નો નજીકનો સગો હશે. એના રાજ્યની શરૂઆતથી લઈ અંત સુધીમાં બેકિટ્યામાં હેલિફકસ અને ઈરાનમાં મિથોડેટસ (૧) રાજાઓ હતા. વીર અને વિદ્વાન ગણતા મનેન્ડરે એ તરફ લક્ષ્ય ન આપતાં ભારતને જીતવા તરફ જ પ્રયત્ન કર્યો. મ. નિ. ૩૧૨–ઈ. સ. પૂ. ૧૫૫ થી પૂર્વની નજીકના સમયમાં મારે ભારત પર ચઢાઈ કરી ડિમેટ્રિયસના પ્રાંત પર કાબુ મેળવી લીધા અને પછી સિંધુનો દોઆબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજપૂતાના પણ જીતી લીધાં. મથુરા (સુરસેન) પરના હલ્લામાં ડિમેટ્રિયસને સફળતા નહિ મળી હતી એમ લાગે છે, પણ તેની પછી ત્યાં આક્રમણ લઈ જનાર આ મીન્ડરે મથુરા નગરીને જીતી લીધી હતી અને તે ઠેઠ પાટલીપુત્ર સુધીના પ્રદેશને ભયજનક થઈ પડયો