Book Title: Ashtahnika Pravachano Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 5
________________ પાંચ દિવસનો બીજો ભાગ પ્રત : કલ્પસૂત્ર પ્રવચનો આ વિભાગમાં માત્ર કલ્પસૂત્રનું વાંચન વિસ્તારથી થાય છે. કલ્પસૂત્રના બારસો મૂળ સૂત્રો હોવાથી તેનું બીજું નામ બારસા-સૂત્ર પણ છે. પર્વના આઠ દિવસોમાં ચોથા દિવસથી કલ્પસૂત્ર ગ્રન્થનું વાંચન શરૂ ગ થાય છે. કલ્પસૂત્રેના યોગ કરેલા મુનિભગવંતો જ તેનું મૂળ વાંચવા સાથે અર્થ-વાંચન કરતા હોય છે, જ્યારે | તે સિવાયનાને મૂળ વાંચવાનો અધિકાર નથી. આ આગમ ગ્રન્થ છે એટલે તેનું ગુજરાતીમાં અક્ષરશઃ એ ભાષાન્તર કરવું કે તેનું વાંચન કરવું તે પણ વસ્તુતઃ યોગ્ય નથી. “કલ્પસૂત્ર'ની મારી જે પ્રત છે તે | | કલ્પસૂત્ર ગ્રન્થનું ભાષાંતર નથી કિન્તુ તે ગ્રન્થના આધારે તૈયાર કરાયેલી નોંધ છે. આથી જ અહીં બીજી વ પણ અનેક પ્રાસંગિક જરૂરી-વિગતોની વિચારણા રજૂ કરાઈ છે. પર્વાધિરાજના પવિત્ર દિવસોમાં આ એ નોંધનું વાંચન કરવાથી શ્રાવક-શ્રાવિકાઓને સુંદર સ્વાધ્યાય કરવાની અનુકૂળતા મળે છે, પર્યુષણના ચોથા દિવસથી પાંચ દિવસ સુધી “કલ્પસૂત્ર' વંચાય છે. આ પાંચ દિવસમાં કલ્પસૂત્ર નવ કટકે ફરજિયાત પૂર્ણ કરવાનું હોય છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 210