Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ * પુરોવચન પહેલાં ત્રણ દિવસનો ઃ પહેલો ભાગ પ્રત : અષ્ટાકિા પ્રવચનો વિ.સં. ૨૦૩૨ની સાલના શેષકાળમાં અમદાવાદમાં જી. પ્ર. સંસ્કૃતિભવનમાં લાગલગાટ ચાર માસ સુધી લગભગ એકસો વીસ પસંદગી કરાયેલા યુવાનો સમક્ષ અષ્ટાદ્દિકા-વ્યાખ્યાનોના આધારે જે વાચનાઓ થઈ તેને આ ગ્રન્થમાં અક્ષરદેહ આપવામાં આવ્યો છે. જ્યાં પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ ન હોય ત્યાં આ ગ્રન્થનો સ્વાધ્યાય ઉચિત રીતે ગૃહસ્થો કરી શકે. બેશક, વ્યાખ્યાનકારની અદાથી સામે બેસવાને બદલે સહુની સાથે બેસવું જોઈએ. સામાયિક લઈને બેસવું જોઈએ અને તમામ પ્રકારના ઔચિત્યના પાલક બનવું જોઈએ. કદાચ સવારના ત્રણ જ પ્રવચનમાં પૂર્ણ ક૨વામાં આ ગ્રન્થનું કદ થોડુંક મોટું પડી જવાનો સંભવ છે. પરન્તુ પ્રથમના આ ત્રણ દિવસમાં સવારની જેમ બપોરે પણ વાંચન કરાય તો આ આખો ય ગ્રન્થ ત્રણ દિવસમાં છ કટકે જરૂર પૂરો કરી શકાશે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 210