Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ તો પછી દુઃખનું વેદન જ ના હોય ને ! આત્મા રિયલ વ્યુપોઈન્ટથી નિરાકારી ને રિલેટિવ વ્યુપોઈન્ટથી સાકારી છે. સિદ્ધગતિમાં આત્મા ચરમશરીરના દેહ પ્રમાણથી ૧/૩ ઘટી ૨/૩ જેટલા આકારે રહે છે, સ્વભાવે નિરાકારી હોવા છતાં ! શરૂઆતમાં નિરંજન-નિરાકાર ભગવાનની ભજના તો મનુષ્ય દેહમાં જે પ્રગટ્યા છે એવાં ‘જ્ઞાની પુરુષ' કે જે સાકારી ભગવાન જ કહેવાય એની ભજના થકી થાય ને પરિણામે નિરાકાર ભગવાન ઓળખાય ! જ્યાં અનંતુ જ્ઞાન, અનંતુ દર્શન, અનંત સુખ, અનંતિ શક્તિ છે, અનંતા ગુણોના ધર્તા, અરે જે, સ્વયં પરમાત્મા જ છે એવા આત્માને નિર્ગુણ કેમ કહેવાય ? નિર્ગુણ કહેવાથી એમના અનંતા ગુણોની ભજના, ને તે દ્વારા તેની પ્રાપ્તિથી સદા માટે વંચિત ના રહેવાય ? પરમાત્માની પ્રાપ્તિ તો તેમના ગુણોની ભજનાથી જ થાય છે ને ! આત્મા પ્રકૃતિના ગુણે કરીને નિર્ગુણ ને સ્વગુણોથી ભરપૂર છે. પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં પ્રવેશ્યો નથી, આત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં પ્રવેશ્યો નથી. પ્રાકૃત ગુણોમાં ક્યારે ય ભેળસેળીયો બન્યો નથી એવો આત્મા નિરંતર નિર્ભેળ જ છે ! આત્મા જ્ઞાનવાળો નહીં બલ્ક જ્ઞાનસ્વરૂપ જ છે, પ્રકાશસ્વરૂપે છે, એ પ્રકાશના આધારે જ પોતાને બધાં જોયો જણાય છે ને દ્રશ્યો દેખાય છે. આત્મા સર્વવ્યાપી છે એ કઈ અપેક્ષાએ ? જાય છે ? આમ આત્મા ચેતનરૂપે નહીં પણ સ્વભાવરૂપે સર્વવ્યાપી છે ! ભગવાન પ્રત્યેક જીવમાં પ્રકાશરૂપે રહેલાં છે. પણ જીવ દ્રષ્ટિગોચર થાય ત્યારે તેમની મહીં ભગવાનનાં દિવ્યચક્ષુથી દર્શન થાય. પ્રભુ ક્રિએચરમાં છે, ક્રિયેશનમાં નથી. પણ તે આવરાયેલા છે. જે ભાગ નિરાવરણો થાય તે દિશામાં જ્ઞાન ખુલ્લું થાય, જે વ્યવહારમાં વકીલ, ડૉક્ટર સ્વરૂપે પ્રગટ થાય. એક આત્મામાં આખા બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ છે, કર્મરજથી સંપૂર્ણપણે નિવર્તે તો ! પરમાત્મા સર્વાશ ને પોતે તેનો અંશ, આ ભ્રામક માન્યતાને ઊડાડતાં જ્ઞાની સચોટ સમજ પ્રગટાવે છે કે, આત્માઓ અનંત છે, સ્વતંત્ર છે. રૂપીના ટૂકડા પડે, અરૂપીના કેમ કરીને પડે ? અંશ થયા બાદ સંધાઈને સવૉશ શીદને થાય ? ભગવાન તે કંઈ ટૂકડા થાય ?! સૂર્ય કિરણ ના થઈ જાય ને કિરણ ક્યારે ય સૂર્ય ના થઈ શકે !!! સનાતન તત્ત્વ સદા અવિભાજ્ય જ હોય. જેટલા અંશ આવરણ હઠે, તેટલું આંશિક જ્ઞાન પ્રગટ થાય. સર્વ પ્રદેશોના આવરણો ખૂલે ત્યાં પરમાત્મા સર્વાશ સ્વરૂપે પ્રકાશમાન થાય !!! આત્માનો પ્રકાશ સર્વવ્યાપી છે, નહીં કે આત્મા પોતે ! આ બલ્બનું લાઈટ આખી રૂમને પ્રકાશમાન કરે છે, વ્યાપ્ત કરે છે પણ બલ્બ આખા રૂમમાં નથી, એ તો એની જગ્યાએ જ છે. ફક્ત છેલ્લા અવતારમાં, ચરમ શરીરમાં જ્યારે આત્મા પરમાત્મા થઈ સંપૂર્ણ નિરાવરણો થઈ, સિદ્ધપદમાં પ્રવેશે છે ત્યારે પ્રમેય આખું બ્રહ્માંડ બને છે, આખા બ્રહ્માંડમાં પરમાત્માનો પ્રકાશ વ્યાપી જાય છે. ખૂબી એટલી જ કે આ પ્રકાશમાં તરતમતા ક્યાં ય નથી હોતી ! પરમાત્મા સર્વ ઠેકાણે હોય, કણ કણમાં હોય તો તેમને ખોળવાપણું જ ક્યાં રહ્યું ? આપણી મહીં રહેલો આત્મા ક્યાં કશે વ્યાપવા ખંડ : ૨ હું કોણ છું?” જાણવું કઈ રીતે ? આત્મા-પરમાત્મા, બહ્મ-પરબ્રહ્મ, જીવ-શિવ, ઈશ્વર-પરમેશ્વર, આ બધા પર્યાયવાચક શબ્દ છે. પર્યાય પરિવર્તન પામતા દશાફેર વર્તાય છે, પણ મુળ ‘વસ્તુ'માં ફેર થતો નથી. દશારે ઘરમાં ધણી, દુકાને શેઠ ને કોર્ટમાં વકીલ ! પણ હોય એનો એ જ ‘પોતે’ બધે !!! જીવ અને શિવમાં ભેદ શું ? પોતે જ શિવ છે પણ પોતાને પડી ગઈ ભ્રાંતિ ને બની બેઠો જીવ ! આ જુદાપણાની ભ્રાંતિ તૂટી ને એ ભેદ તૂટ્યો કે થઈ ગયા જીવ-શિવ અભેદ ! જીવન જીવવા-મરવાનું તો ત્યાં સુધી કે સંસારી દશાને પોતાની મનાય ! જીવવા-મરવાનું મિટ્યું એ શિવ-આત્મા, જીવ કર્મ સહિત ને આત્મા કર્મ રહિત. પણ બન્નેમાં એનો એ જ આત્મા ! કર્તા-ભોક્તા એ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 171