Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 341
________________ ૩૪૦ આગમ કથાનુયોગ-૪ પ્રતીતિ કરું છું, રુચિ કરું છું. તથા આપે જે પ્રમાણે ઉપદેશ કર્યો છે, નિગ્રંથ પ્રવચન તે પ્રમાણે જ છે, સત્ય છે, સર્વથા સત્ય છે – યાવત્ – હું શ્રાવકધર્મનો સ્વીકાર કરું છું. હે દેવાનુપ્રિયે જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહી તે આર્યાઓની પાસેથી – યાવત્ - શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને તે આર્યાઓને વંદન–નમસ્કાર કર્યો. વંદન–નમસ્કાર કરીને વિદાય આપી. ત્યારપછી સુભદ્રા શ્રમણોપાસિકા થઈ ગઈ – યાવતુ – વિચારવા લાગી. ૦ સુભદ્રાની પ્રવજ્યા : ત્યારપછી તે સુભદ્રા શ્રમણોપાસિકાને કોઈ એક દિવસે મધ્યરાત્રિએ કૌટુંબિક જાગરણથી જાગતી હતી ત્યારે પરિવારના વિષયમાં વિચાર કરતા-કરતા આ આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – હું ભદ્ર સાર્થવાહ સાથે વિપુલ ભોગોપભોગ ભોગવતી એવી – યાવત્ – વિચરું છું. પણ મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપેલ નથી. તેથી મારા માટે શ્રેયસ્કર છે કે – કાલે – ચાવત્ – સૂર્ય પ્રકાશમાન થયા પછી ભદ્ર સાર્થવાહની અનુમતિ લઈને સુવ્રતા આર્યાની પાસે આર્યા (શ્રમણી) થઈને ગૃહવાસનો ત્યાગ કરી – યાવત્ – પ્રવજ્યા ગ્રહણ કરું. આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં ભદ્ર સાર્થવાહ હતો, ત્યાં આવી બંને હાથ જોડી – યાવત્ – આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમારી સાથે ઘણાં વર્ષો સુધી વિપુલ ભોગોપભોગોને ભોગવતી – યાવતુ – વિચરણ કરી રહી છું. પરંતુ મેં એકપણ બાલક કે બાલિકાને જન્મ આપેલ નથી. તેથી હવે આપની આજ્ઞા પ્રાપ્ત કરી સુવ્રતા આર્યાની પાસે મુંડિત – યાવત્ – પ્રવ્રજિત થવાને ઇચ્છું છું. ત્યારે તે ભદ્ર સાર્થવાહે સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તું હમણાં મુંડિત ન થા – યાવતુ – પ્રવ્રજિત ન થા. પરંતુ દેવાનુપ્રિય ભોગોપભોગને ભોગવ. મારી સાથે વિપુલ ભોગોપભોગ ભોગવ્યા પછી તું ભુક્તભોગી થઈને સુવ્રતા આર્યાની પાસે – યાવતુ – પ્રવ્રજિત થજે. ભદ્ર સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે પણ તે સુભદ્રા સાર્થવાહીએ ભદ્રસાર્થવાહના આ વચનનો આદર ન કર્યો. પણ બીજી અને ત્રીજી વખત પણ તે સુભદ્રા સાર્થવાહીએ ભદ્ર સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા પામીને – વાવ – પ્રવ્રયા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ જ્યારે ઘણાં પ્રકારે આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞપ્તિઓ દ્વારા કહેવા પછી પણ – યાવત્ - સમજાવવામાં સમર્થ ન થયો ત્યારે તેણે અનિચ્છાએ સુભદ્રાને દીક્ષા લેવા અનુમતિ આપી. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમરૂપ ચાર પ્રકારનું ભોજન બનાવડાવ્યું. પછી મિત્રો, જ્ઞાતિબંધુઓને આમંત્રિત કર્યા. ત્યારપછી ભોજનવેળાએ – યાવત્ – મિત્રો, જ્ઞાતિબંધુઓનો સત્કાર–સન્માન કર્યા. સુભદ્રા સાર્થવાહી સ્નાન કરીને - યાવત્ – પ્રાયશ્ચિત્ત કરીને સર્વ અલંકારોથી વિભૂષિત થઈને પુરુષ સહસ્ત્રવાહિની શિબિકા પર બેઠી.

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386