Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રમણ સંઘના પ્રચારમંત્રી પંજાબ કેસરી મહારાજ શ્રી પ્રેમચંદજી મહારાજ જેઓશ્રી રાજકેટમાં પધાર્યા હતા. ત્યારે તેના તરફથી શાસ્ત્રોને માટે મળેલા અભિપ્રાય.
શાસ્ત્રોદ્ધારસમિતિ તરફથી પૂજ્યપાદ શાસ્ત્રવારિધિ પંડિતરાજ સ્વામીશ્રી ઘાસીલાલજી મહારાજ દ્વારા શાસ્ત્રોદ્ધારનું જે કાર્ય થઈ રહ્યું છે તે કાર્ય જેનસમાજ અને તેમાંયે ખાસ કરીને સ્થાનકવાસી જૈન સમાજને માટે મૂળભૂત મૌલિક સંસ્કૃતિની જડને મજબૂત કરવાવાળું છે.
એટલા ખાતર આ કાર્ય અતિ પ્રશંસનીય છે. માટે દરેક વ્યકિતએ તેમાં યથાશકિત ભેગ દેવાની ખાસ આવશ્યકતા છે અને તેથી એ ભગીરથ કાર્ય જલ્દીથી જલ્દી સંપૂર્ણપણે પાર પાડી શકાય અને જનતા શ્રુતજ્ઞાનને લાભ મેળવી શકે.
દરિયાપુરી સંપ્રદાયના પૂજ્ય આચાર્યશ્રી ઈશ્વરલાલજી મહારાજ સાહેબના
સૂત્રો સબંધે વિચારે
નમામિ વિર ગીરિસારધીરે પૂજ્યપાદ જ્ઞાનિપ્રવર શ્રી વાસીલાલજી મહારાજ તથા પંડિત શ્રી કનૈયાલાલજી મહારાજ આદિ થાણા ની સેવામાં
અમદાવાદ શાહપુર ઉપાશ્રયથી મુનિ દયાનંદજીના ૧૦૮ પ્રણિપાત.
આપ સર્વે થાણુઓ સુખ-સમાધિમાં હશો, નિરંતર ધર્મધ્યાન ધર્મારાધનમાં લીન હશે.
સૂત્રપ્રકાશન કાર્ય ત્વરિત થાય એવી ભાવના છે. દશવૈકાલિક તથા આચારાંગ એક એક ભાગ અહીં છે. ટીકા ખૂબ સુંદર, સરળ અને પંડિતજનેને સુપ્રિય થઈ પડે તેવી છે. સાથે સાથે ટીક–વિનાના મૂળ અને અર્થ સાથે પ્રકાશન થાય તે આવકગણ તેને વિશેષ લાભ લઈ શકે. અત્રે પૂજ્ય આચાર્ય ગુરુદેવને આંખે મોતિયો ઉતરાવ્યું છે અને સારું છે એજ. આસે શ્રદ ૧૦, મંગળવાર તા. ૨૫-૧૦-પપ
પુનઃ પુનઃ શાતા ઈચ્છતે, દયા યુનિના પ્રસિત.