________________
૧/૩/૨/૧૯૧ થી ૧૯૩
103
અર્થાત્ ફરી સંસારમાં પડે છે.
કેવા બનીને? પુત્રાદિ સંબંધથી ગૃદ્ધ-આસક્ત બનીને તે સાધુ આત્માની પર્યાલોચના ન કરતા સંસારમાં પડીને દુઃખી થાય છે.
• સૂત્ર-૧૯૪,૧૫ -
તે સાધુ બધાં સંગોને મા આશ્રવ જાણીને તથા અનુત્તર ધર્મને સાંભળીને અસંયમી જીવનની ઇચ્છા ન કરે.
કાયમહાવીરસવામીએ આ સંગોને આવર્ત કહેલ છે. જ્ઞાની પુરુષ તો તેથી દૂર થઈ જાય, અજ્ઞાની તેમાં આસક્ત થઈ દુઃખી થાય છે.
• વિવેચન-૧૯૪,૧૫ -
સાધુ જ્ઞ-પરિજ્ઞા વડે સગાંના સંગને સંસારનો એક હેતુ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે, કારણ કે સંસારના સર્વે સંગો કર્મના મોટા આશ્રdદ્વારો છે. તેથી અનુકલ ઉપસર્ગો આવતાં અસંયમ જીવિતગૃહ આવાસના ફાંસાને ન ઇચ્છે અને પ્રતિકુળ ઉપસર્ગમાં જીવિતનો અભિલાષી ન થાય. તથા કંટાળીને અનુચિત જીવન ન વાંછે.
- શું કરીને? શ્રુત-ચારિ ધર્મ સાંભળી-સમજીને. કેમકે તેનાથી પ્રધાન કોઈ ધર્મ નથી, તેથી મૌનીન્દ્ર ધર્મ અનુત્તર છે.
મથ - પછીનો અધિકાર દશવિ છે પાઠાંતરથી મો - વિસ્મયાર્ચે છે. રૂ - બધાં જનોને જાણીતું હોવાથી પ્રત્યક્ષ છે.
પ્રાણીને ભમાડનાર હોવાથી આવર્ત છે. તેમાં દ્રવ્યાવર્ત નદી આદિના છે. ભાવ-આવતું તે ઉકટ મોહોદયથી થતી વિષય અભિલાષથી કરાતી પ્રાર્થના વિશેષ. આ આવર્ત મહાવીર વર્ધમાનસ્વામીએ કેવળજ્ઞાન પામીને કહેલ છે. તેથી તાવ પામેલા બદ્ધો આવતના વિપાક જાણીને અપમતપણે તેનાથી દૂર રહે છે. અબુદ્ધો નિવિવેકપણે આસક્તિ કરે છે. તે આવર્તાને બતાવવા કહે છે
• સૂત્ર-૧૯૬ થી ૨૦૦ -
રાજ, રાજમંત્રી, બ્રાહ્મણ કે ક્ષત્રિય, ઉત્તમ આચારથી જીવતા સાધુને ભોગ માટે નિમંત્રિત કરે છે... તે કહે છે-હે મહર્ષિ! તમે આ હાથી, ઘોડા, અa, રથ, યાનમાં બેસો, ઉધાનાદિમાં વિચરો, આ પ્રશસ્ત ભોગો ભોગવો, અમે તમારો સત્કાર કરીએ છીએ... વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શય્યા-આ ભોગોને ભોગવો, અમે તમારો સકાર કરીએ છીએ... તમે જે નિયમોનું અનુષ્ઠાન મિભાવથી કર્યું છે, તે સુવતી ! ગૃહવારામાં રહીને, પણ, તમે સંચમનું અનુષ્ઠાન કરી શકો છો...દીધ કાળથી સંયમાનુષ્ઠાનમાં વિચરતા તમને હવે કયો દોષ લાગવાનો છે? આ પ્રમાણે સુવરને લલચાવે, તેમ ભોગના નિમંત્રણથી સાધુને ફસાવે છે.
• વિવેચન-૧૯૬ થી ૨00 + - ચકવર્તી આદિ રાજા, રાજાના મંત્રી, પુરોહિત આદિ, બ્રાહ્મણો અથવા
૧૦૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઇક્વાકુવંશજ આદિ ક્ષત્રિયો; આ બધાં શબ્દાદિ વિષય - ભોગોપભોગ માટે સાધુને નિમંત્રણ કરે છે તે ભિક્ષ સાધુ આયાર વડે જીવનારા છે. જેમ બ્રાદયકીએ વિવિધ ભોગ વડે ચિત્ર સાધુને નિમંત્ર્યા, તેમ બીજા પણ કોઈ સંબંધી, યૌવનરપાદિ ગુણયુક્ત સાધુને વિષયસુખ વડે - નિમંત્રણા કરે છે. આ જ બતાવવા માટે કહે છે–
- હાથી, અશ્વ, રથ, યાન વડે તથા ક્રીડા યોગ્ય વિકારસ્થાન - ઉધાન આદિમાં કીડાર્ગે જવા માટે, વ શબ્દથી અન્ય ઇન્દ્રિય અનુકુળ વિષયો વડે નિમંત્રે છે. જેમકે - શબ્દાદિ વિષયોને ભોગવો. અમારા દ્વારા પણ પ્રત્યક્ષ, નીકટ, પ્રશસ્ત, સિંધ ભોગોને હે સાધુ! અમે આપની પાસે રજૂ કરીને આપનો સત્કાર કરીએ છીએ.
- ચીનાંશુનાદિ વસ્ત્ર, કોટપુટપાકાદિ ગંધ, તે બંને મળી વસ્યગંધ થયું તથા કટક, કેયુરાદિ અલંકાર, યુવાન સુંદર સ્ત્રી, પલંગ-ગાદલા આદિ તે તમે ઇન્દ્રિયમનોનુકૂલ અમારા આપેલા ભોગો ભોગવી મનુષ્યજન્મ સફળ કરો. હે આયુષ્યમાનું ! અમે તમારો સત્કાર કરીએ છીએ.
- જે તમે પૂર્વે પ્રવજ્યા અવસરે મહાવ્રતાદિ રૂપ જે નિયમ લીધો છે, ઇન્દ્રિય અને મનને વશ કરવાથી હે સુવત! હમણાં ઘરમાં ગૃહસ્થભાવને સમ્યક રીતે પાળવાથી તેવી જ રીતે વ્રતો કાયમ છે. તમે પૂર્વે આચરેલ સુકૃત-દુકૃતનો નાશ થતો નથી.
- ઘણા કાળ સંયમ અનુષ્ઠાન પાળવાથી હવે તમને શું દોષ છે ? અર્થાત્ જરા પણ નથી. આ પ્રમાણે હાથી, અશ્વ, રથ આદિ તથા વસ્ત્ર, ગંધ, અલંકારાદિ વડે, વિવિધ ઉપભોગ ઉપકરણ વડે તે સારા સાધુને પણ ભોગ વિષયમાં બુદ્ધિ કરાવે છે. દષ્ટાંત-જેમ વ્રીહિ વગેરેના દાણા વડે વરાહને ફાંસામાં ફસાવે એ રીતે તે સાધુને ફસાવે છે.
• સૂત્ર-૨૦૧ થી ૨૦૩ -
સાધુ સામાચારીના પાલન માટે આચાર્ય દ્વાર પતિ તે શિક્ષિત સાધુ જેમ ચઢાણવાળા માર્ગમાં દુર્બળ બળદ પડી જાય તેમ તે સીદાય છે.
ચઢાણવાળા માર્ગમાં ઘરડો બળદ કષ્ટ પામે છે, તેમ સંયમપાલનમાં અસમર્થ અને તપથી પીડિત મંદ સાધુ સંયમમાર્ગમાં કાઁશ પામે છે.
આ રીતે ભોગનું આમંત્રણ મળતાં, ભોગમાં મૂર્શિત; સ્ત્રીમાં આસકત કામમાં દત્તપિત્ત સાધુ સંત વેરા છતાં ગૃહસ્થ બને છે. તે હું કહું છું.
• વિવેચન-૨૦૧ થી 03 :
ઉક્ત કથનનો ઉપસંહાર કરતા કહે છે - ઉક્તવિહારી સાધુઓને ચર્યા તે ઇચછા, મિચ્છાદિક દશવિધ ચક્વાલ સામાચારી છે, તેના વડે પ્રેરિત અથવા ભિક્ષુચર્યામાં સીદાતાને પ્રેરણા કરીને આચાયદિ કે વારંવાર સમજાવવા છતાં, સંયમ અનુષ્ઠાનમાં આત્માને પ્રવતવિવામાં અસમર્થ થતાં મોક્ષ ગમનના એક ખેતરૂપ સંયમ, જે કરોડો ભવે મળે તેને મેળવીને પણ તેમાં મૂર્ણ-જડ શીથિલ બને છે અને અચિંત્ય ચિંતામણિ સમ અને મહર્ષિએ આચરેલા સંયમને છોડી દે છે. જેમ માર્ગના ઉન્નત ભાગ-ટેકરો