________________
૧/૫/ભૂમિકા
- શક,
અનાર્ય ક્ષેત્ર ધર્મસંજ્ઞારહિત છે, તે અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે યવન, શબર, બર્બર, કાય, મુરુડ, દુ, ગૌડ, પક્કણિકા, આખ્યાક, હૂણ, રોમ, પારસ, ખસ, ખાસિકા, દ્વિબલ, ચલ, ઓસ, બુક્કસ, ભિલ્લ, અંધ, પુલિંદ્ર, ક્રૌંચ, ભ્રમર, રૂક, કંબોજ, ચીન, ચંચક, માલવ, દ્રમિલ, કુલાખ્ય, કૈકય, કિરાત, હયમુખ, ખરમુખ, ગજમુખ, તુમુખ, મેઢમુખ આદિ અનેક અનાર્યો છે.
તે દેશના લોકો પાપી ચંડદંડ કરનારા, નિર્લજ, નિર્દય છે, જેઓ ધર્મ એવા અક્ષરો સ્વપ્ને પણ જાણતા નથી.
કાળ વિભક્તિ અતીત-અનાગત-વર્તમાનકાળ ત્રણ ભેદે છે. અથવા એકાંત
સુષમ આદિના ક્રમથી અવસર્પિણી - ઉત્સર્પિણી બાર આરાવાળું કાલચક્ર છે અથવા સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વરસ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, પુદ્ગલ પરાવર્ત છે.
૧૪૩
ભાવવિભક્તિ - જીવ, અજીવ ભાવ ભેદે બે પ્રકારે છે. તેમાં જીવભાવ વિભક્તિ ઔદયિકાદિ છ ભેદે છે. તેમાં ઔદયિક - ગતિ કષાય લિંગ મિથ્યાદર્શન અજ્ઞાન અસંયત અસિદ્ધ લેશ્મા છે, તેના અનુક્રમે ૪-૪-૩-૧-૧-૧-૧-૬ એ ૨૧-ભેદ છે. ઔપશમિક સમ્યકત્વ અને ચાસ્ત્રિ ભેદથી બે પ્રકારે છે. ક્ષાયિક-સમ્યક્ત્વ અને ચારિત્ર, જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એમ નવ ભેદે છે. તથા ક્ષાયોપશમિક :- જ્ઞાન-૪, અજ્ઞાન-૩, દર્શન-૩, દાનાદિ લબ્ધિ-૫ એ પંદર ભેદે છે અને સમ્યકત્વ, ચાસ્ત્રિ, સંચમાસંયમ મળી ૧૮-ભેદે છે. પારિણામિક ભાવ જીવ, ભવ્ય, અભવ્યના ભેદથી ત્રણ પ્રકારે છે. સાંનિપાતિક બે થી છવ્વીસ ભેદે છે. તેનો સંભવ છ પ્રકારે છે અને ગતિભેદથી તે પંદર પ્રકારે છે.
અજીવ ભાવ વિભક્તિ મૂર્વપદાર્થના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, પરિણામરૂપે છે અને અમૂર્તોના ગતિ, સ્થિતિ, અવગાહના, વર્તનાદિ છે. હવે સમસ્ત પદ અપેક્ષાએ નકોના વિભાગરૂપ છે તેને કહે છે—
[નિ.૬૭-] શીત, ઉષ્ણરૂપ જે તીવ્ર વેદના ઉત્પાદક સ્પર્શ-સંપર્ક, પૃથ્વી આ સંસ્પર્શને અનુભવે છે, તેને વિશેષથી કહે છે - દેવાદિ વડે ઉપશાંત થવું શક્ય ન હોય તે અન્યાન્ ઉપક્રમ છે. આવો અપરાસાધ્ય પૃથ્વી સ્પર્શ નારકો અનુભવે છે. ઉપલક્ષણથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ પણ એકાંતે અશુભ હોય છે, તેને નાસ્કો અનુભવે છે. તથા ૧૫-પ્રકારના પરમાધામીએ કરેલ મુદ્ગર, અસિ, કુંતક, ચક્ર, કુંભીપાક આદિ વેદના પહેલી ત્રણ નરકમાં નારકો સ્વકૃત્ કર્મો ઉદયમાં આવતા અશરણ થઈને ઘણો કાળ ભોગવે છે. બાકીની ચાર નકમાં સ્વાભાવિક દુઃખો છે. પરમાધામી અભાવે પણ પોતાની મેળે જ તીવ્રતર વેદના પોતાના કર્મના ફળરૂપે અનુભવે છે અને પરસ્પર ઉદીતિ દુઃખો હોય છે.
પહેલાની ત્રણ નારકોમાં જે પરમાધામી જે દુઃખ દે છે, તે કહે છે– [નિ.૬૮,૬←] અંબ, અંબરિષ, સામ, સબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ઘણુ, કુંભ, વાલુ, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ આ પંદર જાતિના પરમાધામી
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પોતાના નામ પ્રમાણે દુઃખ દેનારા છે. તેઓ જે જે વેદનાઓ નારકીના જીવોને આપે છે, તે કહે છે—
૧૪૮
[નિ.૭૦ થી ૮૩-] તેમાં અંબ નામક પરમાધામી પોતાના ભવનથી નરકાવાસમાં જઈને ક્રીડા માટે જ નાસ્કોને અનાથ કૂતરા માફક શૂલાદિના પ્રહારથી એક સ્થાનેથી બીજા સ્થાને કાઢે છે, તથા તે પોતાની ઇચ્છા મુજબ તે બિચારાને ભમાવે છે. તથા આકાશમાં ઉછાળીને નીચે પડતાં મુદ્ગર આદિથી હણે છે તથા શૂલાદિથી વિંધે છે. કૃકાટિકામાં ગ્રહણ કરીને ભૂમિ ઉપર ઉંધા મુખે પટકે છે. ત્યાંથી પાછા આકાશમાં ઉછાળીને નીચે ફેંકે છે આ રીતે વિંડબના પમાડીને નરકમાં નાસ્કોને પીડે છે.
વળી તે મુદ્ગરાદિથી હણેલા, ફરી તલવાર આદિથી હણેલા નક પૃથ્વી ઉપર મૂર્છિત થયેલાને કર્પણીઓથી છેદીને આમતેમ ચીરે છે તથા ચીરતા મગની દાળ માફક બે ફાડીયા કરે છે. વચ્ચે પછાડીને ટુકડે ટુકડા કરે છે. આ પ્રમાણે અંબર્ષિ પરમાધામી દુઃખ દે છે.
તીવ્ર અસાતા ઉદયમાં વર્તતા નાસ્કોને શ્યામ નામે પરમાધામી આવું દુઃખ આપે છે. જેમકે - અંગોપાંગનું છેદન, નિષ્ઠુટથી - નીચે વજ્રભૂમિમાં ફેંકવા, શૂળ આદિ વડે વીંધવા, સોય આદિથી નાક વગેરેમાં કાણાં પાડે, ક્રુકર્મ કરનારાને દોડા વડે બાંધવા તથા તેવા જ પ્રકારના લતા-પ્રહાર વડે તાડન કરે છે. આ પ્રમાણે દારુણ દુઃખ આપીને શાતન, પાતન, વેધન, બંધનાદિ ઘણું કષ્ટ આપે છે.
શબલ નામે પરમાધામી તેવા પ્રકારના કર્મોદયથી ઉત્પન્ન ક્રીડા પરિણામ માત્રથી પુન્યહીન નાસ્કોને જે કરે છે, તે બતાવે છે. જેમકે - ફેફસા - આંતરડાંમાં રહેલ માંસ વિશેષ તથા હૃદયને ચીરે છે તેમાં રહેળ કાળજાના માંસ ખંડને તથા પેટમાં રહેલા આંતરડાના ભાગને ખેંચે છે, વાધ-[અંતસ્ત્વચા] ને ખેંચે છે. વિવિધ ઉપાયોથી અશરણ નારકોને તીવ્ર વેદના પહોંચાડે છે.
નામ પ્રમાણે અર્થ ધરાવતા રૌદ્ર નામક પરમાધામીઓ વિવિધ તલવાર શક્તિ આદિ શસ્ત્રોથી અશુભ ઉદયવાળા નાસ્કોને પરોવે છે.
ઉપરુદ્ર નામના પરમાધામી નારકોના અંગ પ્રત્યંગ-મસ્તક, બાહુ આદિ તથા હાથ-પગને મરડે છે. તે પાપી જીવોને કતરણીથી ચીરે છે. તથા એવું કોઈ દુઃખ નથી કે જે તે નારકીઓને ન આપતા હોય.
કાલ નામના અસુર પરમાધામી મોટા ચૂલા, શંક, કંદુક, પ્રચંડકોમાં તીવ્ર તાપમાં નારકોને પકાવે છે તથા ઉંટડી આકારની કુંભીમાં તથા લોઢાની કડાઈમાં નારકોને મૂકીને માછલાની માફક ોકે છે.
મહાકાલ નામક પરમાધામી પાપકર્મ નિત નારકોને વિવિધ ઉપાયોથી પીડે છે. જેમકે - નાસ્કોને ઝીણા માંસના ટુકડા જેવા કરે છે. પીઠમાંથી તેમના ચામડાને છેદે છે, જે પૂર્વે માંસ ખાતા હતા તેવા નાક જીવોને તેનું પોતાનું માંસ ખવડાવે છે. અસિ નામક પરમાધામી અશુભ કર્મોદયવાળા નારકોને પીડે છે, જેમકે - તેના હાથ-પગ ઉરુ બાહુ મસ્તક પડખાં આદિ અંગ ઉપાંગોને છેદે છે, ઘણાં ટુકડાં કરે