Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ આ દેખાય છે એ ‘દાદા ભગવાન' ન્હોય. તમે આ દેખાય છે, એને “દાદા ભગવાન' જાણતાં હશો, નહીં ? પણ આ દેખાય છે, એ તો ભાદરણના પટેલ છે, હું ‘જ્ઞાની પુરુષ” છું. અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે. હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું. અમારે દાદા ભગવાન જોડે જુદાપણાનો વ્યવહાર જ છે. ત્યારે લોકો એમ જાણે કે એ પોતે જ દાદા ભગવાન છે. ના, પોતે દાદા ભગવાન કેવી રીતે થાય ? આ તો પટેલ છે ભાદરણના. (આ જ્ઞાન લીધા પછી) આ દાદાની આજ્ઞા પાળવી એટલે એ “એ. એમ. પટેલની આજ્ઞા નથી. ખુદ “દાદા ભગવાનની, જે ચૌદ લોકનો નાથ છે, એમની આજ્ઞા છે એની ગેરેન્ટી આપું છું. આ તો મારી મારફત બધી વાત નીકળી છે આ. એટલે તમારે એ આજ્ઞા પાળવાની. મારી આજ્ઞા નથી, એ દાદા ભગવાનની આજ્ઞા છે. હુંયે એ ભગવાનની આજ્ઞામાં રહું ૮. ક્રમિક માર્ગ - અક્રમ માર્ગ મોક્ષે જવાના બે માર્ગ : એક “ક્રમિક માર્ગ ને બીજો “અક્રમ માર્ગ'. ક્રમિક એટલે પગથિયે પગથિયે ચઢવાનું. જેમ જેમ પરિગ્રહ ઓછાં કરતાં કરતાં જાવ ત્યારે તેમ તેમ મોક્ષે પહોંચાડે, તેય ઘણાં કાળે અને આ અક્રમ વિજ્ઞાન એટલે શું? પગથિયાં નહીં ચઢવાનાં, લિફટમાં બેસી જવાનું ને બારમે માળે ચઢી જવાનું, એવો આ લિફટમાર્ગ નીળ્યો છે. સીધું જ લિફટમાં બેસીને, બૈરી-છોકરાં સાથે છોકરા-છોકરીઓ પરણાવીને બધું જ કરીને પાછું મોક્ષે જવાનું. આ બધું જ કરતાં તમારો મોક્ષ ના જાય. આવો અક્રમ માર્ગ તે અપવાદ માર્ગ પણ કહેવાય છે. તે દર દસ લાખ વરસે પ્રગટ થાય છે. તે આ લિફટમાર્ગમાં જે બેસી ગયા, તેનું કલ્યાણ થઈ ગયું. હું તો નિમિત્ત છું. આ લિફટમાં જે બેઠાં એનો ઉકેલ આવી જાય ને ! ઉકેલ તો લાવવો જ પડશેને ? આપણે મોક્ષ જવાના જ છીએ, તે લિફટમાં બેઠાની ખાતરી પાછી થવી જોઈએ કે ૧૪

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62