________________
માટે અહીં તમારા આત્મા માટે જ આવ્યા છો. એટલે કહું છું બધાને, તમને ખોટ નહીં જાય કોઈ રીતે, અહીંયા આવશો તો.
દાદાના સત્સંગની અલૌકિર્તાઓ એ જો કર્મના ઉદય બહુ ભારે આવે ત્યારે આપણે સમજી લેવાનું કે આ ઉદય ભારે છે, માટે શાંત રહો. ઉદય ભારે એટલે પછી તો ટાઢો પાડી દઈને સત્સંગમાં જ બેસી રહેવું. એવું ચાલ્યા જ કરે. કેવા કેવા કર્મના ઉદય આવે એ કહેવાય નહીં.
પ્રશ્નકર્તા : વિશેષ જાગૃતિ વધે એનો ઉપાય શું? દાદાશ્રી : એ તો આ સત્સંગમાં પડ્યા રહેવું તે.
પ્રશ્નકર્તા : આપની પાસે છ મહિના બેસે ત્યારે એનું સ્થળ પરિવર્તન થાય, પછી સૂક્ષ્મમાં ફેરફાર થાય, એવું કહો છો.
દાદાશ્રી : હા, ખાલી બેસવાથી જ ફેરફાર થયા કરે. એટલે આ પરિચય કરવો જોઈએ. બે કલાક, ત્રણ કલાક, પાંચ કલાક જેટલા ઉમે કર્યા એટલો તો લાભ. લોકો જ્ઞાન મળ્યા પછી એમ સમજી જાય છે કે હવે આપણે કામ તો કંઈ રહ્યું જ નહીં ! પણ હજુ) પરિવર્તન તો થયું જ નથી !
રહો, જ્ઞાતીની વીઝીસીટીમાં પ્રશ્નકર્તા: મહાત્માઓએ શું ગરજ રાખવી જોઈએ, પૂર્ણપદ માટે ?
દાદાશ્રી જેટલું બને એટલું દાદાની પાસે જીવન કાઢવું એ જ ગરજ, બીજી કોઈ ગરજ નહીં. રાત-દહાડો, ગમે ત્યાં પણ દાદાની પાસે ને પાસે રહેવું. એમની (આત્મજ્ઞાનીની) વીઝીનીટીમાં (દષ્ટિ પડે એમ) રહેવું.
અહીં “સત્સંગમાં બેઠા બેઠાં કર્મના બોજા ઘટ્યા કરે અને બહાર તો નર્યા કર્મના બોજા વધ્યા જ કરે છે, ત્યાં તો નરી ગૂંચામણ જ છે. અમે તમને ગેરેન્ટી આપીએ છીએ કે જેટલો વખત “અહીં સત્સંગમાં બેસશો તેટલા વખત પૂરતું તમારા ધંધાપાણીમાં ક્યારેય પણ ખોટ નહીં