Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 57
________________ પ્રતિક્રમણ વિધિ પ્રત્યક્ષ ‘દાદા ભગવાન'ની સાક્ષીએ, દેહધારી (જેની પ્રત્યે દોષ થયો હોય, તે સામી વ્યક્તિનું નામ) ના મનવચન-કાયાના યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ, આજ દિન સુધી મારાથી જે જે ** દોષ થયા છે, તેની ક્ષમા માંગું છું. એનો હૃદયપૂર્વક ખૂબ પશ્ચાત્તાપ કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી આવાં દોષો ક્યારેય પણ નહીં કરું એવો દૃઢ નિશ્ચય કરું છું. તે માટે મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. ** આખી જિંદગી દરમ્યાન ક્રોધ-માન-માયા-લોભ, વિષયકષાય વિગેરેથી કોઈને પણ દુ:ખ અપાઈ ગયું હોય, તે દોષો મનમાં યાદ કરવા. ૫૪

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62