________________
એડજસ્ટ એવરીવ્હેર
પચાવો એક જ શબ્દ એડજસ્ટ એવરીવ્હેર’ આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. આ કળિયુગનાં આવાં ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવને, તો ખલાસ થઈ જશો.
સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ “એડજસ્ટ’ થતાં તો આવડવું જ જોઈએ. સામો ડિસૂએડજસ્ટ થયા કરે ને આપણે “એડજસ્ટ’ થયા કરીએ તો સંસારમાં તરી પાર ઊતરી જશો. બીજાને અનુકુળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. “એડજસ્ટ એવરીવ્હેર.” દરેક જોડે “એડજસ્ટમેન્ટ' થાય, એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે “એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે ?
આ આઈસ્ક્રીમ તમને એમ નથી કહેતો કે અમારાથી ભાગો. આપણે ના ખાવો હોય તો ના ખઈએ. આ તો ઘેડિયાં એની પર ચિઢાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયો એના છે. આ છોકરાં તો જમાના પ્રમાણે કરે.
અમે શું કહીએ છીએ કે, જમાના પ્રમાણે એડજસ્ટ થાવ. છોકરો નવી ટોપી પહેરીને આવે તો એવું ના કહીએ કે, આવું કંઈથી લઈ આવ્યો? એના કરતાં એડજસ્ટ થઈએ કે, “આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો ? કેટલાંની આવી ? બહુ સસ્તી મળી ?” આમ એડજસ્ટ થઈ જઈએ.
આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે “આ ચાદર મેલી છે” પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત ! પંચેન્દ્રિયજ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે. માટે આત્મામાં રહો.
આ તો સારું-ખોટું કહેવાથી એ આપણને પજવે છે. આપણે તો બન્નેને સરખાં કરી નાખવાનાં છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું,
૩૨.