Page #1
--------------------------------------------------------------------------
________________
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, Krishna-Kun". Plot No.30. Navyug CHS Ltd., V. L. Mehta Morg, Vile Parle[w), Mumbai-400056
Phone No.: (022) 2613 0820. Website: www.vitragvani.com Email: vitragva@vsnl.com
“Vairagya Varsha" has been published by us & the PDF version of the same has been put on our website www.vitragvani.com
We have taken due care, while preparing the same. However, if you find any typographical error, you may kindly inform us on info@Vitragvani.com
By “Shree Kundkund-Kahan Parmarthik Trust"
(Shri Shantilal Ratilal Shah-Parivar, Mumbai)
Page #2
--------------------------------------------------------------------------
________________
[ 2 ]
परमात्मने नमः।
પ્રથમ આવૃત્તિ-: ૨૫00 કહાન સં. ૧૩, વીર સં. ૨૫૧૯, વિક્રમ સં. ૨૦૪૯, ઇ.સ. ૧૯૯૩ શ્રાવણ વદ-૨, પૂજ્ય બહેનશ્રી ચંપાબેન-રત્નચિંતામણિ-જન્મ મહોત્સવ
દ્વિતીય આવૃત્તિઃ ૪૦૦૦ કહાન સં. ૧૪, વીર સં. ૨૫૨૦, વિક્રમ સં. ૨૦૫૦, ઇ.સ. ૧૯૯૪ ફાગણ વદ-૧૦, પૂજ્ય બહેનશ્રી ચંપાબેન-૬૨મી સમ્યક્ત્વજયંતી
તૃતીય આવૃત્તિઃ ૨૫૦૦ કહાન સં. ૧૫, વીર સં. ૨૫૨૧, વિક્રમ સં. ૨૦૫૧, ઇ.સ. ૧૯૯૫ વૈશાખ સુદ-૨ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી-૧૦૬મી જન્મજયંતી
વિરાગ્ય વર્ષા
ટાઈપ સેટીંગ : અરિહંત કોમ્યુટર ગ્રાફિક્સ સોનગઢ (સૌરાષ્ટ્ર)
છે સંકલનકાર છે જિતેન્દ્ર નાગરદાસ મોદી, સોનગઢ
C/o કેસેટ વિભાગ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ - ૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)
ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર મિલ કમ્પાઉન્ડ, બારડોલપુરા, અમદાવાદ
ફોન : C/o ૩૮૬ ૨૯૪
Page #3
--------------------------------------------------------------------------
________________
[૩]
[૪]
ઉપોદઘાત પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રી મહાવિદેહક્ષેત્રથી અત્રે ભરતક્ષેત્રમાં પધારતાં મુમુક્ષુસમાજ માટે તો આ વિષમ પંચમકાળ પણ ચતુર્થકાળ થઈ ગયો છે. પૂજ્ય ગુરુદેવે તેમના જીવનકાળ દરમ્યાન સ્વાનુભવસમૃદ્ધ પોતાના પવિત્ર જીવનથી તથા ભવછેદક અધ્યાત્મ-અમૃત વાણીથી આપણા સૌ ઉપર અવર્ણનીય ઉપકારવર્ષા વરસાવી છે. તેઓશ્રીની ૪૫-૪૫ વર્ષો સુધી વરસેલી એકધારી અધ્યાત્મની વર્ષાથી ધર્મનો સુકાળ વર્તી રહ્યો છે. તેઓશ્રી બિરાજમાન નથી; પરંતુ જેમ બપોરના સૂર્યના ધોમ તાપથી તપ્ત થયેલી પથ્થરની શિલા સૂર્યાસ્ત પછી પણ સૂર્યના તાપના પ્રભાવથી કલાકો સુધી તપ્તાયમાન રહે છે, તેમ ઉપકારમૂર્તિ પૂજ્ય ગુરુદેવે ૪૫-૪૫ વર્ષો સુધી જે અધ્યાત્મ-અમૃતની ધોધમાર વર્ષા વરસાવી છે તેના પ્રભાવથી પંચમ આરાના છેડા સુધી આ ભરતક્ષેત્ર અધ્યાત્મની હરિયાળીથી આત્માર્થીઓ માટે લીલુંછમ જ રહેશે.
કરુણાસિંધુ પૂજ્ય ગુરુદેવશ્રીએ ૪૫-૪૫ વર્ષો સુધી જે અધ્યાત્મ-અમૃતવર્ષા વરસાવી તેમાં મુખ્યપણે તો, જેના અભાવે આ જીવ આજ સુધી સંસારમાં ભટકી રહ્યો છે તે દ્રવ્યદૃષ્ટિનો જ ધોધ વરસાવ્યો છે. ‘દ્રવ્યદૃષ્ટિથી વર્તમાનમાં જ હું તો પરિપૂર્ણ ભગવાનસ્વરૂપ છું', હું તો એક જ્ઞાયક છું’-એ મુખ્ય વિષયને જ જીવનભર ઘૂંટાવતાં રહ્યા અને તેની સાથોસાથ આ મનુષ્યભવની અત્યંત દુર્લભતાની ટકોર કરવાનું પણ ક્યારેય ચૂકતા ન હતા. મેરુ જેટલાં પુણ્યના થોકથી મળેલો આ સાચા દેવ-ગુરુનો દુર્લભ ઉત્કૃષ્ટ યોગ પામીને મુમુક્ષુઓ સંસાર, શરીર, ભોગથી ચેતીને આત્મહિત માટે વિશેષ સાવધાન રહે તે માટે તેઓશ્રી અધ્યાત્મની ગૂઢ મૂળભૂત વાતોની સાથોસાથ ક્ષણભંગુર આયુષ્યના સેંકડો
પ્રસંગો પણ વૈરાગ્યભાવે વર્ણવતા હતા. તેઓશ્રીની અધ્યાત્મદેશના તો અભૂતપૂર્વ હતી જ, પરંતુ તેઓશ્રીની વૈરાગ્યવાણીનું શ્રવણપાન કરનારનો સંસારરસ પણ નીતરી જતો. સંસારથી વિરકતચિત્ત તેઓશ્રીની વાણીમાં એટલી કરુણા વહેતી કે વારંવાર કહેતાં કે
અરે! માથે મોત ભમે છે ને આને હસવું કેમ આવતું હશે? તેથી કોઈ પણ સાંસારિક-વૈરાગ્યનો પ્રસંગ તેઓશ્રીને સાંભળવા મળતો ત્યારે ખૂબ જ વૈરાગ્યપૂર્ણ ભાવે તેનું વર્ણન કરીને સંસારના રસથી વિરક્તિ ઘૂંટાવતાં હતા.
તેઓશ્રી ફરમાવતાં હતા કે દ્રવ્યદૃષ્ટિની ઉત્કૃષ્ટ દેશના અંતરમાં પચાવવા માટે સર્વ પ્રકારના સંસારના કાર્યોનો રસ ઊડી જવો જોઈએ, અંદરથી સંસાર-શરીર-ભોગથી ઉદાસીનતા થવી જોઈએ, બાહ્યપ્રસંગોથી વિરક્તચિત્ત થઈ જવું જોઈએ, ક્યાંય ગોઠે નહીં એવી અંતરંગસ્થિતિ થવી જોઈએ...બીજાના મરણ પ્રસંગો દેખીને આયુષ્યની ક્ષણભંગુરતાના વિચારે એને કાળજે ઘા લાગવો જોઈએ કે અરે! આયુષ્યની આટલી ક્ષણભંગુરતા ને હું આ પ્રમાદી થઈને શું કરી રહ્યો છું? વાદિરાજમુનિ તો કહે છે કે ભૂતકાળના દુઃખોને યાદ કરતાં મારા હૃદયમાં આયુધના ઘા પડે છે.-તો એવા એવા અનંતકાળમાં ભોગવેલાં દુઃખોથી હું કયારે ä? કેમ ટું? એમ એને અંદરથી વેદના થવી જોઈએ.ત્યારે આ કાચા પારા જેવી, સિંહણના દૂધ જેવી દ્રવ્યદૃષ્ટિની દેશના અંદરમાં પરિણમે.
પ્રશમમૂર્તિ પૂજય બહેનશ્રી પણ કહેતાં કે મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું હોવું જોઈએ. મુમુક્ષુને અંતરમાં વૈરાગ્ય હોય, ચારગતિના દુઃખથી થાક લાગ્યો હોય, સત્યના કહેનારા દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિથી મુમુક્ષુનું હૃદય રંગાયેલું હોય, તેના કષાયો મર્યાદામાં આવી ગયા હોય, એક આત્માની જ લગની લાગી હોય,એમ અનેક પ્રકારે મુમુક્ષુપણા અંગે ઘણું ફરમાવતાં હતાં. પૂજય ગુરુદેવશ્રી
Page #4
--------------------------------------------------------------------------
________________
જ આત્મશાંતિ પ્રગટ કરે છે
[૫] પણ પૂજ્ય બેનશ્રીના માટે “જીવતા મરી ગયેલાં છે” એમ કહીને એમ પ્રેરણા આપતાં હતા કે ભાઈ! જેણે આ ભવમાં જ આત્મહિત સાધી લેવું હોય તેનું જીવન આવું,સંસારથી વિરક્તચિત્ત, વૈરાગી હોવું જોઈએ.
દ્રવ્યદૃષ્ટિના પરિણમનને યોગ્ય, વૈરાગ્યભાવનાની વૃદ્ધિ રહે તેમ જ આપ્તજનોના મૃત્યુ પ્રસંગે કે આકરી બિમારીની અસહ્ય વેદના આદિ પ્રતિકૂળતાના પ્રસંગે આર્તધ્યાન ન થાય અને જાગૃતિ રહે તે હેતુથી અનેક મુનિ-ભગવંતોના ઉદ્ગારોથી વૈરાગ્યની પ્રેરણા મળે એ આ વૈરાગ્યવર્ધાનો ઉદ્દેશ્ય છે.
આકરી બિમારીના પ્રસંગમાં આત્મજાગૃતિ અર્થે પરમોપકારી પૂજય ગુરુદેવશ્રીનું જે સંબોધન “વૈરાગ્યવાણી’ દ્વારા પ્રકાશિત થયેલ તે અપ્રાપ્ય હોવાથી આ વૈરાગ્યવર્ષાની પાછળ આપેલ છે, તેમ જ ચારગતિના ભીષણ દુઃખોનું સ્મરણ કરાવતો, વૈરાગ્યકર, ભરત-ગૈલોકયમંડન હાથીના અનેક ભવોનો પુરાણ-પ્રસંગ અને કેટલાક વૈરાગ્યના ભજનો પણ લીધા છે.
મારા પિતાશ્રી નાગરદાસ બી. મોદી તથા કાકાશ્રી ઉમેદરાય બી. મોદીના સંપૂર્ણ માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવેલ આ વૈરાગ્યવષનું સંકલન આત્માર્થીઓને આત્મસાધનામાં વૈરાગ્યપ્રેરકબળ બની રહે ને અત્યંત દુર્લભ એવા આ મનુષ્યભવની સૌ સાર્થકતા કરે એવી ભાવના સહ,
-સંકલનકાર આ વૈરાગ્યવર્ષાની બીજી આવૃત્તિનું લેસર ટાઈપ સેટીંગ કરી આપવા બદલ અરિહંત કોમ્યુટર ગ્રાફિક્સનો તેમ જ પ્રફરીડિંગની સેવા આપવા બદલ શ્રી દીપકભાઈ એમ. દેસાઈ (ટેપ-વિભાગ)નો હાર્દિક આભાર માનીએ છીએ.
-પ્રકાશક
* આત્મા ગમે તેવા સંયોગમાં પણ પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પોતાની શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્ય પદાર્થ વિદન કરવા સમર્થ નથી. ગમે તેવા આકરાં પ્રસંગો આવી પડે, દીકરો મરી જાય, દીકરી રાંડે, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો આકરો રોગ થઈ ગયો હોય, સુધા -તૃષાની આકરી વેદના હોય કે સિંહ, વાઘ ફાડી ખાવા આવ્યો હોય કે ગમે તેવા આકરાં પ્રસંગ આવી પડે તોપણ તે સંયોગનું લક્ષ છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. બાહ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કોટિ જીભથી કોટિ વર્ષ સુધી કહેવામાં આવે તો પણ એ પીડા કહી શકાય નહિ. એવી આકરી નરકની પીડા છે. છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી દે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે. ભાઈ! તારું તત્ત્વ હાજરાહજૂર છે. તેમાં લક્ષ કરીને પોતાની શાંતિ પ્રગટ કરી શકાય છે.
-ઉપકારમૂર્તિ પૂજ્ય ગુરુદેવ
Page #5
--------------------------------------------------------------------------
________________
[૭]
[૮]
જ મોત માથે ભમે છે ,
+ આત્માનું હિત કરી લે !
કે હમણાં તો મોટર-ટ્રેઈન-પ્લેન આદિના અકસ્માતથી કેટલાય માણસો મરી ગયાનું સંભળાય છે. આંખ ખૂલે ને સ્વપ્ન ચાલ્યું જાય, તેમ દેહ અને ભવ ક્ષણમાં ચાલ્યો જાય છે. હાર્ટફેઈલ થતાં ક્ષણમાં નાની-નાની ઉંમરમાં ચાલ્યા જાય છે, અરે ! આ સં....સા....૨! નરકમાં અનાજનો દાણો ન મળે, પાણીનું બિંદુ ન મળે ને પ્રતિકૂળતાનો પાર નહીં એવી સ્થિતિમાં અનંતવાર ગયો પણ ત્યાંથી નીકળ્યો ત્યાં બધું ભૂલી ગયો. એનો જરા વિચાર કરે તો એ બધાં દુઃખથી છૂટવાનો રસ્તો શોધે. અહા! આવો માનવભવ મળ્યો છે અને આવું સત્ય સમજવાનો જોગ મળ્યો છે એમાં પોતાના આત્માનું હિત કરી લેવા જેવું છે.
મરણ તો આવવાનું જ છે જ્યારે બધુંય છૂટી જશે. બહારની એક ચીજ છોડતાં તને દુઃખ થાય છે, તો બહારનાં બધાંય દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને કેટલું દુઃખ થશે? મરણની વેદના પણ કેટલી હશે? ‘મને કોઈ બચાવો’ એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઈ બચાવી શકશે? તું ભલે ધનના ઢગલાં કરે, વૈધ-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે? જો તેં શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ-અનુભૂતિ કરી આત્મારાધના કરી હશે, આત્મામાંથી શાન્તિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન કર. ભવભ્રમણ કેટલાં દુઃખોથી ભરેલું છે તેનો ગંભીરતાથી વિચાર તો કર! નરકનાં ભયંકર દુઃખોમાં એક ક્ષણ જવી પણ વસમી પડે ત્યાં સાગરોપમ કાળના આયુષ્ય કેમ પૂરાં થયાં હશે? નરકનાં દુઃખ સાંભળ્યાં જાય એવાં નથી. પગમાં કાંટો વાગે તેટલું દુઃખ પણ તું સહન કરી શકતો નથી, તો પછી જેના ગર્ભમાં તેનાથી અનંતાનંતગુણાં દુઃખ પડ્યાં છે એવા મિથ્યાત્વને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો નથી? ‘માથે મોત ભમે છે” એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તે પુરુષાર્થ ઉપાડ કે જેથી ‘અબ હમ અમર ભયે, ન મરેંગે’ એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહત્યાગ કરી શકે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે.
-પૂજ્ય બહેનશ્રી
કે પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે? એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એમ આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે અને અંદર કામ કરવાના ઘણા છે એમ એને લાગવું જોઈએ.
કે કોઈને ફાંસીનો ઓર્ડર થયો હોય અને ફાંસી આપવાની રૂમમાં લઈ જાય અને પછી કેવો ધ્રુજવા માંડે! તેમ સંસારના દુઃખથી જેને ત્રાસ ત્રાસ થઈ ગયો હોય એને માટે આ વાત છે.
-કરુણાસાગર પૂજ્ય ગુરુદેવ
Page #6
--------------------------------------------------------------------------
________________
परमात्मने नमः।
* વૈરાગ્યવર્ષા
###
www
#
વૈરાગ્યવર્ષા ]
કે એક જીવ બીજા કોઈ જીવના વિષયમાં શોક કરતો કહે છે કે અરેરે ! મારા નાથનું મરણ થયું. પરંતુ તે પોતાના માટે શોક કરતો નથી કે હું સ્વયં સંસાર-સમુદ્રમાં ડૂબેલો છું. સંસારમાં જીવ જેવી રીતે બીજાના વિષયમાં વિચાર કરે છે તેવી જ રીતે પોતાના માટે પણ જો વિચાર કરે તો શીધ્ર પોતાનું હિત થાય. પરંતુ જીવ પોતાના વિષયમાં ઘણું કરીને વિચાર કરતો નથી. ૨.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર) કે હે જીવ! હું અકિંચન છું અર્થાત્ મારું કાંઈ પણ નથી એવી સમ્યક ભાવના પૂર્વક તું નિરંતર રહે, કારણ કે એ જ ભાવનાના સતત ચિંતવનથી તું ગૈલોક્યનો સ્વામી થઈશ. આ વાત માત્ર યોગીશ્વરો જ જાણે છે. એ યોગીશ્વરોને ગમ્ય એવું પરમાત્મતત્ત્વનું રહસ્ય મેં તને સંક્ષેપમાં કહ્યું. ૩. (શ્રી આત્માનુશાસન)
કે સંસારમાં લોકો પોતાના કોઈ સંબંધી મનુષ્યનું મૃત્યુ થતાં જે વિલાપપૂર્વક ચીસો પાડીને રુદન કરે છે તથા તેનો જન્મ થતાં જે હર્ષ કરે છે તેને ઉન્નત બુદ્ધિના ધારક ગણધર આદિ પાગલપણું કહે છે. કારણ કે મૂર્ખતાવશ જે ખોટી પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય તેનાથી થતાં કર્મના પ્રકૃષ્ટ બંધ અને તેના ઉદયથી સદા આ આખુંય વિશ્વ મૃત્યુ અને ઉત્પત્તિની પરંપરાસ્વરૂપ છે. ૪.
| (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * આ જગત ઇન્દ્રજાળ તથા કેળના સ્તંભ સમાન કેવળ નિઃસાર છે, એ શું તું નથી જાણતો? નથી સાંભળ્યું? વા પ્રત્યક્ષ નથી દેખાતું? હે જીવ! આપ્તજનોના મરણ પાછળ શોક કરવો એ નિર્જન અરણ્યમાં પોક મૂકવા સમાન વ્યર્થ છે. જે ઉત્પન્ન થયો છે તે મરશે જ. મરણના સમયે તેને કોણ બચાવી શકે તેમ છે? છતાં મૂર્ખ મનુષ્ય સંબંધીજનોના મરણ પાછળ શોક કરે છે એ જ
###
kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk
ભગવાન તીર્થંકરદેવ વડે ચિંતવન કરવામાં આવેલી અધુવ રે આદિ બાર-ભાવના વૈરાગ્યની માતા છે, સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે, દુઃખી જીવોને શરણભૂત છે, આનંદ ઉત્પન્ન કરવાવાળી છે, પરમાર્થમાર્ગને બતાવવાવાળી છે, તત્ત્વનો નિશ્ચય કરાવનારી છે, સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારી છે, અશુભ-ધ્યાનને નાશ કરનારી છે, આત્મકલ્યાણના અર્થી જીવે હંમેશા ચિંતવન છે કરવાયોગ્ય છે.
(શ્રી ભગવતી આરાધના) છે Акккккккккккккккккккккккккккккк
* નવ નિધિ, ચૌદ રત્ન, ઘોડા, મત્ત ઉત્તમ હાથીઓ, ચતુરંગિણી સેના આદિ સામગ્રીઓ પણ ચક્રવર્તીને શરણરૂપ નથી. તેનો અપાર વૈભવ તેને મૃત્યુથી બચાવી શકતો નથી.
જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી પોતાનો આત્મા જ પોતાની રક્ષા કરે છે. કર્મનો બંધ, ઉદય અને સત્તાથી ભિન્ન પોતાનો આત્મા જ આ સંસારમાં શરણરૂપ છે. કર્મોનો ક્ષય કરીને જન્મ,જરા,મરણાદિના દુઃખોથી પોતાનો આત્મા જ પોતાને બચાવે છે. ૧.
(શ્રી કુંદકુંદાચાર્ય બાર ભાવના)
###
Page #7
--------------------------------------------------------------------------
________________
૩
અનાદિ કાલીન મોહની ઘેલછા છે. ૫.
[ વૈરાગ્યવર્ષા
(શ્રી આત્માનુશાસન)
* આ અજ્ઞાની પ્રાણી, અમુક મરી ગયા, અમુક મરણ સન્મુખ છે અને અમુક ચોક્કસ મરશે જ-આમ હંમેશા બીજાના વિષયમાં તો ગણતરી કર્યા કરે છે. પરંતુ શરીર, ધન, સ્ત્રી આદિ વૈભવમાં મહા મોહથી પકડાયેલો મૂર્ખ મનુષ્ય પોતાની સમીપ આવેલા મૃત્યુને દેખતો પણ નથી. ૬. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* દયારહિત યમરાજ જો મરણસે ડરતા હૈ ઉસકો છોડતા નહીં હૈ. ઇસલિયે બેમતલબ ડર ન કર. અપના ચાહા હુઆ સુખ કભી નહીં પ્રાપ્ત હોતા હૈ ઇસલિયે તૂ ઇસ સુખકી ઇચ્છા ન કર. જો મર ગયા-નષ્ટ હો ગયા ઉસકા શૌચ કરને પર લૌટકર નહીં આતા હૈ ઇસલિયે બેમતલબ શોક ન કર. સમજકર કામ કરનેવાલે વિદ્વાન બેમતલબ કામ ક્રિસલિયે કરેંગે? ૭. (શ્રી તત્ત્વભાવના)
* હે અજ્ઞાની મનુષ્ય! આ સમસ્ત જગત ઇન્દ્રજાળ સમાન વિનશ્વર અને કેળના થડ સમાન નિઃસાર છે. આ વાત શું તું નથી જાણતો? શું શાસ્ત્રમાં સાંભળ્યું નથી? અને શું પ્રત્યક્ષ નથી દેખતો? અર્થાત્ તમે એને અવશ્ય જાણો છો, સાંભળો છો અને પ્રત્યક્ષપણે પણ દેખો છો તો પછી ભલા અહીં પોતાના કોઈ સંબંધી મનુષ્યનું મરણ થતાં શોક કેમ કરો છો? અર્થાત્ શોક છોડીને એવો કાંઈક પ્રયત્ન કરો કે જેથી શાશ્વત, ઉત્તમ સુખના સ્થાનભૂત મોક્ષને પામી શકો. ૮.
(શ્રી પદ્માદ પંવિશત)
* હે ભાઈ! તારી નજર સામે તું શું નથી જોતો કે આ જગત કાળરૂપ પ્રચંડ પવનથી નિર્મૂળ થઈ રહ્યું છે! ભ્રાંતિને છોડ! જગતમાં કોઈની નામ માત્રની પણ સ્થિરતા નથી. જે દિવસની મંગળમય પ્રભાત જણાય છે, તે જ દિવસ અસ્તપણાને પ્રાપ્ત થાય
વૈરાગ્યવર્ધા ]
*
છે. ભાઈ! આ જગતનો સ્વભાવ જ ક્ષણભંગુર છે. પહાડ જેવા વિસ્તીર્ણ જણાતાં રૂપોનો ઘડી પછી અવશેષ પણ જણાતો નથી. કોણ જાણે શા કારણથી તું એ ઇન્દ્રજાળવત્ જગતના ઇષ્ટ પદાર્થોમાં આશા બાંધી ભમ્યા કરે છે! ૯. (શ્રી આત્માનુશાસન)
* આ મનુષ્ય શું વાનો રોગી છે? શું ભૂત-પિશાચ આદિથી ગ્રહાયો છે? શું બ્રાંતિ પામ્યો છે? અથવા શું પાગલ છે? કારણ કે તે ‘જીવન આદિ વીજળી સમાન ચંચળ છે' આ વાત જાણે છે, દેખે છે અને સાંભળે પણ છે તોપણ પોતાનું કાર્ય (આત્મહિત) કરતો નથી. ૧૦.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* જે વીર છે તેને પણ મરવું પડે છે તથા જે વીર નથી તે પણ અવશ્ય મરે છે. જો વીર તથા કાયર બંને મરે જ છે તો વીરતાથી અર્થાત્ સંકલેશ રહિત પરિણામોથી મરવું જ શ્રેષ્ઠ છે. હું શાંત પરિણામી થઈને પ્રાણોનો ત્યાગ કરીશ. ૧૧. (શ્રી મૂલાચાર)
* જે જીવને જે કાળમાં જે વિધાનથી જન્મ-મરણ ઉપલક્ષણથી દુઃખ-સુખ-રોગ-દરિદ્ર આદિ થવું સર્વજ્ઞદેવે જાણ્યું છે તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જે પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રાણીને તે જ દેશમાં તે જ વિધાનથી નિયમથી થાય છે તેને ઇન્દ્ર કે જિનેન્દ્રસ્તીર્થંકરદેવ કોઈ પણ અટકાવી શકતા નથી. ૧૨. (શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા)
* પોતાના કોઈ સંબંધી પુરુષનું મૃત્યુ થતાં જે અજ્ઞાનવશ શોક કરે છે તેની પાસે ગુણની ગંધ પણ નથી, પરંતુ દોષ તેની પાસે ઘણાં છે-એ નક્કી છે. આ શોકથી તેનું દુઃખ અધિક વધે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થ નષ્ટ થાય છે. બુદ્ધિમાં વિપરીતતા આવે છે તથા પાપ (અશાતાવેદનીય) કર્મનો
Page #8
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ધા બંધ પણ થાય છે, રોગ ઉત્પન્ન થાય છે અને અંતે મરણ પામીને તે નરકાદિ દુર્ગતિ પામે છે. આ રીતે તેનું સંસાર-પરિભ્રમણ લાંબુ થઈ જાય છે. ૧૩.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * હે શિષ્ય! જો કુછ પદાર્થ સૂર્યકે ઉદય હોનેપર દેખે થે વે સૂર્યકે અસ્ત હોનેકે સમય નહીં દેખે જાતે, નષ્ટ હો જાતે હૈં. ઇસ કારણ તૂ ધર્મકો પાલન કર, ધન ઔર યૌવન અવસ્થામેં કયા તૃષ્ણા કર રહા હૈ! ૧૪.
(શ્રી પરમાત્મપ્રકાશ) * જિનકી ભૌહકે કટાક્ષોકે પ્રારંભમાત્રસે બ્રહ્મલોક પર્યટકા યહ જગત ભયભીત હો જાતા હૈ, તથા જિનકે ચરણોકે ગુરુબારક કારણ પૃથ્વીકે દબનેમાત્રસે પર્વત તત્કાલ ખંડ ખંડ હો જાતે હૈ, ઐસે ઐસે સુભટોંકો ભી, જિનકી કિ અબ કહાનીમાત્ર હી સુનનેમેં આતી હૈં, ઇસ કાલને ખા લિયા હૈ. ફિર યહ હીનબુદ્ધિ જીવ અપને જીનેકી બડી ભારી આશા રખતા હૈ, યહ કૈસી બડી ભૂલ
(શ્રી જ્ઞાનાર્ક્સવ) * મનુષ્ય સમુદ્રો, પર્વતો, દેશો અને નદીઓને ઓળંગી શકે છે, પરંતુ મૃત્યુના નિશ્ચિત સમયને દેવ પણ નિમેષમાત્ર (આંખના પલકારા બરાબર) જરા પણ ઓળંગી શકતો નથી. આ કારણે કોઈ પણ ઇષ્ટજનનું મૃત્યુ થતાં કયો બુદ્ધિમાન મનુષ્ય સુખદાયક કલ્યાણમાર્ગ છોડીને સર્વત્ર અપાર દુઃખ ઉત્પન્ન કરનાર શોક કરે ? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન શોક કરતો નથી. ૧૬.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * સર્વ ક્ષેત્ર કે સર્વ કાળમાં કોઈ પણ પ્રકાર વડે જીવ કાળથી બચતો નથી કે બચશે પણ નહિ. સર્વ શરીરધારી પ્રાણીઓ એ પ્રચંડ કાળને વશ વર્તી રહ્યા છે. એ પ્રત્યક્ષ જોઈને હે જીવ! પ્રતિ
વૈરાગ્યવષ ] પળે વિનાશ સન્મુખ જતાં શરીરને રાખવાની ચિંતા છોડી એક નિજ આત્માને જ રાગ-દ્વેષાદિ દુષ્પરિણામોથી હણાતો બચાવ, બચાવ! વિનાશી પદાર્થને રાખવાની માથાકૂટ છોડી એ અવિનાશી નિજ આત્મપદનું રક્ષણ કર, રક્ષણ કર! અને દેહનાશની ચિંતાથી નિશ્ચિત થા, કારણ કે એ નિજપદ નથી પણ પર પદ છે. ૧૭.
(શ્રી આત્માનુશાસન) * જિન તીર્થકરોકે ચરણોંકો ઇન્દ્ર ચક્રવર્તી આદિ લોકશિરોમણિ પુરુષ અપની કાંતિરૂપી જલસે ધોતે હૈં, જો લોકઅલોકકો દેખનેવાલે કેવલજ્ઞાનરૂપી રાજ્યલક્ષ્મીકે ધારી હૈ ઐસે તીર્થકર ભી આયુકમકે સમાપ્ત હોને પર ઇસ શરીરકો છોડકર મોક્ષકો ચલે જાતે હૈં, તો ફિર અન્ય અલ્પાયુધારી માનવોકે જીવનકા કયા ભરોસા? ૧૮. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* મનુષ્ય પ્રાણીની દુર્લભતા અને ઉત્તમતાને લઈને વિધિરૂપ મંત્રીએ તેની અનેક પ્રકારે રક્ષા કરી. દુષ્ટ પરિણામી નર્કના જીવોને અધો ભાગમાં રાખ્યા, લોકની ચારે તરફ અનેક મહાન અલંધ્ય સમુદ્ર તથા તેની ચારે તરફ ઘનોદધિ, ઘન અને તનું એ નામના ત્રણ પવનથી વીંટી વિસ્તીર્ણ કોટ કરી રાખ્યો અને વચ્ચે જતનથી મનુષ્ય-પ્રાણીને રાખ્યા. આટલા આટલા વિધિના પૂર્ણ જાપ્તા છતાં પણ મનુષ્ય-પ્રાણી મરણથી ન બચ્યાં. અહો ! યમરાજ અત્યંત અલંધ્ય છે. ૧૯
(ધી આત્માનુશાસન) *જબ ઇન્દ્ર, ચંદ્ર આદિ ભી મરણકે દ્વારા નિશ્ચયસે નાશ કિયે જાતે હૈ તબ ઉનકે મુકાબલેમેં કીટકે સમાન અલ્પાયુવાલે અન્ય જનકી તો બાત હી કયા હૈ? ઇસલિયે અપને કિસી પ્રિયકે મરણ હો જાને પર વૃથા મોહ નહીં કરના ચાહિયે. ઇસ જગતમેં
હૈિ! ૧૫.
Page #9
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ધા તૂ ઐસા કોઈ ઉપાય શીધ્ર ટૂંઢ જિસસે કાલ અપના દાવ ન કર સકે. ૨૦.
(શ્રી નંદિ પંચવિરાતિ) * દૈવ ઔર મૃત્યુ દોનોંકા હી નિરાકરણ નહીં હો સકતા તબ રક્ષણ થા શરણકે લિયે કિસીકા ભી અનુસરણ કરના થા કિસીકે સામને દીનતા પ્રકાશિત કરના વ્યર્થ હી હૈ. કોકિ ન તો કોઈ મેરે ભાગ્યમેં પરિવર્તન કર સકતા હૈ ઔર ન મેરી મૃત્યુકો હી રોક સકતા હૈ. યે દોનોં કાર્ય અવશ્યભાવી હૈ અત-એવ ઇનકે લિયે વૈર્યકા અવલંબન લેના હી સતુપુરુષાંકો ઉચિત હૈ. ૨૧.
(શ્રી અનગાર-ધર્મામૃત) કે ઇસ સંસારમેં યે જો પ્રખ્યાત પુણ્યશાલી ચંદ્ર, સૂર્ય, દેવેન્દ્ર, નરેન્દ્ર, નારાયણ, બલભદ્ર આદિ કીર્તિ, કાંતિ, ધૃતિ, બુદ્ધિ, ધન ઔર બલકે ધારી હૈં, વે ભી યમરાજ કી દાઢમેં જાકર, અપનેઅપને સમય પર મૃત્યુકો પ્રાપ્ત હોતે હૈ, તબ દૂસરોંકી તો બાત હી કયા હૈ? અતઃ બુદ્ધિમાનાંકો ધર્મમેં મન લગાના ચાહિયે. ૨૨.
(શ્રી સુભાષિતરત્નસુંદો) * જિસ સંસારમેં પૃથ્વીનો ઉલટાનેમેં, આકાશમાર્ગસે ચંદ્રસૂર્યકો ઉતાર ફેકનેમેં, વાયુકો અચલ કરનેમેં, સમુદ્રકે જલકો પી ડાલનેમેં તથા પર્વતકી ચૂર્ણ કરનેમેં સમર્થ પુરુષ મૃત્યુકે મુખમેં પ્રવેશ કરતે હોં, વહાં દૂસરોંકી કયા સ્થિતિ હૈ? ઠીક હી હૈ, જિસ બિલમેં વનકે સાથ પર્વત સમા જાતા હૈ ઉસમેં પરમાણુકા સમા જાના કૌન બડી બાત હૈ? ૨૩. (શ્રી સુભારિતરત્નસંદોહ)
કે જીવ એકલો મરે છે અને સ્વયં એકલો જન્મે છે; એકલાનું મરણ થાય છે અને એકલો રજરહિત થયો થકો સિદ્ધ થાય છે.
વૈરાગ્યવષ ] ૨૪.
(શ્રી નિયમસાર) * જો જીવ મૃત્યુ નામ કલ્પવૃક્ષÉ પ્રાપ્ત હોતેં હૈં અપના કલ્યાણ નાહીં સિદ્ધ કિયા સો જીવ સંસારરૂપ કર્દમમેં ડૂબા હુઆ પીડેં કહા કરસી? ૨૫.
(મૃત્યુમહોત્સવ) * તાડના વૃક્ષથી તૂટેલું ફળ નીચે પૃથ્વી ઉપર પડવા માંડ્યા પછી વચ્ચે ક્યાં સુધી રહે? તેમ જન્મ થયા પછીનું જીવન આયુસ્થિતિમાં ક્યાં સુધી રહે? બહુ જ અલ્પકાળ અને તે પણ અનિયત. તેથી હે ભવ્ય! આ દેહાદિને આમ ક્ષણભંગુર જાણીને વાસ્તવિક અવિનાશી પદનું સાધન બીજા બધાં કાર્યોને જતાં કરીને પણ ત્વરાએ કરી લેવું એ જ સુયોગ્ય છે, કારણ જીવન-સમય બહુ સાંકડો છે. ૨૬.
(શ્રી અાત્માનું શાસન) * તીવ્ર રોગ ઔર કઠોર દુઃખરૂપી વૃક્ષોસે ભરે સંસારરૂપી ભયાનક વનમેં વૃદ્ધાવસ્થારૂપી શિકારીએ ડરકર મૃત્યુરૂપી વ્યાકે ભયાનક મુખમેં ચલે ગયે પ્રાણીકો તીનો લોકમેં કૌન બચા સકતા હૈ? ઉસે યદિ બચા સકતા હૈ તો જન્મ-જરા-મરણના વિનાશ કરનેવાલા જિનભગવાનકે દ્વારા ઉપદિષ્ટ ધર્મામૃત હી બચા સકતા હૈ. ઉસે છોડ અન્ય કોઈ નહીં બચા સકતા. ૨૭.
| (wી સુભાષિતરત્નસંદોહ) કે જેવી રીતે પક્ષીઓ રાત્રે કોઈ એક વૃક્ષ ઉપર નિવાસ કરે છે અને પછી સવાર થતાં તેઓ સહસા સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી જ રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી મૃત્યુ પામીને અન્ય કુળનો આશ્રય કરે છે. તેથી વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી. ૨૮.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
Page #10
--------------------------------------------------------------------------
________________
[વૈરાગ્યવર્ધા કે આ લોકના મનુષ્યો સંપૂર્ણ પાપના ઉદયથી અશાતાવેદનીય નીચ ગોત્ર અને અશુભ નામ-આયુ આદિ દુષ્કર્મના વશથી એવા દુઃખો સહન કરે છે તોપણ પાછા પાપ જ કરે છે, પણ પૂજા-દાનવ્રત-તપ અને ધ્યાનાદિ છે લક્ષણ જેનું એવા પુણ્યને ઉપજાવતા નથી એ મોટું અજ્ઞાન છે. ૨૯. (શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા)
કે મારું મરણ નથી તો મને ડર કોનો? મને વ્યાધિ નથી તો મને પીડા કેવી? હું બાળક નથી, હું યુવાન નથી. એ સર્વ અવસ્થાઓ પુદ્ગલની છે. ૩૦.
(શ્રી ઇષ્ટ-ઉપદેશ) * યદિ યહ શરીર બાહિર કે ચમડેસે ઢકા હુઆ નહિ હોતા તો મમ્મી કૃમિ તથા કૌએસે ઇસકી રક્ષા કરને મેં કોઈ સમર્થ નહીં હોતા ઐસે ધૃણાસ્પદ શરીરકો દેખકર સત્યરુષ જબ દૂરણીસે છોડ દેતે હૈં તબ ઇસકી રક્ષા કૌન કરે? ૩૧. (શ્રી જ્ઞાનાવ
* હે જીવ! દેહનાં જરા-મરણ દેખીને તું ભય ન કર; પોતાના આત્માને તું અજર-અમર પરમ બ્રહ્મ જાણ. ૩૨.
(શ્રી પાહુડ-દોહા) * જિસ મૃત્યુનૅ જીર્ણ દેહાદિક સર્વ છૂટિ નવીન હો જાય તો મૃત્યુ સપુરુષનિકે સાતાકા ઉદયકી જ્યોં હર્ષકે અર્થિ નહીં હોય કહા? જ્ઞાનીનિદૈ તો મૃત્યુ હષકે અર્થિ હી હૈ. ૩૩. (મૃત્યુમહોત્સવ)
* શ્રુતિ (આગમ), બુદ્ધિ, બળ, વીર્ય, પ્રેમ, સુંદરતા, આયુ, શરીર, કુટુંબીજન, પુત્ર, સ્ત્રી, ભાઈ ઔર પિતા આદિ સબ હી ચાલનીમેં સ્થિત પાનીકે સમાન સ્થિર નહીં હૈ-દેખતે દેખતે હી નષ્ટ હોનેવાલે હૈં. ઇસ બાતકો પ્રાણી દેખતા હૈ તો ભી ખેદકી બાત હૈ કિ વહ મોહવશ આત્મકલ્યાણકો નહીં કરતા હૈ. ૩૪.
વૈરાગ્યવર્ધા ]
૧૦
(શ્રી સુભાષિતરત્નસંઠોઈ) * પૂર્વોપાર્જિત દુર્નિવાર કર્મના ઉદયવશે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ થતાં જે અહીં શોક કરવામાં આવે છે તે અતિશય પાગલ મનુષ્યની ચેષ્ટા સમાન છે. કારણ કે તે શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી કેવળ એ થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ, અર્થ અને કામરૂપી પુરુષાર્થ આદિ જ નષ્ટ થાય છે. ૩૫.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * કરના કયા હૈ ઔર કરતા ક્યા હૈ? યહ બાત અપને ધ્યાનમે નહીં રખતા ઔર ગાંઠની પૂંજી ખોકર ઉલ્ટી માર ખાતા હૈ અર્થાત્ માનવદેહ વ્યર્થમેં ખો રહા હૈ. ૩૬. (શ્રી બુધજન સતસઈ)
* આ અલ્પ આયુષ્ય અને ચંચળ કાયાને એ (મોક્ષ) માર્ગમાં ખપાવી દેતાં જો પરમ શુદ્ધ ચૈતન્યઘન અવિનાશી નિઃશ્રેયસની પ્રાપ્તિ થતી હોય તો તને ફૂટી કોડીના બદલામાં ચિંતામણિરત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ. હે જીવ! સમ્યક જ્ઞાનદર્શન-ચારિત્ર અને તપ એ ચાર આરાધનાની ઉત્તરોત્તર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા આ માનવજીવનનો જે કાળ છે, તેટલું જ તારું સફળ આયુષ્ય છે એમ સમજ. ૩૭.
(શ્રી આત્માનુશાસન) * આત્મા ગમે તેવા સંયોગમાં પણ પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પોતાની શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્ય પદાર્થ વિદન કરવામાં સમર્થ નથી. ગમે તેવા આકરાં પ્રસંગો આવી પડે, દીકરો મરી જાય, દીકરી રાંડે, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો આકરો રોગ થઈ ગયો હોય, સુધા -તૃષાની આકરી વેદના હોય કે સિંહ વાઘ ફાડી ખાવા આવ્યો હોય કે ગમે તેવા આકરાં પ્રસંગ આવી પડે તોપણ તે સંયોગનું લક્ષ
Page #11
--------------------------------------------------------------------------
________________
૧ર
૧૧
[ વૈરાગ્યવર્ધા છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. બાહ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કોટિ જીભથી કોટિ વર્ષ સુધી કહેવામાં આવે તો પણ એ પીડા કહી શકાય નહીં એવી આકરી નરકની પીડા છે છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી દે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે. ભાઈ! તારું તત્ત્વ હાજરાહજૂર છે. તેમાં લક્ષ કરીને પોતાની શાંતિ પ્રગટ કરી શકાય છે. ૩૮.
(પૂજય ગુરુદેવ, દેહિનાં નિધાન) * અરિહંતદેવની પ્રતિમાના સ્થાન જિનાલય, શ્રી જિનેન્દ્રદેવ (જિન-પ્રતિમા), જૈનશાસ્ત્ર, દીક્ષા દેનેવાલે ગુરુ, સંસારસાગરસે તૈરનેકે કારણ પરમ તપસ્વીયોકે સ્થાન સર્મેદશિખર આદિ, દ્વાદશાંગરૂપ સિદ્ધાંત, ગદ્ય-પદ્યરૂપ રચના ઇત્યાદિ જો વસ્તુ અચ્છી યા બૂરી દીખનેમેં આતી હૈ યે સબ કાલરૂપી અગ્નિકા ઇંધન હો જાગી. ૩૯.
(શ્રી પરમાત્મપ્રકાશ) કે સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થ ઊંચા પર્વતના શિખર પર સ્થિત અને વાયુથી ચલાયમાન દીપક સમાન શીધ્ર જ નાશ પામનારા છે છતાં પણ જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે છે તે જાણે મુઠ્ઠીથી આકાશનો નાશ કરે છે અથવા વ્યાકુળ થઈને સૂકી નદી તરે છે અથવા તરસથી પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે. ૪૦. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* જીવનકે ક્ષણભંગુર હોને સે હી સંસારકી સુખદાયક વસ્તુઓકા કોઈ મૂલ્ય નહીં હૈ. ઇસીસે ઇન્હેં ત્યાજ્ય કહા હૈ. યદિ ચંચલ નેત્રવાલી યુવતિયોકે યૌવન ન ઢલતા હોતા, યદિ રાજાઓડી
વૈરાગ્યવષ ] વિભૂતિ બિજલીકે સમાન ચંચલ ન હોતી, અથવા યદિ વહ જીવન વાયુસે ઉત્પન્ન હુઈ લહરોકે સમાન ચંચલ ન હોતા તબ કૌન ઈસ સાંસારિક સુખસે વિમુખ હોકર જિનેન્દ્ર દ્વારા ઉપદિષ્ટ તપશ્ચરણ કરતા! ૪૧.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * સંસારમેં જિસકા ચિત્ત આસક્ત હૈ, અપના રૂપકું જે જાને નહીં તિનકે મૃત્યુ હોના ભયકે અર્થિ હૈ. ઔર નિજસ્વરૂપકે જ્ઞાતા હૈ અર સંસારસેં વિરાગી હૈ તિનકે મૃત્યુ હૈ સો હર્ષકે અર્થિ હી હૈ. ૪૨.
(મૃત્યુમહોત્સવ) કે જે પોતાને સુખી કરે તે જ મિત્ર છે અને જે દુઃખી કરે તે શત્રુ એમ આબાલ-વૃદ્ધ સૌ કોઈ સમજે છે. મિત્ર થઈને પોતાને દુઃખી કરવા (જે) મર્યા તે તો શત્રુવતુ ઠર્યા, તેમનો મરવાનો શોચ શો કરવો? ૪૩.
(શ્રી આત્માનુશાસન) * જે સંસારમાં દેવોના ઇન્દ્રોનો પણ વિનાશ જોવામાં આવે છે; જ્યાં હરિ અર્થાતુ નારાયણ, હર અર્થાતુ રૂદ્ર અને વિધાતા અર્થાત્ બ્રહ્મા તથા આદિ શબ્દથી મોટા મોટા પદવી ધારક સર્વ કાળ વડે કોળીઓ બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે? ૪૪.
(શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા) * તે ભવ્યજીવને હું પ્રશંસું છું, ધન્ય માનું છું કે જેને નરકાદિ દુઃખનું સ્મરણ કરતાં જ, હરિ-હરાદિકની ઋદ્ધિની સમૃદ્ધિ પ્રત્યે પણ ઉદાસભાવ ઊપજે છે. ૪૫. (શ્રી ઉપદેશ-સિદ્ધાંતરત્નમાળા)
* પરાક્રમ હી હૈ અદ્વિતીય રસ જિસકે, ઐસા યહ મનુષ્ય તબ તક હી ઉદ્ધત હોકર દૌડતા કૂદતા હૈ જબ તક કિ કાલરૂપી સિંહથી ગર્જનાકા શબ્દ નહિ સુનતા. અર્થાત્ તેરી મૌત આ ગઈ ઐસા શબ્દ સુનતે હી સબ ખેલકૂદ ભૂલ જાતા હૈ. ૪૬.
Page #12
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ધા
(શ્રી જ્ઞાનાર્ણવ) * યહ જીવન તો બિજલીકે ચમત્કારકે સમાન ક્ષણભંગુર હૈ ઔર સ્ત્રી, પુત્ર, કુટુમ્બાદિકા સંયોગ સ્વપ્નકે સમાન હૈ, પ્રાણીયોકે સાથ સ્નેહ સંધ્યાકી લાલીકે સમાન હૈ, તિનકે પર પડી હુઈ ઓસકી બિન્દુકે સમાન શરીર પતનશીલ હૈ. ૪૭. (ગ્રી સારસમુચ્ચય)
* દુનિયા કે ધંધે કરતા ફિરતા હૈ, અપના કાર્ય નહીં કરતા, અપની ઝોંપડી જલ રહી હૈ ઉસકો બુઝાતા નહીં, દૂસરોં કે ઘરકા ઈલાજ કરતા ફિરતા હૈ. ૪૮.
(શ્રી બુધજન સત્સઈ) * દુર્નિવાર દૈવના પ્રભાવથી કોઈ પ્રિય મનુષ્યનું મરણ થઈ જાય તો અહીં શોક કરવામાં આવે છે તે અંધારામાં નૃત્ય શરૂ કરવા બરાબર છે. સંસારમાં બધી વસ્તુઓ નાશ પામે છે,એમ ઉત્તમ બુદ્ધિ દ્વારા જાણીને સમસ્ત દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો. ૪૯. (શ્રી પદ્મનંદિ-પંચવિશતિ)
* લોકમેં જો દુબુદ્ધિ મનુષ્ય, મરણકો પ્રાપ્ત હુએ મનુષ્યને લિયે શોક કરતા હૈ વહ અપને પરિશ્રમકા વિચાર ન કરકે માનોં આકાશકો મુકિયોંસે આહત કરતા હૈ અથવા (તેલકે નિમિત્ત) બાલુકે સમૂહકો પીલતા હૈ. ૫૦. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* હે આત્મારામ! તૂ દેહકે બુઢાપા ઔર મરનેકો દેખકર ડર મત કર. જો અજર અમર પરમબ્રહ્મ શુદ્ધ સ્વભાવ હૈ, ઉસકો તૂ આત્મા જાન. ૫૧.
(શ્રી પરમાત્મપ્રકાશ) * દેવના ઇન્દ્ર, અસુરના ઇન્દ્ર અને ખગેન્દ્ર જે જે છે તે તે બધાનો જેમ હરણને સિંહ મારી નાખે છે તેમ મૃત્યુ નાશ કરે છે. ચિંતામણિ વગેરે મણિરત્નો, મોટા મોટા રક્ષામંત્ર, તંત્ર ઘણા હોવા
વૈરાગ્યવષ ]
૧૪ છતાં મરણથી તે કોઈ બચાવી શકતું નથી. ૫૨. (શ્રી છ8ાળા)
* બીજાના દુઃખો સાંભળીને ઘણી વખત સાંભળનારાઓને અરેરાટી થઈ જાય છે પણ તે અરેરાટ (વૈરાગ્ય) સાચો નથી. જીવને દુઃખ અપ્રિય છે એટલે દુઃખની વાત સાંભળવામાં આવતાં ઉદાસીન ભાવ આવી જાય છે, પણ આ ઉપરથી એમ ન સમજવું કે તેને સંસારથી ખરો અરેરાટ થયો છે. તેને તો ચક્રવર્તીની ઋદ્ધિ સાંભળી હર્ષ થાય છે. સંસારથી સાચા વિરક્તભાવવાળાને તો ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન કે નારકીના દુઃખનું વર્ણન બંનેમાં સંસારનું દુઃખ સરખું જ લાગે છે. બંને તરફ સરખો જ ઉદાસીન ભાવ હોય છે. ૫૩.
(દષ્ટિનાં નિધાન) * હે આત્મનુ! ઇસ સંસારમે સંગ કહિયે ધન-ધાન્ય સ્ત્રીકુટુંબાદિક મિલાપરૂપ જો પરિગ્રહ હૈ વે કથા તુજે વિષાદરૂપ નહીં કરતે હૈં? તથા યહ શરીર હૈ, ઓ ક્યા રોગોને દ્વારા છિન્નરૂપ વા પીડિત નહિ કિયા જાતા હૈ? તથા મૃત્યુ કથા તુજે પ્રતિદિન ગ્રસને કે લિયે મુખ નહિ ફાડતી હૈ? ઔર આપદાર્યો કયા તુજસે દ્રોહ નહિ કરતી હૈ? ક્યા તુજે નરક ભયાનક નહિ દીખતે? ઔર યે ભોગ હૈ સો કયા સ્વપ્નકે સમાન તુજે ઠગનેવાલે (ધોખા દેનેવાલે) નહીં હૈ? જિસસે કિ તેરે ઇન્દ્રજાલ સે રચે હુએ કિન્નરપુર કે સમાન ઈસ અસાર સંસારમેં ઇચ્છા બની હુઈ હૈ? ૫૪.
(શ્રી જ્ઞાનાર્સવ) * હે જીવ! જ્યાં સુધી વૃદ્ધાવસ્થા ન આવે, જ્યાં સુધી રોગરૂપ અગ્નિ શરીરરૂપી તારી ઝૂંપડીને ન બાળે, જ્યાં સુધી ઇન્દ્રિયોનું બળ ન ઘટે ત્યાં સુધીમાં તારું આત્મહિત કરી લે. ૫૫.
(શ્રી ભાવપાહુડ)
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૫
[ વૈરાગ્યવર્ધા * જિસ શરીરકો છોડકર જાના પડેગા વહ શરીર અપના કિસે હો સકતા હૈ ઐસા વિચાર કર ભેદવિજ્ઞાની પંડિત શરીરસે ભી ઉસ મમત્વભાવકો છોડ દેતે હૈં. ૫૬. (શ્રી સારસમુચ્ચય)
* કોઈ અતિ નિંદ્રાવશ મનુષ્યને તેના મર્મસ્થાન ઉપર મુદગરની ચોટ મારે, અથવા અગ્નિના આતાપથી દેહને જરા ઉષ્ણતા લાગે, અથવા કયાંય વાજિંત્રોના અવાજ સાંભળે તો તે તુરત જાગૃત થઈ જાય છે. પરંતુ અવિવેકી જીવને તો પાપકર્મફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદગરના માર મર્મસ્થાન ઉપર પડ્યા કરે છે, મહાદુઃખરૂપ ત્રિવિધ તાપથી તેનો દેહ નિરંતર બળી રહ્યો છે અને આજ આ મર્યો, કાલ આ મર્યો, ફલાણો આમ મર્યો અને ફલાણો તેમ મર્યો, એવા યમરાજના વાજિંત્રોના ભયંકર શબ્દો વારંવાર સાંભળે છે, છતાં એ મહા અકલ્યાણકારક અનાદિ મોહનિંદ્રાને જરાય વેગળી કરી શકતો નથી, એ પરમ આશ્ચર્ય છે. ૫૭.
(શ્રી આત્માનુશાસન) * જે શરીર દુષ્ટ આચરણથી ઉપાર્જિત કર્મરૂપી કારીગર દ્વારા રચવામાં આવ્યું છે, જેના સાંધા અને બંધનો નિંદ્ય છે, જેની સ્થિતિ વિનાશ સહિત છે અર્થાતુ જે વિનશ્વર છે, જે રોગાદિ દોષો, સાત ધાતુઓ અને મળથી પરિપૂર્ણ છે, અને જે નષ્ટ થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક ચિંતા), રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિ રહેતા હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી, પરંતુ આશ્ચર્ય તો કેવળ એમાં છે કે વિદ્વાન મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા શોધે છે. ૫૮.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * ઇસ લોકમેં રાજાઓકે યહાં જો ઘડીકા ઘંટા બજતા હૈ ઔર શબ્દ કરતા હૈ સો સબકે ક્ષણિકપનકો પ્રગટ કરતા હૈ,
વૈરાગ્યવષ ] અર્થાત્ જગતકો માનો પુકાર પુકાર કર કહતા હૈ કિ હે જગતને જીવો! જો કુછ અપના કલ્યાણ કરના ચાહતે હો શીઘ હી કર લો, નહીં તો પછતારેંગે. કયોંકિ યહ જો ઘડી બીત ગઈ વહ કિસી પ્રકાર ભી પુનર્ધાર લૌટકર નહીં આયેગી, ઇસી પ્રકાર અગલી ઘડી ભી જો વ્યર્થ હી ખો દોગે તો વહ ભી ગઈ હુઈ નહીં લૌટેગી. ૫૯.
(શ્રી જ્ઞાનાર્ણવ) * સિંહ ચારે કોર ફરતા હોય ને જેમ ઊંઘ ન આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા માટે ફરતી હોય ને જેમ ઊંઘ ન આવે તેમ તસ્વનિર્ણય ન કરે ત્યાં સુધી એને (આત્માર્થીને) સુખેથી ઊંઘ પણ ન આવે. ૬૦.
(દષ્ટિનાં નિધાન) * જેમ કોઈ પુરુષ તપેલાં લોખંડના ગોળા વડે પરને ઈજા કરવા ઇચ્છતો થકો પ્રથમ તો પોતે પોતાને જ ઈજા કરે છે (-પોતે પોતાના જ હાથને બાળે છે), પછી પરને તો ઈજા થાય કે ન થાય -નિયમ નથી. તેમ જીવ તપેલાં લોખંડના ગોળા સમાન મોહાદિ પરિણામે પરિણમતો થકો પ્રથમ તો નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધ ભાવપ્રાણને જ ઈજા કરે છે, પછી પરના દ્રવ્યપ્રાણોને ઈજા થાય કે ન થાય-નિયમ નથી. ૬૧. (શ્રી પ્રવચનસાર-રીકા)
* સંસારની સમસ્ત વસ્તુયે દેખ લી. ઉનમેં પ્રેમ કરને યા આસક્તિ કરને યોગ્ય કોઈ ભી વસ્તુ નહીં હૈ. સૂર્ય કા ઉદય હોના ઔર અસ્ત હોના જૈસા પ્રગટ દિખાઈ દેતા હૈ વૈસે હી સમસ્ત વસ્તુયે અપને ઢંગસે આતી-જાતી રહતી હૈં. ૬૨.
(શ્રી બુધજન-સસઈ) * તિર્યંચગતિમેં છેદન-ભેદનકે દ્વારા જો દુઃખ ઉઠાયે હૈ ઉનકો કોઈ મનુષ્ય કરોડો જિહાઓકે દ્વારા ભી કહને કો સમર્થ
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૭
૧૮
[ વૈરાગ્યવર્ધા નહીં હૈ. ૬૩.
(શ્રી સારસમુચ્ચય) * હે જીવ! જે પાપનો ઉદય જીવોને દુઃખ આપીને, શીવ્ર મોક્ષ જવાને યોગ્ય ઉપાયોમાં બુદ્ધિ કરાવે છે તો તે પાપનો ઉદય પણ ભલો છે એમ જ્ઞાનીઓ કહે છે. ૬૪. (શ્રી પરમાત્મપ્રકાશ)
* જો સૌથી પ્રથમ સંસારના ભયથી મોક્ષસુખમાં દઢ રુચિ ઉત્પન્ન થાય છે તો તે (મોક્ષસુખની) પ્રાપ્તિનો સહેલો ઉપાય છે. ૬૫.
(શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી) * મનુષ્ય મરણ પામેલાં જીવોના વિષયમાં સાંભળે છે તથા વર્તમાનમાં તે મરણ પામનાર ઘણા જીવોને સ્વયં દેખે પણ છે; તોપણ તે કેવળ મોહના કારણે પોતાને અતિશય સ્થિર માને છે. તેથી વૃદ્ધત્વને પ્રાપ્ત થવા છતાં પણ તે ઘણું કરીને ધર્મની અભિલાષા કરતો નથી અને તેથી જ પોતાને નિરંતર પુત્રાદિરૂપ બંધનોથી અત્યંતપણે બાંધે છે. ૬૬.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે મનુષ્યપણું, આપ્ત ઉપદિષ્ટીત શ્રુતધર્મનું શ્રવણ, તે પ્રત્યે શ્રદ્ધા, અને અંતમાં સંયમને વિષે બળ-પરાક્રમનું ખર્ચવું એ ઉત્તરોત્તર અતિ અતિ દુર્લભ છે,એમ જાણી ઉપરોક્ત ચાર પરમ મંગલમાંથી મળેલ મનુષ્યપણાને બાકીના ત્રણ પરમ મંગલથી અલંકૃત કરો, શોભાવો!” રાજપદ તો શું પણ તેથીએ ઉત્કૃષ્ટ અનુપમ લક્ષ્મીના હેતુભૂત ધર્મને પ્રાપ્ત કરવાની આ દુર્લભ મોસમમાં કુસકા (વિનાશી વિભૂતિ) લેવા ભણી દોડી વ્યર્થ કાળ વ્યય કરવો એ સુબુદ્ધિમાનને યોગ્ય નથી. રાજ્યાદિ વિનાશી ચપળ વિભૂતિ તો ધર્મ માર્ગે પ્રયાણ કરતાં વચ્ચે વચ્ચે સહેજે આવી મળશે. એ તરફની અતિ ઘેલી આતુરતા છોડો. ૬૭. (શ્રી આત્માનુશાસન)
વૈરાગ્યવષ ]
કે શરીરના એક એક તસુમાં ૯૬-૯૬ રોગ છે, એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે. કાંઈક સગવડતા હોય ત્યાં ઘુસી જાય છે, પણ ભાઈ! તારે ક્યાં જવું છે ત્યાં કોનો મેહમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે? શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉઘડે નહિ ને ક્ષણમાં દેહ છૂટતાં અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ! નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે. માટે તારું કાંઈક કરી લે. શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જયાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જયાં સુધી ન આવે અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે. ૬૮, |
(દેહિનાં નિધાન) * સમસ્ત લોકનો સાર નિઃસાર છે એમ સમજીને તથા સંસાર અનંત અપાર છે એમ જાણીને, લોકના અગ્ર શિખર ઉપર નિવાસ કરવો એ જ સુખકારક અને નિરુપદ્રવ છે, તેમ પ્રમાદ છોડીને ચિંતન કરો અર્થાતુ મોક્ષસ્થાન જ આ લોકમાં સાર તથા પૂર્ણ નિરુપમ સુખનું સ્થાન છે એમ સમજીને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. ૬૯. (શ્રી મૂલાચાર, લોકાનપેલા)
હે ભવ્ય! યદિ તુજે અપના અપકાર કરનેવાલેકે ઉપર ક્રોધ આતા હૈ તો તૂ ઇસ ક્રોધકે ઉપર થી ક્રોધ કર્યો નહીં કરતા? કારણ કે વહ તો તેરા સબસે અધિક અપકાર કરનેવાલા હૈ. વહ તેરે ધર્મ અર્થ ઔર કામરૂપ ત્રિવર્ગકો મોક્ષ પુરુષાર્થકો ઔર યહાઁ તક કિ તેરે જીવિતકો ભી નષ્ટ કરનેવાલા હૈ. ફિર ભલા ઇસસે અધિક અપકારી ઓર દૂસરા કૌન હો સકતા હૈ? કોઈ નહીં. 0.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * ઇસ લોકમેં ગૃહ, ચંદ્ર, સૂર્ય, તારે તથા છહ ઋતુ આદિ
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૯
[ વૈરાગ્યવર્ષા સબ હી જાતે ઔર આતે હૈં અર્થાત્ નિરંતર ગમન આગમન કરતે રહતે હૈં. પરંતુ જીવોકે ગયે હુએ શરીર સ્વપ્નમેં ભી કભી લૌટકર નહિ આતે. યહ પ્રાણી વૃથા ઇનસે પ્રીતિ કરતા હૈ. ૭૧.
(શ્રી જ્ઞાનાર્ણવ)
* મનુષ્ય મનમાં પ્રતિદિન પોતાના કલ્યાણનો જ વિચાર કરે છે, પરંતુ આવેલી ભવિતવ્યતા (દૈવ) તે જ કરે છે કે જે તેને રુચે છે. તેથી સજ્જન પુરુષ રાગ-દ્વેષરૂપી વિષ રહિત થઈને મોહના પ્રભાવથી અતિશય વિસ્તાર પામતા અનેક વિકલ્પોનો ત્યાગ કરીને સદા સુખપૂર્વક સ્થિતિ કરો. ૭૨. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
* સંસારકો અનિત્ય, દુઃખોકા ઘર વ અસાર વિચા, શરીરકો અપવિત્ર વ નાશવંત સોચે વ ઇન્દ્રિયભોગોકો ક્ષણભંગુર વ અતૃપ્તિકારી જાનેં. સંસારકી સર્વ પર્યાયે ત્યાગને યોગ્ય હૈ, કેવલ એક શુદ્ધ આત્માકી પરિણતિ હી ગ્રહણ કરને યોગ્ય હૈ. ઐસા વૈરાગ્ય જિસકો હોગા વહી મોક્ષપ્રાપ્તિ કરનેકા પ્રેમી હોગા. ૭૩. (શ્રી મમલપાહુડ) * આ સંસારમાં સમત પદાર્થો વિષય અર્થાત્ ભોગ્ય વસ્તુ છે. તે સર્વનો યોગ મોટા પુણ્યવાનને પણ સર્વાંગપણે મળતો નથી અર્થાત્ એવું કોઈ પુણ્ય જ નથી કે જે વડે બધાય મનોવાંચ્છિત (પદાર્થો) મળે. ૭૪. (શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા)
* હે મૂર્ખ પ્રાણી! સંસારકે ભીતર હોનેવાલે દુખોસે તુજે વૈરાગ્ય ક્યોં નહીં આતા હૈ જિસસે તૂ ઇસ સંસારમેં વિષયોકે ભીતર ફસા હુઆ લોભ દ્વારા જીત લિયા ગયા હૈ? ૭૫.
(શ્રી સારસમુચ્ચય) * હે વિદ્વજનો! ધન, મહેલ અને શરીર આદિના વિષયમાં
વૈરાગ્યવર્ધા ]
૨૦
મમત્વબુદ્ધિ છોડીને શીવ્રતાથી કાંઈ પણ પોતાનું એવું કાર્ય કરો કે જેથી આ જન્મ ફરીથી પ્રાપ્ત ન કરવો પડે. બીજા સેંકડો વચનોના બાહ્ય ડોળથી તમારું કાંઈ પણ ઇષ્ટ સિદ્ધ થવાનું નથી. આ જે તમને ઉત્તમ મનુષ્યપર્યાય આદિ સ્વહિત-સાધક સામગ્રી પ્રાપ્ત થઈ છે તે ફરીથી પ્રાપ્ત થશે અથવા નહિ થાય એ કાંઈ નક્કી નથી અર્થાત્ તેનું ફરી પ્રાપ્ત થવું બહુ જ કઠણ છે. ૭૬.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* તત્કાલ પ્રાણોને હરનારું ઝેર ખાઈ લેવું સારું, ભયંકરપણે સળગતી અગ્નિમાં પ્રવેશીને બળીને રાખ થઈ જવું સારું અને અન્ય કોઈ પણ કારણ વડે યમરાજની ગોદમાં સમાઈ જવું સારું, પરંતુ તત્ત્વજ્ઞાનથી રહિતપણે આ સંસારમાં જીવવું સારું નથી. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
૭૭.
* હે જીવ! આત્મકલ્યાણને અર્થે કાંઈક યત્ન કર! કર! કેમ શઠ થઈ પ્રમાદી બની રહે છે? જ્યારે એ કાળ પોતાની તીવ્ર ગતિથી આવી પહોંચશે ત્યારે યત્ન કરવા છતાં પણ તે રોકાશે નહિ-એમ તું નિશ્ચય સમજ. ક્યારે, ક્યાંથી અને કેવી રીતે એ કાળ અચાનક આવી ચડશે તેની પણ કોઈને ખબર નથી. એ દુષ્ટ યમરાજ જીવને કાંઈ પણ સૂચના પહોંચાડ્યા સિવાય એકાએક હુમલો કરે છે તેનો તો કાંઈક ખ્યાલ કર! કાળની અપ્રહત અરોક ગતિ આગળ મંત્ર, તંત્ર અને ઔષધાદિ સર્વ સાધન વ્યર્થ છે. ૭૮. (શ્રી આત્માનુશાસન)
* દેખો! ઇન જીવોંકા પ્રવર્તન કૈસા આશ્ચર્યકારક હૈ કિ શરીર તો પ્રતિદિન છીજતા જાતા હૈ ઔર આશા નહિ છીજતી હૈ; કિન્તુ બઢતી જાતી હૈ, તથા આયુર્બલ તો ઘટતા જાતા હૈ ઔર
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૧
[વૈરાગ્યવર્ધા પાપકાર્યોમે બુદ્ધિ બઢતી જાતી હૈ, મોહ તો નિત્ય સ્તૂરાયમાન હોતા હૈ ઔર યહ પ્રાણી અપને હિત વા કલ્યાણમાર્ગમેં નહીં લગતા હૈ. સો યહ કૈસા અજ્ઞાનકા માહાભ્ય હૈ! ૭૯. (શ્રી જ્ઞાનાર્ણવ)
* તૂને કરોડોં ભવોમેં જો બહુત કર્મ બાંધે હૈં ઉનકો નાશ કરને કે લિયે યદિ તૂ સામર્થ્ય ન પ્રગટ કરેગા તો તેરા જન્મ નિષ્ફલ હી બીત ગયા ઐસા સમજી જાયેગા. ૮૦. (શ્રી સારસમુચ્ચય)
* બહુત બીત ગઈ, થોડી સી રહ ગઈ, ઐસા અપને ‘દયમેં વિચાર કરો. અબ કિનારે કે અત્યન્ત સમીપ હો, અબ ભી યદિ ભૂલ કી તો સંસાર-સમુદ્રમેં ડૂબના હી પડેગા. ૮૧.
(શ્રી બુધજન-સત્સઈ) * જિન રામકી કીર્તિધ્વજા તીનોં લોકમેં પ્રખ્યાત થી ઉન રામકો ભી જિસને નષ્ટ કર ડાલા ઉસ મૃત્યુની અન્ય પ્રાણીયોંકો મારનેકી કથા હી વ્યર્થ હૈ કોકિ જો નદીકા પ્રવાહ હાથીકો બહા લે જાતા હૈ ઉસકે લિયે ખરગોશકો ન બહા લે જાના કૈસે સંભવ હૈ? ૮૨.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * કેટલાય મનુષ્યો સદા મહાન શાસ્ત્રસમૂહમાં પરિભ્રમણ કરતાં હોવા છતાં પણ, અર્થાત્ અનેક શાસ્ત્રોનું પરિશીલન કરતાં હોવા છતાં તે ઉત્કૃષ્ટ આત્મતત્ત્વને લાકડામાં શક્તિરૂપે વિદ્યમાન અગ્નિ સમાન જાણતા નથી. ૮૩. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
કે જેના રાગે જીવ અનાદિકાળથી સંસારી બની અનંત દુ:ખને અનુભવી રહ્યો છે તથા જેના આત્યંતિક ક્ષયથી અનંત સંસારદુઃખોથી મુક્ત થવાય છે એવો કોઈ મુખ્ય પદાર્થ હોય તો માત્ર શરીર જ છે, તો હવે એ શરીરને એક વખત એવું છોડવું જોઈએ કે જેથી ફરીને ઉત્પન્ન જ થાય નહિ. બાકી બીજી નાની
વૈરાગ્યવર્ષા ] નાની નહિ જેવી ક્ષુદ્ર વાતો તરફ એકાંત ધ્યાન આપવાથી શું સિદ્ધિ છે? ૮૪.
(શ્રી આત્માનુશાસન) * હે જીવ! કુટુંબી આદિ લોકોનો તારી સાથે કાંઈ સંબંધ નથી અને ન તારું તેમની સાથે કાંઈ આ લોક સંબંધી પ્રયોજન છે. એ તો પોતાના સ્વાર્થ માટે તારા શરીર ઉપર પ્રેમ રાખે છે માટે તું તારા આત્મહિતમાં મગ્ન થા. એ લોકો શરીરમાં તન્મય થઈ રહ્યાં છે, તેથી શરીરના જેવા જ જડબુદ્ધિ છે અને તું ચૈતન્ય છો, એમનાથી જુદો છો, તેથી રાગ-દ્વેષનો સંબંધ તોડીને પોતાનું આત્મબળ પ્રગટ કર અને સુખી થા. ૮૫. (શ્રી નાટક સમયસાર)
* જિસ સંસારમેં અનેક ઉપાયોંસે પાલન પોષણ કરકે બઢાઈ હુઈ ભી યહ દેહ ભી અપની નહીં હોતી હૈ વહાં પૂર્વમેં બાંધે હુએ અપને અપને કેકે વશ પડે હુએ પુત્ર, સ્ત્રી, મિત્ર, પુત્રી, જમાઈ વ પિતા આદિક બિલકુલ જુદે પદાર્થ કિન જીવોકે અપને પ્રગટપને હો સકતે હૈં? ઐસા જાન કર બુદ્ધિમાન માનવકો સદા અપની બુદ્ધિ અપને આત્મામે સ્થિર કરની ઉચિત હૈ. ૮૬.
| (શ્રી તત્ત્વભાવના) * જિસ ઘરમેં પ્રભાતકે સમય આનન્દોત્સાહકે સાથ સુંદર સુંદર માંગલિક ગીત ગાયે જાતે હૈ, મધ્યાહ્નકે સમય ઉસી હી ઘરમેં દુઃખકે સાથ રોના સુના જાતા હૈ.
પ્રભાતકે સમય જિસકે રાજ્યાભિષેકકી શોભા દેખી જાતી હૈ ઉસી દિન ઉસ રાજાકી ચિતાકા ધૂઆં દેખનેમેં આતા હૈ, યહ સંસારકી વિચિત્રતા હૈ. ૮૭.
(શ્રી જ્ઞાનાર્ણવ) * હે જીવ! નરક આદિ કુયોનિયોમાં તેં જે દુઃખ સહ્યા તેના અનુભવની વાત તો દૂર રહી, પરંતુ એ દુઃખોનું સ્મરણમાત્ર પણ
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૩
[ વૈરાગ્યવર્ષા મહા વ્યાકુળતા ઉપજાવે છે. આ માનવભવમાં નિર્ધન છતાં પણ તું નાના પ્રકારના ભોગનો અભિલાષી થયો થકો કામથી પૂર્ણ જે સ્ત્રી તેના મંદ મંદ હાસ્ય, તીક્ષ્ણ કટાક્ષ અને કામના તીવ્ર બાણથી વિંધાયો થકો બરફથી બળી ગયેલાં વૃક્ષ જેવી દશાને પ્રાપ્ત થયો છે એ જ મહા દુ:ખને તો તું વિચાર? ૮૮.
(શ્રી આત્માનુશાસન)
* જ્યાં પ્રાણી વારંવાર અનેક પ્રકારની અવસ્થાઓરૂપ વેશોની ભિન્નતાથી નટસમાન આચરણ કરે છે એવા તે સંસારમાં જો ઇષ્ટનો સંયોગ થાય છે તો વિયોગ તેનો અવશ્ય થવો જોઈએ; જો જન્મ છે તો મૃત્યુ પણ અવશ્ય હોવું જોઈએઃ જો સંપત્તિ છે તો વિપત્તિ પણ અવશ્ય હોવી જોઈએ તથા જો સુખ છે તો દુઃખ પણ અવશ્ય હોવું જોઈએ. તેથી સજ્જન મનુષ્યે ઇષ્ટ સંયોગાદિ થતાં તો હર્ષ અને ઇષ્ટ વિયોગાદિ થતાં શોક પણ ન કરવો જોઈએ. ૮૯. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* કઠિન પરિશ્રમ કરીને યત્નથી કરવામાં આવેલાં સંસારનાં બધાં કાર્યો, પાણીમાં માટીની પૂતળીની જેમ, ક્ષણભરમાં બિલકુલ નાશ થઈ જાય છે. જ્યારે આમ છે ત્યારે હે મૂર્ખ! ઘણા ખેદની વાત છે કે એ સાંસારિક કાર્યની જ શા માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે? બુદ્ધિમાન પ્રાણી ખાલી નિરર્થક પરિશ્રમ કરાવનારા કાર્યમાં ક્યારેય પણ નિશ્ચયથી વ્યાપાર કરતા નથી. ૯૦. (શ્રી તત્ત્વભાવના)
* જેમ મુઠ્ઠી વડે આકાશ ઉપર પ્રહાર કરવો નિરર્થક છે, જેમ ચોખાને માટે ફોતરાને ખાંડવા નિરર્થક છે, જેમ તેલને માટે રેતીને પીલવી તે નિરર્થક છે, જેમ ધી માટે જળને વલોવવું તે નિરર્થક છે, કેવળ મહાન ખેદનું કારણ છે. તેમ અશાતાવેદનીયાદિ
વૈરાગ્યવર્ધા ]
૨૪
અશુભ કર્મનો ઉદય આવતાં વિલાપ કરવો, રડવું, કલેષિત થવું, દીન વચનો બોલવા નિરર્થક છે,દુઃખ મટાડવાને સમર્થ નથી, પરંતુ વર્તમાનમાં દુઃખ વધારે છે અને ભવિષ્યમાં તિર્યંચગતિ તથા નરક-નિગોદના કારણભૂત તીવ્ર કર્મ બાંધે છે જે અનંતકાળમાં પણ છૂટતાં નથી. ૯૧. (શ્રી ભગવતી આરાધના)
* દૂસરેકો ઠગ લૂંગા ઐસા વિચારકર જો કોઈ માયાચારકા ઉપાય કરતે હૈં ઉન લોગોને ઇસલોક તથા પરલોક દોનોંમેં સદા હી અપને આપકો ઠગા હૈ. ૯૨. (શ્રી સારસમુચ્ચય)
* અપના હિત હોતા દેખકર સ્વહિત કર હી લેના ચાહિયે, ઇસમેં વિલમ્બન નહીં કરના ચાહિયે. બહતે પાનીમે હાથ ધો લેના ચાહિયે. ક્યોંકિ અવસર પુનઃ પુનઃ પ્રાપ્ત નહીં હોગા. ૯૩. (શ્રી બુધજન-સત્સઈ)
* હે ભવ્યજનો! અધિક કહેવાથી શું લાભ? જે ગૃહ, સ્ત્રી, પુત્ર અને જીવનાદિ સર્વ પ્રતાડિત ધજાના વસ્ત્રના છેડા સમાન ચંચળ છે, તેમના વિષયમાં તથા ધન અને મિત્ર આદિના વિષયમાં મોહ છોડીને ધર્મમાં બુદ્ધિ જોડો. ૯૪. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
* સમુદ્ર વિષે રહેલો વડવાનલ અગ્નિ સમુદ્રના જળને શોષે છે, તેમ સંસાર વિષે માનસિક દુઃખરૂપી ભયંકર વડવાનલ એટલો બધો દુ:ખપ્રદ છે કે તે જીવને પ્રાપ્ત વિષયો પણ સુખે ભોગવવા દેતો નથી અને અપ્રાપ્ત વિષયોની ઝંખનામાં ને ઝંખનામાં સદોદિત બાળ્યા કરે છે અને એ રીતે તેના શાંતભાવરૂપ નિજ-પ્રાણને પ્રતિપળે શોધ્યા કરે છે. ૯૫. (શ્રી આત્માનુશાસન)
* જિસ જીવને જિસ તરહસે જબ જહાં જો સુખ-દુઃખ પ્રાપ્ત કરના હોતા હૈ, ઉસ જીવકો ઉસ તરહસે, ઉસ સ્થાનમેં, ઉસ
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૫
[વૈરાગ્યવર્ધા કાલમેં, વહ સુખ-દુઃખ દેવકે નિયોગસે અવશ્ય પ્રાપ્ત હોતા હૈ. પૂર્વકાલમેં જીવને જો અચ્છા યા બુરા કર્મ કિયા ઔર ઇસ સમય વહ પક કર ફલ દેનેકે સન્મુખ હુઆ તો ઉસકો કિંચિત્ ભી અન્યથા કરનેમેં ઇન્દ્ર ભી કિસી તરહ સમર્થ નહીં હૈ અર્થાતુ કિયે હુએ કર્મકા ફલ જીવકો અવશ્ય ભોગના હોતા હૈ. કોઈ દૂસરા ઉસમેં કુછ ભી હેરફેર નહીં કર સકતા. ૯૬.(શ્રી સુભાષિતરત્નસંદોહ)
કે હે ભવ્ય! જો તને પોતાની ઉપર અપકાર કરવાવાળા પ્રત્યે ક્રોધ આવે છે તો તું એ ક્રોધ ઉપર જ ક્રોધ કેમ નથી કરતો? કારણ કે તે ક્રોધ તો તારો સૌથી વધુ અપકાર કરવાવાળો છે. તે ક્રોધ તારા ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગને તથા મોક્ષના પુરુષાર્થને તથા એટલે સુધી કે તારા જીવનને પણ નાશ કરવાવાળો છે. તો પછી આથી અધિક અપકારી બીજું કોણ હોઈ શકે છે? અર્થાત્ કોઈ નહિ. ૯૭.
(શ્રી સત્રચૂડામણિ) કે શેયરૂપ પરદ્રવ્યનો દોષ ન દેખો-ન જાણો કે પરશેયની સન્નિધિ (નિકટતા) નિમિત્ત માત્ર દેખી કરીને મારું દ્રવ્ય આણે મેલું કર્યું; આવી રીતે આ જીવ પોતે જૂઠો ભ્રમ કરે છે. પણ તે પરશેયને તે કદી પણ સ્પર્યો જ નથી છતાં તું તેનો દોષ દેખે છે, જાણે છે તે તારી આ હરામજાદગી (દુષ્ટતા, બદમાશી) છે. આવી રીતે એક તું જ જૂઠો છો, તેનો કાંઈ દોષ નથી તે સદા સાચું છે. ૯૮.
(શી આત્માવલો કન) * જે સંસારરૂપી વન રક્ષકો રહિત છે તેમાં પોતાના ઉદયકાળ આદિરૂપ પરાક્રમથી સંયુક્ત એવા કર્મરૂપી વાઘ દ્વારા ગ્રહાયેલ આ મનષ્યરૂપી પશુ ‘આ પ્રિયા મારી છે, આ પુત્ર મારા છે, આ દ્રવ્ય મારું છે અને આ ઘર પણ મારું છે'-આમ ‘મારું મારું કહેતો
વૈરાગ્યવર્ધા ]. મરણ પામી જાય છે. ૯૯.
(શ્રી પ%નંદિ પંચવિશતિ) કે પરકૃત નિંદા અપમાન અને તિરસ્કાર દર્શાવનારા વચનો નહીં સહન થવાથી તે નહીં સાંભળવા ઇચ્છતા એવા તારા કાન સાંભળવાની શક્તિથી રહિત થયા, તારી આ સિંઘ પરવશ દશા પ્રત્યક્ષ જોવા તારા નેત્ર અસમર્થ અર્થાત્ અંધ દશાને પામ્યા, તને અત્યંત પ્રિય એવું તારું શરીર પણ જાણે સન્મુખ આવી રહેલાં કાળના ભયથી થર થર કાંપે છે,એમ જરાથી કેવળ જીર્ણ થઈ રહેલાં અને અગ્નિથી બળી રહેલાં ઘર સમાન આ મનુષ્ય શરીરમાં હે જીવ! તું શું નિશ્ચળ થઈ બેઠો છે? ૧૦૦. (શ્રી આત્માનુશાસન)
કે આ મારું અનિષ્ટ અથવા ઇષ્ટ ચિંતન કરે છે, એ બુદ્ધિવિચાર નિરર્થક છે. કેમ કે) બીજાની ચિંતાથી બીજો પીડિત કે પાલિત થતો નથી. ૧૦૧,
(શ્રી યોગસાર પ્રાભૃત) * વિવેક રહિત અજ્ઞાની જીવ પોતે પૂર્વજન્મમાં કરેલાં કર્મોની ઉપર તો ક્રોધ કરતો નથી, પરંતુ તે કર્મોની નિર્જરા કરાવવાવાળા પુરુષની ઉપર ક્રોધ કરે છે. અર્થાત્ વૈદ્ય સમાન પોતાની ચિકિત્સા કરનારની ઉપર ક્રોધ કરે છે પણ આ પદ્ધતિ કોઈ પ્રકારે યોગ્ય નથી, કારણ કે પોતાના કર્મોની નિર્જરા કરાવે તે તો વૈદ્યની જેમ પોતાનો ઉપકારી છે, તેનો તો ઉપકાર જ માનવો જોઈએ. તેની ઉપર ક્રોધ કરવો ઘણી મોટી ભૂલ છે તથા કૃતજ્ઞતા છે. ૧૦૨.
(શ્રી જ્ઞાનાર્ણવ) કે જો કોઈ જીવ અપશબ્દોનો પ્રયોગ કરે છે તો વિવેકી સાધુ એમ વિચારે છે કે આ મનુષ્ય મને ક્રોધથી માત્ર ગાળ જ આપી છે, મારેલ તો નથી. જો તે મારવા લાગી જાય તો તે સાધુ આમ વિચારે છે કે તેણે મને માત્ર માર્યો જ છે, પ્રાણોનો નાશ તો નથી
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૮
[વૈરાગ્યવર્ધા કર્યો. પરંતુ જો તે પ્રાણોનો નાશ કરવામાં ઉદ્યત થઈ જાય તો તેઓ એમ વિચારે છે કે આણે ક્રોધને વશીભૂત થઈને માત્ર મારા પ્રાણોનો જ નાશ કર્યો છે પરંતુ મારા પ્રિય ધર્મનો તો નાશ નથી કર્યો; માટે મારે આ બિચારા અજ્ઞાની પ્રાણી ઉપર ક્રોધ કરવો ઉચિત નથી કારણ કે ક્રોધ ધર્મનો નાશ કરે છે અને પાપનો સંચય કરે છે એમ સમજી બુદ્ધિમાન સાધુ ક્ષમા જ કરે છે.૧૦૩.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) કે પરમાર્થક સાધે બિના મૂખંજન અપને જીવનકો નષ્ટ કર દેતે હૈં. જૈસે પતંગ ઉડાનેવાલા કેવલ સમય નષ્ટ કરતા હૈ, કમાઈ કુછ ભી નહીં કરતા. ૧૦૪.
(શ્રી બુધજન-સતસઈ) * અપને દુષ્ટ અશુભ ભાવોસે જો કર્મ પહલે બાંધા જા ચુકા હૈ ઉસકે ઉદય આને પર કૌન બુદ્ધિમાન દૂસરોં પર ક્રોધ કરેગા? ૧૦૫.
| (શ્રી સારમુચ્ચય) * જીવના પોતાના ઉપાર્જન કરેલાં કર્મ સિવાય કોઈ પણ, કોઈને પણ કાંઈ પણ આપતું નથી એમ વિચારી, અન્ય આપે છે એવી બુદ્ધિ છોડી, આત્મા વડે પોતાનું અનન્યપણું વિચારવું. ૧૦૬.
| (સામાયિક પાઠ) * જો ક્રોધાગ્નિ વડે મન કલુષિત થઈ જાય તો, નિરંજનતત્ત્વની આવી ભાવનારૂપ નિર્મળ જળ વડે આત્માનો અભિષેક કરવો; કે
જ્યાં જ્યાં જોઉં ત્યાં કંઈ પણ મારું નથી; હું કોઈનો નથી ને કોઈ મારું નથી. (આવી તત્ત્વભાવના વડે ક્રોધ શાંત થઈ જાય છે.)
(શ્રી પાહુડ દોહા) * જો દુર્જન મનુષ્ય મારા દોષો જાહેર કરીને સુખી થતો હોય તો થાવ, જો ધનનો અભિલાષી મનુષ્ય મારું સર્વસ્વ ગ્રહણ
વૈરાગ્યવર્ષા ] કરીને સુખી થતો હોય તો થાવ, જો શત્રુ મારું જીવન ગ્રહણ કરીને સુખી થતો હોય તો થાવ, જો બીજા કોઈ મારું સ્થાન લઈને સુખી થતાં હોય તો થાય અને જે મધ્યસ્થ છે,રાગદ્વેષ રહિત છે, તે એવા જ મધ્યસ્થ બની રહે. અહીં, આખુંય જગત અતિશય સુખનો અનુભવ કરો, મારા નિમિત્તે કોઈ પણ સંસારી પ્રાણીને કોઈ પણ પ્રકારે દુઃખ ન થાવ, એમ હું ઊંચા સ્વરે કહું છું. ૧૦૮.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * કોઈને ફાંસીનો ઓર્ડર થયો હોય અને ફાંસી આપવાની રૂમમાં લઈ જાય અને પછી કેવો ધ્રુજવા માંડે! તેમ સંસારનાં દુઃખથી જેને ત્રાસ ત્રાસ થઈ ગયો હોય એને માટે આ (તત્ત્વની) વાત છે. ૧૦૯.
| (દષ્ટિનાં નિધાન) * વિષય ભોગોં કો સદા ભોગતે રહે, પુણ્યોપાર્જન કભી ભી નહીં કિયા. યહાં યહ કહાવત ચરિતાર્થ હોતી હૈ કિ બાજારમેં આકર ભી કુછ નહીં કમાયા, જો કુછ ગાંઠ મેં થા ઉસે ભી નોકર નિર્ધન વાપસ ચલે ગયે. ૧૧૦. (શ્રી બુધજન- સંસઈ)
* જો વ્યક્તિ મરણકે સંનિકટ હોને પર ભી પુણ્યકા લાભ નહીં કરતા હૈ વહ માનવજન્મ પાકરકે ભી અપના જન્મ બેકાર ખો દેતા હૈ યહ બડે ખેદકી બાત હૈ, ૧૧૧. (શ્રી સારસમુચ્ચય)
* ઇસ સંસારમેં અનાદિકાલસે ફિરતે હુએ જીવોને સમસ્ત જીવોકે સાથ પિતા, પુત્ર, ભ્રાતા, માતા, સ્ત્રી, આદિ સંબંધ અનેકવાર પાયે હૈ, ઐસા કોઈ ભી જીવ વા સંબંધ બાકી નહીં રહા, જો ઇસ જીવને ન પાયા હો. ૧૧૨.
(શ્રી જ્ઞાનાર્ણવ) કે હે વિષયના લાલચુ! તું અવિચાર પૂર્વક અસિ, મસિ, કૃતિ અને વાણિજ્યાદિ ઉદ્યમ કરી આ લોકમાં ધન પ્રાપ્ત કરવા
૧09.
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૯
૩૦
[વૈરાગ્યવર્ધા અર્થે વારંવાર કલેષ કર્યા કરે છે. તેવો જ પ્રયત્ન અગર તું એકવાર સમ્યક પ્રકારે પરલોકને અર્થે કરે તો આ જન્મ-મરણનું અનાદિ ભયંકર દુઃખ ફરી ફરી ના પામે. ભાઈ! આ કથન ઉપર વિશ્વાસ લાવી તું ધનાદિ વિનાશી સંપદા પ્રાપ્ત કરવાનું ભયંકર દુઃખ છોડી એકવાર વાસ્તવ્ય ધર્મસાધન સાધ્ય કરવાનો પ્રયત્ન કર! ૧૧૩.
(શ્રી આત્માનુશાસન) * સંસારમેં સર્વત્ર ઉત્પન્ન હુએ જીવોકો ઉનકે દ્વારા પૂર્વભવમેં કિયા ગયા પુણ્ય-પાપ હી સુખ અથવા દુઃખ દેતા હૈ, ઉસે રોકના શક્ય નહીં હૈ. પ્રાણીયોકો ઉનકા ભાગ્ય દ્વીપમેં, સમુદ્રમેં, પર્વતકે શિખર પર, દિશાઓકે અંતમેં ઔર કૂપમેં ભી ગિરે રત્નકો મિલા દેતા હૈ. ઇસ સંસારમેં પુણ્યશાલી જીવોંકી વિપદા ભી સંપદા બન જાતી હૈ ઔર પાપકર્મ કે ઉદયસે સંપદા ભી વિપદા બન જાતી હૈ. ૧૧૪.
શ્રી સુભાષિતરત્નસંદોહ) કે કિસીને મુજે મારા ઔર જો મેં રોષ નહિ કરું તો મારનેવાલેકી તો હાનિ હુઈ અર્થાતુ પાપબંધ હુઆ પરંતુ મેરે આત્માકે અર્થકી સિદ્ધિ હુઈ અર્થાત્ પાપ નહિ બંધા કિંતુ પૂર્વક કિયે પાપોંકી નિર્જરા હુઈ, ઇસમેં કોઈ સંદેહ નહિ હૈ. ઔર મેરે કદાચિત્ રોષ ઊપજે તો મેરી દ્વિગુણ હાની હો અર્થાત્ એક તો પાપબંધ હો દૂસરા પૂર્વ કર્મોકી નિર્જરા નહીં હો. ઇત્યાદિ વિચાર કરે. ૧૧૫.
(ધી જ્ઞાનાર્સવ) કે ભાઈ! અત્યારે તો પોતાનું કામ કરી લેવા જેવું છે. અરે! મા-બાપ ભાઈ-બહેન સગા સંબંધી આદિ અનેક કુટુંબીઓ મરીને
ક્યાં ગયા હશે? એની કાંઈ ખબર છે? અરે! મારે મારા આત્માનું હિત કરી લેવું છે-એમ એને અંદરથી લાગવું જોઈએ. આહાહા!
વૈરાગ્યવષ ] સગા સંબંધી બધા ચાલ્યા ગયા, તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ બધું ફરી ગયું. શરીરના અનંતા રજકણો ક્યારે ક્યાં કેમ થશે એની છે ખબર? માટે જે જાગતો રહેશે તે બચશે. ૧૧૬..
| (દષ્ટિનાં નિધાન) * યુદ્ધમાં રાજાના રથ, હાથી, ઘોડા, અભિમાની સુભટો, મંત્ર, શૌર્ય અને તરવાર; આ બધી અનુપમ સામગ્રી, દુષ્ટ ભૂખ્યો યમરાજ (મૃત્યુ) ક્રોધિત થઈને મારવાની ઇચ્છાથી સામે દોડતો નથી ત્યાં સુધી જ કાર્ય સિદ્ધ કરી શકે છે. તેથી વિદ્વાન પુરુષોએ તે યમથી પોતાની રક્ષા કરવા માટે અર્થાતુ મોક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. ૧૧૭. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* વિધિ-દૈવ-ભાગ્ય ભુજંગને સમાન ટેઢા ચલતા હૈ. કભી વૈભવકે શિખર પર ચઢતા હૈ તો કભી વિપત્તિકી ખાઈમેં ગિરતા હૈ. આજ શ્રીમંત હૈ તો કલ દરિદ્રી બનકર ઘુમતા ફિરતા હૈ. જીવન પવનવેગકી તરહ ચંચલ હૈ. ધન કમાનેમેં કષ્ટ, ઉસકી રક્ષા કરનેમેં કષ્ટ, અંતમેં કિસી કારણસે ધનકા વિયોગ હોને પર યહ જીવ અતિ કષ્ટી હોતા હૈ. યૌવન શીધ્ર હી નષ્ટપ્રાય હોતા હૈ. તથાપિ યહ જીવ સંસારકી નાનાવિધ સંકટ-પરંપરાસે ભયભીત હોતા નહીં. યહ બડા આશ્ચર્ય હૈ. ૧૧૮. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* મુનિ ઐસી ભાવના કરે,ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, ઇન તીનોં લોકમેં મેરા કોઈ ભી નહીં હૈ, મેં એકાકી આત્મા હું, ઐસી ભાવનાસે યોગી મુનિ પ્રકટરૂપસે શાશ્વત સુખકો પ્રાપ્ત કરતા હૈ. ૧૧૯.
(શ્રી મોક્ષ પાહુડી * યદિ અપના કોઈ કુટુંબીજન અપને કર્મવશાત્ મરણકો પ્રાપ્ત હો જાતા હૈ તો નષ્ટબુદ્ધિ મૂર્ખજન ઉસકા શોચ કરતે હૈ,
Page #21
--------------------------------------------------------------------------
________________
૩૧
[ વૈરાગ્યવર્ધા પરંતુ આપ સ્વયમ્ યમરાજ કી દાઢોમેં આયા હુઆ હૈ ઇસકી ચિંતા કુછ ભી નહીં કરતા હૈ યહ બડી મૂર્ખતા હૈ. ૧૨૦.
(શ્રી જ્ઞાનાર્ણવ) * હે મિત્ર! તું પણ વસ્તુની અભિલાષારૂપ અતિ વેગવાન નદીનો વહેવરાવ્યો અનાદિકાળથી અનેક જન્મ ધરતો ધરતો અતિ દૂરથી અહીં સુધી આવ્યો છે એ શું તું નથી જાણતો? એ આશારૂપ મહાનદી એટલી અથાહ, ગંભીર અને વેગવાન છે કે તે અન્ય કોઈ પણ ઉપાયથી દુર્લધ્ય છે. માત્ર એક આત્મબોધ વડે જ તું તેને તરી શકે એમ છે. ૧૨૧.
(શ્રી આત્માનુશાસન) * કયાંય રોકાઈશ નહીં. વિકલ્પની કાંઈ પણ ખટક રહ્યા કરશે ત્યાં સુધી અંદર નહીં જઈ શકે. હમણાં યુવાની છે માટે રળી લઈએ,એ રહેવા દે બાપુ! મોત માથે નગારા વગાડે છે. પછી કરીશ પછી કરીશ,-એમ રહેવા દે. અંદરમાં કાંઈ પણ વિકલ્પ રહેશે કે આ કરું.... આ કરું... એમ વાયદા કરીશ તો અંદર જઈ શકીશ નહીં. ૧૨૨.
(દષ્ટિનાં નિધાન) * એક પોતાના આત્મા સિવાય અન્ય કોઈ વેરી નથી. માટે હે યોગી! જે ભાવથી તે કર્મોનું નિર્માણ કર્યું તે પરભાવને તું મટાડ. ૧૨૩.
(શ્રી પાહુડદોહા) * જો કોઈ વાર એક દિવસ ભોજન પ્રાપ્ત થતું નથી કે રાત્રે ઊંઘ આવતી નથી તો જે શરીર નિશ્ચયથી નિકટવર્તી અગ્નિથી સંતપ્ત થયેલાં કમળના પાંદડાની જેમ પ્લાનતા પામે છે તથા જે અસ્ત્ર, રોગ અને જળ આદિ દ્વારા અકસ્માત નાશ પામે છે, તે ભાઈ! તે શરીરના વિષયમાં સ્થિરતાની બુદ્ધિ ક્યાંથી થઈ શકે? અને તેનો નાશ થઈ જાય તેમાં આશ્ચર્ય જ શું છે? અર્થાત્ તેને ન
વૈરાગ્યવષ ] તો સ્થિર સમજવું જોઈએ અને ન તે નષ્ટ થતાં કાંઈ આશ્ચર્ય પણ થવું જોઈએ. ૧૨૪.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * મારું સ્વશરીર પણ જેના (મારા આત્માના) અપકારઉપકારમાં સમર્થ નથી તેના અપકાર-ઉપકાર બીજાઓ કરે છે એમ માનવું મારા માટે વ્યર્થ છે. ૧૨૫. (શ્રી યોગસાર પ્રાભૂત)
* હે પ્રાણી! તૂ યહ નિર્ણય કર કિ કૌન તેરા પુત્ર હૈ કૌન તેરી સ્ત્રી હૈ, ઔર કિસકા પરિવાર હૈ. જૈસે મુસાફિર સરાય (ધર્મશાલા) મેં આકર ઇકૐ હો જાતે હૈ ઔર કુછ હી સમયમેં એક-દૂસરે સે બિછુડ જાતે હૈં ઉસી પ્રકાર તુજે ભી ઇન સબસે અવશ્યમેવ બિછુડના હોગા. ૧૨૬. (શ્રી બુધજન-સતસઈ)
* જેમ કોઈ પુરુષ નિર્મળ જળની અભિલાષાથી ઊંડો કૂવો ખોદવા લાગ્યો, ખોદતાં-ખોદતાં આગળ શીલા નીકળી, પણ પોતે આરંભેલો આરંભ સિદ્ધ કરવા તે આગળ ને આગળ ખોદવા લાગ્યો; મહા મહેનતે અને ઘણા લાંબા કાળે કંઈક થોડુંક માત્ર જળ મળ્યું તે પણ ખારું, દુર્ગધતા યુક્ત અને કૃમિઓથી ખદબદતું નીકળ્યું; વળી તે પણ તરત સુકાઈ ગયું. કહો હવે તે પુરુષે ઉદ્યમ કરવામાં શું બાકી રાખ્યું હતું? પણ ઉદયની ચેષ્ટા જ દુઃખદાઈ છે. નિશ્ચયથી આ તૃષાતુર મનુષ્યની તૃષા કોઈ પણ કાળે પૂર્ણ થવાની નથી. કારણ ઉદયની ગતિ બળવાન છે. ૧૨૭. (શ્રી આત્માનુશાસન)
* અજ્ઞાની જીવકો પરકે દોષ ગ્રહણ કરનેસે હર્ષ હોતા હૈ, મેરે દોષ ગ્રહણ કરકે જિન જીવોંકો હર્ષ હોતા હૈ તો મુઝે યહી લાભ હૈ કિ મૈં ઉનકો સુખકા કારણ હુઆ, ઐસા મનમેં વિચારકર ગુસ્સા છોડો. ૧૨૮.
(શ્રી પરમાત્મપ્રકાશ) * હે મૂઢ દુબુદ્ધિ પ્રાણી! તૂ જો કિસી કી શરણ ચાહતા હૈ
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૩
[વૈરાગ્યવર્ધા સો ઇસ ત્રિભુવનમેં ઐસા કોઈ ભી શરીરી (જીવ) નહિ હૈ કિ જિસ કે ગલેમેં કાલકી ફાંસી નહીં પડતી હો. સમસ્ત પ્રાણી કાલકે વશ હૈ. ૧૨૯,
(શ્રી જ્ઞાનાર્જ) * તુમ્હારે સિયાનેપનકો ધિક્કાર હૈ કયોકિ તુમને અત્યન્ત અસાવધાન રહકર સારહીન જીવન વ્યતીત કર દિયા. અબ ભી સાવધાન હો જાઓ, અન્યથા મૃત્યુના સમય આ રહા હૈ. ૧૩૦.
(શ્રી બુધજન-સતસઈ) * પૂર્વકકે ઉદયસે આપત્તિયોકે આ જાને પર વીરતા થી પરમ રક્ષક હૈ. બારબાર શોચ કરના ઉચિત નહીં હૈ. ૧૩૧.
(શ્રી સારસમુચ્ચય) * આ શરીર પાણીના પરપોટા સમાન ક્ષણમાં નાશ પામનાર છે, લક્ષ્મી ઇન્દ્રજાળ સમાન વિનશ્વર છે; સ્ત્રી, ધન અને પુત્ર આદિ દુષ્ટ વાયુથી તાડિત વાદળાઓ સમાન જોતજોતામાં જ વિલિન થઈ જાય છે તથા ઇન્દ્રિય-વિષયજન્ય સુખ સદાય કામોન્મત્ત સ્ત્રીના કટાક્ષો સમાન ચંચળ છે. આ કારણે આ બધાના નાશમાં શોકથી અને તેમની પ્રાપ્તિના વિષયમાં હર્ષથી શું પ્રયોજન છે ? કાંઈ પણ નહીં. અભિપ્રાય એ છે કે જો શરીર, ધન-સંપત્તિ, સ્ત્રી, પુત્ર આદિ સમસ્ત ચેતન-અચેતન પદાર્થ સ્વભાવથી જ અસ્થિર છે તો વિવેકી મનુષ્યોએ તેમના સંયોગમાં હર્ષ અને વિયોગમાં શોક ન કરવો જોઈએ. ૧૩૨.
(પ્રી પદ્મનંદિ પંચવિશતિ) * પર દ્વારા મારા ગુણ (પર્યાય) કરી કે હરી શકાતાં નથી અને મારા દ્વારા પરના ગુણ ઉત્પન્ન કરી કે દૂર કરી શકાતાં નથી. તેથી પર દ્વારા મારા ગુણ અને મારા દ્વારા પરના કોઈ ગુણ ઉપકાર કરવામાં આવે છે અથવા કરવામાં આવતાં નથી-એ બધી કલ્પના મિથ્યા છે કે જે મોહથી અભિભૂત જીવો દ્વારા કરાય છે.
વૈરાગ્યવષ ]
૩૪ ૧૩૩.
(શ્રી યોગસાર પ્રાભૃત) * ત્રણ લોકમાં આ જીવને જે કાંઈ પણ સુખ અથવા દુઃખ (સંયોગિક સુખ-દુઃખ) થાય છે તે બધું દૈવના પ્રભાવથી થાય છે, અન્યથી નહિ. એમ સમજીને જે શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ છે તે કદી પણ પોતાના મનની શાંતિનો ભંગ કરતો નથી. ૧૩૪.
(શ્રી સુભાષિત રત્નસંદોહ) * સંપત્તિ યહીં પડી રહેગી, શરીર ભી યહીં પડા રહ જાયેગા; તૂ ચાહે કિ મેં છલબલ કર કાલ સે બચ જાઉંગા, સો નહીં બચ સકેગા. વહ તો તુજે ઝપટ કર લે જાયેગા. ૧૩૫.
(શ્રી બુધજન-સસઈ) કે યહ જગત ઇન્દ્રજાલવતુ હૈ, પ્રાણિયો કે નેત્રોકો મોહનીઅંજન કે સમાન ભુલાતા હૈ, ઔર લોગ ઇસમેં મોહ કો પ્રાપ્ત હોકર અપનેકો ભૂલ જાતે હૈ, અર્થાત્ લોક ધોખા ખાતે હૈં. અતઃ આચાર્ય મહારાજ કહતે હૈ કિ હમ નહિ જાનતે યે લોગ કિસ કારણસે ભૂલતે હૈ! યહ પ્રબલ મોહકા માહાભ્ય હી હૈ. ૧૩૬.
| (શ્રી જ્ઞાનાર્ણવ) * પૂર્વકમાંકે ઉદયસે પીડા હો જાને પર ઉસકે લિયે શોચ કરના ઐસા હી હૈ જેસે કોઈ વૃદ્ધ બૈલ અપનેસે હી અપનેકો કાટ લે ફિર પૂંછસે અપનેકો હી મારે. ૧૩૭. (શ્રી સારસમુરચય)
* અહીં અધિક શું કહેવું? અણિમા-મહિમા આદિ ઋદ્ધિઓથી સ્વસ્થ મનવાળા જે શક્તિશાળી ઇન્દ્રાદિ દેવ હતા તે પણ કેવળ એક શત્રુ દ્વારા નાશ પામ્યા છે. તે શત્રુ પણ રાવણ રાક્ષસ હતો જે તે ઇન્દ્રાદિની અપેક્ષાએ કાંઈ પણ નહોતો. વળી તે રાવણ રાક્ષસ પણ રામ નામના મનુષ્ય દ્વારા સમુદ્ર ઓળંગીને માર્યો ગયો. અંતે
Page #23
--------------------------------------------------------------------------
________________
રૂપ
[ વૈરાગ્યવર્ધા તે રામ પણ યમરાજનો વિષય બની ગયા અર્થાત્ તેને પણ મૃત્યુએ ન છોડ્યા. બરાબર છે દૈવથી અધિક બળવાન બીજું કોણ છે? અર્થાત્ કોઈ પણ નથી. ૧૩૮. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* કાળે વર્ષા પડે, કાળે વૃક્ષો ખીલે, કાળે ચંદ્ર ખીલે, કાળે ઢોર ઘરે આવે, સ્વાતિનક્ષત્રના કાળે છીપમાં પાણી પડતાં મોતી પાકે, તેમ ઉત્તમ દેવ-ગુરુના મહાન યોગ-કાળે તું આવ્યો ને પૂજ્ય પદાર્થ અનુભવમાં ન આવે એ અજબ તમાસા છે! ૧૩૯.
(દેહિનાં નિધાન) * વેરી હોય તે પણ ઉપકાર કરવાથી મિત્ર બને છે, તેથી જેને દાન સન્માન આદિ આપવામાં આવે તે શત્રુ પણ પોતાનો અત્યંત પ્રિય મિત્ર બની જાય છે. વળી પુત્ર પણ ઇચ્છિત ભોગ રોકવાથી તથા અપમાન તિરસ્કાર આદિ કરવાથી ક્ષણમાત્રમાં પોતાનો શત્રુ થઈ જાય છે. માટે સંસારમાં કોઈ કોઈનું મિત્ર નથી અને શત્રુ નથી. કાર્ય મુજબ શત્રુપણું અને મિત્રપણું પ્રગટ થાય છે. સ્વજનપણું, પરજનપણું, શત્રુપણું, મિત્રપણું જીવને સ્વભાવથી કોઈની સાથે નથી. ઉપકાર-અપકારની અપેક્ષાએ મિત્રપણું-શત્રુપણું જાણવું. વસ્તુતઃ કોઈ કોઈનું શત્રુ-મિત્ર નથી. માટે કોઈની પ્રત્યે રાગ-દ્વેષ કરવો ઉચિત નથી. ૧૪૦. (શ્રી ભગવતી આરાધના)
* પોતે કરેલાં કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમ જ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ (સ્ત્રી-પુત્રમિત્રાદિક) સુખ-દુઃખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી; પોતાની આજીવિકા માટે (માત્ર પોતાના સ્વાર્થ માટે સ્ત્રી-પુત્રમિત્રાદિક) ધૂતારાની ટોળી તને મળી છે. ૧૪૧. (શ્રી યશસ્તિલકચંષ્ટ્ર)
* જો રાત્રિમે સંપત્તિ કે સાથ સોતે હૈ વહી પ્રાતઃકાલ
વૈરાગ્યવષ ] નિર્ધન હો જાતે હૈં. સંપત્તિ સદાકાલ એક સમાન નહીં રહતી હૈ, ઇસકે સંબંધમેં કિસીકા અભિમાન નહીં ચલતા. ૧૪૨.
(શ્રી બુધજન-સત્સઈ) * જીવોકે દેશ, જાતિ, કુલાદિ સહિત મનુષ્યપના હોતે ભી દીર્ધાયુ, પાંચો ઇન્દ્રિયોંકી પૂર્ણ સામગ્રી, વિશિષ્ટ તથા ઉત્તમબુદ્ધિ, શીતલ મંદકષાયરૂપ પરિણામોંકા હોના કાકાલીય ન્યાયકે સમાન દુર્લભ જાનના ચાહિયે. જૈસે કિસી સમય તાડકા લ પકકર ગિરે ઔર ઉસ હી સમય કાક આના હો એવમ્ વહ ઉસ ફલકો આકાશમેં હી પાકર ખાને લગે ઐસા યોગ મિલના અત્યન્ત કઠિન હૈિ. ૧૪૩.
(શ્રી જ્ઞાનાર્ણવ) * અનાદિકાલસે ઇસ સંસારમેં ભ્રમણ કરતે હુએ ઇસ જીવકે અપને કર્મવશ કૌન બાંધવ નહીં હુએ ઔર કૌન શત્રુ નહીં હોંગે? અર્થાતુ અપને અપને કર્મવશ સભી જીવ એક દૂસરેકે મિત્ર ઔર શત્રુ હુએ હૈં ઔર હોંગે. ફિર ભી ન જાને ક્યાં યહ મનુષ્ય નવીન કુટુંબકે મોહમેં પડકર આપત્તિમેં પડતા હૈ ઔર જૈનધર્મકો છોડકર સદા અપને હિતસે ભ્રષ્ટ હોતા હૈ, આત્મહિતમે નહીં લગતા. ૧૪૪.
(શ્રી સુભાષિતરત્નસંદોહ). * અજ્ઞાની પોતે પોતાને છેતરે છે ને માને છે કે અમે લાભમાં છીએ, આમ જગત અનાદિથી ઠગાણું છે. ૧૪૫.
(દષ્ટિનાં નિપાન) * જિસકે આધીન અપની આત્મા નહીં હૈ ઉસકે આધીન દૂસરે માનવ કૈસે હો સકતે હૈં? જિસકે આધીન અપની આત્મા હૈ વ જો શાંત હૈ ઉસકે આધીન તીન લોક હો જાતા હૈ. ૧૪૬.
(શ્રી સારસમુચ્ચય)
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૮
[વૈરાગ્યવર્ધા * કર્મોદયવલથી, વેરી હોય તે તો મિત્ર થઈ જાય છે તથા મિત્ર હોય તે વેરી થઈ જાય છે, એવો જ સંસારનો સ્વભાવ છે. ૧૪૭,
(શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા) * જે મનુષ્ય અહીં મૃત્યુના વિષયને ન તો ભૂતકાળમાં પ્રાપ્ત થયો હોય, ન વર્તમાનમાં પ્રાપ્ત થતો હોય અને ન ભવિષ્યમાં પ્રાપ્ત થવાનો હોય; અર્થાત્ જેનું મરણ ત્રણે કાળે સંભવ ન હોય તે જો કોઈ પ્રિયજનનું મરણ થતાં શોક કરે તો એમાં તેની શોભા છે. પરંતુ જે મનુષ્ય સમયાનુસાર પોતે જ મરણને પ્રાપ્ત થાય છે તેનું બીજા કોઈ પ્રાણીનું મરણ થતાં શોકાકુળ થવું અશોભનીય છે. અભિપ્રાય એ છે કે જો બધા સંસારી પ્રાણી સમય અનુસાર મૃત્યુ પ્રાપ્ત થાય છે તો એક બીજાનું મૃત્યુ થતાં શોક કરવો ઉચિતું નથી. ૧૪૮.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * વાસ્તવમાં વચન દ્વારા કોઈ પણ આત્મા નિંદા કે સ્તુતિને પ્રાપ્ત થતો નથી. મારી નિંદા કરવામાં આવી છે કે મારી સ્તુતિ કરવામાં આવી છે એમ મોહના યોગથી માને છે. ૧૪૯.
શ્રી યોગસાર પ્રાભૃત) * હે જીવ! – સબ પ્રાણિયોમેં મિત્રતાકા ભાવ રખ. કિસીકો શત્રુ ન સમજ. ઉક્ત સબ પ્રાણિયોમેં ભી જો વિશેષ ગુણવાન હૈં ઉનકો દેખકર હર્ષકો ધારણ કર, દુઃખીજનકે પ્રતિ દયાકા વ્યવહાર કર, જિનકા સ્વભાવ વિપરીત હૈ ઉનકે વિષયમેં મધ્યસ્થતાકા ભાવ ધારણ કર, જિનવાણીકે સુનને ઔર તદનુસાર પ્રવૃત્તિ કરનેમેં અનુરાગ કર. ક્રોધરૂપ સુભટકો પરાજિત કર, ઇન્દ્રિય વિષયોંસે વિરક્ત હો, મૃત્યુ એવમ્ જન્મસે ઉત્પન્ન હોનેવાલે અતિશય દુઃખસે ભયભીત હો ઔર સમસ્ત કર્મમલસે રહિત
વૈરાગ્યવષ ] મોક્ષસુખની અભિલાષા કર. ૧૫૦. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* મુનિરાજ ઐસી ભાવના કરતે હૈં કિ મેં કર્મસે પીડિત હું, કદયસે કોઈ દોષ ઉત્પન્ન હુઆ હૈ સો ઉસ દોષકો અભી કોઈ પ્રગટ કરે ઔર મુજે આત્માનુભવમેં સ્થાપિત કરકે સ્વસ્થ કરેં વહી મેરા અકૃત્રિમ મિત્ર (હિતૈષી) હૈ.
પુનઃ ઐસી ભાવના કરતે હૈં કિ જો કોઈ અપને પુણ્યના ક્ષય કરકે મેરે દોષોકો કહતા હૈ ઉસસે યદિ મેં રોષ કરું તો ઇસ જગતમેં મેરે સમાન નીચ વા પાપી કૌન હૈ? ૧૫૧. (શ્રી જ્ઞાનાર્ણવ)
કે ન કોઈ દેવ હૈ, ન કોઈ દેવી હૈ, ન કોઈ વૈદ્ય હૈ, ન કોઈ વિદ્યા હૈ, ન કોઈ મણિ હૈ, ન કોઈ મંત્ર હૈ, ન કોઈ આશ્રય હૈ, ન કોઈ મિત્ર હૈ, ન કોઈ ઓર રાજા આદિ ઇસ તીન લોકમેં હૈ જો પ્રાણિયોકે ઉદયમેં આયે હુએ કર્મકો રોકી શકે. ૧૫૨.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે! એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એમ આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે ને અંદર કામ કરવાનાં ઘણા છે એમ એને લાગવું જોઈએ! ૧૫૩.
(દષ્ટિનાં નિધાન ) * જો કોઈ મેરા અનેક પ્રકારકે વધબંધનાદિ પ્રયોગોંસે ઈલાજ નહિ કરેં તો મેરે પૂર્વ જન્મો કે સંચિત કિયે અસાતાકર્મરૂપી રોગકા નાશ કૈસે હો? ભાવાર્થ-જો મુજે વધબંધનાદિકસે પીડિત કરતા હૈ વહ મેરે પૂર્વોપાર્જિત કર્મરૂપી રોગોં કો નષ્ટ કરનેવાલા વૈદ્ય હૈ ઉસકા તો ઉપકાર માનના યોગ્ય હૈ, કિંતુ ઉસસે
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬).
૩૯
[ વૈરાગ્યવર્ધા ક્રોધ કરના કૃતજ્ઞતા હૈ. ૧૫૪,
(શ્રી જ્ઞાનાર્સવ) * મારા વડે જે રૂપ-શરીરાદિ રૂપી પદાર્થ દેખાય છે તેઅચેતનપદાર્થ સર્વથા કોઈને જાણતો નથી અને જે જાણવાવાળો ચૈતન્યરૂપ આત્મા છે તે દેખાતો નથી તો હું કોની સાથે બોલું-- વાતચીત કરું? ૧૫૫.
(શ્રી સમાધિતંત્ર) * જિસ કારણસે પૂર્વ સંચિત કર્મોકા ક્ષય હો જાવે વ નવીન કર્મોકા સંચય ન હો વહ કામ મોક્ષસુખકે અભિલાષી આત્મજ્ઞાનીકો કરનાયોગ્ય હૈ. ૧૫૬.
(શ્રી સારસમુરચય) * મોહને કારણે જે પદાર્થને ઇષ્ટ માનવામાં આવે છે તે જ અનિષ્ટ તથા જે પદાર્થને અનિષ્ટ માનવામાં આવે છે તે જ ઇષ્ટ થઈ જાય છે. વાસ્તવમાં કોઈ દ્રવ્ય ઇષ્ટ કે અનિષ્ટ નથી. ૧૫૭.
(શ્રી યોગસાર પ્રાભૃત) * જેના ગર્ભવતરણ પહેલાં સર્વોત્કૃષ્ટ રિદ્ધિનો સ્વામી ઇન્દ્ર બે કર જોડી પૂર્ણ વિનીત પરિણામે કિંકરની જેમ જેને વંદન કરે છે, વળી જે મહાન આત્મા યુગષ્ટા છે, ચક્રવર્તી જેવા જેના બારણે પનોતા વિશિષ્ટ પુણ્યવાનપુત્ર છે, એવા શ્રી આદિનાથ સ્વામીએ ક્ષુધાવંતપણે પૃથ્વી વિષે ઘેર ઘેર આહાર અર્થે પરિભ્રમણ કર્યું. અહો! વિધાતા (કર્મ)નો વિલાસ ખરેખર આશ્ચર્ય પમાડે છે, અતિશય અલંધ્ય કોઈથી મટાડી શકાય નહિ એવો મહા સમર્થ છે. ૧૫૮.
(શ્રી આત્માનુશાસન) * જિસ માનવને મેરે આત્માને રૂપકો દેખા હી નહીં હૈ વહ ન મેરા શત્રુ હૈ ન મિત્ર હૈ વ જિસને પ્રત્યક્ષ મેરે આત્માકો દેખ લિયા હૈ વહ મહાન માનવ ભી ન મેરે શત્રુ હો સકતા, ન મિત્ર. ૧૫૯.
(શી જ્ઞાનાવ)
વૈરાગ્યવર્ષા ]
* પુણ્યોદય સહિત પુરુષને પણ ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગ થતો જોવામાં આવે છે; જુઓ અભિમાન સહિત ભરત ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા!
(શ્રી સ્વામી કાર્તિકેયાનુયેલા) * હે આત્મહિતેષી પ્રાણી! પુણ્યના ફળોમાં હર્ષ ન કર અને પાપના ફળોમાં શ્રેષ ન કર. (કારણ કે આ પુણ્ય અને પા૫) પુગલના પર્યાય છે, ઉત્પન્ન થઈને નાશ પામી જાય છે, અને ફરીને ઉત્પન્ન થાય છે. પોતાના અંતરમાં નિશ્ચયથી - ખરેખર લાખો વાતોનો સાર આ જ પ્રમાણે ગ્રહણ કરો કે પુણ્ય-પાપરૂપ બધાય જન્મ-મરણના કંદરૂપ (રાગ-દ્વેષ) વિકારી મલિનભાવો તોડી હંમેશાં પોતાના આત્માનું ધ્યાન કરો. ૧૬૧. (શ્રી છatળા)
* રાવણે રામચંદ્ર અને લક્ષ્મણનો વિનાશ કરવા માટે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી, કૌરવોએ પાંડવોનો નાશ કરવા માટે કાત્યાયની વિદ્યા સાધી, કંસે નારાયણનો (શ્રીકૃષ્ણનો) વિનાશ કરવા માટે ઘણી વિદ્યાઓ સાધી પરંતુ તે વિદ્યાઓ દ્વારા રામચંદ્ર, પાંડવો અને કૃષ્ણ નારાયણનું કાંઈ પણ અનિષ્ટ થયું નહિ. રામચંદ્ર વગેરેએ પોતાના વિદનો દૂર કરવા મિથ્યાદેવીની આરાધના ન કરી તોપણ નિર્મળ સમ્યકત્વથી ઉપાર્જિત પૂર્વે કરેલાં પુણ્યથી તેમના સર્વ વિદન દૂર થયા. ૧૬૨.
શ્રી બૃહદ્ગદ્રવ્યસંગ્રહ) * જ્ઞાની કહે છે કે પછી કરશું, પછી કરશું-એવો અભ્યાસ જેણે કરી રાખ્યો છે તેને મરણ વખતે પણ પછી જ રહેવાનું છે; કારણ કે જેણે પછી...પછીનો સિદ્ધાંત કરી રાખ્યો છે તેને પછી પછીમાં હમણાં કરું એવું નહિ આવે. અને જ્ઞાનીને તો એમ થાય છે કે આ શરીર છૂટવાના સમયે ઘણું જોર પડશે; તો તેમાં જેટલું
Page #26
--------------------------------------------------------------------------
________________
૪૧
[ વૈરાગ્યવર્ષા
જોર છે તેટલું જોર આત્માનું પણ તેની સામે જોઈશે. માટે જ્ઞાનીને એમ થાય છે કે મારા ભાવને આ ક્ષણે તૈયાર કરું, આ પળે તૈયાર કરું. ‘આ પળે કરું’ એવો જેણે અભ્યાસ પાડી રાખ્યો છે તેને મરણ વખતે ‘આ પળ જ' આવી જશે. ૧૬૩. (દષ્ટિનાં નિધાન)
* જે પુરાણા કર્મોને ખપાવે છે, નવા કર્મોને આવવા દેતો નથી ને દરરોજ જિનદેવને ધ્યાવે છે, તે જીવ પરમાત્મા થઈ જાય છે. ૧૯૬૪. (શ્રી પાહુડદોહા)
* સંસારરૂપી ઘટીયંત્રમાં એક પાટલી સમાન એક વિપત્તિ દૂર કરાય તે પહેલાં તો બીજી ઘણી વિપત્તિઓ સામે ઉપસ્થિત થાય છે. ૧૬૫. (શ્રી ઈષ્ટપદેશ)
* હે નાથ! દુઃખમાં કે સુખમાં, વેરી પ્રત્યે કે બંધુવર્ગ પ્રત્યે, સંયોગમાં કે વિયોગમાં, ઘરમાં કે જંગલમાં, સંપૂર્ણ મમત્વબુદ્ધિ દૂર થઈને મારું મન સદાય સમભાવી રહો. ૧૬૬.
(શ્રી સામાયિક પાઠ)
* સુખ પાનેકે ભાવસે પ્રેરિત હોકર મૂર્ખ મનુષ્ય ક્યા ક્યા પાપ નહિ કર ડાલતે હૈં? જિસ પાપસે કરોડો જન્મોમેં ભી દુ:ખોંકો પાતે હૈં. ૧૬૭. (શ્રી સારસમુચ્ચય)
* હે મૂઢજીવ! તું અહીં અલ્પ દુઃખને પણ સહન કરી શકતો નથી તો વિચાર તો ખરો કે ચાર ગતિના ભયંકર દુઃખોના કારણભૂત કર્મોને તું શા માટે કરે છે? ૧૬૮. (શ્રી પરમાત્મપ્રકાશ)
* અજ્ઞાનીઓ જીવવાને લક્ષે જીવી રહ્યા છે એટલે તેને મરણ ગમતું નથી. મરણ આવ્યે પણ તેને જીવવાનું લક્ષ રહ્યા કરે છે. જ્ઞાનીઓ તો મરવાના લક્ષે જ જીવે છે. એટલે આગળથી
૪૨
વૈરાગ્યવર્ધા ] અજમાયશ અને અખતરા તૈયાર કરી રાખેલ છે; પછી તે મરણને આનંદથી વધાવી લે છે, તેને મરણનાં છેલ્લા ટાણાં બહુ મહોત્સવના હોય છે; તેથી આનંદથી દેહને છોડે છે. જીવવાના ભાવે તો અનંત વખત જીવ્યો, પણ મરવાના ભાવે કોઈ વખત જીવ્યો નથી. મરવાના ભાવે જીવે તો ફરી તેને જન્મ લેવો જ ન પડે.૧૬૯, (દષ્ટિનાં નિધાન)
ન
* મારી નિકટમાં પ્રાપ્ત થયેલ કોઈ પણ મિત્ર, અથવા અન્ય કોઈનું મારે પ્રયોજન નથી, મને આ શરીરમાં પણ પ્રેમ રહ્યો નથી, અત્યારે હું એકલો જ સુખી છું. અહીં સંસારપરિભ્રમણમાં ચિરકાળથી જે મને સંયોગના નિમિત્તે કષ્ટ થયું છે તેનાથી હું વિરક્ત થયો છું, તેથી હવે મને એકાકીપણું (અદ્વૈત) અત્યંત રુચે છે. ૧૭૦. (શ્રી પદ્મનંદિ પંચવિશત)
* આ વિષયસુખ તો બે દિવસ રહેનારા-ક્ષણિક છે. પછી તો દુઃખની જ પરિપાટી છે. માટે હે જીવ! તું તારા આત્માને ભૂલીને પોતાના જ ખભા ઉપર કૂહાડાનો પ્રહાર ન કર. ૧૭૧. (શ્રી પાહુડ દોહા)
* સુખમાં, દુ:ખમાં, મહારોગમાં, ભૂખ આદિ ઉપદ્રવમાં
બાવીશ પરિષહોમાં અને ચાર પ્રકારનાં ઉપસર્ગ આવી પડે ત્યારે શુદ્ધ આત્માનું ચિંતન કરું. ૧૭૨. (શ્રી તત્ત્વજ્ઞાન તરંગિણી)
* પોતાની ઉપર કોઈ આપત્તિ આવી પડતાં મનુષ્ય જેવી રીતે દુ:ખી થાય છે તેવી જ રીતે બીજાની ઉપર આવી પડેલી આપત્તિને પોતાની આપત્તિ સમજીને દુઃખનો અનુભવ કરવો તે દયાળુતા છે. ૧૭૩. (શ્રી ક્ષેત્રચૂડામણિ) * (દાવાનળની જ્વાળાથી) બળી રહેલા મૃગોથી છવાયેલા
Page #27
--------------------------------------------------------------------------
________________
૪૩
[ વૈરાગ્યવર્ષા વનની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની જેમ (સંસારી) મૂઢ પ્રાણી બીજાઓની (વિપત્તિની) જેમ પોતાની વિપત્તિને જોતો નથી. ૧૭૪. (શ્રી ઈોપદેશ)
* બાહ્ય દુઃખ બુદ્ધિમાન પંડિતકો મનમેં કષ્ટ નહીં પૈદા કરતા હૈ કિંતુ અન્ય મૂર્ખકો હી સતાતા હૈ. પવનકે વેગોસે રુઈ ઉડ જાતી હૈ કિંતુ સુમેરુ પર્વતકા શિખર કભી નહીં ઉડતા હૈ. ૧૭૫. (શ્રી સારસમુચ્ચય)
* અરે પ્રભુ! તારું કદી મરણ જ થતું નથી ને કેમ ડરે છે? અતીન્દ્રિય આનંદમાં જા! પ્રભુ! તારે શરીર જ નથી ને રોગથી કેમ ડરે છે? જન્મ જરા ને રોગરહિત ભગવાન આત્મા છે ત્યાં જા!-એમ જિનવર, જિનવાણી ને ગુરુ કહે છે. તું જન્મ, જરા, મરણ રહિત પ્રભુ છો, ત્યાં દૃષ્ટિ દે. તારે જન્મ, જરા, મરણ રહિત થવું હોય તો ભગવાન અંદર બિરાજે છે ત્યાં જા! ત્યાં દૃષ્ટિ દઈને ઠર! ૧૭૬. (દષ્ટિનાં નિધાન)
* જગત વિર્ષે દોય હી પદાર્થ હૈ, દૈવ અર પુરુષાર્થ. સો દૈવ હી પ્રબલ હૈ. જે પુરુષાર્થકા ગર્વ કરે હૈં તિનયૂં ધિક્કાર! જો પુરુષાર્થ હી પ્રબલ હોય તો મૈં વાસુદેવ ઉઘડી ખડગ સમાન તેજસ્વી મેરે પુત્રકૂં શત્રુ કૈસે લે જાય! ૧૭૭. (પ્રદ્યુમન-હરણપ્રસંગે શ્રીકૃષ્ણનાં ઉદ્ગાર) (શ્રી હરિવંશ પુરાણ)
* હે આત્મન્! તારે લોકનું શું પ્રયોજન છે? આશ્રયનું શું પ્રયોજન છે? દ્રવ્યનું શું પ્રયોજન છે? શરીરનું શું પ્રયોજન છે? વચનોનું શું પ્રયોજન છે? ઇન્દ્રિયોનું શું પ્રયોજન છે? પ્રાણોનું શું પ્રયોજન છે? તથા તે વિકલ્પોનું પણ તારે શું પ્રયોજન છે? અર્થાત્ આ બધાનું તારે કાંઈ પણ પ્રયોજન નથી. કારણ કે તે બધી
વૈરાગ્યવ ]
૪૪
પુદ્ગલની પર્યાયો છે અને તેથી તારાથી ભિન્ન છે. તું પ્રમાદને વશ થઈને વ્યર્થ જ આ વિકલ્પો દ્વારા કેમ અતિશય બંધનનો આશ્રય કરે છે? ૧૭૮. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* જિન ઇન્દ્રિયવિષયોં કે ભોગનેસે નરનાથ (ચક્રવર્તી) ઔર ઇન્દ્ર ભી તૃપ્તિકો નહીં પ્રાપ્ત હોતે હૈં ઉનસે ભલા સાધારણ મનુષ્ય કૈસે તૃપ્ત હો સકતે હૈં? નહીં હો સકતે, ઠીક હૈ-જિસ નદીકે પ્રવાહમેં અતિશય બલવાન હાથી બહ જાતા હૈ ઉસમેં ક્ષુદ્ર ખરગોશોકી વ્યવસ્થા કિસસે હો સકતી હૈ? કિસીસે ભી નહીં હો સકતી હૈ. ૧૭૯. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* ધર્મ ગુરુ હૈ, મિત્ર હૈ, સ્વામી હૈ, બાંધવ હૈ, હિતૂ હૈ, ઔર ધર્મ હી વિના કારણ અનાથોકા પ્રીતિપૂર્વક રક્ષા કરનેવાલા હૈ. ઇસ પ્રાણીકો ધર્મકે અતિરિક્ત ઔર કોઈ શરણ નહીં હૈ. ૧૮૦ (શ્રી જ્ઞાનાઈવ)
* પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું, કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની (સમસ્ત પદાર્થોની) સાથે પણ સહજ શેયજ્ઞાયકલક્ષણસંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામિલક્ષણાદિ સંબંધો નથી; તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મમત્વ જ છે. ૧૮૧. (શ્રી પ્રવચનસાર-ટીકા)
* ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ દેખવામાં આવે છે, જાણવામાં આવે છે અને અનુભવ કરવામાં આવે છે તે બધું આત્માથી બાહ્ય, નાશવાન તથા ચેતના રહિત છે. ૧૮૨. (શ્રી યોગસાર પ્રાત)
* હે ભવ્ય જીવ! આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના જ્ઞાન સહિત વિનય પૂર્વક હંમેશાં કરો, નહિ તો મરણ આવતાં બહુ
Page #28
--------------------------------------------------------------------------
________________
૫
[ વૈરાગ્યવર્ધા પશ્ચાત્તાપ થશે કે હું કંઈ કરી ન શક્યો. તથા મરણનો સમય નિશ્ચિત નથી તેથી આત્મજ્ઞાનની ભાવના સદાય કરવા યોગ્ય છે. ૧૮૩.
(શ્રી સારસમુચ્ચય) * હે પ્રભુ! મેં અનાદિકાળથી આજ પર્યત જનમ જનમના જે દુઃખ સહ્યાં છે તે આપ જાણો છો; એ દુઃખને યાદ કરતાં મારા ‘દયમાં આયુધની જેમ ઘા વાગે છે. ૧૮૪. (શ્રી એકીભાવ સ્તોત્ર)
* જિનાગમમાં જે જીવાદિક પદાર્થોનું સ્વરૂપ કહ્યું છે તે પ્રમાણ તથા નયથી અવિરૂદ્ધ છે તથા જીવાદિકના સ્વરૂપનું કથન આત્મસુખનું કારણ હોવાથી અમૃત તુલ્ય છે. આવા જિનાગમની પ્રાપ્તિ મને પૂર્વે કદિ થઈ નહતી. આ મને અપૂર્વ લાભ થયો છે. આ જિનાગમ સુગતિનો માર્ગ હોવાથી મેં સ્વીકારેલ છે. તેના આશ્રયથી મારો મરણભય દૂર થઈ ગયો છે. હવે હું મરણથી ડરતો નથી. ૧૮૫.
(શ્રી મૂલાચાર) કે હે ભવ્ય જીવ! યદિ તૂ આત્માકા હિત કરના ચાહતા હૈ તો નિમ્ન કામ કર:- ઇસ ભયાનક સંસારકે દુઃખોંસે ભય કર, જિનશાસનમે પ્રેમ કર ઔર પૂર્વે કિયે હુએ પાપકા શોક કર. ૧૮૬.
(Wી સારસમુચ્ચય) * હે જીવ! તૂને ભીષણ (ભયંકર) નરકગતિ તથા તિર્યંચગતિમેં ઔર કુદેવ કુમનુષ્યગતિમેં તીવ્ર દુઃખ પાયે હૈ, અતઃ અબ તૂ જિન-ભાવના અર્થાતુ શુદ્ધ આત્મતત્વની ભાવના ભા, ઇસસે તેરે સંસારકા ભ્રમણ મિટેગા. ૧૮૭. (શ્રી ભાવપાહુડ).
* જૈસે નરકકા ઘર અતિ ઝીર્ણ જિસકે સેંકડો છિદ્ર હૈ, વૈસે યહ કાયરૂપી ઘર સાક્ષાતુ નરકકા મંદિર હૈ, નવ દ્વારોસે અશુચિ વસ્તુ ઝરતી હૈ ઔર આત્મારામ જન્મ-મરણાદિ છિદ્ર આદિ દોષ
વૈરાગ્યવષ ] રહિત હૈ, ભગવાન શુદ્ધાત્મા ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મમલસે રહિત હૈ, યહ શરીર મલ-મૂત્રાદિ નરકસે ભરા હુઆ હૈ. ઐસા શરીરકા ઔર જીવકા ભેદ જાનકર દેહસે મમતા છોડકે વીતરાગ નિર્વિકલ્પ સમાધિમે ઠહરકે નિરંતર ભાવના કરની ચાહિએ. ૧૮૮.
(શ્રી પરમાત્મપ્રકાશ) * યહ શરીર નિશ્ચયસે નાશ હોનેવાલા હૈ, સર્વ સંપત્તિર્યો વિયોગકે સન્મુખ હૈ, સ્ત્રીમેં સદા હી સુખકારી વ હિતકારી વ સભ્યતાસે વ્યવહાર કરનેવાલી નહીં હૈ, અપને કુટુંબી યા પુત્ર અપને મતલબસે વિનય કરનેવાલે હૈં, મરણકો દેનેવાલે વ શરણરહિત બહુત ગહરે દુ:ખોંસે ભી જિસકા તરના કઠિન હૈં ઐસે ઇસ સાર રહિત સંસારમેં સિવાય મોક્ષકે દૂસરા કોઈ પદ સુખકા દેનેવાલા નહીં હૈ. ૧૮૯.
(ગ્રી તત્ત્વભાવના) * કર્મોકી ગતિ સર્પક સમાન કુટિલ હૈં. કભી રાજા બના દેતે હૈં, કભી રંક. સ્ત્રિયોંકા મન ભી ચંચલ હૈ. સંસારકા ઐશ્ચર્ય ભી સ્થાયી નહીં હૈ, પાનીકી લહરોકે સમાન ચપલ હૈ, મનુષ્યોંકા મન ભી ઇધર-ઉધર દૌડા કરતા હૈ. સંકલ્પ મદસે મત્ત સ્ત્રિયોંકી આંખોકી તરહ બહનેવાલા હૈ, યે સબ અસ્થિર હૈ, કેવલ એક મૃત્યુ હી નિશ્ચિત હૈ-ઐસા માનકર બુદ્ધિમાન પુરુષ તાત્ત્વિક ધર્મમેં મન લગાવે. ૧૯૦.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * અહો! જગતમાં મૂર્ખ જીવોને શું મુશ્કેલ છે? તેઓ જે અનર્થ કરે તેનું આશ્ચર્ય નથી પણ ન કરે તે જ ખરેખર આશ્ચર્ય છે. શરીરને પ્રતિદિન પોષે છે, સાથે સાથે વિષયોને પણ તેઓ સેવે છે. એ મૂર્ખ જીવોને કંઈ પણ વિવેક નથી કે વિષપાન કરી અમરત્વ ઇચ્છે છે!સુખ વાંછે છે! ૧૯૧. (શ્રી આત્માનુશાસન)
Page #29
--------------------------------------------------------------------------
________________
૪૮
[ વૈરાગ્યવર્ધા * દેહ જડ છે, જાણે એક મડદાનું સ્થાન જ છે; તે રજ અને વીર્યથી ભરેલું છે, મળ-મૂત્રરૂપી ખેતરનો કયારો છે, રોગોનું પોટલું છે, આત્માનું સ્વરૂપ ઢાંકનાર છે, કષ્ટોનો સમૂહ છે અને આત્મધ્યાનથી ભિન્ન છે. હે જીવ! આ દેહ સુખનો ઘાત કરે છે તોપણ તને પ્રિય લાગે છે; છેવટે એ તને છોડશે જ તો પછી તું જ એનો સ્નેહ કેમ છોડી દેતો નથી? ૧૯૨. (શ્રી નાટક સમયસાર)
* જુઓ! આ અનંતજ્ઞાનનો ધણી ભૂલી દુઃખી થાય છે. હાંસી થતાં માણસ શરમિંદો થાય છે, ફરીથી હાંસીનું કામ કરતો નથી. (પણ) આ જીવની અનાદિકાળથી જગતમાં હાંસી થઈ રહી છે, છતાં લાજ ધરતો નથી. ફરી ફરી એની એ જ જૂઠી રીતને પકડે છે. જેની વાત કરતાં અનુપમ આનંદ થાય એવું પોતાનું પદ છે તેને તો ગ્રહણ કરતો નથી અને પરવસ્તુની તરફ દેખતાં જ ચોરાશીનું બંદીખાનું છે તેને ઘણી રુચિ પૂર્વક સેવે છે. ૧૯૩. (શ્રી અનુભવપ્રકાશ)
* હે પ્રાણી! એ અશુચિ શરીરથી મમત્વ કરી તું અત્યંત દુઃખી થઈ રહ્યો છે, હાય! ઠગાઈ રહ્યો છે, નષ્ટ થઈ રહ્યો છે. પરાધીનતાજન્ય અપાર ભયંકર દુઃખને અનુભવી રહ્યો છે. પણ હવે તો તેને અનંત દુઃખની ખાણ અને મહા અપવિત્ર સમજ તો જ તારું જ્ઞાન સત્ય જ્ઞાન કહેવાશે. તથા તે પ્રત્યેનું અનાદિ-મમત્વ છોડવું એ જ વાસ્તવિક મહાન સાહસ છે. ૧૯૪. (શ્રી આત્માનુશાસન)
* ભાગ્યવશે રાજા પણ ક્ષણવારમાં નિશ્ચયે રંક સમાન થઈ જાય છે તથા સમસ્ત રોગ રહિત યુવાન પુરુષ પણ તરત જ મરણ પામે છે. આ રીતે અન્ય પદાર્થોના વિષયોમાં તો શું કહેવું? પણ જે લક્ષમી અને જીવન બંનેય સંસારમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમની પણ જો આવી સ્થિતિ છે તો વિદ્વાન મનુષ્ય બીજા કોના
વૈરાગ્યવષ ] વિષયમાં અભિમાન કરવું જોઈએ? અર્થાત અભિમાન કરવાયોગ્ય કોઈ પણ પદાર્થ અહીં સ્થાયી નથી. ૧૫. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* આ સંસારમાં વિષયાંધ જીવોએ કૌતુહલપૂર્વક ભોગવી ભોગવીને છોડેલાં પદાર્થોને મોહમૂઢ જીવ ફરી ફરી ઇચ્છે છે. તું એ પરવસ્તુરૂપ ભોગાદિમાં એટલો તીવ્ર રાગી થયો છે કે તેને તું વારંવાર આશ્ચર્યયુક્ત અને મહત્ત્વપૂર્ણ દૃષ્ટિએ જોઈ રહ્યો છે કે જાણે આ ક્ષણ પહેલાં એ ભોગાદિ પદાર્થો પૂર્વે મેં ક્યારેય દીઠાં નથી કે અનુભવ્યાં નથી. પણ ભાઈ! એ ભોગાદિ પદાર્થો તે પૂર્વે અનંતવાર ભોગવ્યાં છે. અરે! તે એકલાએ જ નહિ પણ અનંત જીવોએ અનંતવાર તારા જ વર્તમાન અભિલાષીત ભોગાદિક પદાર્થો ભોગવ્યાં છે અને છોડ્યા છે. પણ ભાઈ! તેની તને કાંઈ પણ સુધ રહી નથી, તેથી જ એ તારી તથા બીજાં અનંત જીવોની અનંતવાર છોડેલી ઉચ્છીષ્ટ (એંઠ)ને તું વારંવાર ફરી ફરી આદરયુક્ત ભાવે અને આશ્ચર્યયુક્તપણે ગ્રહણ કર્યા કરે છે. ૧૯૬.
(શ્રી આત્માનુશાસન) કે ભો આત્મનું! કૃમિનિકે સૈકડાં જલનિકરિ ભર્યા અર નિત્ય જર્જરિત હોતા યો દેહરૂપી પીંજરા ઇસકું નષ્ટ હોતે તુમ ભય મત કરો. જાનૈ તુમ તો જ્ઞાનશરીર હો. ૧૯૭. (મૃત્યુમહોત્સવ)
* સંસારમાં ભોગ-ઉપભોગની પ્રાપ્તિથી જેટલું સુખ થાય છે તેને અને તે ભોગ-ઉપભોગના નાશથી જેટલું દુઃખ થાય છે તેને સરખાવીએ તો ભોગ-ઉપભોગની પ્રાપ્તિથી થતાં સુખ કરતાં ભોગ-ઉપભોગના નાશથી થતું દુઃખ અત્યંત અધિક છે. ૧૯૮.
(શ્રી ભગવતી આરાધના) * જો વિષયજન્ય દોષ દેવોંકો દુઃખ દેતે હૈં ઉનકે રહને પર
Page #30
--------------------------------------------------------------------------
________________
પ૦
[ વૈરાગ્યવર્ધા ભલા સાધારણ મનુષ્ય કૈસે સુખ પ્રાપ્ત કર સકતે હૈં? નહીં પ્રાપ્ત કર સકતે. ઠીક હૈ-જિસ સિંહકે દ્વારા ઝરતે હુએ મદસે મલિન ગંડસ્થલવાલા અર્થાતુ મદોન્મત્ત હાથી ભી કષ્ટકો પ્રાપ્ત હોતા હૈ વહ પૈરોકે નીચે પડે હુએ મૃગકો છોડેગા કયા? અર્થાત્ નહીં છોડેગા. ૧૯૯.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * તું નિશ્ચયથી માન કે આ શરીર એક દુષ્ટ શત્રુના જેવું છે. શત્રુ જેમ હાથમાંથી છૂટ્યા પછી ફરી કાબુમાં આવવો અત્યંત મુશ્કેલ છે, તેમ એ મનુષ્ય શરીર પણ એકવાર અબોધ પરિણામે છૂટ્યાં પછી હાથમાં આવવું મુશ્કેલ છે. આત્મબોધ શરીરને કાબુમાં રાખવાનો એક અમોઘ મંત્ર છે. વળી આ શરીર, તે આત્મબોધથી વંચિતપણે છૂટ્યાં પછી એટલું જ્ઞાનબળ તારી પાસે નહિ રહે કે જેથી તું ફરી એને તારે વશ કરી શકે! તેથી જ આ અમૂલ્ય અવસરે તેની તારા ઉપરની સત્તાને નિર્મૂળ કર ! ૨00.
| (શ્રી આત્માનુશાસન) * હે સાંસારિક દુઃખરૂપ સુધાથી પીડિત મનરૂપ પથિક! તું મનુષ્ય-પર્યાયરૂપ વૃક્ષની વિષયસુખરૂપ છાયાની પ્રાપ્તિથી જ શા માટે સંતુષ્ટ થાય છે? તેનાથી તું અમૃતરૂપ ફળનું ગ્રહણ કર. ૨૦૧.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * હે પ્રાણી! તમે જુઓ તો ખરા આ મોહનું માહાભ્ય! કે પાપવશ મોટો રાજા પણ મરીને વિઝાના કીડામાં જઈને ઉત્પન્ન થાય છે અને ત્યાં જ તે રતિ માને છે-ક્રીડા કરે છે. ૨૦૨.
(શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા) * ઇસ જગતમે સમુદ્ર તો જલકે પ્રવાહોસે (નદિયોકે મિલનેસે) તૃપ્ત નહિ હોતા ઔર અગ્નિ ઈધનોંસે તૃપ્ત નહિ હોતા, સો
વૈરાગ્યવર્ષા ] કદાચિત્ દૈવયોગસે કિસી પ્રકાર કે દોનો તૃપ્ત હો ભી જાય પરંતુ યહ જીવ ચિરકાલ પર્યત નાના પ્રકાર કે કામભોગાદિકે ભોગને પર ભી કભી તૃપ્ત નહિ હોતા. ૨૦૩.
(શ્રી જ્ઞાનાર્ણવ) * શરીરના સ્વભાવ અનિષ્ટ હૈ, યહ સર્વ પદાર્થોનો અશુદ્ધ કરનેકા સ્થાન હૈ ઐસા જાનો. શરીરકા મોહી જ્ઞાનસ્વભાવી આત્માકા શ્રદ્ધાન નહીં કર પાતા હૈ. ઇસ શરીરના સ્વાગત કરના અનંત દુઃખોકા બીજ હૈ. ૨૦૪.
(શ્રી ઉપદેશ શુદ્ધસાર) * સ્વર્ગલોકમે ઇચ્છાનુસાર ભોગોકો નિરંતર ભોગકર ભી જો કોઈ નિશ્ચયસે તૃપ્ત નહીં હુઆ વહ વર્તમાન તુચ્છ ભોગોસે કિસ તરહ તૃપ્તિ પ્રાપ્ત કર સકેગા? ૨૦૫.(શ્રી સારસમુચ્ચય-રીકા)
કે વિષય-ભોગ સમયાનુસાર સ્વયં હી નષ્ટ હો જાતે હૈ ઔર ઐસા હોને પર ઉનમેં કોઈ ગુણ નહીં ઉત્પન્ન હોતા હૈ-ઉનસે કુછ ભી લાભ નહીં હોતા હૈ. ઇસલિયે હે જીવ! તૂ દુઃખ ઔર ભયકો ઉત્પન્ન કરનેવાલે ઇન વિષયભોગાંકો ધર્મબુદ્ધિસે સ્વયં છોડ દે. કારણ યહ કિ યદિ યે સ્વયં હી સ્વતંત્રતાસે નષ્ટ હોતે હૈં તો મનમે અતિશય તીવ્ર સંતાપકો કરતે હૈ ઔર યદિ ઇનકો તૂ સ્વયં છોડ દેતા હૈ તો ફિર વે ઉસ અનુપમ આત્મિક સુખકો ઉત્પન્ન કરતે હૈ જો સદા સ્થિર રહનેવાલા એવમ્ પૂજ્ય હૈ. ૨૦૬.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) કે હે ભવ્ય વિષતુલ્ય અને કડવા એવા વિષયોમાં તને શું સ્વાદ ભરાઈ રહ્યો છે? કે જેથી તેની જ તૃષ્ણારૂપ અતિ દુઃખને અનુભવતો એ વિષયોને ટૂંઢવામાં તારું અતિ મહાન નિજપદરૂપ અમૃત મલિન કરે છે અને મનની સેવીકા જે ઇન્દ્રિયો તેનો આજ્ઞાંકિત સેવક થઈ તું એ જ વિષયોમાં પ્રવર્તે છે. પીત્તજ્વરવાળા
Page #31
--------------------------------------------------------------------------
________________
૫૧
[ વૈરાગ્યવર્ધા જીવને જેમ વસ્તુસ્વાદ વિપરીત ભાસે તેમ વિષયાસક્તપણાને લઈને રાગરસથી તું વિપરીતસ્વાદુ બન્યો છે. ૨૦૭.
(કી આત્માનુશાસન) કે હે મુને! તૂને માતાકે ગર્ભમેં રહકર જન્મ લેકર મરણ કિયા, વહ તેરે મરણસે અન્ય-અન્ય જન્મમેં અન્ય-અન્ય માતાકે રૂદનસે નયનોંકા નીર એકત્ર કરેં તબ સમુદ્રકે જલસે ભી અતિશયકર અધિકગુણા હો જાવે અર્થાતુ અનંતગુણા હો જાવે. ૨૦૮.
(કી ભાવપાહુડ) કે આ સંસારમાં જે કંઈ શારીરિક અને માનસિક દુઃખો ઉત્પન્ન થાય છે તે સર્વ શરીર ઉપર મમત્વ કરવાથી જીવને અનંતવાર પ્રાપ્ત થયા છે. ૨૦૯.
(મૂલાચાર) * યે ઇન્દ્રિયોકે ભોગ અસાર અર્થાત્ સાર રહિત તુચ્છ ઝીર્ણ તૃણકે સમાન હૈ, ભયકાકે પૈદા કરનેવાલે હૈં, આકુલતામય કષ્ટો કરનેવાલે હૈં વ સદા હી નાશ હોનેવાલે હૈં, દુર્ગતિમેં જન્મ કરાકર કલેશકો પૈદા કરનેવાલે હૈં તથા વિદ્વાનો કે દ્વારા નિંદનીક હૈ. ઇસ તરહ વિચાર કરતે હુએ ભી ખેદકી બાત હૈ કિ મેરી બુદ્ધિ ભોગોંસે નહીં હટતી હૈ તબ મેં બુદ્ધિ રહિત કિસકો પૂછું, કિસકા સહારા લું, કૌનસી તદબીર કરું? ૨૧૦. (શ્રી તત્ત્વભાવના)
* જગતમાં અજ્ઞાની મનુષ્યો પણ પોતાને અહિતકારી વસ્તુઓમાં પ્રેમ ધરાવતાં નથી. જેઓ વિષય ભોગાદિમાં ફસાઈ રહ્યાં છે તેવા વિષયાદિમાં ફસાઈ રહેલાં મનુષ્યો પણ જે વસ્તુઓને
અહિતકારી સમજે છે તેને તુરત જ છોડી દે છે. જુઓ, સ્ત્રી એ તેમને અત્યંત પ્રિય વસ્તુ છે પણ જો એક વખત જાણવામાં આવે કે આ સ્ત્રી મને છોડી કોઈ અન્યને ચાહે છે, અન્યથી રમે છે, તો
વૈરાગ્યવર્ષા ] તે જ વખતે તેને તે છોડી દે છે. પણ તું તો વિષયોની ભયંકરતા સાક્ષાત્ અનુભવ કરી ચૂક્યો છે. એકવાર નહિ પણ વારંવાર અનેક ભવોમાં એ જ કડવો અનુભવ કરતો આવ્યો છે, તોપણ તેથી તું કેમ વિરક્તચિત્ત થતો નથી? ભોજનમાં વિષ છે એમ માલુમ પડ્યા પછી ક્યો વિવેકી મનુષ્ય તેને ગ્રહણ કરે? વિષયો એ વિષથી પણ ભયંકર દુઃખપ્રદ છે, છતાં તું એ જ વિષયફંદમાં પડવા ઇચ્છે છે! ૨૧૧.
(શ્રી આત્માનુશાસન) કે કોઈ પ્રાણી વિષ ખાય તો તેની વેદનાથી તે એક જ જન્મમાં કષ્ટથી મરે છે, પરંતુ જે પ્રાણીઓએ ઇન્દ્રિયના ભોગરૂપી વિષનું પાન કર્યું છે તે પ્રાણીઓ આ સંસારવનમાં વારંવાર ભમ્યા કરે છે-વારંવાર મરે છે. ૨૧૨.
(પ્રી શીલપાડ) કે ઇસ સંસારમેં પરમ સુખ ક્યા હૈ? તો વહ એક ઇચ્છારહિતપના હૈ તથા પરમ દુઃખ ક્યા હૈ? તો વહ ઇચ્છાકા દાસ હો જાના હૈ. ઐસા મનમેં સમજકર જો પુરુષ સર્વસે મમતા ત્યાગકર જિનધર્મકો સેવન કરતે હૈં વે હી પુણ્યાત્મા પવિત્ર હૈ. શરીર વ શરીર સંબંધિયોકે સંબંધમેં ચિંતા કરવા ઇચ્છાઓકો પૈદા કરનેકા બીજ હૈ. ઇનસે મોહ ત્યાગના હી ઇચ્છાઓંકો મિટાનેકા બીજ હૈ. ૨૧૩.
(શ્રી સુભાષિતદેત્નસંદો) ક હે જીવ! તૂને ઇસ લોકકે ઉદરમેં વર્તતે જો પુદ્ગલ સ્કંધ, ઉન સબકો ગ્રસે અર્થાત્ ભક્ષણ કિયે ઔર ઉનહીકો પુનરુક્ત અર્થાતુ બાર-બાર ભોગતા હુઆ ભી તૃપ્તિકો પ્રાપ્ત ન હુઆ. ૨૧૪.
(શ્રી ભાવપાહુડ) કે ઇસ સંસારરૂપી સમુદ્રમેં ભ્રમણ કરનેસે મનુષ્યોકે જિતને સંબંધ હોતે હૈ, યે સબ હી આપદાઓકે ઘર હૈં. કયોંકિ અંતમેં
Page #32
--------------------------------------------------------------------------
________________
५४
પહે
[વૈરાગ્યવર્ધા પ્રાયઃ સબ હી સંબંધ નિરસ હો જાતા હૈ, વહ પ્રાણી ઉનસે સુખ માનતા હૈ સો ભ્રમમાત્ર હૈ. ૨૧૫.
(શ્રી જ્ઞાનાર્ણવ) * હે પ્રાણી! તું નિરર્થક પ્રમાદદશાને પ્રાપ્ત ન થા! અનન્ય સુખના હેતુભૂત સમભાવને પ્રાપ્ત થા! તને એ ધનાદિથી શું પ્રયોજન છે? એ ધનાદિ આશારૂપ અગ્નિને પ્રજ્વલિત કરવામાં Uધનની ગરજ સારે છે. નિરંતર પાપકર્મ ઉત્પન્ન કરાવવાવાળા આ સંબંધીજનોથી પણ તને શા માટે મમત્વ રહ્યાં કરે છે? મહા મોહરૂપ સર્પના બીલ સમાન તારો આ દેહ, તેથી પણ તને શું પ્રયોજન છે? નિરર્થક પ્રમાદી થઈ રાગાદિ મહા દુઃખરૂપ ભાવોને ન ધરતાં સુખના અર્થે કેવળ એક સમભાવને જ પ્રાપ્ત થા. ૨ ૧૬.
(શ્રી આત્માનુશાસન) * રે મન! – કભી તો પાતાલમેં જાકર નાગકુમારી દેવિયોકે સુખકો ભોગને લિયે ચિંતા કરતા રહતા હૈ, કભી દૂસરેકે પાસ પ્રાપ્ત ન હો સકે ઐસી વિભૂતિવાલે ચક્રવર્તીકે રાજ્યકો પ્રાપ્ત કરનેકે લિયે ઇસ પૃથ્વી પર અનેકી ઇચ્છા કિયા કરતા હૈ તથા કભી કામસે ઉન્મત્ત ઐસી સ્વર્ગવાસી દેવોંકી દેવાંગનાઓકો પાનેકે લિયે સ્વર્ગમેં જાનકી ઉત્કંઠા કિયા કરતા હૈ, ઇસ ભ્રમમેં પડકર અસલમે અમૃતકે સમાન સુખદાઈ જિનવચનકો નહીં પ્રાપ્ત કરતા હૈ. ૨૧૭.
(શ્રી તત્ત્વભાવના) * યાં હમારો કર્મ નામ બૈરી મેરા આત્માકું દેહરૂપી પીંજરેમેં ક્ષેપ્યા સો ગર્ભમેં આયા, તિસ ક્ષણસે સદાકાલ સુધા, તૃષા, રોગ, વિયોગ ઇત્યાદિ અનેક દુઃખનિકરિ તપ્તાયમાન હુઆ પડ્યા હું, અબ ઐસે અનેક દુઃખનિકરિ વ્યાપ્ત ઇસ દેહરૂપી પીંજરાતેં મોકું મૃત્યુનામ રાજા વિના કોન છુડાવૈ? ૨૧૮. (મૃત્યુમહોત્સવ)
વૈરાગ્યવષ ]
* ઇસ હી જન્મમેં ગર્ભકે ભીતર રહતે હુએ ભી જો દુઃખ તૂને ઉઠાયે હૈ અબ તૂ ક્યોં ઉનકો ભૂલ ગયા હૈ જિસસે તૂ અપને આત્માકો નહીં પહચાનતા હૈ? ૨૧૯. (શ્રી સારસમુચ્ચય)
* જે મૂઢ પુરુષ પાંચે ઇન્દ્રિયોના વિષય-સેવનમાં સુખને શોધે છે તે ઠંડકને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે તથા લાંબુ જીવવા માટે વિષપાન કરવા બરાબર છે. તેને આ વિપરીત બુદ્ધિને લઈને સુખને બદલે દુઃખ જ થશે. ૨૨૦. (શ્રી જ્ઞાનાર્ણવ)
* ગર્ભથી લઈને છેક મરણાંત સુધી આ શરીર નિરર્થક કલેશ, અપવિત્રતા, ભય તિરસ્કાર અને પાપથી ભરપૂર હોય છેઆમ વિચારી સમજવાન પુરુષોએ એવા વિટંબનાપૂર્ણ શરીરનો નેહ સર્વથા ત્યજવાયોગ્ય છે. જો નશ્વર અને કેવળ દુઃખપૂર્ણ શરીર ઉપરનું મમત્વ છોડવાથી આત્મા ખરેખર મુક્તદશાને પ્રાપ્ત થતો હોય તો જગતમાં એવો કોણ મૂર્ણ છે કે જે તેના ત્યાગ ભણી પ્રમાદ કરે ? શરીર એ ખરેખર દુષ્ટ મનુષ્યના મેળાપ જેવું છે. ૨૨૧.
(શ્રી આત્માનુશાસન) કે આ શરીરનો સંબંધ જ સંસાર છે, તેનાથી વિષયમાં પ્રવૃત્તિ થાય છે, જેથી પ્રાણીને દુઃખ થાય છે. બરાબર છે-લોઢાનો આશ્રય લેનાર અગ્નિને કઠોર ઘણના ઘા સહન કરવા પડે છે. તેથી મોક્ષાર્થી ભવ્ય જીવોએ આ શરીર એવી મહાન યુક્તિથી છોડવું જોઈએ કે જેથી સંસારના કારણભૂત તે શરીરનો સંબંધ આત્મા સાથે ફરીથી ન થઈ શકે. ૨૨૨. (શ્રી પવનંદિ પંચવિશતિ)
* રૂપમેં લીન હુએ પતંગ-જીવ દીપકમેં જલકર મર જાતે હૈં, શબ્દ-વિષયમેં લીન હિરણ વ્યાધકે બાણોસે મારે જાતે હૈ, હાથી સ્પર્શ-વિષયકે કારણ ગમેં પડકર બાંધે જાતે હૈ, સુગંધકી
Page #33
--------------------------------------------------------------------------
________________
પપ
[ વૈરાગ્યવર્ધા લોલુપતાસે ભૌર કાંટેમેં થા કમલમેં દબકર પ્રાણ છોડ દેતે હૈ ઔર રસકે લોભી મચ્છ ધીવર કે જાલમેં પડકર મારે જાતે હૈં. એક એક વિષય-કષાયકર આસક્ત હુએ જીવ નાશકો પ્રાપ્ત હોતે હૈં, તો પંચેન્દ્રિયકા (પંચ-ઇન્દ્રિયવિષયોમેં આસક્ત જીવકા) કહના હી
ક્યા હૈ? ઐસા જાનકર વિવેકી જીવ વિષયોંમેં કયા પ્રીતિ કરતે હૈ? કભી નહીં કરતે. ૨૨૩.
(શ્રી પરમાત્મપ્રકાશ) * જુઓ તો ખરા આ દેહ, સ્નાન અને સુગંધી વસ્તુઓ વડે સુધારતા હોવા છતાં પણ તથા અનેક પ્રકારના ભોજનાદિ ભક્યો વડે પાલન કરતા હોવા છતાં પણ જલ ભરેલા કાચા ઘડાની માફક ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે! ૨૨૪. (શ્રી સ્વામી કાર્તિકેયાનમેલા)
* હે નિબુદ્ધિ જીવ! આ શરીરરૂપ ઘર ખરેખર તને બંદીગૃહ (કેદખાના) સમાન જ છે. તેમાં તું વૃથા પ્રીતિ ન કર! એ શરીરરૂપ બંદીગૃહ હાડરૂપી સ્કૂલ પાષાણથી ચણેલું છે, નસોરૂપી જાળથી વીંટાયેલું છે, ચારે બાજુ ચર્મથી આચ્છાદિત છે, રુધિર અને સજલ માંસથી લીંપાયેલું છે, દુષ્ટકર્મરૂપી વેરીએ તેને રચ્યું છે અને આયુકર્મરૂપી ભારે બેડીથી તે બંધાયેલું છે. ૨૨૫.
(શ્રી આત્માનુશાસન) કે પોતાનો સહજ આસ્વાદી થઈ પરપ્રેમ મટાડી ચેતનાપ્રકાશના વિલાસરૂપ અતીન્દ્રિયભોગ ભોગવ! શું જૂઠા જ સુના જડમાં સ્વપણું માને છે! તથા પરને કહે છે કે “આ અમને દુઃખ આપે છે પણ તેમાં દુઃખ દેવાની શક્તિ નથી. બીજાના માથે જૂઠું આળ દે છે પણ તારી હરામજાદીને દેખતો નથી! અચેતનને નચાવતો ફરે છે લાજ પણ આવતી નથી. મડદાથી સગાઈ કરી, હવે અમે તેની સાથે વિવાહ કરી સંબંધ કરીશું; તો
વૈરાગ્યવષ ] એવી વાત લોકમાં પણ નિંદ્ય છે. તમે તો અનંત જ્ઞાનનાં ધારક ચિદાનંદ છો. જડની સાથે સ્વપણું માનવાની અનાદિની જૂઠી વિટંબણા મટાડો! ૨૨૬.
(શ્રી અનુભવપ્રકાશ) * શરીરમેં જો આત્મબુદ્ધિ હૈ સો બંધુ, ધન, ઇત્યાદિકકી કલ્પના ઉત્પન્ન કરાતી હૈ, તથા ઇસ કલ્પનાસે હી જગત અપની સંપદા માનતા હુઆ ઠગા ગયા હૈ. શરીરમેં ઐસા જો ભાવ હૈ કિ‘યહ મેં આત્મા હી હું ઐસા ભાવ સંસારની સ્થિતિકા બીજ હૈ, ઇસ કારણ બાહ્યમે નષ્ટ હો ગયા હૈ ઇન્દ્રિયોંકા વિક્ષેપ જિસકે ઐસા પુરુષ ઉસ ભાવરૂપ સંસારકે બીજકો છોડકર અંતરંગમેં પ્રવેશ કરો, ઐસા ઉપદેશ હૈ. ૨૨. (શ્રી જ્ઞાનાર્ણવ)
* જો ઇસ ભવમેં પુત્ર હૈ વહ અન્ય ભવમેં પિતા હોતા હૈ. જો ઇસ ભવમેં માતા હૈ વહ અન્ય ભવમેં પુત્રી હોતી હૈ. ઇસ પ્રકાર પુત્ર-માતા-પિતા-બહિન-કન્યા-સ્ત્રી ઇનમેં પરસ્પરસે પરસ્પરકી ઉત્પત્તિ દેખી જાતી હૈ. જયાદા કયા કહું, યહ જીવ મરકર સ્વયં અપના પુત્ર ઉત્પન હો જાતા હૈ. ઇસ પ્રકાર ઇન સંસારી જીવોંકી સદા દુઃખમય ઇસ સંસાર-પરંપરાનો ધિક્કાર હૈ. ૨૨૮.
(શ્રી સુભાષિતરત્નસંદોહ). * સંસારમાં મનુષ્ય ભોજનથી મુધાને, શીતળ જળથી તરસને, મંત્રથી ભૂત-પિશાચાદિને, સામ, દામ, દંડ અને ભેદથી શત્રુને તથા ઔષધથી રોગોના સમૂહને શાંત કર્યા કરે છે. પરંતુ મૃત્યુને દેવ પણ શાંત કરી શકતા નથી. આ રીતે વિચાર કરીને વિદ્વાન મનુષ્યો મિત્ર અથવા પુત્ર મરવા છતાં શોક કરતા નથી, પણ એક માત્ર ધર્મનું જ આચરણ કરે છે અને તેનાથી જ તે મૃત્યુ ઉપર વિજય મેળવે છે. ૨૨૯.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
Page #34
--------------------------------------------------------------------------
________________
પ૮
પ૭
[વૈરાગ્યવર્ધા * દૂધ અને પાણીની માફક અભેદવતું મળેલા એવા જીવ અને શરીરમાં જ જ્યારે પ્રત્યક્ષ ભેદ છે તો પછી સ્પષ્ટ પરરૂપ જણાતાં સ્ત્રી, પુત્ર, ધનાદિ, ચેતન-અચેતન બાહ્ય પદાર્થોની ભિન્નતાનું તો કહેવું જ શું? એ તો પ્રગટ ભિન્ન છે એમ સમ્યપણે વિચારી આ જગતના સર્વ ચેતન-અચેતન પર પદાર્થો પ્રત્યેનો સ્નેહ વિવેકી પુરુષો છોડે છે. ૨૩૦.
(શ્રી આત્માનુશાસન) * દેવ, નર, નારકી અને તિર્યંચના શરીર જડ છે; તેમાં ચેતનનો અંશ પણ નથી. શ્રમથી તેને શૃંગારે છે અને ખાન-પાનઅર્ક-રસાદિ લગાવવારૂપ અનેક જતન કરે છે, જૂઠમાં જ આનંદ માની માની હરખાય છે. મરેલાંની સાથે જીવતાની સગાઈ કર્યો કાર્યને કેવી રીતે સુધારે ? જેમ શ્વાન હાડને ચાવે અને તેથી પોતાના ગાલ, ગળું અને પેઢાંમાંથી લોહી ઉતરે તેને જાણે કે ભલો સ્વાદ છે, તેમ મૂઢ પોતે દુઃખમાં સુખની કલ્પના કરે છે, પરફંદમાં સુખકંદ-સુખ માને છે. ૨૩૧.
(શ્રી અનુભવપ્રકાશ) * જો તૃષ્ણારૂપી રોગ ભોગોકે ભોગનેરૂપ ઔષધિસેવાસે મિટ જાવે તબ તો ભોગોંકો ચાહના, મિલાના વ ભોગના ઉચિત હૈ. પરંતુ જબ ભોગોકે કારણ તૃષ્ણાકા રોગ ઓર અધિક બઢ જાવે તબ ભોગોંકી દવાઈ મિથ્યા હૈ, યહ સમજકર ઇસ દવાકા રાગ છોડ દેના ચાહિયે, વ સચ્ચી દવા ટૂંઢની ચાહિયે, જિસસે તૃણાકા રોગ મિટ જાવે. વહ દવા એક શાંતરસમય નિજ આત્માકા ધ્યાન હૈ જિસસે સ્વાધીન આનંદ જિતના મિલતા જાતા હૈ ઉતના ઉતના હી વિષયભોગકા રાગ ઘટતા જાતા હૈ. સ્વાધીન સુખકે વિલાસસે હી વિષયભોગોંકી વાંછા મિટ જાતી હૈ. અતએચ ઇન્દ્રિય સુખકી આશા છોડકર અતીન્દ્રિય સુખકી પ્રાપ્તિના ઉદ્યમ કરના ચાહિયે.
વૈરાગ્યવષ ] ૨૩૨.
(શ્રી તત્ત્વભાવના) * જિનકી વિષયભોગોંકી ઇચ્છા નષ્ટ હો ચુકી હૈ ઉનકો જો યહાં સુખ પ્રાપ્ત હોતા હૈ વહ ન તો ઇન્દ્રોંકો પ્રાપ્ત હો સકતા હૈ ઔર ન ચક્રવર્તીયોકો ભી. ઇસલિયે મનમેં અતિશય પ્રીતિ ધારણ કરકે થે જો વિષયરૂપ શત્રુ પરિણામ મેં અહિતકારક હૈં ઉનકો છોડો ઔર ધર્મકા આરાધન કરો. ૨૩૩. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
કે આ દેહમાં ઠેકઠેકાણે લોહીના કુંડ અને વાળના ઝુંડ છે, એ હાડકાઓથી ભરેલો છે જાણે ચૂડેલોનું નિવાસસ્થાન જ છે. જરાક ધક્કો લાગતાં એવી રીતે ફાટી જાય છે જાણે કાગળનું પડીકું અથવા કપડાની જૂની ચાદર. એ પોતાનો અસ્થિર સ્વભાવ પ્રગટ કરે છે પણ મૂર્ખાઓ એના પ્રત્યે સ્નેહ કરે છે. એ સુખનો ઘાતક અને બુરાઈઓની ખાણ છે. એના જ પ્રેમ અને સંગથી આપણી બુદ્ધિ ઘાણીના બળદ જેવી સંસારમાં ભટકનાર થઈ ગઈ છે. ૨૩૪.
(શ્રી નાટક સમયસાર) * હે મૂઢ પ્રાણી! ઇસ સંસારમેં તેરે સન્મુખ જો કુછ સુખ વા દુઃખ હૈં. ઉન દોનોં કો જ્ઞાનરૂપી તુલામેં (તરાજૂમે) ચઢાકર તોલેગા, તો સુખસે દુ:ખ હી અનંતગુણા દીખ પડેગા, કોકિ યહ પ્રત્યક્ષ અનુભવગોચર હૈ. ૨૩૫.
(શ્રી જ્ઞાનાવ) * ઉત્તમ વિવેકવાન પુરુષો તો આ શરીરને રુધિરાદિ મહાનિંદ્ય અને અત્યંત ગ્લાનિયુક્ત પદાર્થોનો ભરેલો એક કોથળો સમજે છે, પણ એમાં રતિ પામતા નથી. ગંદી અને પ્રતિપળે માત્ર દુઃખની જ જન્મદાતા એવી કાયાનો મોહ વિવેકવાન ઉત્તમ પુરુષો કરતા નથી. ૨૩૬.
(શ્રી ખાત્માનુશાસન)
Page #35
--------------------------------------------------------------------------
________________
| [ વૈરાગ્યવર્ધા * હે મન! તેરે દ્વારા જો અનેક પ્રકારકે ભોગ, ભોગ-ભોગ કરકે છોડે જા ચુકે હૈં, અહો! બડે ખેદકી બાત હૈ કિ તૂ વાર વાર ઉનહી કો ઇચ્છા કરતા હૈ, વે ભોગ તેરી ઇચ્છામેં અગ્નિ ડાલનેકે સમાન હૈ અર્થાત્ તૃષ્ણાકો બઢાનેવાલે હૈં. તૃષ્ણાકી બુદ્ધિકો રખનેવાલા ઐસા તૂ જો હૈ, સો તેરી તૃપ્તિ ઉન ભોગોંસે કભી ભી નહીં હો સકતી હૈ. જૈસે કડી ધૂપશે તપ્તાયમાન સ્થાનમેં યા આગમે તપાએ હુએ સ્થાનમેં કિસ તરહ વેલ ઉગ સકતી હૈ? ૨૩૭. (શ્રી તત્ત્વભાવના)
* આ જીવ અતિ વ્યાકુળ બની સર્વ વિષયોને યુગપતું ગ્રહણ કરવા માટે વલખાં મારે છે, તથા એક વિષયને છોડીને અન્યનું ગ્રહણ કરવા માટે આ જીવ એવાં વલખાં મારે છે, પણ પરિણામે શું સિદ્ધ થાય છે? જેમ મણની ભૂખવાળાને કણ મળ્યો પણ તેથી તેની ભૂખ મટે? તેમ સર્વ ગ્રહણની જેને ઇચ્છા છે તેને કોઈ એક વિષયનું ગ્રહણ થતાં ઇચ્છા કેમ મટે? અને ઇચ્છા મટ્યા વિના સુખ પણ થાય નહિ. માટે એ બધા ઉપાય જૂઠા છે.
(શ્રી મોક્ષમાર્ગીપ્રકાશક) * હે આત્મનુ! તમે મોહનિદ્રા છોડીને સાવધાન થાવ અને જુઓ, તમે ધન-સંપત્તિરૂપ માયામાં કેમ ભૂલી રહ્યાં છો? તમે
ક્યાંથી આવ્યા છો અને ક્યાં ચાલ્યા જશો અને દોલત જ્યાંની ત્યાં પડી રહેશે. લક્ષ્મી તમારી નાત-જાતની નથી, વંશ- પરંપરાની નથી, બીજું તો શું? તમારા એક પ્રદેશનું પણ પ્રતિરૂપ નથી. જો એને તમે નોકરડી બનાવીને ન રાખી તો એ તમને લાત મારશે, માટે મહાન થઈને તમારે આવો અન્યાય કરવો યોગ્ય નથી. ૨૩૯.
(શ્રી નાટક સમયસાર) * જૈસે રેશમના કીડા અપને હી મુખસે તારોકો નિકાલકર
વૈરાગ્યવષ ] અપનેકો હી ઉસમેં આચ્છાદિત કર લેતા હૈ, ઉસી પ્રકાર હિતાહિતમે વિચારશૂન્ય હોકર યહ ગૃહસ્થજન ભી અનેક પ્રકાર કે આરંભોંસે પાપ ઉપાર્જન કરકે અપનેકો શીધ્ર હી પાપજાલમેં ફસા લેતે હૈં. ૨૪).
(શ્રી જ્ઞાનાર્ણવ) * સંસારમાં એવું કોઈ તીર્થ નથી, એવું કોઈ જળ નથી તથા અન્ય પણ એવી કોઈ વસ્તુ નથી, જેના દ્વારા પૂર્ણપણે અપવિત્ર આ મનુષ્યનું શરીર પ્રત્યક્ષમાં શુદ્ધ થઈ શકે. આધિ (માનસિક કષ્ટ), વ્યાધિ (શારીરિક કષ્ટ), ઘડપણ અને મરણ આદિથી વ્યાપ્ત આ શરીર નિરંતર એટલું સંતાપ-કારક છે કે સજજનોને તેનું નામ લેવું પણ અસહ્ય લાગે છે. ૨૪૧. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* મોહથી અંધ જીવોના હૃદયમાં બાહ્ય સ્ત્રી, પુત્ર, શરીર આદિ પદાર્થો પોતાપણે ભાસે છે, મોહ રહિત પુરુષોના હૃદયમાં કર્મમલથી રહિત અવિનાશી આત્મા જ સદા પોતાપણે ભાસે છે. હે જીવ! જો તું આ બે ભેદને સમજી ગયો છે તો તું આ સ્ત્રી પુત્રાદિ કે જેને તે પોતાના માની લીધા છે તેમાં એકત્વબુદ્ધિરૂપ દુષ્ટ મોહને ક્ષણમાત્રમાં નાશ કેમ કરતો નથી? ૨૪૨.
| (શી તત્ત્વભાવના) * હે સંસારી જીવો! જેને તમે કહો છો કે આ અમારું ધન છે, તેને સજ્જનો, જેવી રીતે નાકનો મેલ ખંખેરી નાંખવામાં આવે તેમ છોડી દે છે અને પછી ગ્રહણ કરતાં નથી. જે ધન તમે પુણ્યના નિમિત્તે મેળવ્યું કહો છો તે દોઢ દિવસની મોટાઈ છે અને પછી નરકમાં નાંખનાર છે અર્થાત્ પાપરૂપ છે, તમને એનાથી આંખોનું સુખ દેખાય છે તેથી તમે કુટુંબીજનો વગેરેથી એવા ઘેરાઈ રહો છો જેવી રીતે મિઠાઈ ઉપર માખી ગણગણે છે. આશ્ચર્યની વાત છે કે
૨૩૮.
Page #36
--------------------------------------------------------------------------
________________
૬૧
[વૈરાગ્યવર્ધા આટલું હોવા છતાં પણ સંસારી જીવો સંસારથી વિરક્ત થતાં નથી. સાચું પૂછો તો સંસારમાં એકલી અશાતા જ છે, ક્ષણમાત્ર પણ શાતા નથી. ૨૪૩.
(શ્રી નાટક સમયસાર) * જેમ શિકારીના ઉપદ્રવ વડે ભયભીત થયેલું સસલું અજગરના ખૂલ્લાં મોઢાને દર-બિલ જાણી પ્રવેશ કરે છે તેમ અજ્ઞાનીજીવ સુધા, તૃષા, કામ-ક્રોધાદિક તથા ઇન્દ્રિયના વિષયની તૃષ્ણાના આતાપ વડે સંતાપિત થઈને વિષયાદિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે, તેમાં પ્રવેશ કરીને પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિક ભવપ્રાણને નાશ કરી નિગોદમાં અચેતનતુલ્ય થઈને અનંતવાર જન્મ-મરણ કરતો થકો અનંતકાળ વ્યતીત કરે છે કે જ્યાં આત્મા અભાવતુલ્ય જ છે. ૨૪૪. (શ્રી રત્નકરંડશ્રાવકાચાર)
* નવનિધિઓથી પણ એ સ્વમાનરૂપ ધનને મોટું ધન જાણીને તું હવે તેના રક્ષણ અર્થે પરમ સંતોષવૃત્તિને ધારણ કર! ધનાદિ વિનાશી અને તુચ્છ વસ્તુને અર્થે યાચના કરી આત્મગૌરવરૂપ પરમ ધનને લુંટાવા દેવું એ તને યોગ્ય નથી. સંસારપરિણામી જીવો તૃષ્ણાવશ બની સ્વમાનને પણ કોરાણે કરી દીનવતું વાચક બની જાય છે અને એ આશા તો નવનિધિ મળવા છતાં શમાવવી કેવળ અસંભવ છે, ઉલટી વધે છે. તો પછી એ અલ્પ પરિણામે વ્યાકુળતા જન્ય વિનાશિક ઇષ્ટ ધનાદિની પાછળ ઘેલા બની તેને અર્થે દીનપણું સેવવું એ શું તને ઉચિત છે? આમ ચિંતવી જેમ બને તેમ એ આશારૂપ ગ્રાહનો નિગ્રહ કર. ૨૪૫. (શ્રી આત્માનુશાસન)
* ધન, પરિજન (દાસ--દાસી), સ્ત્રી, ભાઈ ઔર મિત્ર આદિકે મધ્યમ્સે જો ઇસ પ્રાણી કે સાથ જાતા હૈ ઐસા યહાં એક ભી કોઈ નહીં હૈ ફિર ભી પ્રાણી વિવેકસે રહિત હોકર ઉન સબકે
વૈરાગ્યવષ ] વિષયમેં તો અનુરાગ કરતે હૈં, કિન્તુ ઉસ ધર્મકો નહીં કરતે હૈ જો કિ જાનેવાલેકે સાથ જાતા હૈ. ૨૪૬. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે? અહો! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્ત્વને-નિજસ્વરૂપનેછોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે! ૨૪૭.
(શ્રી નિયમસાર-ટીક) * મોહના ઉદયરૂપ વિષથી મિશ્રિત સ્વર્ગનું સુખ પણ જો નશ્વર હોય તો ભલા બીજા તુચ્છ સુખોના સંબંધમાં શું કહેવું? અર્થાત્ તે તો અત્યંત વિનશ્વર અને હેય છે જ, તેથી મને એવા સંસાર-સુખથી બસ થાવ હું એવું સંસાર-સુખ ચાહતો નથી. ૨૪૮,
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જેની બન્ને બાજુ અગ્નિ સળગી રહી છે એવી એરંડની લાકડીની વચ્ચે ભરાયેલો કીડો જેમ અતિશય ખેદખિન્ન થાય છે તેમ આ શરીરરૂપ એરંડની લાકડીમાં ફસાયેલો જીવ જન્મ-મરણ આદિ દુઃખોથી નિરંતર ખેદખિન્ન થાય છે. એરંડની લાકડીમાં ફસાયેલો કીડો નાશી-ભાગીને ક્યાં જાય? કારણ કે બંને તરફ અગ્નિ સળગી રહી છે. હે ભાઈ! આ શરીરની પણ એ જ દશા જાણીને તેનાથી તું મમત્વ છોડ કે જેથી એ એરંડની લાકડીના કરતાં પણ અનંત દુઃખના કારણભૂત એવું શરીર જ ધારણ કરવું ન પડે. શરીર ઉપરનો અનુરાગ જ નવા નવા શરીર ધારણનું કારણ છે એમ જાણી પૂર્વ મહાપુરુષોએ એ શરીરથી સર્વથા સ્નેહ છોડ્યો હતો. ૨૪૯.
| (શ્રી આત્માનુશાસન) * જેવી રીતે ખોબામાંથી પાણી ક્રમે ક્રમે ઘટે છે, તેવી રીતે
Page #37
--------------------------------------------------------------------------
________________
૬૩
[વૈરાગ્યવર્ધા સૂર્યનો ઉદય-અસ્ત થાય છે અને પ્રતિદિન જિંદગી ઓછી થાય છે. જેવી રીતે કરવત ખેંચવાથી લાકડું કપાય છે, તેવી જ રીતે કાળ શરીરને ક્ષણે ક્ષણે ક્ષીણ કરે છે. આમ છતાં પણ અજ્ઞાનીજીવ મોક્ષમાર્ગની શોધ કરતો નથી અને લૌકિક સ્વાર્થ માટે અજ્ઞાનનો ભાર ઉપાડે છે, શરીર આદિ પરવસ્તુઓમાં પ્રેમ કરે છે, મન, વચન, કાયાના યોગોમાં અહંબુદ્ધિ કરે છે અને સાંસારિક વિષયભોગોથી જરા પણ વિરક્ત થતો નથી. ૨૫૦.
(શ્રી નાટક સમયસાર) * પ્રાણીઓનું જેટલું ઉગ્ર અહિત સંસારમાં ઇન્દ્રિયવિષયરૂપી શત્રુ કરે છે તેટલું અહિત મદોન્મત્ત હાથી, માંસલોલુપી સિંહ, ભયંકર રાહુ, ક્રોધાયમાન રાજા, અતિ તીણ વિષ, અતિ કુદ્ધ યમરાજ, પ્રજ્વલિત અગ્નિ અને ભયંકર શેષનાગ આદિ પણ નથી કરતાં. અર્થાત્ હાથી આદિ એક જ ભવમાં દુઃખ આપે છે અથવા અનિષ્ટ કરે છે; પરંતુ ભોગવેલા ઇન્દ્રિયવિષય ભવભવમાં દુઃખ દેનારા છે. ૨૫૧. |
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * જેમ કંદોઈને ત્યાં ચૂલામાં ઊંચેથી તેલના ઊકળતાં કડાયામાં પડેલો સર્પ અર્ધા તો બળી ગયો પણ તે બળતરાથી બચવા માટે ચૂલામાં ઘુસી જતાં આખો બળી ગયો. તેમ જગતના જીવો પુણ્યપાપમાં તો બળી જ રહ્યા છે અને તેમાં એ વિશેષ સુખની લાલસામાં વિશેષ બળાય છે એવા વિષયોમાં ઝંપલાવી સુખ માને છે. ૨૫૨.
(દષ્ટિનાં નિધાન) * શરીરાશ્રિત ઇન્દ્રિયોંકા સ્વભાવ ઐસા દેખા ગયા હૈં કિ વે આત્માકો અહિતકારી વિષયભોગકા સંભોગ મિલાતી હૈ ઔર ઉનમેં તન્મય કરાકર પ્રાણીકો સંસારમેં ભ્રમણ કરાતી હૈં, જો સમ્યગ્દષ્ટિ જિનવાણી પર વિશ્વાસ લાતા હૈ, વહ આત્માકે અતીન્દ્રિય
વૈરાગ્યવષ ] સુખ પર નિશ્ચય રખતા હુઆ ઇન્દ્રિયકે સુખોંસે વિરક્ત રહતા હૈ. ૨૫૩.
(શ્રી ઉપદેશ-શુસાર) * જન્મ-મરણ એ જેના માતા-પિતા છે, આધિ-વ્યાધિ એ બે જેના સહોદર ભાઈ છે અને વૃદ્ધાવસ્થા જેનો પરમ મિત્ર છે એવા શરીરમાં રહીને તું અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર આશામાં વહી રહ્યો છે એ એક આશ્ચર્ય છે. ૨૫૪. (શ્રી આત્માનુશાસન)
શત્રુઓ, માતા-પિતા, સ્ત્રીઓ, ભાઈઓ, પુત્રો અને સ્વજનો (એ બધાં) મારા શરીરનો અપકાર-ઉપકાર કરે છે, મારા ચેતનાત્માનો નહિ. મારા ચેતન આત્માથી એ અચેતન શરીર વાસ્તવમાં ભિન્ન છે. તેથી તે શત્રુઓ પર દ્વેષ અને સ્વજનાદિમાં રાગ કરવો મારા માટે કેવી રીતે ઉચિતું હોઈ શકે? કેમ કે તે મારા આત્માનો કોઈ ઉપકાર તથા અપકાર કરતાં નથી. ૨૫૫.
(શ્રી યોગસાર પ્રાભૃત) * ઉન્મત્ત પુરુષની માફક તથા વાયુથી તરંગિત સમુદ્રના તરંગોની માફક ભોગાભિલાષા જીવોને કેવળ મિથ્યાત્વકર્મના વિપાકથી વિપાકવશ થવાથી) વ્યર્થ જ સૂરે છે. ૨૫૬.(શ્રી પંચાધ્યાયી)
* સાધુ પુરુષનું ચિત્ત એક પાકો (શ્વેત) વાળ દેખવાથી જ શીઘ વૈરાગ્ય પામી જાય છે. પરંતુ તેનાથી વિપરીત અવિવેકી મનુષ્યની તૃષ્ણા પ્રતિદિન વૃદ્ધત્વ સાથે વધતી જાય છે અર્થાત્ જેમ જેમ તેની વૃદ્ધાવસ્થા વધતી જાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેની તૃષ્ણા પણ વધતી જાય છે. ૨૫૭. (શ્રી પદ્મનંદિ પંચવિરાતિ)
* જુઓ! ભીલ અથવા વ્યાઘાદિના ભયથી ભાગતી ચોરી ગાયની પૂંછ દૈવયોગથી કોઈ વાડ-વેલાદિમાં ગૂંચાઈ જાય છે ત્યારે
Page #38
--------------------------------------------------------------------------
________________
૫
[ વૈરાગ્યવર્ષા તે મૂઢ ગાય પોતાની પૂંછના અત્યંત રાગે ત્યાં જ ઊભી રહે છે, ત્યાં તેની પાછળ પડેલો વનચર શિકારી તેને પ્રાણ રહિત કરે છે. તેમ જગતમાં ઇન્દ્રિયવિષયાદિના તૃષાતુર જીવોને બહુધા એ જ રીતે વિપત્તિઓ પ્રાપ્ત થાય છે. ૨૫૮. (શ્રી આત્માનુશાસન)
* આ શરીરના ચાળા જુઓ! નિરોગ શરીર ક્ષણમાં રોગરૂપે પરિણમી જાય છે. શરીરના રજકણો જે કાળે જેમ થવાના હોય તેમ થવાના જ, એમાં કોણ ફેરફાર કરી શકે? શરીરના પરમાણુને કેમ રહેવું એનું તારે શું કામ છે? તારે કેમ રહેવું તેનું તું સંભાળને! ૨૫૯.
(દષ્ટિનાં નિધાન) * આ મનુષ્યના શરીર વિષે એક-એક અંગુલમાં છ—છ– રોગ હોય છે. તો બાકીના સમસ્ત શરીર વિષે કેટલા રોગ કહેવા એ સમજો. (આખા શરીરમાં પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસો ચોરાશી રોગ રહેલાં છે.) ૨૬૦.
(શ્રી ભાવપાહુડી * ઇસ સંસારમેં દેહાદિ સમસ્ત સામગ્રી અવિનાશી નહીં હૈ, જૈસા શુદ્ધ બુદ્ધ પરમાત્મા અકૃત્રિમ હૈ, વૈસા દેહાદિમૅસે કોઈ ભી નહીં હૈ, સબ ક્ષણભંગુર હૈં, શુદ્ધાત્મતત્ત્વકી ભાવનાએ રહિત જો મિથ્યાત્વ વિષય-કષાય હૈં, ઉનસે આસક્ત હોકે જીવને જો કર્મ ઉપાર્જન કિયે હૈં, ઉન કરો જબ યહ જીવ પરભવમેં ગમન કરતા હૈ તબ શરીર ભી સાથ નહીં જાતા. ઇસલિયે ઇસ લોકમેં ઇન દેહાદિક સબકો વિનશ્વર જાનકર દેહાદિકી મમતા છોડના ચાહિયે, ઔર સકલ વિભાવ રહિત નિજ શુદ્ધાત્મ પદાર્થકી ભાવના કરની ચાહિયે. ૨૬૧.
(શી પરમાત્મપ્રકાશ) * ભાઈ! તારી આ બધી પ્રવૃત્તિ મને તો રેતીમાં તેલ
વૈરાગ્યવષ ] શોધવા જેવી અથવા વિષ પ્રાશન કરી (-ખાઈને) જીવન વૃદ્ધિ કરવાની ઇચ્છા જેવી વિચિત્ર અને ઉન્મત્ત લાગે છે. ભાઈ! આશારૂપ ગ્રહ (ભૂત)નો નિગ્રહ કરવામાં જ સુખ છે. તૃષ્ણાથી કોઈ કાળે કે કોઈ ક્ષેત્રમાં સુખ નથી. એ ટૂંકુ પણ મહદ્ સૂત્ર શું તને નથી સમજાતું? -કે આ વ્યર્થ પરિશ્રમ (-પ્રવૃત્તિ) તું કરી રહ્યો છે! ૨૬૨.
(શ્રી આત્માનુશાસન) કે અરે! એક વાળો શરીરમાં નીકળતાં પીડાનો પાર રહેતો નથી. તો આ મારું શરીર, મારું ઘર, મારી સ્ત્રી, પુત્ર, મિત્ર, આ મારું ધન, આબરૂ એમ અનેક મારા એટલે કે ધનવાળો, શરીરવાળો, સ્ત્રી, પુત્ર, મિત્રવાળો એમ અનેક વાળાની પીડાનું એને ભાન નથી પણ પીડાય છે. ૨૬૩.
(દષ્ટિનાં નિધાન) કે અહીં સંસારમાં રાજા પણ દૈવવશ થઈને રંક જેવો બની જાય છે તથા પુષ્ટ શરીરવાળો મનુષ્ય પણ કર્મોદયથી ક્ષણવારમાં જ મૃત્યુ પામી જાય છે. એવી અવસ્થામાં કયો બુદ્ધિમાન પુરુષ કમળપત્ર ઉપર રહેલાં જળબિંદુ સમાન વિનાશ પામનાર ધન, શરીર અને જીવન આદિ વિષયમાં અભિમાન કરે? અર્થાત્ ક્ષણમાં ક્ષીણ થનાર આ પદાર્થોના વિષયમાં વિવેકીજન કદી પણ અભિમાન કરતાં નથી. ૨૬૪. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
* જો અજ્ઞાની જીવ ઇન્દ્રિયોકે ઇચ્છારૂપી રોગોંકા ઉપાય હી નિશ્ચયસે કરતા રહતા હૈ ઔર ઉસીકો સુખ માનતા હૈ ઇસસે બઢકર દુઃખકી બાત ઓર ક્યા હો સકતી હૈ? ૨૬૫.
(શ્રી સારસમુચ્ચય) કે આત્માકો આત્માહીકે દ્વારા આત્મામેં હી શરીરસે ભિન્ન ઐસા વિચારના કિ જિસસે ફિર યહ આત્મા સ્વપ્નમેં ભી શરીરકી
Page #39
--------------------------------------------------------------------------
________________
[વૈરાગ્યવર્ધા સંગતિકો પ્રાપ્ત ન હો અર્થાતુ મેં શરીર હૈં ઐસી બુદ્ધિ સ્વપ્નમેં ભી ન હો ઐસા નિશ્ચય કરના ચાહિયે. ૨૬૬. (શ્રી જ્ઞાનાર્ણવ)
* જેણે ત્રણે ભુવન નીચાં કરી રાખ્યાં છે એવી એ આશારૂપ ખાણ અત્યંત અગાધ છે. સંસારપરિણામી જીવોએ અગાધ દ્રવ્ય આજ સુધી નાખ નાખ કરવાં છતાં પણ હજુ સુધી કોઈથી પણ નહિ પુરાયેલી એવી એ આશારૂપ ખાણને સપુરુષોએ તેમાં રહેલાં ધનાદિને કાઢી કાઢીને પૂર્ણ કરી, એ એક પરમ આશ્ચર્ય છે. ૨૬૭.
(શ્રી આત્માનુશાસન) ક હે જીવ! તૂને ઇસ લોકમેં તૃષાસે પીડિત હોકર તીનલોકકા સમસ્ત જલ પિયા, તો ભી તૃષાકા વ્યવચ્છેદ ન હુઆ અર્થાત્ પ્યાસ ન બુઝી, ઇસલિયે તૂ ઇસ સંસારકા મંથન અર્થાત્ તેરે સંસારકા નાશ હો ઇસપ્રકાર નિશ્ચયરત્નત્રયકા ચિંતન કર. ૨૬૮.
(શ્રી ભાવપાહુડ) * સંસારની મનવાંછિત ભોગ-વિલાસની સામગ્રી અસ્થિર છે, તેઓ અનેક પ્રયત્નો કરવા છતાં પણ સ્થિર રહેતી નથી. એવી જ રીતે વિષય-અભિલાષાઓના ભાવ પણ અનિત્ય છે, ભોગ અને ભોગની ઇચ્છાઓ આ બંનેમાં એકતા નથી અને નાશવંત છે. તેથી જ્ઞાનીઓને ભોગોની અભિલાષા જ ઉપજતી નથી. આવા ભ્રમપૂર્ણ કાર્યોને તો મૂર્ખાઓ જ ઇચ્છે છે, જ્ઞાનીઓ તો સદા સાવધાન રહે છે પરપદાર્થોમાં સ્નેહ કરતાં નથી, તેથી જ્ઞાનીઓને વાંછા રહિત જ કહ્યાં છે. ૨૬૯, (શ્રી નાટક સમયસાર)
* યદિ ઇસ દુર્ગધસે ભરે હુએ તથા મલિન શરીરસે સુખકો કરનેવાલી સ્વર્ગ ઔર મોક્ષકી સંપત્તિયે પ્રાપ્ત કી જાતી હૈ તબ કયા હાનિ હોતી હૈ? યદિ નિંદનીય નિર્માલ્યક દ્વારા સુખદાઈ રત્ન
વૈરાગ્યવર્ધા ] મિલ જાવે તબ જગતની મર્યાદાકો જાનનેવાલે કિસ પુરુષસે લાભ ન માના જાયગા? ૨૭૦.
(શ્રી તન્વભાવના) * સંસારમાં ઇન્દ્રિય-જન્ય જેટલા સુખ છે તે બધા આ આત્માને તીવ્ર દુઃખ આપનારા છે. આ રીતે જે જીવ ઇન્દ્રિય-જન્ય વિષય-સુખોના સ્વરૂપનું ચિંતવન કરતો નથી તે બહિરાત્મા છે. ૨૭૧.
(શ્રી રયણસાર) કે જ્યાં સ્ત્રીનો ધણી મરી જાય ને બાઈ રાંડે છે ત્યારે દુનિયા તે સ્ત્રીને દુઃખાણી કહે છે પણ ખરેખર તે સ્ત્રી દુઃખાણી નથી પણ તેને આત્માનું હિત કરવા નિવૃત્તિ મળી છે. અહીં દુઃખાણી એને કહે છે કે જે રાગમાં અને પુણ્ય-પાપના ભાવમાં એકતા માની આનંદકંદ સ્વભાવ છે તેને ભૂલી ગયો છે તે ખરેખર દુઃખાણો એટલે દુઃખીયો છે. જગતથી ભગવાનનો માર્ગ જુદો છે. ૨૭૨.
(દિનાં નિધાન) * હાય! ઘણાં દુઃખની વાત છે કે-સંસારરૂપ કતલખાનામાં પાપી અને ક્રોધી એવા ઇન્દ્રિય-વિષયરૂપ ચંડાળોએ ચારે બાજુ રાગરૂપ ભયંકર અગ્નિ સળગાવી મૂક્યો જેથી ચારે તરફથી ભય પામેલાં અને અત્યંત વ્યાકુળ થયેલાં પુરુષરૂપી હરણો પોતાના બચાવ માટે અંતિમ શરણ ચાહતાં-શોધતાં કામરૂપી ચંડાળે ગોઠવી રાખેલાં સ્ત્રીરૂપ કપટ સ્થાનમાં (પાસલામાં) જઈ જઈને ભરાઈ પડે છે. ૨૭૩.
શ્રી આત્માનુશાસન) કે જે ઔષધિ રોગને દૂર કરી શકે નહિ તે ખરેખર ઔષધિ નથી. જે જળ તૃષાને દૂર કરી શકે નહિ તે ખરેખર જળ નથી અને જે ધન આપત્તિનો નાશ કરી શકે નહિ તે ખરેખર ધન નથી. તેવી જ રીતે વિષયથી ઉત્પન્ન થયેલું સુખ તૃષ્ણાનો નાશ કરી શકે નહિ
Page #40
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ધા તે ખરેખર સુખ નથી. ૨૭૪.
(શ્રી આદિ પુરાક્ષ) * સ્વપ્ન-અવસ્થામાં પ્રત્યક્ષ જોવામાં આવેલાં શરીર આદિકનો નાશ થવા છતાં જેમ આત્માનો નાશ થતો નથી તેમ જાગૃત અવસ્થામાં પણ દેખેલાં શરીરાદિકનો નાશ થવા છતાં, આત્માનો નાશ થતો નથી; કારણ કે બંને અવસ્થાઓમાં વિપરીત પ્રતિભાસમાં કાંઈ ફેર નથી. ૨૭૫.
(શ્રી સમાધિતંત્ર) કે ઇસ દેહકા ઉવટના કરો, તૈલાદિકકા મર્દન કરો, શૃંગાર આદિ સે અનેક પ્રકાર સજાઓ, અચ્છે અચ્છે મિષ્ટ આહાર દેઓ, લેકિન યે સબ યત્ન વ્યર્થ હૈ, જૈસે દુર્જનોના ઉપકાર કરના વૃથા હૈ.
(શ્રી પરમાત્મપ્રકાશ) કે યહ શરીર કૈદખાના હૈ, પુત્ર તથા કુટુંબી ઉસકે પહરેદાર હૈ. જો યહ જાનતા હૈ વ દુઃખકા અનુભવ નહીં કરતા હૈ, વહ બુદ્ધિમાન હૈ. પરંતુ મૂર્ખજન હી ઇસે અપના હિતકારી માનતા હૈ. ૨૭૭.
(શ્રી બુધજન-સતસઈ) કે હે પ્રાણી-! પ્રાયઃ પ્રત્યેક પ્રાણીયોનાં અંતઃકરણ એ આશારૂપ મહાન, ગહન, ગંભીર અને અતિ ઊંડા ગર્ત (કૂવા) છે. વળી તે અમર્યાદિત છે. જેમાંના એક ગર્તમાં આ ત્રણ લોકની સમસ્ત વિભૂતિ માત્ર એક અણુ સમાન સૂમપણે વર્તે છે અને જગતવાસી પ્રાણીયો તો અનંતાનંત છે, તો એ ત્રણલોકની સમસ્ત વિભૂતિની વહેંચણી કરતાં કોને કોને કેટલી કેટલી આવે? અર્થાતુ ત્રણલોકની સમસ્ત વિભૂતિ કદાચ એક પ્રાણીના હાથમાં આવી જાય, તોપણ તેની તૃષ્ણા શાંત થાય નહિ. ધનાદિ સર્વ સંપત્તિ જગતમાં સંખ્યાત છે, જ્યારે તેના ગ્રાહક અનંતાનંત છે. માટે હે આત્મા! તારી એ વિષયની આકાંક્ષા વ્યર્થ છે. ૨૭૮.
વૈરાગ્યવષ ]
(શ્રી આત્માનુશાસન) * આ શરીરમાં આત્માની ભાવના અન્ય શરીરગ્રહણરૂપ ભવાન્તર પ્રાપ્તિનું બીજ છે અને આત્મામાં જ આત્માની ભાવના તે શરીરના સર્વથા ત્યાગરૂપ મુક્તિનું બીજ છે. ૨૭૯. (શ્રી સમાણિતંત્ર)
* અરે! આખો દી ધંધા ને બાયડી-છોકરાની મમતામાં પાપમાં જીવન ગાળે છે એનું શું થશે? એકલી મમતા મમતા ને મમતાના ફળમાં મરીને ઢોરમાં જશે. અહીં વાણીયો કરોડપતિ હોય ને મરીને ભૂંડ થાય ને વિષ્ટા ખાશે! એણે, મારું શું થશે એમ નક્કી કરવું જોઈએ ને! કે હું મરીને ક્યાં જઈશ! એ નક્કી કરવું જોઈએ. ૨૮૦.
(દષ્ટિનાં નિધાન) કે શરીરસે પ્રીતિ કરના હૈ સો આત્માની ઉન્નતિસે બાહર રહના હૈ, ક્યોંકિ જો કોઈ શરીકે કામકે કરનેમેં જાગ રહા હૈ વહ ત્યાગનેયોગ્ય વ કરનેયોગ્યકે વિચારસે શૂન્ય મનવાલા હોતા હુઆ આત્માકે કાર્યમેં અપના વર્તન નહીં રખતા હૈ. ઇસીલિયે અપને આત્માકે પ્રયોજનકો જો સિદ્ધ કરના ચાહતા હૈ ઉસકો સદા હી શરીરકા મોહ છોડ દેના ચાહિયે. અપની ઇચ્છાકો પૂર્ણ કરનેવાલા બુદ્ધિમાન પુરુષ અપને કામકે રોકનેવાલે કાર્યમેં ઉદ્યમ નહીં કરતા હૈ. ૨૮૧.
(શ્રી તત્ત્વભાવના) * ઇસ પ્રકાર અતિશય પીડાકો પ્રાપ્ત હુઆ વહ કોધી મનુષ્ય સાક્ષાત્ રાક્ષસ જૈસા પ્રતીત હોતા હૈ! યહાં કોઈ દૂસરેકો જલાનેકી ઇચ્છાસે યદિ અપને હાથમેં અત્યંત તપે હુએ લોહે કો લેતા હૈ તો દૂસરા જલે અથવા ન ભી જલે, કિંતુ જિસ પ્રકાર વહ સ્વયં જલતા હૈ, ઉસી પ્રકાર શત્રુનો માર ડાલનેકા વિચાર કરકે ક્રોધકો પ્રાપ્ત હુઆ મનુષ્ય દૂસરેકો ઘાત કરનેકી ઇચ્છાસે સ્વયં
Page #41
--------------------------------------------------------------------------
________________
૨
[વૈરાગ્યવર્ધા દુ:ખકો અવશ્ય પ્રાપ્ત હોતા હૈ. ઉસસે શત્રુકા ઘાત હો અથવા ન ભી હો યહ અનિશ્ચિત હી રહતા હૈ. ૨૮૨. (શ્રી સુભાષિતરત્નસંદો)
કે “આ દેહ મારો છે અને હું આ દેહનો છું” આવી દેઢ શ્રદ્ધા પૂર્વક દેહની સાથે જીવને પ્રીતિ છે અર્થાતુ દેહરૂપ ક્ષેત્ર વિષે ક્ષેત્રીયરૂપે એટલે સ્વામીપણે જ્યાં સુધી જીવ પ્રવર્તી રહ્યો છે ત્યાં સુધી તપના પરમ ફળરૂપ મોક્ષની આશા રાખવી વ્યર્થ છે. દેહ પ્રત્યેની એકત્વભાવના મોક્ષમાર્ગના પ્રવાસીને એક મહાન ઇતિ (-ઉપદ્રવ) સમાન વિદનરૂપ છે. ૨૮૩. (શ્રી આત્માનુશાસન)
* હે આત્મનું! નિજ કુટુંબાદિક કે લિયે તૂને નરકાદિ કે દુઃખ દેનેવાલે પાપકર્મ કિયે, વે પાપી તુજે અવશ્ય હી ધોખા દેકર અપની અપની ગતિકો ચલે જાતે હૈં ઉનકે લિયે જો તૂને પાપકર્મ કિયે થે, ઉનકે ફલ તુજે અકેલે હી ભોગને પડતે હૈં, વા ભોગને પડેંગે. ૨૮૪.
(શ્રી જ્ઞાનાર્સવ) * અનેક દુઃખોના સમૂહથી પરિપૂર્ણ એવા સંસારમાં રહેનાર મનુષ્ય આપત્તિ આવતાં જે શોકાકુળ થાય છે એ તેની ઘણી મોટી બ્રાન્તિ અથવા અજ્ઞાનતા છે. બરાબર છે જે વ્યક્તિ ભૂત, પ્રેત, પિશાચ, શિયાળ અને ચિત્તાઓથી ભરેલાં એવા અમંગળકારી સ્મશાનમાં મકાન બનાવીને રહે છે તે શું ભય ઉત્પન્ન કરનાર પદાર્થોથી કદી શંકિત થાય? અર્થાતુ ન થાય. ૨૮૫.
(કી નંદિ પંચવિશતિ) * કોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું છે અને માનસિક દુઃખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુઃખથી માનસિક દુઃખ ઘણું તીવ્ર છે-મોટું છે. જુઓ! માનસિક દુઃખ સહિત પુરુષોને
વૈરાગ્યવર્ષા ] અન્ય ઘણા વિષયો હોય તોપણ તે દુઃખ ઉપજાવવાવાળા દેખાય છે. ૨૮૬.
(પ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષ) * સર્વ અશુચિના મૂળરૂપ શરીરને આ જીવ જ્યારે પૂજયપદને પ્રાપ્ત કરાવે છે ત્યારે શરીર આત્માને ચંડાળાદિ નીચ કુળમાં જન્મ કરાવી અસ્પૃશ્ય કરે છે. ધિક્કાર છે એ કૃતન શરીરને! ૨૮૭.
(શ્રી આત્માનુશાસન) * બાલ સફેદ હો જાતે હૈં, શરીરમેં વૃદ્ધત્વ આ જાતા હૈ તથાપિ મનકી વિકૃતિયાં નહીં જાતી. સો ઠીક હી હૈ. ક્યોંકિ જલતી હુઈ ઝોંપડી તબ તક નહીં બુઝતી જબ તક કિ વહ પૂર્ણ રૂપસે જલ નહીં જાતી. ૨૮૮.
(શ્રી બુધજન-સતસઈ) કે મનોહર વસ્તુનો નાશ થતાં જો શોક કરવાથી તેની પ્રાપ્તિ થતી હોય, કીર્તિ મળતી હોય, સુખ થતું હોય અથવા ધર્મ થતો હોય, તો તો શોકનો પ્રારંભ કરવો બરાબર છે. પરંતુ જો અનેક પ્રયત્નો દ્વારા પણ તે ચારેમાંથી ઘણું કરીને કોઈ એક પણ ઉત્પન્ન ન થતું હોય તો પછી કયો બુદ્ધિમાન મનુષ્ય વ્યર્થ તે શોકરૂપી મહારાક્ષસને આધીન થાય? અર્થાત્ કોઈ નહીં. ૨૮૯.
(શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * હે આત્મનુ! ઇસ સંસારમેં તૂને ઇસ શરીરકો ગ્રહણ કરકે દુઃખ પાયે વા સહે હૈં ઇસીસે તૂ નિશ્ચયકર જાન કિ યહ શરીર હી સમસ્ત અનર્થોકા ઘર હૈ, ઇસકે સંસર્ગસે સુખકા લેશ ભી નહીં માન. ૨૯૦.
| (શ્રી જ્ઞાનાર્ણવ) હે માનવો! કષાયકો કમ કરકે પંચેન્દ્રિયકે વિષયોંકા સેવન નહીં કરના. ઇસકા પથ્ય યા હિતકારી ઉપાય ઉત્તમ નિર્દોષ
Page #42
--------------------------------------------------------------------------
________________
૭૩
[ વૈરાગ્યવર્ધા સમ્યગ્દર્શન હૈ. ૨૯૧.
(શ્રી સારસમુચ્ચય) * શરીરની સહેજ માત્ર સોબત એ જ સર્વ દુઃખનું કારણ છે, એમ જાણીને શરીરને ફેંકી દેતી વખતે હાથનો પોંચો પકડી રોકવાવાળું જ્ઞાન જો હાજર ન હોત તો ક્યા મુનિ મૃતદન શરીરની સાથે ક્ષણમાત્ર પણ રહેવા ઇચ્છે ?-કોઈ નહિ. ૨૯૨.
(શ્રી આત્માનુશાસન) * મિત્રતા, તપ, વ્રત, કીર્તિ, નિયમ, દયા, સૌભાગ્ય, ભાગ્ય, શાસ્ત્રાભ્યાસ ઔર ઇન્દ્રિયદમન આદિ યે સબ મનુષ્ય કે ગુણ ક્રોધરૂપ મહાન વૈરીસે પીડિત હોકર ક્ષણભરમેં ઇસ પ્રકારસે નષ્ટ હો જાતે હૈ જિસ પ્રકાર કિ તીવ્ર અગ્નિસે સત્તપ્ત હોકર જલ નષ્ટ હો જાતા હૈ. ૨૯૩.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * જો એમ પૂછવામાં આવે કે દેવગતિ પામેલાં દેવેન્દ્રોને તો બહુ સુખ હોય છે તો પછી દેવગતિના બધાં જીવોને દુઃખ સહન કરનાર કેમ બતાવ્યા છે? તો એનું સમાધાન આ છે કે દેવેન્દ્રોને ઇન્દ્રિય-વિષયોથી ઉત્પન જે સુખ થાય છે તે દાહ ઉત્પન કરનારી તૃષ્ણા દેનાર છે, તેને વાસ્તવમાં દુઃખ સમજવું જોઈએ. ૨૯૪.
(શ્રી યોગસાર પ્રાભૃત) * શુદ્ધ સમ્યગ્દર્શનકા પ્રેમ તથા શુદ્ધ આત્મજ્ઞાનકા પ્રેમ કર્મોકા ક્ષય કરનેવાલા હૈ, પરંતુ યદિ શરીરકા મોહ હો તો અનંતાનંત પર્યાયોકો યહ જીવ ધારણ કરતા રહતા હૈ. ૨૯૫.
(શ્રી ઉપદેશગુસાર) * જેમ કોઈ પુરુષ રત્નદીપને પામવા છતાં રત્નદ્વીપમાંથી રત્નને છોડી કાષ્ટ ગ્રહણ કરે છે તેમ મનુષ્યભવ વિષે ધર્મભાવનાનો ત્યાગ કરીને અજ્ઞાની ભોગની અભિલાષા કરે છે. ર૯૬.
વૈરાગ્યવર્ધા ]
(શ્રી ભગવતી આરાધના) * કાયવિકારને છોડીને જે ફરી ફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યક ભાવના) કરે છે તેનો જ જન્મ સંસારમાં સફળ છે. ૨૯૭.
(શ્રી નિયમસાર-ટીકા) * હે અસંતોષી આત્મા! સર્વ જગતની માયાને અંગીકાર કરવાની અભિલાષારૂપ પરિણામથી તો તેં આ જગતમાં કંઈ પણ છોડ્યું નથી. તારાથી જે કંઈ બચવા પામ્યું હોય તે તો તારી ભોગ કરવાની અશક્તિથી જ. જેમ રાહુથી ગળાતાં ચંદ્ર સૂર્ય જો બચવા પામ્યા હોય તો તે માત્ર રાહુની અશક્તિથી જ. ૨૯૮.
(શ્રી આત્માનુશાસન) કે જેવી રીતે ચંદ્રમા આકાશમાં નિરંતર ચક્કર લગાવ્યા કરે છે તેવી જ રીતે આ પ્રાણી સદા સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે; જેમ ચંદ્રમા ઉદય, અસ્ત અને કળાઓની હાનિ-વૃદ્ધિને પામ્યા કરે છે તેવી જ રીતે સંસારી પ્રાણી પણ જન્મ-મરણ અને સંપત્તિની હાનિ-વૃદ્ધિને પામ્યા કરે છે; જેમ ચંદ્ર મધ્યમાં કલુષિત (કાળો) રહે છે તેવી જ રીતે સંસારી પ્રાણીનું હૃદય પણ પાપથી કલુષિત રહે છે તથા જેમ ચંદ્ર એક રાશિ (મીન-મેષ વગેરે)થી બીજી રાશિને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સંસારી પ્રાણી પણ એક શરીર છોડીને બીજા શરીરનું ગ્રહણ કર્યા કરે છે. આવી સ્થિતિ હોતાં છતાં સંપત્તિ અને વિપત્તિની પ્રાપ્તિમાં જીવે હર્ષ અને વિષાદ શા માટે કરવા જોઈએ? અર્થાતુ ન કરવા જોઈએ. ૨૯૯.
| (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * સંયમી જીવોને મનમાં, અસંયમી (અજ્ઞાની) જનોને દેખીને ઘણો સંતાપ થાય છે કે અરેરે! જુઓ તો ખરા, સંસારરૂપી
Page #43
--------------------------------------------------------------------------
________________
પ
[ વૈરાગ્યવર્ષા
કૂવામાં ડૂબવા છતાં આ જીવો કેમ નાચી રહ્યા છે! ૩૦૦,
(શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા)
* જે મોહી જીવ છે તે આ સંસારને આધિ-માનસિક પીડાઓ, વ્યાધિ-શારીરિક કષ્ટપ્રદ રોગો, જન્મ, જરા, મરણ અને શોકાદિ ઉપદ્રવોથી યુક્ત ભયંકરરૂપે દેખતો હોવા છતાં પણ તેનાથી વિરક્ત થતો નથી! એ મોહનું કેવું માહાત્મ્ય? ૩૦૧. (શ્રી યોગસાર પ્રાભૂત)
* આચાર્ય મહારાજ કહતે હૈં કિ હૈ પ્રાણી! વલ્લભા અર્થાત્ પ્યારી સ્ત્રિયોંકા સંગમ આકાશમેં દેવોસે રચે હુએ નગર કે સમાન હૈ, અતઃ તુરન્ત વિલુપ્ત હો જાતા હૈ ઔર તેરા યૌવન વા ધન જલદપટલ કે સમાન હૈ સો ભી ક્ષણિકમેં નષ્ટ હો જાનેવાલા હૈ તથા સ્વજન પરિવાર કે લોગ પુત્ર શરીરાદિક બિજલી કે સમાન ચંચલ હૈ. ઇસ પ્રકાર જગતકી અવસ્થા અનિત્ય જાનકે નિત્યતાકી બુદ્ધિ રખ. ૩૦૨. (શ્રી જ્ઞાનાર્ણવ)
* અજ્ઞાનીજન, દલ-બલ-અસત્ય આદિકે પ્રયોગ દ્વારા સમસ્ત કાર્ય કરતે હૈં. ધર્મ વ નૈતિકતા કી ચિંતા વે નહીં કરતે. પરંતુ બુદ્ધિમાન માનવ ઐસા કાર્ય કરતે હૈં જિસમેં ઉનકા ધર્મ ન બિગડે વ નૈતિકતા બની રહે. ૩૦૩. (શ્રી બુધજન-સત્સઈ)
* હે ભોળા પ્રાણી! તેં આ પર્યાય પહેલાં સર્વ કાર્ય ‘ગબાળપાનીયવત્’ કર્યા. કોઈ મનુષ્ય બકરીને મારવા માટે છરી ઇચ્છતો હતો અને બકરીએ જ પોતાની ખરીથી પોતાના નીચે દટાયેલી છરી કાઢી આપી. જેથી તે જ છરીથી તે મૂર્ખ બકરીનું મરણ થયું. તેમ જે કાર્યોથી તારો ઘાત થાય-બૂરું થાય તે જ કાર્ય તેં કર્યું-ખરેખર તું હેય-ઉપાદેયના વિવેકથી રહિત મૂર્ખ છે. ૩૦૪.
૭૬
(શ્રી આત્માનુશાસન)
* જીવોનો સાચો સ્વાર્થ પોતાના સ્વરૂપમાં સ્થિર થવામાં છે, ક્ષણભંગુર ભોગો ભોગવવામાં નથી. ભોગો ભોગવવાથી તો તૃષ્ણા વધી જાય છે, સંતાપની શાંતિ થતી નથી. હે સુપાર્શ્વનાથ! આપે આવો ઉપદેશ દીધો છે. ૩૦૫. (શ્રી સ્વયંભૂ સ્તોત્ર)
વૈરાગ્યવર્ધા ]
* આ ચિદાનંદ ચોરાશીલાખ યોનિના શરીરોની સુધારણા કર્યા કરે છે. જે ઘરમાં રહે તેને સુધારે, પછી વળી બીજી શરીરઝોંપડીને સુધારે. વળી બીજી પામે તેને સુધારતો ફરે. બધાં દેહ જડ, એ જડોની સેવા કરતાં કરતાં અનાદિકાળ વીત્યો, એ શરીરસેવાનો કર્મરોગ અનાદિથી લાગ્યો આવ્યો છે. તેથી આ રોગ પોતાનું અનંતબળ ક્ષીણપણાને પામ્યું તેથી મોટી વિપત્તિ -જન્માદિ ભોગવે છે. ૩૦૬. (શ્રી અનુભવપ્રકાશ)
* જિસ મનુષ્યકે, બિના કિસી કારણ કે હી, ક્રોધ ઉત્પન્ન હુઆ કરતા હૈ વહ ગુણવાન ભી કર્યો ન હો, કિંતુ ઉસકી કોઈ ભી ભક્તિ નહીં કરતા હૈ. ઠીક હૈ-ઐસા કૌનસા બુદ્ધિમાન મનુષ્ય હૈ જો કિ અનેક તીવ્ર રોગોંકો નષ્ટ કરનેવાલે મણિસે ભી યુક્ત હોને પર બાર બાર કાટનેકે અભિમુખ હુએ આશીવિષ સર્પસે પ્રેમ કરતા હો? અર્થાત્ કોઈ નહીં કરતા!! ક્રોધ એક પ્રકારકા વહ વિષેલા સર્પ હૈ કિ જિસકે કેવલ દેખને માત્રસે હી પ્રાણી વિષસે સપ્તપ્ત હો ઉઠતા હૈ. ૩૦૭. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* જે સંસારભયથી શ્રી તીર્થંકરાદિક ડર્યા તે સંસારભયથી જે રહિત છે તે મોટો સુભટ છે. ૩૦૮. (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક)
* અંધ પુરુષકા સ્વભાવ હી અંધા હોતા હૈ. ઉસે કુછ દીખતા હી નહીં હૈ. ઇસીતરહ જો મિથ્યાત્વકે ઉદયસે અંધા હૈ વહ
Page #44
--------------------------------------------------------------------------
________________
૭૮
૭૭
[ વૈરાગ્યવર્ધા હિત-અહિત ધર્મ-અધર્મ પર દૃષ્ટિ ન દેતા હુઆ અજ્ઞાનસે કુઆચરણ કરકે ભોગોમેં લિપ્ત હોકર દુઃખકા બીજ બોતા હૈ, અનંતાનંત દોષોંકા પાત્ર હોતા હૈ, સંસારમેં નરકગતિમેં જાતા હૈ યા નિગોદમે દીર્ઘકાલ વિતાતા હૈ. ૩૦૯.
(શ્રી ઉપદેશ-શુદ્ધસાર) * કળીકાળમાં નીતિ એ જ દંડ છે, દંડથી ન્યાયમાર્ગ ચાલે છે, રાજા વિના તે દંડ દેવાને કોઈ સમર્થ નથી પણ રાજા ધનને અર્થે ન્યાય પણ કરે છે. ધનપ્રાપ્તિરૂપ પ્રયોજન વિના રાજા ન્યાય પણ કરે નહીં-એમ ન્યાય આટલો બધો આ કાળમાં મોંઘો થઈ પડ્યો છે. ૩૧૦.
(શ્રી આત્માનુશાસન) કે અહો! દેખો! સ્વર્ગકા દેવ તો રોતા પુકારતા તથા સ્વર્ગસે નીચે ગિરતા હૈ ઔર કુત્તા સ્વર્ગમેં જાકર દેવ હોતા હૈ એવમ્ શ્રોત્રિય અર્થાત્ ક્રિયાકાંડકા અધિકારી અસ્પર્શ રહનેવાલા બ્રાહ્મણ મરકર કુત્તા, કૃમિ અથવા ચંડાલાદિ હો જાતા હૈ. ઇસ પ્રકાર ઇસ સંસારકી વિડમ્બના હૈ. ૩૧૧,
(શ્રી જ્ઞાનાર્ણવ) કે આ પૃથ્વી ઉપર જે મૂર્ખ મનુષ્યો છે તેઓ પણ દુઃખનો નાશ કરવા માટે પ્રયત્ન કરે છે; છતાં પણ જો પોતાના કર્મના પ્રભાવથી તે દુઃખનો વિનાશ ન થે થાય તો પણ તેઓ એટલા મૂર્ખ નથી. અમે તો તે જ મૂર્ણોને મૂર્ખામાં શ્રેષ્ઠ અર્થાત્ અતિશય મૂર્ખ માનીએ છીએ જે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ થતાં પાપ અને દુઃખના નિમિત્તભૂત શોકને કરે છે. ૩૧૨. શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* હે આત્મનું! તૂનિગોદકે વાસમેં એક અંતર્મુહૂર્તમેં છાસઠ હજાર તીનસો છત્તીસ બાર મરણકો પ્રાપ્ત હુઆ. ૩૧૩.
(શ્રી ભાવપાહુડી
વૈરાગ્યવષ ]
* હે પિતાજી! હે માતાજી! જ્યારે ભવનમાં આગ લાગી જાય ત્યારે સમજદાર મનુષ્ય બહાર ભાગવાનો પ્રયત્ન કરે છે પણ શત્રુ હોય છે તે તેને પકડીને ફરી આગમાં ફેંકે છે. તેમ મોહની જવાળાથી ભડભડતો આ સંસાર છે, તે સંસારદુ:ખની અગ્નિજવાળાથી હું બહાર નીકળવા માગું છું ત્યારે આપ કોઈ શત્રુની જેમ મને ફરીને અગ્નિજ્વાળામાં ન ફેંકશો. ૩૧૪.
(શી વરાંગ ચરિત્ર) * જબતક યહ શરીરરૂપી પર્વત મરણરૂપી વજસે નહીં ગિરાયા જાવે તબતક કર્મરૂપી શત્રુઓકે નાશ કરનેમેં મનકો લગાના ચાહિયે. ૩૧૫.
(શ્રી સારસમુચ્ચય) * જેમ કીડો વિષ્ટામાં રતિ માની રહ્યો છે, તેમ તું કામથી અંધ થઈ સ્ત્રીના ગંધાતા સડી રહેલાં કલેવર વિષે રતિ માની રહ્યો છે, કારણ કામાંધ પુરુષને ભલા-બુરાનો વિવેક જ હોતો નથી. હે ભવ્ય! મહા અંધકારસમ એ કામાંધપણું છોડી હવે તો કાંઈક વિવેકી થા! ૩૧૬.
(શ્રી આત્માનુશાસન) * જિસ પ્રકાર ચીટી મિઠાઈકે ચારોં ઓર આકર ચિપક જાતી હૈ ઉસી પ્રકાર પરિવારજન ચારોં ઓરસે તુજસે લિપટ રહે હૈ ઔર તૂ ઉનમેં સુખ માન રહા હૈ યહી તેરા ભોલાપન હૈ, અજ્ઞાનતા હૈ. ૩૧૭.
(શ્રી બુધજન-સતસઈ) * જેમ અતિશય કીચડમાં ખેંચી ગયેલાં ગાડાને બળવાન ધોરી-ધવલ વૃષભ બહાર કાઢે છે તેમ આ લોકમાં મિથ્યાત્વરૂપી કીચડમાં ફસાયેલા પોતાના કુટુંબને તેમાંથી કોઈ ઉત્તમ વિરલા પુરુષ જ બહાર કાઢે છે. ૩૧૮. (શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા)
* (સંસારસે વૈરાગ્ય હોને પર ચક્રવર્તી સોચતા હૈ કિ) યહ
Page #45
--------------------------------------------------------------------------
________________
૭૯
[ વૈરાગ્યવર્ષા ચક્રવર્તીકા સામ્રાજ્ય કુમ્હારકી જીવની સમાન હૈ ક્યોંકિ જિસ પ્રકાર કુમ્હાર અપના ચક્ર (ચાક) ઘુમાકર મિટ્ટીસે બને હુએ ઘડે આદિ વર્તનોસે અપની આજીવિકા ચલાતા હૈ, ઉસી પ્રકાર ચક્રવર્તી ભી અપના ચાક (ચક્રરત્ન) ઘુમાકર મિટ્ટીસે ઉત્પન્ન હુએ રત્ન યા કર આદિસે અપની આજીવિકા ચલાતા હૈ-ભોગોપભોગકી સામગ્રી જુટાતા હૈ. ઇસલિયે ઇસ ચક્રવર્તીકે સામ્રાજ્યકો ધિક્કાર હૈ. ૩૧૯. (શ્રી આદિ પુરાણ)
* સૂર્ય કદાચિત્ સ્તબ્ધ હો સકતા હૈ, ચંદ્રમા કદાચિત્ તીક્ષ્ણ હો સકતા હૈ, આકાશ કદાચિત્ સ્તબ્ધ હો સકતા હૈ-સીમિત યા સ્થાનદાનક્રિયાસે શૂન્ય હો સકતા હૈ, સમુદ્ર કદાચિત્ નિદિયોંકે જલસે સંતુષ્ટ હો સકતા હૈ, વાયુ કદાચિત્ સ્થિર હો સકતી હૈ, તથા અગ્નિ ભી કદાચિત્ દાહક્રિયાસે રહિત હો સકતી હૈ; પરંતુ લોભરૂપ અગ્નિ કભી ભી દાહક્રિયાસે રહિત નહીં હો સકતી હૈ. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * આચાર્ય મહારાજ કહતે હૈ કિ યહ બડા આશ્ચર્ય હૈ જો જીવોકા અજ્ઞાનસે ઉત્પન્ન હુઆ યહ આગ્રહ (હઠ) સેંકડો ઉપદેશ દેને પર ભી દૂર નહીં હોતા! હમ નહીં જાનતે કિ ઇસમેં ચા ભેદ હૈ !
૩૨૦.
એક બાર મિથ્યાશાસ્ત્રકી યુક્તિ ભોલે જીવોકે મનમેં ઐસી પ્રવેશ હો જાતી હૈ કિ ફિર સેંકડો ઉત્તમોત્તમ યુક્તિયે સુને તો ભી વે ચિત્તમેં પ્રવેશ નહીં કરતી હૈ! અર્થાત્ ઐસા હી કોઈ સંસ્કારકા નિમિત્ત હૈ કિ વહ મિથ્યા આગ્રહ કભી દૂર નહીં હોતા. ૩૨૧. (શ્રી જ્ઞાનાર્ણવ)
* વાસ્તવિક તો એ છે કે જેના યોગે રોગ ઉત્પન્ન થાય છે
વૈરાગ્યવર્ધા ]
0
વા થવાની કાયમ શંકા બની રહે છે તેનો તું નિર્મૂળ નાશ કર! શરીરથી રોગ ઉત્પન્ન થાય છે અને તે દુઃખે નિરંતર દુઃખી રહેવું પડે છે, તો હવે કંઈક એવું કર કે જેથી એ શરીર જ ફરી ઉત્પન્ન ન થાય. સુગમપણે અને નિર્દોષ ઔષધિથી રોગ દૂર થયો તો ઠીક, નહીં તો શરીર છૂટવા જેવા અણીના પ્રસંગે પણ સમ્યક્ સામ્યભાવને અનુસરવું એ પણ રોગનો સર્વથી પ્રબળ પ્રતિકાર જ છે-એમ તું સમજ. ૩૨૨. (શ્રી આત્માનુશાસન)
* કોઈ મનુષ્ય શુદ્ધ, સ્વાદિષ્ટ, સ્વચ્છ, અમૃત જેવા મિષ્ટાન્ન જમતો હોય ને શત્રુ તેમાં ઝેર ભેળવી દે; તેમ હું અત્યારે સંસારથી વિરક્ત થઈને, મારા અંતરમાં ધર્મરૂપી પરમ અમૃતનું ભોજન લેવા તત્પર થયો છું તે વખતે તેમાં રાજ્યલક્ષ્મીના ભોગવટાનું વિષ ભેળવીને આપ સ્વજનો શત્રુ કાર્ય ન કરશો. ૩૨૩. (શ્રી વરાંગ ચરિત્ર)
* જિસ પ્રકાર કરવતસે લકડી કટતી હૈ ઉસી પ્રકાર રાતદિનકે દ્વારા તેરી આયુકે નિષેક ક્ષીણ હોતે હૈં અતઃ શીઘ્રાતિશીઘ્ર અપના ભલા કરો, કર્યોકિ યહ ઠાઠ-બાટ તો યહીં પડા રહ જાયગા. (શ્રી બુધજન-સતસઈ)
૩૨૪.
* યદિ સૂર્યકી કિરણસમૂહમેં કદાચિત્ ઠંડકપના હો જાવે તથા ચંદ્રમામે ગર્મી હો જાવે વ કદાચિત્ સુમેરુપર્વતમેં જંગમપના યા હલનચલનપના પ્રાપ્ત હો જાવે તો હો જાવે, પરંતુ કભી ભી દુઃખોકી ખાન ઇસ ભયાનક સંસારકે ચક્રમેં ભ્રમણ કરતે હુએ પુરુષકો પ્રગટપને સુખ નહીં પ્રાપ્ત હો સકતા હૈ. ૩૨૫. (શ્રી તત્ત્વભાવના) * માતાના ગર્ભમાં રહેવાથી જે દુઃખ થાય છે તે નરકની
Page #46
--------------------------------------------------------------------------
________________
૮૨
૮૧
[ વૈરાગ્યવર્ધા માફક અતિશય તીવ્ર હોય છે તથા કુંભીપાક સમાન હોય છે. (ઘડાની માફક શરીરને અગ્નિમાં નાંખે છે.) નરકમાં નારકી જીવ અન્ય નારકીને ખૂબ રીબાવી-રીબાવીને બાળે છે તેવું દુઃખ ગર્ભમાં જીવને થાય છે. વળી ગર્ભાશય રુધિરથી અતિશય ધૃણાસ્પદ હોય છે. એવા ગર્ભમાં મારે રહેવું પડશે એવો ભય જેના મનમાં ઉત્પન્ન થવાથી, તેનાથી દૂર રહેવા માટે મુનિરાજ હંમેશાં જિનવાણીના ચિંતનમાં તત્પર થાય છે. ૩૨૬.
(શ્રી મૂલાચાર) કે જેવી રીતે મોજાંઓથી ઊછળતાં ભીષણ સમુદ્ર વચ્ચેથી અથાગ પ્રયત્નપૂર્વક તરતો કોઈ પુરુષ કિનારા સુધી આવ્યો અને કોઈ શત્રુ તેને ધક્કો દઈને પાછો સમુદ્રમાં હડસેલે; તેમ હે માતાપિતા! દુર્ગતિના દુઃખોથી ભરેલાં આ ઘોર સંસાર-સમુદ્રમાં અનાદિથી ડૂબેલો હું વૈરાગ્ય વડે અત્યારે માંડ-માંડ કિનારા પર આવ્યો છું, તો ફરીને આપ મને એ સંસાર-સમુદ્રમાં ન પાડશો, ઘરમાં રહેવાનું ન કહેશો. ૩૨૭.
| (શ્રી વરાંગ ચરિત્ર) કે અનંત સંસાર પરિપાટીના કારણરૂપ એ વિવાહ આદિ કાર્યો કરવા-કરાવવાવાળા જે પોતાના કુટુંબીજનો તે જ ખરેખર આ જીવના એક પ્રકારે વેરી છે. જે એક જ વાર પ્રાણ હરણ કરે તે વેરી નથી પરંતુ આ તો અનંતવાર મરણ કરાવે છે તેથી તે વેરી છે, માટે તેઓને હિતસ્વી માની તેઓ પ્રત્યે રાગ કરવો કે તેઓના રાગે અંધ થવું એ તને ઉચિતું નથી. ૩૨૮. (શ્રી આત્માનુશાસન)
* ધર્માત્મા પ્રાણીને ઝેરી સાપ હાર બની જાય છે, તરવાર સુંદર ફૂલોની માળા બની જાય છે, ઝેર પણ ઉત્તમ ઔષધિ બની જાય છે, શત્રુ પ્રેમ કરવા માંડે છે અને દેવ પ્રસન્નચિત્ત થઈને આજ્ઞાકારી થઈ જાય છે. ઘણું શું કહેવું? જેની પાસે ધર્મ હોય
વૈરાગ્યવષ ] તેની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની વર્ષા કરે છે. ૩૨૯.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * દેખો યહ પુણ્યકા હી માહાલ્ય હૈ જો કિ પ્રાણોકો હરણ કરનેવાલા હલાહલ વિષ ભી અમૃત બન જાતા હૈ, વિષ ભી નિર્વિષ હો જાતા હૈ, શાકિની ભૂત-પિશાચ આદિકા ઉપદ્રવ પુણ્યશાલી જીવકો નહીં હોતે હૈ, ઉસકો દેખતે હી ભાગ જાતે હૈ, ધર્માત્મા પુરુષકે પગલે, ધર્મક પ્રભાવ, ભયાનક હુંકાર કરતા હુઆ, ક્રોધસે લાલ હો ગયે હૈં નેત્ર જિસકે ઐસા સર્પ ભી કાંચલીસા બન જાતા હૈ. ભયાનક અગ્નિ જળકે રૂપમેં પરિણમ જાતી હૈ, સિંહ શિયાર બન જાતા હૈ, સમુદ્ર થલ બન જાતા હૈ, ધર્મકા હી યહ પ્રભાવ હૈ કી ધર્માત્માકે ચરણોકો રાજા મહારાજા ચક્રવર્તી આદિ તક પૂજતે હૈં. ૩૩૦.
(શ્રી પાંડવ પુરાક્ષ) * સંસાર સે ઉત્પન દુર્નિવાર આતંક (દાહરોગ) રૂપી મહાકષ્ટ સે પીડિત ઇસ જીવસમૂહકો દેખકર હી યોગીજન શાંતભાવકો પ્રાપ્ત હો ગયે. સંસારમેં જીવકો પ્રત્યક્ષ દુઃખી દેખકર જ્ઞાનીજન કયો મોહિત હો? ૩૩૧.
(શ્રી જ્ઞાનાર્ણવ) * ઉસી એક જન્મકે નાશ કરનેવાલે હલાહલ વિષકો ખા લેના અચ્છા હૈ પરંતુ અનંત જન્મોમેં દુઃખ દેનેવાલે ભોગરૂપી વિષકો ભોગના ઠીક નહીં હૈ. ૩૩૨. (શ્રી સારસમુરચય)
* પુત્ર, સ્ત્રી, આદિકા પ્યાર જૂઠા હૈ. સારા પરિવાર હી ઠગિયા સા જાન પડતા હૈ, ક્યોંકિ યે લોગ મીઠી વાણી બોલકર હમારા જ્ઞાનધન લૂટ લેતે હૈં. હમે મોહમેં ડાલ દેતે હૈં. ૩૩૩.
| (શ્રી બુધજન-સસઈ)
Page #47
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ષા * પ્રત્યેક ક્ષણે જે આયુષ્યની હાનિ થઈ રહી છે એ યમરાજનું મુખ છે, તેમાં (યમરાજના મુખમાં) બધા જ પ્રાણી પહોંચે છે. અર્થાત્ બધા પ્રાણીઓનું મરણ અનિવાર્ય છે. છતાં એક પ્રાણી બીજા પ્રાણીનું મૃત્યુ થતાં શોક કેમ કરે છે? અર્થાત્ જો બધા સંસારી પ્રાણીઓનું મરણ અવશ્ય થનાર છે, તો એકે બીજો મરતાં શોક કરવો ઉચિત્ નથી. ૩૩૪.
(શ્રી પદ્મનંદ પંવિતિ)
૮૩
* સંસારસે ઉત્પન્ન હુઈ અપની જ્વાલાઓકે સમૂહસે લોકકો ભસ્મ કરદેનેવાલી અગ્નિમેં પ્રવેશ કરના અચ્છા હૈ, જિસમેં બડી બડી લહરે ઉઠ રહી હૈ તથા જો મગર વ ઘડયાલ આદિ હિંસક જલજંતુઓંસે ભયકો ઉત્પન્ન કરનેવાલા હૈ ઐસે સમુદ્રકે જલમેં પ્રવેશ કરના અચ્છા હૈ અથવા જહાં નાના પ્રકારકે બાણોં (શસ્ત્રો) કે દ્વારા અનેક શૂરવીર મારે જા રહે હોં ઐસે શત્રુઓંસે ભયાનક યુદ્ધમેં ભી પ્રવેશ કરના અચ્છા હૈ, પરંતુ સૈકડો ભવોમે અનંત દુઃખકો ઉત્પન્ન કરનેવાલે સ્રીસુખકે મધ્યમેં પ્રવેશ કરના અચ્છા નહીં હૈ. (તાત્પર્ય યહ કિ સ્ત્રીજન્ય સુખ ઉપર્યુક્ત જાજ્વલ્યમાન અગ્નિ આદિસે ભી ભયાનક હૈ). ૩૩૫. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* આશારૂપ ખાણ નિધિઓથી પણ અતિશય અગાધ છે. વળી એ એટલી બધી ગહન અને વિશાળ છે કે જે ત્રિલોકની સમસ્ત વિભૂતિથી પણ ભરાવી અસંભવ છે. માત્ર એક આત્મગૌરવઆત્મમહત્તારૂપ ધન વડે સહજમાં તે ભરાય છે કે જે હજારો પ્રકારની તૃષ્ણારૂપ દુઃખદ વ્યાકુળતાને શમાવવામાં એક અદ્વિતીય અમોઘ ઔષધ છે. ૩૩૬. (શ્રી આત્માનુશાસન)
* અજ્ઞાની-બહિરાત્મા જેમાં-શરીર-પુત્ર-મિત્રાદિ બાહ્ય પદાર્થોમાં-વિશ્વાસ કરે છે તેનાથી-શરીરાદિ બાહ્ય પદાર્થોથી બીજું કોઈ ભયનું સ્થાન નથી અને જેનાથી-પરમાત્મસ્વરૂપના અનુભવથી
વૈરાગ્યવર્ધા ]
૮૪
૩૩૭.
તે ડરે છે તેનાથી બીજું કાંઈ આત્માને નિર્ભયતાનું સ્થાન નથી. (શ્રી સમાધિતંત્ર) * ઇન્દ્રિયોકે ભોગોસે હોનેવાલા સુખ સુખસા દિખતા હૈ, પરંતુ વહ સચ્ચા સુખ નહીં હૈ. વહ તો કર્મોકા વિશેષ બંધ કરાનેવાલા હૈ તથા દુ:ખોકે દેનેમેં એક પંડિત હૈ અર્થાત્ મહાન દુ:ખદાયક હૈ. ૩૩૮. (શ્રી સારસમુચ્ચય)
* આ સંસારમાં સુખ તો બે દિવસનું છે, પછી તો દુઃખોની પરિપાટી છે; તેથી હું હૃદય! હું તને શિખામણ આપું છું કે તારા ચિત્તને તું વાડ કર, અર્થાત્ મર્યાદામાં રાખ ને સાચા માર્ગમાં જોડ. (શ્રી પાડદોલા)
૩૩૯.
* જીવ અને શરીર પાણી અને દૂધની જેમ મળેલાં છે તોપણ ભેગાં-એકરૂપ નથી, જુદાં જુદાં છે; તો પછી બહારમાં પ્રગટરૂપથી જુદાં દેખાય છે એવા લક્ષ્મી, મકાન, પુત્ર અને સ્ત્રી વગેરે મળીને એક કેમ હોઈ શકે? ૩૪૦, (શ્રી છઢાળા)
* પ્રેમ સમાન કોઈ બંધન નથી. વિષય સમાન કોઈ વિષ નથી. ક્રોધ સમાન કોઈ શત્રુ નથી. જન્મ સમાન કોઈ દુ:ખ નથી. સૌથી મોટું બંધન પ્રેમ છે, સૌથી મોટું વિષ વિષય છે, સૌથી મોટો શત્રુ ક્રોધ છે. સૌથી મોટું દુઃખ જન્મ છે. ૩૪૧. (શ્રી ચંદ્રપ્રભ ચરિત્ર)
* મને ઇષ્ટ પદાર્થોનો વિયોગ ન થઈ જાય તથા અનિષ્ટ પદાર્થનો સંયોગ ન થઈ જાય એવા પ્રકારથી આ જન્મમાં આક્રંદ કરવાને આલોકભય કહે છે, તથા ન જાણે આ ધન સ્થિર રહેશે કે નહિ, દૈવયોગથી કદાચિત્ દારિદ્રતા પ્રાપ્ત ન થઈ જાય ઇત્યાદિક માનસિક વ્યથારૂપ ચિંતા મિથ્યાર્દષ્ટિઓને બાળવા માટે સદાય સળગતી જ રહે છે. ૩૪૨. (શ્રી પંચાધ્યાયી)
Page #48
--------------------------------------------------------------------------
________________
૫
[ વૈરાગ્યવર્ષા * હે વત્સ! વિષય-કષાયોને છોડીને મનને આત્મામાં સ્થિર કર, એમ કરવાથી ચાર ગતિના ચૂરા કરીને તું અતુલ પરમાત્મપદને પામીશ. ૩૪૩. (શ્રી પાહુડદોહા)
* તૃષ્ણાકી આગસે પીડિત મન અતિશય કરકે જલા કરતા હૈ. સંતોષરૂપી જલકે બિના ઉસ જલનકા શમન નહીં કિયા જા (શ્રી સારસમુચ્ચય)
સકતા. ૩૪૪.
* બુદ્ધિમાન લોગ અપને ઇચ્છારૂપી રોગોંકા શમન કરતે હૈં, ઉનસે હટાકર અપની આત્માકો આત્મસ્વરૂપકી ઓર લગાતે હૈ, વહ હી પરમ તત્ત્વ હૈ. યહ બાત બ્રહ્મજ્ઞાની સંતોને કહી હૈ. (શ્રી સારસમુચ્ચય)
૩૪૫.
* મિથ્યાર્દષ્ટિજીવ શરીરના ઉત્પન્ન થવાથી પોતાનો આત્મા ઉત્પન્ન થયો એમ માને છે અને શરીરનો નાશ થવાથી આત્માનો નાશ અથવા મરણ થયું એમ માને છે. રાગ, દ્વેષ, મોહ વગેરે સ્પષ્ટરૂપે દુઃખ આપવાવાળા છે છતાં તેને સેવતો થકો સુખ માને છે. ૩૪૬.
(શ્રી છઢાળા)
* હું નિરોગ બની જાઉં, મને કદી પણ વેદના ન થાઓ એવા પ્રકારની મૂર્છા જ-મમત્વ જ અથવા વારંવાર ચિંતવન કરવું તે વેદનાભય કહેવાય છે. ૩૪૭. (શ્રી પંચાધ્યાયી)
* હે મૂઢ પ્રાણી! યહ પ્રત્યક્ષ અનુભવ હોતા હૈ કિ ઇસ સંસારમેં જો વસ્તુઓંકા સમૂહ હૈ સો પર્યાયોસે ક્ષણક્ષણમેં નાશ હોનેવાલા હૈ. ઇસ બાતકો તૂ જાનકર ભી અજાન હો રહા હૈ, યહ તેરા ક્યા આગ્રહ હૈ? ક્યા તુજ પર કોઈ પિશાચ ચડ ગયા હૈ કિ જિસકી ઔષધિ હી નહીં હૈ? ૩૪૮. (શ્રી જ્ઞાનાર્ણવ)
વૈરાગ્યવર્ધા ]
૮૬
* જેમ દુર્જન પ્રત્યે કરેલા ઉપકાર નકામાં જાય છે તેમ હું જીવ! તું આ શરીરને નવરાવીને તેલ મર્દન કર અને તેને સુમિષ્ટ આહાર દે તે બધુંય નિરર્થક જવાનું છે અર્થાત્ આ શરીર તારા ઉપર કંઈ ઉપકાર કરવાનું નથી માટે તું એની મમતા છોડ. ૩૪૯. (શ્રી પાકુડદોહા)
* હે જીવ! તૂ ઇસકો ગૃહવાસ મત જાન, યહ પાપકા નિવાસસ્થાન હૈ. યમરાજને અજ્ઞાની જીવોકે બાંધનેકે લિયે યહ અનેક ફાંસોર્સ મંડિત બહુત મજબૂત બંદીખાના બનાયા હૈ, ઇસમેં સંદેહ નહીં હૈ. ૩૫૦. (શ્રી પરમાત્મપ્રકાશ)
* મારું આયુષ્ય ઘણું લાંબુ છે, હાથ-પગ વગેરે બધાં અવયવો ખૂબ મજબૂત છે, આ લક્ષ્મી પણ મારા વશમાં છે તો પછી હું નકામો વ્યાકુળ શા માટે થાઉં? ઉત્તરકાળમાં જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે ત્યારે હું નિશ્ચિત થઇને ખૂબ ધર્મ કરીશ. ખેદની વાત છે કે આ જાતનો વિચાર કરતાં કરતાં આ મૂર્ખ પ્રાણી કાળનો કોળિયો બની જાય છે. ૩૫૧. (શ્રી પદ્મનંદિ પંચવિશત)
* શરીરકે સંબંધકા યહ સ્વરૂપ હૈ જો ઘર, કુટુંબ, સર્વ સંબંધ આકર મિલ જાતે હૈં, શ્રી જિનવચનકે ગ્રહણમેં અંતરાય પડ જાતા હૈ, શરીરકે સ્વભાવમેં લય હોનેસે નરકકા બીજ બોયા જાતા હૈ, શરીરકે સંબંધસે ઐસા સ્વભાવ બન જાતા હૈ જિસસે પૌદ્ગલિક પર્યાયકો હી વ કર્મકે ઉદયકો હી આત્મા માન લેતા હૈ. ઇસ અજ્ઞાન ઔર મિથ્યાત્વકી અનુમોદના કરનેસે નરકકે દુઃખોંકા બીજ બો દિયા જાતા હૈ. ૩૫૨. (શ્રી ઉપદેશ શુદ્ધસાર)
* જે પુદ્ગલ વર્તમાનકાળમાં શુભ દેખાય છે તે જ પુદ્ગલ પૂર્વે અનંત ભવમાં દુઃખ દેવાવાળા અશુભપણે પરિણમ્યા હતાં
Page #49
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ધા અને જે પુગલ વર્તમાનકાળમાં અશુભ દેખાય છે તે જ પૂર્વે અનંતવાર સુખકારી થયાં હતાં. સર્વ પ્રકારના પુદ્ગલદ્રવ્ય અનંતવાર આહાર-શરીર-ઇન્દ્રિયરૂપ પરિણમ્યા થતાં તે સર્વને અનંતવાર ભોગવ્યા અને ત્યાગ કર્યો, એવા સર્વ પુદ્ગલના ગ્રહણ-ત્યાગમાં શું આશ્ચર્ય છે? ૩૫૩.
(શ્રી ભગવતી આરાધના) કે જો પુરુષ, સ્ત્રી આદિ વિષયક ઉપભોગ કરતા હૈ ઉસકા સારા શરીર કાંપને લગતા હૈ, શ્વાસ તીવ્ર હો જાતી હૈ ઔર સારા શરીર પસીનેસે તર હો જાતા હૈ. યદિ સંસારમેં ઐસા જીવ ભી સુખી માના જાવે તો ફિર દુઃખી કૌન હોગા? જિસ પ્રકાર દાંતોસે હડ્ડી ચલાતા હુઆ કુત્તા અપનેકો સુખી માનતા હૈ, ઉસી પ્રકાર જિસકી આત્મા વિષયોંસે મોહિત હો રહી હૈ ઐસા મૂર્ણ પ્રાણી હી વિષયસેવન કરનેસે ઉત્પન હુએ પરિશ્રમમાત્રકો હી સુખ માનતા હૈ. ૩૫૪.
(શ્રી આદિપુરાણ) | * પાપકો બાંધનેવાલે ભોગોસે કૌન ઐસા હૈ જિસકો તૃપ્તિ હો સકતી હો, ચાહે વહ દેવ હો યા ઇન્દ્ર હો યા ચક્રવર્તી હો યા રાજા હો. ૩૫૫.
(શ્રી સારસમુચ્ચય) * જો જિનવરેન્દ્રોએ મોક્ષના અભિલાષીને, “દેહ પરિગ્રહ છે' એમ કહીને, દેહમાં પણ અપ્રતિકર્મપણું (સંસ્કાર રહિતપણું) ઉપદેશ્ય છે, તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો શાનો હોય? ૩૫૬.
(શ્રી પ્રવચનસાર) * આ શરીરાદિ દેશ્ય પદાર્થ ચેતનારહિત જડ છે અને જે ચૈતન્યરૂપ આત્મા છે તે ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવો નથી; તેથી હું કોના ઉપર રોષ કરું? અને કોના ઉપર રાજી થાઉં? એટલા માટે હું મધ્યસ્થ થાઉં છું-એમ અત્તરાત્મા વિચારે છે. ૩૫૭.
વૈરાગ્યવર્ધા ]
૮૮
(શ્રી સમાધિતંત્ર) * ઇસ જગતમેં જીવોકી સમસ્ત કામનાઓકે પૂર્ણ કરનેવાલી લક્ષ્મી હુઈ ઔર વહ ભોગનેમેં આઈ તો ઉસસે કયા લાભ? અથવા અપની ધન-સંપદાદિકરો પરિવાર સ્નેહી મિત્રોકો સંતુષ્ટ કિયા તો ક્યા હુઆ ? તથા શત્રુઓકો જિતકર ઉનકે મસ્તક પર પાંવ રખ દિયે તો ઇસમેં ભી કૌનસી સિદ્ધિ હુઈ? તથા ઇસી પ્રકાર શરીર બહુત વર્ષ પયંત સ્થિર રહા તો ઉસ શરીરસે ક્યા લાભ? કોકિ યે સબ હી નિઃસાર ઔર વિનશ્વર હૈ. ૩૫૮. (શ્રી જ્ઞાનાર્ણવ)
કે આ પ્રાણી, ધન-યૌવન-જીવન જળના બુબુદની માફક તુરત વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને છે એ જ મોટું આશ્ચર્ય છે-એ જ મોહનું મહા બળવાન માહાભ્ય છે.
હે ભવ્ય જીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક સાંભળીને મહામોહને છોડી તારા અંતઃકરણને વિષયોથી રહિત કર. જેથી તું ઉત્તમ સુખને પ્રાપ્ત થાય. ૩૫૯. (શ્રી સ્વામીતિકેયાનુયેલા)
* જેમ ખાજના રોગથી પીડિત થયેલો પુરુષ આસક્ત બની ખજવાળવા લાગે છે, પીડા ન થતી હોય તો તે શા માટે ખજવાળે? તેમ ઇન્દ્રિયરોગથી પીડિત થયેલાં ઇંદ્રાદિક દેવો આસક્ત બની વિષયસેવન કરે છે, પીડા ન હોય તો તેઓ શા માટે વિષયસેવન કરે? ૩૬૦..
(શ્રી મોક્ષમાર્ગમકાશક) * ઇસ સંસારચક્રમેં ઘૂમતે હુએ ઇસ જીવને એકેન્દ્રિયસે લેકર પંચેન્દ્રિય તક ઐસા એક ભી શરીર નહીં કિ જો ઇસને ધારણ નહીં કિયા. ઇસ સંસારમેં ઐસા કોઈ સુખ નહીં જો ઇસ જીવને નહીં ભોગા. ઐસી કોઈ ગતિ નહીં જો ઇસ ગતિમાન જીવને ધારણ નહીં કી. ઐસા કોઈ રાજવૈભવ નહીં જો ઇસ જીવકો
Page #50
--------------------------------------------------------------------------
________________
0
૩૬૧.
૮૯
[ વૈરાગ્યવર્ષા પરિચિત નહીં-ઇસ જીવને ભોગા નહીં. ઐસા કોઈ ચેતન-અચેતન પદાર્થ યા ક્ષેત્ર નહીં જો ઇસ જીવકો પરિચિત-અનુભૂત નહીં હૈ.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * તીન લોકમેં જિતને દુઃખ હૈ, પાપ હૈં ઔર અશુચિ વસ્તુયે હૈં, ઉન સબકો લેકર ઇન મિલે હુઓએ વિધાતાને વૈર માનકર શરીર બનાયા હૈ. ૩૬૨. (શી પરમાત્મપ્રકાશ)
* જિતના કુછ શરીરકા રાગ હૈ વહ આત્માને હિતમેં અનિષ્ટ દેખા ગયા હૈ, જ્ઞાન વિજ્ઞાન જો આત્માકો ઇષ્ટ હૈ ઉનસે વિયોગ રહતા હૈ, અનિષ્ટ બાતોમેં સ્વભાવ રંગ જાતા હૈ, અનિષ્ટકી અનુમોદનાસે દુર્ગતિકા લાભ હોતા હૈ. ૩૬૩. (શી ઉપદેશ શુદ્ધસાર)
* ઇન્દ્રિયોના વિષયોમાં તૃષ્ણા રાખવાવાળાને ભીષણ અંતર્દાહ થતો જોવામાં આવે છે કારણ કે તે અંતર્રાહ વિના એ જીવોને વિષયોમાં રતિ કેવી રીતે થઈ શકે? ૩૬૪. (શ્રી પંચાધ્યાયી)
* જૈસે વિષય-સેવનરૂપી વિષ વિષયલુબ્ધ જીવોકો વિષદુઃખ દેનેવાલા હૈ વૈસે હી ઘોર તીવ્ર સ્થાવર જંગમ સબ હી વિષ પ્રાણિયોંકો વિનાશ કરતે હૈં તથાપિ ઇન સબ વિષોમેં વિષયોંકા વિષ ઉત્કૃષ્ટ હૈ, તીવ્ર હૈ. ૩૬૫.
(શ્રી શીલ પાહુડી * રાગરહિત ચિટૂષ પૂર્ણાનંદનો સમુદ્ર આત્મા, તેમાં જ સાચું સુખ છે; સંસારના ઇન્દ્રિયસુખો તો તેની પાસે આગિયા જેવા છે, તેમાં સુખ માનવું તે તો ફક્ત દુબુદ્ધિનો ફેલાવે છે. ૩૬૬,
(શ્રી વચનામૃત-રાત) * શરીરો, ધન, સુખદુઃખ અથવા શત્રુમિત્રજનો-એ કાંઈ જીવને ધ્રુવ નથી, ધ્રુવ તો ઉપયોગાત્મક આત્મા છે. ૩૬૭.
વૈરાગ્યવર્ધા ]
(શ્રી પ્રવચનસાર) * જો યહ જવાન સ્ત્રી અપની સુંદરતારૂપી જલસે ભરી હુઈ નદી કે સમાન માલૂમ હોતી હૈ યહી વહ સ્ત્રી હજારો દુ:ખરૂપી તરંગોંસે ભરી હુઈ ભયાનક નર્કની વૈતરણી નદીકે સમાન હૈ. ૩૬૮.
(શ્રી સારસમુચ્ચય) * વિષયોંકા સેવન કરનેસે પ્રાણિયોકો કેવલ રતિ હી ઉત્પન હોતી હૈ. યદિ વહ રતિ સુખ માના જાવે તો વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુઓકે ખાનેમેં ભી સુખ માનના ચાહિયે. કચોકિ વિષયી મનુષ્ય જિસ પ્રકાર રતિકો પાકર અર્થાત્ પ્રસન્નતાસે વિષયોંકા ઉપભોગ કરતે હૈં ઉસી પ્રકાર કુત્તા ઔર શૂકરોંકા સમૂહ ભી તો પ્રસન્નતા સાથ વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુયે ખાતા હૈ. ૩૬૯. (શ્રી આદિપુરાક્ષ)
કે જે આ આત્માને પૌદ્ગલિક પ્રાણોની સંતાનરૂપે પ્રવૃત્તિ છે, તેનો અંતરંગ હેતુ અનાદિ પૌગલિક કર્મ જેનું મૂળ (-નિમિત્ત) છે એવું શરીરાદિના મમત્વરૂપ ઉપરકતપણું -વિકારીપણું) છે. ૩૭0.
(શ્રી પ્રવચનસાર) * શરીર સંબંધી નાના પ્રકાર સંકલ્પ વિકલ્પ હોતે હૈ, શરીરકી દૃષ્ટિ હી વ શરીરકી અહબુદ્ધિરૂપી શ્રદ્ધા હી અનિષ્ટ કરનેવાલી હૈ, જિસસે જ્ઞાનસ્વભાવી આત્માના દર્શન નહીં હોતા હૈ, ઇસસે જ્ઞાનાવરણકર્મકા પ્રચુર બંધ હોતા હૈ, તબ દુઃખની સંતાન પડ જાતી હૈ. ૩૭૧.
(શ્રી ઉપદેશ-શુદ્ધસાર) * સર્વ કુટુંબાદિક તબ તક હી નેહ કરે જબ તક દાનકારિ ઉનકા સન્માન કરૈ હૈ, જૈસે સ્થાનકે બાલકકો જબ લગ ટુકડા ડારિયે તો લગ અપના હૈ. ૩૭૨. | (શ્રી પદ્મપુરાણ)
Page #51
--------------------------------------------------------------------------
________________
| [ વૈરાગ્યવર્ધા * હું અનાદિકાળથી આત્મસ્વરૂપથી યુત થઈને ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો, તેથી તે વિષયોને પ્રાપ્ત કરી વાસ્તવમાં મને પોતાને હું તે જ છું-આત્મા છું એમ મેં ઓળખ્યો નહિ. ૩૭૩.
(કી સમાધિતંત્ર) * મિથ્યાત્વથી ઉત્પન જે મોહ, તેનાથી ધતૂરાથી ઊપજેલ મોહ સારો છે. દર્શન-મોહ અનંતાનંત જન્મ-મરણ વધારે છે, ધતૂરો અલ્પકાળ ઉન્મત્ત કરે છે. મિથ્યાદર્શન અનંતાનંત ભવપર્યત જીવને અચેત કરી કરી મારે છે. માટે જન્મ-મરણના દુઃખથી ભયભીત હોય તે મિથ્યાત્વનો ત્યાગ કરે છે. ૩૭૪.
(શ્રી ભગવતી આરાધના) * છતી વસ્તુને અછતી કેમ કરો છો? છતી વસ્તુ અછતી થાય નહિ. પૂર્વે ભૂલથી છતીને અછતી માની હતી (તેથી) તેનું અનાદિ દુ:ખરૂપ ફળ પામ્યો હતો. હવે શરીરને આત્મા કેમ માનીએ? એ તો લોહીથી, વીર્યથી, સાત ધાતુનું બનેલું, જડ, વિજાતીય, નાશવાન અને પર છે. તે (શરીર) મારી ચેતના નથી. ૩૭૫.
(શ્રી અનુભવપ્રકાશ) * અવિવેકી માનવ સ્ત્રીકે સંસર્ગકો સુખ કહતે હૈં કિંતુ વિચાર કિયા જાવે તો યહ હી દુઃખોકે બડે ભારી બીજ હૈ. ૩૭૬.
(થી સારસમુચ્ચય) * જેમ ભૂખ્યો કૂતરો હાડકું ચાવે છે અને તેની અણી ચારેકોર મોઢામાં વાગે છે, જેથી ગાલ, તાળવું, જીભ અને જડબાનું માંસ ચીરાઈ જાય છે અને લોહી નીકળે છે, તે નીકળેલાં પોતાના જ લોહીને તે ખૂબ વાદથી ચાટતો થકો આનંદિત થાય છે. તેવી જ રીતે અજ્ઞાની વિષય-લોલુપી જીવ કામ-ભોગમાં આસક્ત
વૈરાગ્યવષ ] થઈને સંતાપ અને કષ્ટમાં ભલાઈ માને છે. કામક્રીડામાં શક્તિની હાનિ અને મળ-મૂત્રની ખાણ સાક્ષાત્ દેખાય છે તોપણ ગ્લાનિ કરતો નથી, રાગ-દ્વેષમાં જ મગ્ન રહે છે. ૩૭૭. (શ્રી નાટક સમયસાર)
એક તરફ સમ્યગ્દર્શનનો લાભ થતો હોય અને બીજી તરફ ત્રણ લોકનું રાજ્ય મળતું હોય તોપણ ત્રણ લોકના લાભ કરતાં સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે, ત્રણ લોકનું રાજય પામીને પણ અમુક નિશ્ચિતકાલ પછી ત્યાંથી પતન થશે જ અને સમ્યગ્દર્શનનો લાભ થતાં અવિનાશી મોક્ષ-સુખ પ્રાપ્ત થાય છે. તેથી ત્રણ લોકના લાભ કરતાં સમ્યત્વનો લાભ શ્રેષ્ઠ છે. ૩૭૮.(શ્રી ભગવતી આરાધના)
* ચૈતન્યરૂપ એકત્વનું જ્ઞાન દુર્લભ છે, પરંતુ મોક્ષ આપનાર તે જ છે. જો તે કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થઈ જાય તો તેનું વારંવાર ચિંતન કરવું જોઈએ. ૩૭૯.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * પ્રાણનો નાશ કરનાર વિષ ભોજનમાં ખાવું સારું, થાપદ (શિકારી પ્રાણી) સિંહ આદિ હિંસક પશુઓથી ભરેલાં વનમાં નિવાસ કરવો સારો, અને ભડકે બળતી અગ્નિમાં પડીને પ્રાણનો ત્યાગ કરવો પણ સારો; પરંતુ મિથ્યાત્વ સહિત આ સંસારમાં જીવવું સારું નથી. કેમ કે વિષ આદિથી પ્રાણનો નાશ થવાથી તો એક જન્મમાં જ દુઃખ સહન કરવું પડે છે, અને મિથ્યાત્વથી જનમ-જનમમાં પ્રતિક્ષણ તીવ્ર યાતનાઓનો સામનો કરવો પડે છે. ૩૮૦.
(શ્રી સુભાષિતર-સંદોહ) * જો કોઈ ભી મનુષ્ય વિદ્વાન હૈ વે ભી કામ વ ધનકે સ્નેહમેં તત્પર રહતે હુએ ઇસ સંસારમેં મોહિત હો જાતે હૈ, યહ મિથ્યાભાવકી મહિમા હૈ. યહ બડે ખેદકી બાત હૈ. ૩૮૧.
Page #52
--------------------------------------------------------------------------
________________
૯૩
[ વૈરાગ્યવર્ધા
(શ્રી સારસમુચ્ચય) * પ્રાણિયોકે જિસ દોષકો તીવ્ર મિથ્યાત્વરૂપ શત્રુ કરતા હૈ ઉસે યહાં ન સિંહ કરતા હૈ, ન સર્ષ કરતા હૈ, ન હાથી કરતા હૈ, ન રાજા કરતા હૈ ઔર ન અતિશય ક્રોધકો પ્રાપ્ત હુઆ બલવાન શત્રુ ભી કરતા હૈ. (તાત્પર્ય યહ કિ પ્રાણિયોંકા સબસે અધિક અહિત કરનેવાલા એક યહ મિથ્યાત્વ હી હૈ.) ૩૮૨.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * જેમ કોઈ મૂર્ખ સુવર્ણના થાળમાં ધૂળ ભરે છે, અમૃત વડે પોતાના પગ ધૂએ છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભાર ઉપડાવે છે તથા કાગડાને ઉડાડવા માટે પોતાના હાથ વડે ચિંતામણિ ફેંકી ઘે છે તેમ અજ્ઞાની જીવ પ્રાપ્ત થયેલ અત્યંત દુર્લભ મનુષ્યજન્મને પ્રમાદને વશ થઈને વ્યર્થ ગુમાવે છે. ૩૮૩. (શ્રી સુક્તિ-મુક્તાવલી)
* જેમ કોઈ મનુષ્ય બહુમૂલ્ય ચંદનને અગ્નિ માટે બાળે છે, તેમ અજ્ઞાની જીવ વિષયોની વાંછામાં નિર્વાણનું કારણ જે મનુષ્યભવ તેનો નાશ કરે છે. ૩૮૪.
(શ્રી ભગવતી આરાધના) * દુર્લભ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિય-વિષયોમાં રમે છે તે રાખને માટે દિવ્ય અમૂલ્ય રત્નને બાળે છે. ૩૮૫.
(શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષ) * જેમ કોઈ મૂર્ખ મનુષ્ય રાખને માટે અતિ મૂલ્યવાન ચંદનને બાળી નાંખે તેમ અજ્ઞાની જીવ વિષયોના લોભથી મનુષ્યભવને નષ્ટ કરે છે.
જેમ કોઈ મૂર્ખ મનુષ્ય રત્નદ્વીપમાં જઈને પણ ત્યાંના રત્નોને છોડીને લાકડાનો ભાર લઈ આવે તેમ મનુષ્યભવરૂપી રત્નદ્વીપમાં
વૈરાગ્યવષ ] આવીને પણ અજ્ઞાની જીવ ધર્મરત્નોને છોડીને ભોગોની અભિલાષા કરે છે. - જેમ નંદનવનમાં જઈને પણ કોઈ મૂર્ખ મનુષ્ય અમૃતને છોડીને વિષ પીવે, તેમ મનુષ્યભવરૂપી નંદનવનમાં આવીને પણ અજ્ઞાની જીવ ધર્મ-અમૃતને છોડીને ભોગની અભિલાષારૂપ ઝેર પીવે છે. ૩૮૬.
(શ્રી ભગવતી આરાધના) * જેમ ચિન્તામણિરત મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે તેમ જ ત્રસનો પર્યાય મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. (ત્યાં પણ) ઇયળ, કીડી, ભમરો વગેરેના શરીરો વારંવાર ધારણ કરીને મરણ પામ્યો અને ઘણી પીડા સહન કરી. ૩૮૭.
(all sodiou) કે આ જગતમાં અનંત જીવ એવા છે કે જેને દ્વીન્દ્રિયાદિ સ્વરૂપની પ્રાપ્તિ કદી થઈ નથી. મિથ્યાત્વાદિ ભાવકલંકથી ભરેલ જીવ સર્વ કાળ નિગોદવાસને છોડતાં નથી. સૂમ વનસ્પતિરૂપથી રહેલ એવા જીવ અનંત છે. (આ સંસારમાં જીવને ત્રપણું પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે.) ૩૮૮.
(શ્રી મૂલાચાર) * તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ ચાર પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે તેમ, (માનવપણું) દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જીવ મિથ્યાષ્ટિ બની પાપ ઉપજાવે છે. ૩૮૯.
(શ્રી સ્વામી કાર્તિકેયાપેલા) * નરભવ કાંઈ સદા તો રહે નહિ, સાક્ષાત્ મોક્ષસાધન જ્ઞાનકળા આ ભવ વિના અન્ય જગ્યાએ ઊપજતી નથી. માટે વારંવાર કહીએ છીએ કે-નિજબોધકળાના બળ વડે નિજસ્વરૂપમાં રહો. નિરંતર એ જ યત્ન કરો. આવું વારંવાર કહેવું તો બાળક
Page #53
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ધા પણ ન કરાવે. તમે તો અનંત જ્ઞાનના ધણી બની, આવી ભૂલ ધારો છો એ જોઈ મોટું અચરજ આવે છે. ૩૯૦. (પ્રી અનુભવપ્રકાશ)
* ઇસ સંસારમેં ચોરાશી લાખ યોનિ ઉનકે નિવાસમેં ઐસા કોઈ પ્રદેશ નહીં હૈ જિસમેં ઇસ જીવને દ્રવ્યલિંગી મુનિ હોકર ભી ભાવરહિત હોતા હુઆ ભ્રમણ ન કિયા હો. ૩૯૧.(શ્રી ભાવપાહુડ)
* આ સંસારમાં જેમ પાષાણને આધાર હોય તો ત્યાં ઘણો કાળ રહે છે પણ નિરાધાર આકાશમાં તો કદાચિત્ કિંચિત્માત્ર કાળ રહે છે, પણ આ જીવ એકેન્દ્રિય પર્યાયમાં તો ઘણો કાળ રહે છે, પણ અન્ય પર્યાયમાં તો કદાચિત્ કિંચિત્માત્ર કાળ રહે છે. ૩૯૨.
(શ્રી મોક્ષમાપ્રકાશક) કે જો જિનવાણી સમજનારાની બુદ્ધિ પણ (કર્મોદયવશે) નષ્ટ થઈને તે અન્યથા આચરણ કરે, તો પછી જેને શાસ્ત્રનું જ્ઞાન નથી તેને શું દોષ દેવો? અરે, કર્મોદયને ધિક્કાર હો, ધિક્કાર હો કેમકે તેના વશ જીવને જિનદેવની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ સમાન છે. ૩૯૩.
| (શ્રી ઉપદેશ રત્નમાળા). * યહ જીવ દ્રવ્યલિંગના ધારક મુનિપના હોતે હુએ ભી જો તીનલોક પ્રમાણ સર્વ સ્થાન હૈ ઉનમેં એક પરમાણુ-પરિમાણ એક પ્રદેશમાત્ર ભી ઐસા સ્થાન નહીં હૈ કિ જહાં જન્મ-મરણ ન કિયા હો. ૩૯૪.
(શ્રી ભાવપાહુડી કે દેહધારીઓનાં તે સુખ તથા દુઃખ કેવળ વાસનામાત્ર જ હોય છે. વળી તે (સુખ-દુઃખરૂપ) ભોગો આપત્તિના સમયે રોગોની જેમ (પ્રાણીઓને) ઉજિત (આકલિત) કરે છે. ૩૯૫. (શ્રી ઈષ્યપદેશ)
વૈરાગ્યવષ ].
* વધુ કેટલું કહેવું?-વર્ગથી વ્યુત થવાની પહેલાં મિથ્યાષ્ટિ દેવને જે તીવ્ર દુઃખ થાય છે તે નારકીને પણ નથી હોતું. ૩૯૬.
(શ્રી મહાપુરાણ) * હે જીવ! તેં મોહને વશ થઈને, જે દુઃખ છે તેને સુખ માની લીધું અને જે સુખ છે તેને દુઃખ માની લીધું; તેથી તું મોક્ષ પામ્યો નહિ. ૩૯૭.
(શ્રી પાહુડદોહા) * ઘણો લાંબો સમય અતિચાર રહિત જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે પ્રવૃત્તિ કરીને પણ કોઈ પુરુષ મરણ સમયે ચાર આરાધનાનો વિનાશ કરીને અનંત સંસારી થતાં ભગવાને જોયેલ છે માટે મરણ સમયે જેમ આરાધના બગડે નહિ તેમ યત્ન કરો. ૩૯૮.
(શ્રી ભગવતી આરાધના) * જુઓ પરિણામોની વિચિત્રતા! કે-કોઈ જીવ તો અગિયારમા ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર પામી મિથ્યાષ્ટિ બની કિચિક્યૂન અર્ધપુલપરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે ત્યારે કોઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે-એમ જાણી પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો. ૩૯૯. (શ્રી મોતમામ કારાક)
* જેવી રીતે પવનના લાગવાથી અગ્નિ ભભૂકી ઊઠે છે, તેવી રીતે બાર ભાવનાઓનું ચિત્તવન કરવાથી સમતારૂપી સુખ પ્રગટ થાય છે. જ્યારે જીવ આત્મસ્વરૂપને જાણે છે ત્યારે જ જીવ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. ૪00.
(શ્રી છઢાળ) * દેહ ગળવા ટાણે મતિ-શ્રુતની ધારણા-ધ્યેય વગેરે બધું
Page #54
--------------------------------------------------------------------------
________________
૯૮
[ વૈરાગ્યવર્ધા ગળવા માંડે છે; હે વત્સ ! ત્યારે એવા અવસરમાં અંતરના દેવને તો કોઈક વિરલા જ યાદ કરે છે. ૪૦૧. (શ્રી પાહુડ-દોહા)
* અનંત સંસાર-પરિભ્રમણ કરી રહેલો એવો હું હવે એ અનાદિ પરિભ્રમણના આત્યંતિક અભાવને અર્થે પૂર્વે ક્યારેય પણ નહિ ભાવેલી, નહિ ચિંતવેલી અને નહિ પ્રતીત કરેલી એવી સમ્યગ્દર્શનાદિક નિર્મળ ભાવનાને ભાવું. આરાધું તથા પૂર્વે અનંતવાર ભાવેલી એવી મિથ્યાદર્શનાદિક દુર્ભાવનાનો ત્યાગ કરું. ૪૦૨.
(શ્રી આત્માનુશાસન) કે હે ભવ્યાત્મા! તું જીવને શરીરથી સર્વ પ્રકારે ભિન, ઉદ્યમ કરીને પણ જાણ! જેને જાણતાં બાકીનાં સર્વ પદ્રવ્યો ક્ષણમાત્રમાં તજવાયોગ્ય લાગે છે. ૪૦૩.(શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા)
* કોઈ કહે કે સંસાર અનંત છે તે કેમ મટે? તેનું સમાધાનવાંદરાનું ફસાવું એટલું જ છે કે મૂટી છોડતો નથી, પોપટનું ફસાવું એટલું જ છે કે નળીને છોડતો નથી, કૂતરાનું ફસાવું એટલું જ છે કે તે ભસે છે. કોઈ ત્રણ વાંકવાળી દોરડીમાં સર્પ માને છે ત્યાં સુધી જ તેને ભય છે. મૃગ, મૃગજળમાં જળ માનીને દોડે છે, તેથી જ દુઃખી છે. તેમ આત્મા પરને પોતારૂપ માને છે, એટલો જ સંસાર છે, ન માને તો મુક્ત જ છે. ૪૦૪. (વી રિવિલા)
* આ સંસારમાં સર્વિચારરૂપ બુદ્ધિ હોવી પરમ દુર્લભ છે. તેમાં પણ પરલોક હિતાર્થ ભણી બુદ્ધિ થવી તો અત્યંત દુર્લભ છે. એવી બુદ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ જે જીવો પ્રમાદી બની રહ્યાં છે તે જોઈ જ્ઞાની પુરુષોને પણ શોક અને દયા ઉત્પન્ન થાય છે. ૪૦૫.
(શ્રી આત્માનુશાસન) * સંસારકા સબ ઠાઠ ક્ષણભંગુર હૈ, ઐસા જાનકર પંચેન્દ્રિયોને
વૈરાગ્યવષ ] વિષયોમેં મોહ નહીં કરના. વિષયકા રાગ સર્વથા ત્યાગના યોગ્ય હૈ, પ્રથમ અવસ્થામેં યદ્યપિ ધર્મતીર્થક પ્રવૃત્તિકા નિમિત્ત જિનમંદિર, જિનપ્રતિમા, જિનધર્મ તથા જૈનધર્મી ઇનમેં પ્રેમ કરના યોગ્ય હૈ, તો ભી શુદ્ધાત્માની ભાવનાને સમય યહ ધર્માનુરાગ ભી નીચે દરજેકા ગિના જાતા હૈ, વહાં પર કેવલ વીતરાગભાવ હી હૈ. ૪૦૬.
(શ્રી પરમાત્મપ્રકાશ) કે આ મનુષ્યજન્મનું ફળ ધર્મની પ્રાપ્તિ છે. તે નિર્મળ ધર્મ જો મારી પાસે છે તો પછી મને આપત્તિના વિષયમાં પણ શું ચિંતા છે તથા મૃત્યુથી પણ શો ડર છે? અર્થાત્ તે ધર્મ હોતાં ન તો આપત્તિની ચિંતા રહે છે કે ન તો મરણનો ડર રહે છે. ૪૦૭.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જિસ તરહ મન વિષયોમેં રમણ કરતા હૈ, ઉસ તરહ યદિ વહ આત્માકો જાનનેમેં રમણ કરે, તો હે યોગિજનો! યોગી કહતે હૈ કિ જીવ શીધ્ર હી નિર્વાણ પા જાય. ૪૦૮. (શ્રી યોગસાર)
* હે ચિત્ત! તે બાહ્ય સ્ત્રી આદિ પદાર્થોમાં જે સુખ જોયું છે તેમાં તને ભ્રાંતિથી ચિરકાળ સુધી અનુરાગ થયો છે, છતાં પણ તું તેનાથી અધિક સંતપ્ત થઈ રહ્યો છે. તેથી તેને છોડીને પોતાના અંતરાત્મામાં પ્રવેશ કર. તેના વિષયમાં સમ્યજ્ઞાનના આધારભૂત ગુરુ પાસેથી એવું કાંઈક સાંભળવામાં આવે છે કે જે પ્રાપ્ત થતાં સમસ્ત દુઃખોથી છૂટકારો પામીને અવિનશ્વર (મોક્ષ) સુખ પ્રાપ્ત કરી શકાય છે. ૪૦૯.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે જેનાથી અનાદિ મિથ્યાત્વરોગ મટે એવા નિમિત્તાનું મળવું તો ઉત્તરોત્તર મહાદુર્લભ જાણી આ (હલકા) નિર્ણાષ્ટકાળમાં જૈનધર્મનું યથાર્થ શ્રદ્ધાનાદિ થવું તો કઠણ છે જ, પરંતુ તત્ત્વનિર્ણયરૂપ
Page #55
--------------------------------------------------------------------------
________________
100
[ વૈરાગ્યવર્ધા ધર્મ તો બાળ, વૃદ્ધ, રોગી, નીરોગી, ધનવાન, નિર્ધન, સુક્ષેત્રી તથા કુત્રી ઇત્યાદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે, તેથી જે પુરુષ પોતાના હિતનો વાંક છે તેણે તો સર્વથી પહેલાં આ તત્ત્વનિર્ણયરૂપ કાર્ય જ કરવું યોગ્ય છે. ૪૧૦. (શ્રી સત્તાસ્વરૂપ)
* જે જીવો મનુષ્યપર્યાયમાં ઉત્તમ કુળમાં જન્મ લઈને કષ્ટપૂર્વક બુદ્ધિચાતુર્યને પામ્યા છે તથા જેમણે પૂર્વોપાર્જિત પુણ્યકર્મના ઉદયથી કોઈ પણ પ્રકારે જૈનમતમાં ભક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે છતાં પણ જો તેઓ સંસાર-સમુદ્રને પાર કરાવીને સુખ ઉત્પન્ન કરનાર ધર્મ કરતાં નથી તો સમજવું જોઈએ કે તે દુબુદ્ધિજનો હાથમાં પ્રાપ્ત થવા છતાં પણ અમૂલ્ય રત્ન છોડી દે છે. ૪૧૧.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જો કોઈ અર્ધ ક્ષણ ભી પરમાત્માસે પ્રીતિ કરતા હૈ વહ સબ પાપકો ઉસી તરહ જલા દેતા હૈ જૈસે કાઠકે પર્વતકો આગ ભસ્મ કર દેતી હૈ. હે જીવ! સર્વ ચિંતા છોડકર તૂ નિશ્ચિત હોકર અપને ચિત્તકો પરમાત્માકે પદમેં જોડ ઔર નિરંજન શુદ્ધ આત્મારૂપી દેવકા દર્શન કર. ધ્યાન કરતે હુએ શુદ્ધાત્માને દર્શન યા અનુભવસે જો પરમાનંદ હે ભાઈ! તૂ પાવેગા વહ અનંત સુખ પરમાત્માદેવકો છોડકર ઓર કહીં તીનલોકમેં નહીં મિલ સકતા હૈ. ૪૧૨.
| (શ્રી મમલપાહુડી * હે આત્મનુ! તૂ આત્માને પ્રયોજનકા આશ્રય કર અર્થાત્ ઔર પ્રયોજનોંઠો છોડકર કેવલ આત્માકે પ્રયોજનકા હી આશ્રય કર, તથા મોહરૂપી વનકો છોડ, વિવેક અર્થાત્ ભેદજ્ઞાનકો મિત્ર બના. સંસાર ઔર દેહકે ભોગોંસે વૈરાગ્યના સેવન કર ઔર પરમાર્થસે જો શરીર ઔર આત્મામે ભેદ ઉસકા નિશ્ચયસે
વૈરાગ્યવષ ] ચિંતવન કર, ઔર ધર્મધ્યાનરૂપી અમૃતકે સમુદ્રકે મધ્યમેં પરમ અવગાહન (સ્નાન) કરકે અનંત સુખ સ્વભાવ સહિત મુક્તિકે મુખકમલકો દેખ. ૪૧૩.
(શ્રી જ્ઞાનાર્ણવ) * મોહથી આ સંસારભ્રમણ છે. ત્યાંથી જરાક પણ તે સ્વરૂપમાં આવે તો રૈલોક્યનું રાજ્ય પામે અને તે દુર્લભ પણ નથી. જેમ માણસ પશુનો સ્વાંગ ધારે તેથી કાંઈ તે પશુ થાય નહિ પણ માણસ જ છે. તેમ આત્મા ચોરાશીના સ્વાંગ કરે તો પણ તે ચિદાનંદ જ છે. ચિદાનંદપણું દુર્લભ નથી. ૪૧૪. (ત્રી અનુભવપ્રકાશ)
કે એમ જાણો કે “મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપયોગ છે તે જ હું છું એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના જાણનારા મોહથી નિર્મમત જાણે છે, કહે છે. ૪૧૫.
શ્રી સમયસાર) કે અપનેસે ભિન્ન દેહ રાગાદિકોસે તુજે ક્યા પ્રયોજન હૈ? દેહમેં રહતા હુઆ ભી નિશ્ચયસે દેહ સ્વરૂપ જો નહીં હોતા, વહી નિજ શુદ્ધાત્મા ઉપાદેય હૈ. ૪૧૬. (શ્રી પરમાઆકાશ)
* એક ચૈતન્યમયી હું, ઔર કુછ અન્યરૂપ કભી નહીં હોતા હું. મેરા કિસી ભી પદાર્થસે કોઈ સંબંધ નહીં હૈ યહ મેરા પક્ષ પરમ મજબૂત ઐસા હી હૈ. ૪૧૭. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
+ પં. બનારસીદાસજી કહે છે- હે ભાઈ ભવ્ય! મારો ઉપદેશ સાંભળો કે કોઈ પણ ઉપાયથી અને કોઈ પણ પ્રકારનો બનીને એવું કામ કરે જેથી માત્ર અંતર્મુહૂર્તને માટે મિથ્યાત્વનો ઉદય ન રહે, જ્ઞાનનો અંશ જાગ્રત થાય, આત્મસ્વરૂપની ઓળખાણ થાય. જિંદગીભર તેનો જ વિચાર, તેનું જ ધ્યાન, તેની જ લીલામાં પરમ રસનું પાન કરો અને રાગ-દ્વેષમય સંસારનું પરિભ્રમણ છોડીને
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૦૧
[ વૈરાગ્યવર્ધા તથા મોહનો નાશ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરો! ૪૧૮,
(શ્રી નાટક સમયસાર) * ચોરાશીમાં પરવસ્તુને રવ માને, તેથી આ જીવ ચિરકાળનો ચોર બન્યો છે, જન્માદિ દુઃખદંડ પામે છે, તોપણ પરવસ્તુની ચોરી છૂટતી નથી. દેખો! ત્રણલોકનો નાથ ભૂલી નીચ પરને આધીન થયો. પોતાની નિધિ ન પિછાણી, ભિખારી બની ડોલે છે. નિધિ ચેતના છે તે પોતે જ છે, દૂર નથી. દેખવું દુર્લભ છે, દેખે તો સુલભ છે. ૪૧૯.
શ્રી અનુભકાશ) * જિનેશ્વરના આગમમાં જેની બુદ્ધિ અનુરક્ત થઈ છે તથા સંસારથી જન્મ-જરા-મરણ આદિ મહા ભય ઉત્પન્ન થાય છે એવું જેઓ મનમાં ચિંતવન કરે છે તેથી જેમને સંસારનો ભય ઉત્પન થયો છે એવા મુનિઓને ગર્ભવાસથી અત્યંત ભય લાગે છે. ૪૨૦.
(શ્રી મૂલાચાર) * જો ઇન્દ્રિયોકે વિષયોંકી ઇચ્છાઓંકા દમન કરનેવાલા આત્મા શરીરમેં યાત્રિકે સમાન પ્રસ્થાન કરતે હુએ અપને આત્માકો અવિનાશી સમજતા હૈ વહી ઇસ ભયાનક સંસારરૂપી સમુદ્રકો ગાયકે ખરક સમાન લીલામાત્રમે પાર કરકે શીધ્ર હી મોક્ષરૂપી લક્ષમીકો પ્રાપ્ત કર લેતા હૈ. ૪૨૧. (કી તત્વભાવના)
* હે મિત્ર! જો તમે અહીં સૌભાગ્યની ઇચ્છા રાખતા હો, સુંદર સ્ત્રીની ઇચ્છા રાખતા હો, પુત્રોની ઇચ્છા રાખનાર હો, લક્ષ્મીની ઇચ્છા રાખતા હો, મહેલની ઇચ્છા રાખતા હો, સુખની ઇચ્છા કરતા હો, સુંદર રૂપની ઇચ્છા કરતા હો, પ્રીતિની ઇચ્છા કરતા હો અથવા જો અનંતસુખરૂપ અમૃતના સમુદ્ર જેવા ઉત્તમ સ્થાન (મોક્ષ)ની ઇચ્છા રાખતા હો તો નિશ્ચયથી સમસ્ત દુ:ખદાયક
વૈરાગ્યવષ ]
૧૦૨ આપત્તિઓનો નાશ કરનાર ધર્મમાં તમારી બુદ્ધિ જોડો. ૪૨૨.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જેનું ચિંતવન કરવાથી, ધ્યાન કરવાથી ઋષિઓ પરમ પદને પામે છે, જેની સ્તુતિ ઇન્દ્ર, ધરણેન્દ્ર, નરેન્દ્ર અને ગણધરદેવો સર્વ મદ તજીને કરે છે, વેદ પુરાણ જેને બતાવે છે, યમરાજના દુઃખના પ્રવાહને જે હરે છે-એવી જિનવાણી, તેને હે ભવ્ય જીવો! ધાનતરાયજી કહે છે કે તમે અનેક વિકલ્પરૂપ નદીનો ત્યાગ કરીને તમારા હૃદયને વિશે નિત્ય ધારણ કરો. ૪૨૩.(શ્રી ઘાનત-વિલાસ)
* અપનેકો ભયરહિત ઔષધિદાન યહ હૈ કિ બાધાસે રહિત સ્વભાવ હો જાવે અર્થાત્ આધ્યાન વ રૌદ્રધ્યાનસે રહિત નિરાકુલ ધર્મધ્યાનમથી સ્વભાવકા પ્રકાશ હો જાવે. ઐસા વૈરાગ્યભાવ પ્રગટ હો જાવે કિ સંસાર, શરીર વ ભોગોંકી ઓરસે ચિતારૂપી બાધા વિલા જાવે, ન ચારગતિરૂપ દુઃખમયી સંસારકી કામના રહે, ન નાશવંત શરીરકી પ્રાપ્તિકી ઇચ્છા રહે, ન અતૃપ્તકારી ભોગોંકી ચાહના રહે, ઇન સબકી ચાહકી દાહકા મિટના સોઈ અપનેકો ઔષધિદાન કરના હૈ. ૪૨૪. (શ્રી મમલ પાહુડ)
* નિર્મમતા ચિંતવવા માટે કલેશ થતો નથી, પરની યાચના કરવી પડતી નથી, કોઈની ખુશામત કરવી પડતી નથી, કાંઈ ચિંતા થતી નથી, તેમ જ કાંઈ ધનાદિ ખર્ચવું પડતું નથી. માટે નિર્મમત્વભાવની સતત ચિંતવના કરવી. ૪૨૫.
(શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણિ) * મમતારહિત હોના પરમ તત્ત્વ હૈ, મમતારહિત હોના પરમસુખ હૈ, મમતારહિત ભાવ મોક્ષકા શ્રેષ્ઠ બીજ હૈ ઐસા બુદ્ધિમાનોને કહા હૈ. ૪૨૬.
(શ્રી સારસમુચ્ચય)
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૦૪
૧૦૩
[ વૈરાગ્યવર્ધા * જો શરીર સાથે સંબંધ હોય તો દુઃખ અથવા મરણ ઉપસ્થિત થતાં વિદ્વાન પુરુષોએ શોક ન કરવો જોઈએ. કારણ એ કે તે શરીર આ બન્ને દુઃખ અને મરણ)ની જન્મભૂમિ છે અર્થાત્ આ બન્નેનો શરીર સાથે અવિનાભાવ છે. માટે જ નિરંતર તે આત્મસ્વરૂપનો વિચાર કરવો જોઈએ જેના દ્વારા આગળ પ્રાયઃ (ઘણું કરીને) સંસારના દુઃખ આપનાર આ શરીરની ઉત્પત્તિની ફરીથી સંભાવના જ ન રહે. ૪૨૭. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* રોગથી પીડાયેલો, લાકડી, મુષ્ટિ આદિ વડે પ્રહાર કરાયેલો, દોરડા આદિથી બંધાયેલો, પોતાના આત્માનું સ્મરણ કરતાં દુઃખી થતો નથી. પોતાના આત્માના ચિંતનથી ક્ષુધા વડે, ઠંડી વડે, પવન વડે, તૃષા વડે, તાપ વડે, દુઃખી થાય નહિ. ૪૨૮.
| (શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી) * કર્મરૂપી શત્રુઓકો પકડનેકી ઇચ્છા કરનેવાલે બુદ્ધિમાનાંકો સંસાર-ભોગ ઔર શરીરમેં વૈરાગ્ય બડી બુદ્ધિમાનીકે સાથ સદા ભાવના યોગ્ય હૈ. ૪૨૯.
(શ્રી સારમુરચય) * જેમ વાનર એક કાંકરો પડે ત્યાં રડવા લાગી જાય તેમ આ પણ એક અંગ છીએ ત્યાં ઘણો રડે, ‘એ મારા અને હું એનો’ એ પ્રમાણે જૂઠ જ એવા જડોની સેવાથી સુખ માને. પોતાની શિવનગરીનું રાજ્ય ભૂલ્યો, જો શ્રીગુરુના કહેવાથી શિવપુરીને સંભાળે તો ત્યાંનો પોતે ચેતનરાજા અવિનાશી રાજ્ય કરે, ત્યાં ચેતના વસ્તિ છે, ત્રણલોકમાં આણ ફરે, ભવમાં ન ફરે, ફરી જડમાં ન આવે. આનંદઘનને પામી સદાય શાશ્વત સુખનો ભોક્તા થાય એમ કરો. ૪૩૦.
(શ્રી અનુભપ્રકાશ)
વૈરાગ્યવષ ]
* કોઈ નિંદે છે તો નિંદો, સ્તુતિ કરે છે તો સ્તુતિ કરો, લયમી આવો વા જાઓ તથા મરણ આજે જ થાઓ વા યુગાંતરે થાઓ! પરંતુ નીતિમાં નિપુણ પુરુષો ન્યાયમાર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી. એવો ન્યાય વિચારી, નિંદા-પ્રસંશાદિના ભયથી વા લોભાદિકથી પણ અન્યાયરૂપ મિથ્યાત્વપ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. અહો! દેવગુરુધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? ૪૩૧.
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક) * હે યોગી! તૂ જો વીતરાગ પરમાનંદકે શત્રુ ઐસે નરકાદિ ચાર ગતિયોકે દુ:ખ ઉનસે ડર ગયા હૈ તો તૂ નિશ્ચિત હોકર પરલોકકા સાધન કર! ઇસ લોકકી કુછ ભી ચિંતા મત કર. ક્યોંકિ તિલકે ભૂસે માત્ર ભી શલ્ય મનકો નિશ્ચયસે વેદના કરતી હૈ. ૪૩૨.
(મી પરમાત્મપ્રકાશ * હે જીવ! જૈસે નરકવાસ સૈકડોં છિદ્રોસે જર્જરિત હૈ, ઉસી તરહ શરીરકો ભી (મલમૂત્ર આદિસે) જર્જરિત સમજ. અતએ નિર્મલ આત્માની ભાવના કર તો શીઘ્ર હી સંસારસે પાર હોગા. ૪૩૩.
| (શ્રી યોગસાર) | * શુદ્ધ ચિતૂપને ભજનાર મનુષ્યોનું સુધા, તરસ, રોગ, વા ઠંડી, ગરમી, પાણી, અને વાણીથી, શસ્ત્ર, રાજાદિના ભયથી, સ્ત્રી, પુત્ર, શત્રુ, નિર્ધનતા, અગ્નિ, બેડી, ગાય આદિ પશુ તથા અશ્વ, ધન, કંટકથી, સંયોગ, વિયોગ, ડાંસ, પતન, ધૂળથી, માનભંગ આદિથી ઉત્પન્ન થતું દુઃખ કયાં જતું રહે છે તે અમે જાણતા નથી.
(શ્રી તત્ત્વજ્ઞાનન્તરંગિણી) * આચાર્ય મહારાજ ઉàક્ષા કરતે હૈં કિ બ્રહ્માને જો સિર્યો
૪૩૪.
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૦૬,
૧૦૫
[ વૈરાગ્યવર્ધા બનાઈ હૈ વે મનુષ્યોકે બેધને કે લિયે ભૂલી, કાટને કે લિયે તરવાર, કતરને કે લિયે દઢ કરોત (આરા) અથવા પેલને કે લિયે માનો યંત્ર હી બનાયે હૈ.! ૪૩૫.
(શ્રી જ્ઞાનાર્ણવ) * જે મનુષ્ય અગણિત ગુણરત્નોથી શોભતા સુંદર આત્મતત્ત્વના ચિંતનમાં સદાય રત છે, તેની બરાબરી કરનાર સંસારમાં કોણ છે?-શું કોડિયાનો દીવો સૂર્યની બરાબરી કરી શકે છે? ૪૩૬.
| (શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક) * સંસારી જીવરાશિ મિથ્યાત્વ પરિણામને સર્વથા છોડો. છોડવાનો અવસર કયો? તત્કાળ. ભાવાર્થ આમ છે કે શરીરાદિ પદ્રવ્યો સાથે જીવની એકત્વબુદ્ધિ વિદ્યમાન છે, તે સૂમકાળમાત્ર પણ આદર કરવાયોગ્ય નથી. ૪૩૭.
(શ્રી કળપાટીકા) * આ શરીરના રોગ-સડન-પડન-જરા તથા મરણરૂપ સ્વભાવને દેખીને જે ભવ્યજીવ આત્માને ધ્યાવે છે, તે (ઔદારિકાદિ) પાંચ પ્રકારના શરીરોથી મુક્ત થઈ જાય છે. ૪૩૮. (શી તવસાર)
કે હે યોગી! યહ શરીર છિદ જાવે, દો ટુકડે હો જાવે, અથવા ભિદ જાવે, છેદસહિત હો જાવે, નાશકો પ્રાપ્ત હોવે, તો ભી તૂ ભય મત કર, મનમેં ખેદ મત લા, અપને નિર્મલ આત્માકા હી ધ્યાન કર, અર્થાતુ વીતરાગ ચિદાનંદ શુદ્ધસ્વભાવ-ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મસે રહિત અને આત્માના ચિંતવન કર કિ જિસ પરમાત્માને ધ્યાનસે – ભવસાગરકા પાર પાયગા. ૪૩૯.
(શ્રી પરમાત્મપ્રકાશ) * આ અજ્ઞાની પ્રાણી મૃત્યુ દ્વારા ખંડિત કરાતાં પોતાના આયુષ્યના દિવસોરૂપી દીર્ઘ ટુકડાઓને સદા પોતાની સામે પડતાં જોવા છતાં પણ પોતાને સ્થિર માને છે. ૪૪૦.
વૈરાગ્યવષ ]
(શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * હે મંદબુદ્ધિ! ઇસ શરીરને જો જો વસ્તુઓં આપસે ચાહી, તુમને વહી-વહી શરીરકે લિએ પુષ્ટકારી વસ્તુ દી; તબ ભી શરીર તુમ્હારે સાથ નહીં જાતા હૈ તબ મિત્રાદિક કૈસે જાયેંગે? તુમ્હારા પુણ્ય ઔર પાપ દોનોં હી તુમ્હારે પીછે આતે હૈં, ઇસલિયે શરીરાદિકમેં તુમ કિંચિત્ ભી મોહ મત કરો. ૪૪૧.
(શ્રી સજ્જન ચિત્ત વલ્લભ) * અરેરે! સંસારમાં ભમતાં જીવને નથી તો સંત દેખાતા કે નથી તત્ત્વ દેખાતું; અને પરની રક્ષાનો ભાર ખભે લઈને ફરે છે! ઇન્દ્રિયો અને મનરૂપી ફોજને સાથે લઈને પરની રક્ષા માટે ભમ્યા કરે છે! ૪૪૨.
(શ્રી પાહુડ દોહા) * જેમ દેઢ નૌકામાં બેઠેલા મનુષ્યને વિસ્તીર્ણ નદીમાં જળ વધવા છતાં પણ મુસાફરી કરતાં ભય થતો નથી, તેમ જે પુરુષ શરીરના ક્ષણિક અને અપવિત્ર સ્વભાવને તથા પ્રકારે સમજ્યો છે, તથા વાસ્તવિક આત્મશાંતિનો કોઈ અંશે અનુભવ થયો છે, તે પુરુષને રોગાદિની વૃદ્ધિમાં પણ ખેદ પ્રાપ્ત થતો નથી. ૪૪૩.
(શ્રી આત્માનુશાસન) * જ્ઞાની પુરુષ એવો વિચાર કરે છે કે હું સદૈવ એકલો છું, પોતાના જ્ઞાન-દર્શનરસથી ભરપૂર પોતાના જ આધારે છું. ભ્રમજાળનો કૂપ મોહકર્મ મારું સ્વરૂપ નથી! નથી!! મારું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્યસિંધુ છે. ૪૪૪.
(શ્રી નાટક સમયસાર) * દેહધારી તૂ દૂસરે કે મરણકો ન ગિનતે હુએ અપના સદા અમરત્વ વિચારતા હૈ; ઇન્દ્રિયરૂપી હાથીકે વશમેં હોકર ધૂમતા હૈ;
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૦૩
[વૈરાગ્યવર્ધા નિશ્ચિતરૂપમેં યમ આજ આયેગા થા કલ આયેગા ઐસા પતા નહીં હૈિ-ઇસલિયે આત્મહિતકારી જિનેન્દ્રકથિત ધર્મકો તૂ શીધ્ર કર. ૪૪૫.
(શ્રી સજન ચિત્ત વલ્લભ) * જે સમયે તપસ્વી અંતરાત્માને મોહવશાત્ રાગ અને દ્વેષ ઉત્પન થાય તે જ સમયે તે તપસ્વીએ શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરવી. એમ કરવાથી રાગ-દ્વેષાદિ ક્ષણવારમાં શાંત થઈ જાય છે.
| (શ્રી સમાધિતંત્ર) કે સંસાર, શરીર અને ભોગોથી જેનું મન વિરક્ત થયું છે તે જીવ આત્માને ધ્યાવતાં, તેની મહા વિસ્તૃત સંસારરૂપી વેલ છિન્નભિન થઈ જાય છે. ૪૪૭.
(મી પરમાત્મપ્રકાશ) + છ ખંડકા સ્વામી ચક્રવર્તી સમ્રાટ ભી ઇસ પૃથ્વીકો ઔર સર્વ ભોગ્ય પદાર્થોકો તૃણ કે સમાન નિઃસાર જાનકર છોડ દેતા હૈ. ઔર નિગ્રંથ દિગંબર મુનિકી દીક્ષા ધારણ કરી લેતા હૈ. ૪૪૮.
(શ્રી સારસમુચ્ચય) * જે વિષયથી વિરક્ત છે તે જીવ નરકમાં તીવ્ર વેદના છે તેને પણ ગુમાવે છે, ત્યાં પણ અતિ દુઃખી થતો નથી. તેથી ત્યાંથી નીકળીને તીર્થંકર થાય છે. આ જિનેન્દ્ર વર્ધમાન ભગવાને કહ્યું છે. ૪૪૯.
| (Bી શીલપાહુડ) * અરે ! ઇસ શરીર કો દેખકર અબ ભી શરીરરૂપ ઘરસે વૈરાગ્ય નહીં હૈ! કૈસે શરીરસે?-રક્તવીર્યસે બને હટ્ટી, માંસ, મજ્જાદિસે ભરે, બાહરસે સર્વ તરફસે મકખીકે પરોકે સમાન ચમડીસે ઢકા હુઆ હૈ, નહીં તો કાક, બકુલાદિક પક્ષિયોકે દ્વારા યહ શરીર ખા લિયા જાતા. ૪૫૦. (શ્રી સજ્જન ચિત્ત વલ્લભ)
વૈરાગ્યવષ ]
૧૦૮ કે જ્ઞાની પોતામાં અને પરદ્રવ્યમાં સર્વથા કાંઈ પણ સંબંધ દેખતો નથી. તેથી આ પુલનું નાટક જેવું જણાયું તેવી રીતે નાચે, સ્વયં ઊપજે, સ્વયં વિણશે, સ્વયં આવે, સ્વયં જાય, હું એના નાટકને ન રાખી શકું કે ન છોડી શકું. “એના નાટકના રાખવાછોડવાની ચિંતા પણ કરવામાં આવે તે પણ જૂઠી છે, કારણ કે તે પરવસ્તુ છે. પોતાના ગુણપર્યાય, ઉત્પાવ્યયધ્રૌવ્ય, કર્તાકર્મક્રિયાદિની સામગ્રીથી વાધીન છે.” ૪૫૧. (શ્રી આત્માવલોકન)
કે જેવી રીતે પક્ષી એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર તથા ભમરો એક ફૂલથી બીજા ફૂલ ઉપર જાય છે તેવી જ રીતે અહીં સંસારમાં જીવ નિરંતર એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે તેથી બુદ્ધિમાન મનુષ્ય ઉપરોક્ત પ્રકારે પ્રાણીઓની અસ્થિરતા જાણીને ઘણું કરીને કોઈ ઇષ્ટ સંબંધીનો જન્મ થતાં હર્ષ પામતાં નથી અને તેનું મૃત્યુ થતાં શોક પણ પામતાં નથી. ૪૫૨.(શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
કે ભાવમોહ અપવિત્ર આત્માના ગુણોનો ઘાત કરવાવાળો, રૌદ્રરૂપ (ભયંકરરૂપ), દુઃખ અને દુઃખરૂપ ફળને આપવાવાળો છે, એ ભાવમોહના વિષયમાં અધિક ક્યાં સુધી કહીયે? માત્ર એ ભાવમોહ જ સંપૂર્ણ વિપત્તિઓનું સ્થાન છે. ૪૫૩. (શ્રી પંચાધ્યાયી)
* જે જીવ પોતાના સ્વરૂપથી દેહને પરમાર્થપણે ભિન્ન જાણી આત્મસ્વરૂપને સેવે છે-ધ્યાવે છે તેને અન્યત્વભાવના કાર્યકારી છે. ૪૫૪.
(શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા) કે હે યોગી! જો તૂ ચિન્તાઑકો છોડેગા તો સંસારકા ભ્રમણ છૂટ જાયેગા, કચોકિ ચિંતામું લગે હુએ છદ્મસ્થ અવસ્થાવાલે તીર્થંકરદેવ ભી પરમાત્માના આચરણરૂપ શુદ્ધભાવોકો નહીં પાતે. ૪૫૫.
(શ્રી પરમાત્મા )
Page #60
--------------------------------------------------------------------------
________________
૧/૯
[ વૈરાગ્યવર્ધા કે ગુરુચરણોના સમર્થનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને જાણતો કોણ વિદ્વાન “આ પરદ્રવ્ય મારું છે' એમ કહે? ૪૫૬.
(શ્રી નિયમસાર-ટીકા) કે યદ્યપિ ઇસ લોકમેં મૃત્યુ હૈ સો જગતકો આતાપકા કરનેવાલા હૈ તો હું સમ્યજ્ઞાનીકે અમૃતસંગ જો નિર્વાણ તાકે અર્થિ હૈ. જૈસે કાચા ઘડાકૂ અગ્નિ પકાવના હૈ સો અમૃતરૂપ જલકે ધારણકે અર્થિ હૈ. જો કાચા ઘડા અગ્નિમેં નહીં પકે તો ઘડામેં જલધારણ નાહીં હોય હૈ, અગ્નિમેં એક બાર પકિ જાય તો બહુત કાલ જલકા સંસર્ગÉ પ્રાપ્ત હોય. તૈસે મૃત્યુના અવસરમેં આતાપ સમભાવનિકરિ એકવાર સહિ જાય તો નિર્વાણકા પાત્ર હો જાય. ૪૫૭.
(શ્રી મૃત્યુમહોત્સવ) * હે મહાશય! હે મુને! તૂને પૂર્વોક્ત સબ રોગોકો પૂર્વભવોમેં તો પરવશ સહે, ઇસ પ્રકાર હી ફિર સહેગા; બહુત કહનેસે ક્યા? ભાવાર્થ-યહ જીવ પરાધીન હોકર સબ દુઃખ સહતા હૈ, યદિ જ્ઞાનભાવના કરે ઔર દુઃખ આને પર ઉસસે ચલાયમાન ન હો ઇસ તરહ સ્વવશ હોકર સહે તો કર્મકા નાશ કર મુક્ત હો જાવે, ઇસ પ્રકાર જાનના ચાહિયે. ૪૫૮. (શ્રી ભાવપાહુડ)
* યહ શરીર દુર્ગધ યુક્ત એવમ્ મલ નવ દ્વારોસે નિરંતર બહતા રહતા હૈ ઉસકો દેખકર ભી જિસકે મનમેં યદિ વૈરાગ્ય નહીં હૈ તો અરે! ઉસકો પૃથ્વી પર અન્ય કૌનસી વસ્તુ વૈરાગ્યકા કારણ હોગી કહો? કશમીર-ચંદનાદિકસે સજાઈ ગઈ યહ દેહ હી દુર્ગધતાકો સ્પષ્ટ કરતી હૈ. ૪૫૯. (શ્રી સજન ચિત્ત વલલભ)
કે જો કોઈ અપને આત્માટે હિતકા કામ છોડકર, ચિત્તમેં મમતા ભાવમેં લીન હોકર, દૂસરોકે કાર્યોમેં હી રત હો જાતા હૈ
વૈરાગ્યવષ ]
૧૧૦ વહ અપને આત્મહિતકો નાશ કર દેગા. ૪૬૦, (શ્રી સારસમુચ્ચય)
* પુણ્યસે ઘરમેં ધન હોતા હૈ, ઔર ધનસે અભિમાન, માનસે બુદ્ધિભ્રમ હોતા હૈ. બુદ્ધિકે ભ્રમ હોનેસે (અવિવેકસે) પાપ હોતા હૈ, ઇસલિયે ઐસા પુણ્ય હમારે ન હોવે. ૪૬૧.(શ્રી પરમાત્મપ્રકા)
* (જીવન) તત્કાલ મરણ ભાસે તોપણ તે મરણને ન ગણતાં વિષયોનું ગ્રહણ કરે છે. તેથી મરણ થવા કરતાં પણ ઇન્દ્રિયોના વિષયસેવનની પીડા અધિક જણાય છે. એ ઇન્દ્રિયોની પીડાથી સર્વ જીવો પીડિત બની નિર્વિચાર થઈ, જેમ કોઈ દુઃખી માણસ પહાડ ઉપરથી પડતું મૂકે તેમ, વિષયોમાં ઝંપાપાત કરે છે. ૪૬૨.
| (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક) * રૂદ્ર (મહાદેવ)ના કંઠમાં કાળકૂટ વિષ રહે છે, તે વિષ મહાદેવજીને કાંઇ પણ અસર કરી શક્યું નહિ. કાળકૂટને પચાવી શકે તેવા મહાદેવજી પણ સ્ત્રીઓની માયામાં ફસાઈ યોગક્ષેમ હારી ગયા. તેથી નિશ્ચય થાય છે કે સ્ત્રી જ સર્વ વિષમ વિષોથી ભયંકર વિષ છે. ૪૬૩. |
(શ્રી આત્માનુશાસન) + વિષયોકે લમ્પટી મૂર્ખ લોગોને ઇસ મનુષ્યજન્મકો, જિસસે સ્વર્ગ તથા મોટી સિદ્ધિ કી જા સકતી હૈ, અલ્પ ઇન્દ્રિય સુખકે અર્થ ખોકર અપનેકો તિર્યંચગતિ વ નરકગતિમેં જાનેકે યોગ્ય કર લિયા. ૪૬૪.
(શ્રી સારસમુચ્ચય) * આ જીવ ભોગોના નિમિત્તે તો બહુ અલ્પ પાપ કરે છે પરંતુ તંદુલમજ્યની જેમ પ્રયોજન વિના જ પોતાના દુર્વિચારોથી ઘોર પાપ કરે છે. ૪૬૫.
(શ્રી જયસેન-આચાર્ય) * આ બિચારો મનુષ્યોરૂપી માછલીઓનો સમૂહ સંસારરૂપી સરોવરમાં પોતાનાં સુખરૂપ જળમાં ક્રિડા કરતો થકો મૃત્યુરૂપી
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૧૧
[ વૈરાગ્યવર્ષા
માછીમારના હાથે ફેલાવવામાં આવેલાં વૃદ્ધત્વરૂપી વિસ્તૃત જાળની વચ્ચે ફસાઈને નિકટવર્તી તીવ્ર આપત્તિઓનાં સમૂહને પણ દેખતો નથી. ૪૬૬. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* હે આત્મ! તૂ જિસ પ્રકાર કામકે બાણોંસે પીડિત હોકર સ્ત્રીકે સંયોગસે પ્રાપ્ત હોનેવાલે સુખકે વિષયમેં અપને ચિત્તકો કરતા હૈ ઉસી પ્રકાર યદિ મુક્તિકે કારણભૂત જિનેન્દ્રકે દ્વારા ઉપદિષ્ટ મતકે વિષયમેં ઉસ ચિત્તકો કરતા તો જન્મ, જરા ઔર મરણકે દુઃખસે છૂટકર કિસ કિસ સુખકો ન પ્રાપ્ત હોતા-સબ પ્રકારકે સુખકો પા લેતા. ઐસા ઉત્તમ સ્થિર બુદ્ધિસે વિચાર કરકે ઉક્ત જિનેન્દ્રકે મતમેં ચિત્તકો સ્થિર કર. ૪૬૭. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* જેમ મોહથી મત્ત મન, કંચન અને કામિનીમાં રમે છે તેમ જો પોતાના શુદ્ધ આત્મામાં (૨મે તો) મોક્ષ સમીપ શીઘ્ર શું ન આવે? મુક્તિ સમીપવર્તી કેમ ન થાય? ૪૬૮.
(શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી)
* યદિ પરમતત્ત્વકે પ્રેમમેં મોહિત હો તો યહ જ્ઞાની ઇસ મોહકી સહાયતાસે શાસ્ત્રજ્ઞાનમેં વ ગુરુ દ્વારા પ્રગટ જ્ઞાનમેં વ જ્ઞાનકે સાધનોમેં આનંદ માનતા હૈ. પરંતુ હિંદ શરીરકે રાગમેં મૂઢ હો જાવે તો અનંતાનંત કાલ તક પુદ્ગલ સ્વભાવમેં હી રતિકો પ્રાપ્ત હો ઇતના ભ્રમણ કરે. ૪૬૯. (શ્રી ઉપદેશ સુસાર)
* જે દેશાદિના નિમિત્તે સમ્યગ્દર્શન મલિન થતું હોય અને વ્રતોનો નાશ થતો હોય એવા તે દેશ, તે મનુષ્ય, તે દ્રવ્ય તથા તે ક્રિયાઓનો પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ૪૭૦.
(શ્રી પદ્મવંદ પંચવિશતિ)
* આ સંસારનો તમાશો તો જુઓ!-કે જેમાં કરગરીને
વૈરાગ્યવર્ધા ]
૧૧૨
માંગવા છતાં એક પાંદડુંય મળતું નથી ને અજ્ઞાની કષ્ટથી પેટ ભરે છે, પણ જો અજ્ઞાન છોડીને તે સંસારથી વિમુખ થઈ જાઓ તો વગર માર્ગ પોતાના સદ્ગુણોની વૃદ્ધિ થાય છે. ૪૭૧. (શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક)
* સંકલેશરહિત શાંતચિત્ત, મહાન પુરુષોંકા ઉત્તમ ધન હૈ જિસકે દ્વારા જરા-મરણસે રહિત સ્થાન પ્રાપ્ત હોતા હૈ. ૪૭૨. (શ્રી સારસમુચ્ચય)
* જિન મહાપુરુષોંકે ચરણોંકી રજસે યહ જગત પવિત્ર હો જાતા હૈ વે ભી પ્રાયઃ ત્રિયોકે કિયે હુએ કટાક્ષોંકે દેખનેસે વંચિત હો ગયે હૈ ઐસે મહાપુરુષોંકી કથા જગતમેં શાસ્ત્રો મેં બહુત હૈ. (શ્રી જ્ઞાનાઈવ)
૪૭૩.
* ભેદજ્ઞાનીના ચિત્તમાં, શુદ્ધ આત્મદર્શનથી રહિત આ સર્વ જગત ઉન્મત્ત, ભ્રાંતિયુક્ત બંને નેત્ર રહિત, દિશા ભૂલેલું, ગાઢ નિદ્રામાં સૂતેલું, અવિચારી, મૂર્છા પામેલું, જળના પ્રવાહમાં તણાતું, બાળકના જેવી અજ્ઞાન અવસ્થાવાળું તથા મોહરૂપી ઠગોથી પીડિત દશા પામેલા જેવું, ગાંડા જેવું અને મોહઠગોએ પોતાને આધિન કરેલું, વ્યાકુળ થયેલું જણાય છે. ૪૭૪. (શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી)
* આ સંસારરૂપી વન સર્વત્ર ઉત્પન્ન થયેલ શોકરૂપી દાવાનળ (જંગલની અગ્નિ)થી વ્યાપ્ત છે. તેમાં મૂઢ મનુષ્યરૂપી હરણ સ્ત્રીરૂપી હરણીમાં આસક્ત થઈને રહે છે. નિર્દય કાળ (મૃત્યુ) રૂપી વ્યાઘ્ર (શિકારી) સામે આવેલ આ મનુષ્યોરૂપી હરણોનો સદાય નાશ કર્યા કરે છે, તેનાથી ન કોઈ બાળક બચે છે, ન કોઈ યુવક બચે છે અને ન કોઈ વૃદ્ધ પણ જીવતો રહે છે. ૪૭૫. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૧૩
[ વૈરાગ્યવર્ધા * હે જીવ! જ્યાં દુષ્કૃત્યનો વાસ છે એને તું ગૃહવાસ ન સમજ. ચોક્કસ એ તો યમનો ફેલાયેલો ફંદો છે. તેમાં શંકા નથી. ૪૬.
(શ્રી પાહુડદોહા) કે યહ જીવ નીચ યોનિયોમેં દીર્ઘકાલ તક અનેક તરહસે જબ ભ્રમણ કર ચુકતા હૈ તબ કહીં પુણ્યકે યોગસે એક બાર ઉચ્ચ યોનિમેં જન્મ પ્રાપ્ત કરતા હૈ ઐસી દશામૈં કૌન ઐસા હૈ જો અહંકાર કરે? ૪૭૭.
(શ્રી સારસમુચ્ચય) * નરકભૂમિની સામગ્રી તથા નારકીઓનું વિકરાળરૂપ જેવું છે તેવું જો કોઈને એક ક્ષણમાત્ર પણ સ્વપ્નમાં દેખાડે તો તે ભયથી પ્રાણ રહિત થઈ જાય.
નારકીઓના દેહાદિનો એક કણ અહીં આવે તો તેની દુર્ગધથી અહીંના હજારો પંચેન્દ્રિય જીવો મરણ પામે.
નારકીઓના શબ્દ એવા ભયંકર તથા કઠોર છે કે જો અહીં સાંભળવામાં આવે તો હાથીઓના ને સિંહોના હૃદય ફાટી જાય.
નરકમાં જે દુઃખદાયી સામગ્રી છે તેનો સ્વભાવ દેખાડવા કે અનુભવ કરાવવા સમસ્ત મધ્યલોકમાં કોઈ વસ્તુ દેખાતી નથી.
નરકમાં જે દુઃખ છે તે કોઈ કરોડો જીભ વડે કરોડો વર્ષ સુધી કહે તોપણ એક ક્ષણમાત્રના દુઃખને કહેવા સમર્થ નથી. ૪૭૮.
(શ્રી રત્નકડાવકાચાર) * ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પરિપાટીને સમજનાર ગુણીજનનો શોક તો સ્વયં નષ્ટ થઈ જાય છે. મધ્યમ બુદ્ધિમાનનો શોક આંખમાંથી બે-ચાર આંસુ સારવાથી શાંત થાય છે; પરંતુ જઘન્ય મતિમાનનો શોક તો મરણ સાથે જ જાય છે. ૪૭૯.
વૈરાગ્યવર્ધા ]
૧૧૪
(શ્રી સુભાષિતરત્નસંઠોઈ) * યહ કામ દોષોંકી ખાન હૈ ઔર ગુણોકા નાશ કરનેવાલા હૈ, પાપકા નિજબંધુ હૈ ઔર યહી બડી બડી આપત્તિયોંકી સંગમ કરાનેવાલા હૈ. ૪૮૦.
(શ્રી સારસમુચ્ચય) * જે સૂર્યદેવ એક જ દિવસમાં પ્રાત:કાળે ઉદયનો અનુભવ કરે છે અને ત્યાર પછી મધ્યાહ્નમાં ખૂબ ઊંચે ચડીને લક્ષ્મીનો અનુભવ કરે છે તે પણ જ્યારે સાયંકાળમાં નિશ્ચયથી અસ્ત પામે છે. ત્યારે જન્મ-મરણાદિ-સ્વરૂપ ભિન્ન ભિન્ન અવસ્થાઓ થતાં કયા મનુષ્યના હૃદયમાં વિષાદ રહે છે? અર્થાત્ એવી દશામાં કોઈએ પણ વિષાદ ન કરવો જોઈએ. ૪૮૧.(શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
કે “મને જ્ઞાનવંતને એ વિષયાશારૂપ શત્રુ કાંઈ પણ કરી શકે એમ નથી.” એ પ્રકારના જ્ઞાનમદથી ઉન્મત્ત થઈ એ આશારૂપ શત્રુથી જરા પણ ઉપેક્ષિત રહેવું યોગ્ય નથી. ત્રણ લોક જેણે વશ કરી રાખ્યો છે એવા એ આશારૂપ શત્રુને અલ્પ ગણવો યોગ્ય નથી. ત્રણ જગતનો મહાભયંકર અને અદ્વિતીય વેરી એ જ છે. તેને તો સમ્યક પ્રકારે વિચારી વિચારીને મૂળથી સર્વથા ક્ષીણ કરવો જોઈએ. જુઓ, અનંત અને અગાધ સમુદ્રમાં રહેલો વડવાગ્નિ મહાન સમુદ્રને પણ બાધા ઉપજાવે છે અર્થાત્ શોષણ કરે છે, તેમ નાની સરખી વિષયાશા આત્માના અગાધ જ્ઞાનસમુદ્રને મલિન કરે છે, આવરણ કરે છે, તેનાથી તો નિરંતર સાવચેત રહેવું જોઈએ. વળી જગતમાં પણ જોવામાં આવે છે કે શત્રુએ જેને દબાવી રાખ્યો છે, તેને શાંતિ કયાંથી હોય? ૪૮૨. (શ્રી આત્માનુરાસન)
* અબ સંસારકો છેદ કરનેવાલી ઉસ બોધિનો પાકર બુદ્ધિમાનકો એક ક્ષણમાત્ર ભી પ્રમાદ કરના ઉચિતું નહીં હૈ. ૪૮૩.
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૧૫
[ વૈરાગ્યવર્ધા
(શ્રી સારસમુચ્ચય) * આત્મસ્વરૂપમાં જ આત્મબુદ્ધિવાળો અંતરાત્મા શરીરની ગતિને-શરીરના વિનાશને આત્માથી ભિન્ન માને છે અને મરણના અવસરને એક વસ્ત્રને છોડી બીજા વસ્ત્રનું ગ્રહણ કરવાની જેમ સમજી પોતાને નિર્ભય માને છે. ૪૮૪. (શ્રી સમાધિતંત્ર)
* જો ઝુંપડીમાં આગ લાગી જાય તો તે ઝુંપડીમાં લાગેલી અગ્નિ ઝુંપડીને જ બાળે છે, પરંતુ તેની અંદર રહેલા આકાશને (-ખાલી જગ્યાને) બાળતી નથી; તેવી રીતે જે શરીરમાં નાના પ્રકારે રોગ ઉત્પન્ન થાય છે તે રોગ તે શરીરને નષ્ટ કરે છે, પરંતુ તે શરીરમાં રહેલા નિર્મળ જ્ઞાનમય આત્માને નષ્ટ કરતો નથી. ૪૮૫.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * સંસારમેં ઐસા કોઈ સુખ ઔર દુઃખ નહીં હૈ જો મને નહીં ભોગા. કિંતુ જૈનાગમરૂપી અમૃતકા પાન મૈને સ્વપ્નમે ભી નહીં કિયા. ઇસ અમૃતકે સાગરકી એક બૂદકો ભી જો ચખ લેતા હૈ વહ પ્રાણી ફિર કભી ભી જન્મરૂપી અગ્નિકા પાત્ર નહીં બનતા. અર્થાતુ જૈનશાસ્ત્રોંકા થોડાસા ભી સ્વાદ જિસે લગ જાતા હૈ વહ ઉનકા આલોકન કરકે ઉસ શાશ્વત સુખકો પ્રાપ્ત કરી લેતા હૈ ઔર ફિર ઉસે સંસારમેં ભ્રમણ કરવા નહીં પડતા. ૪૮૬.
(શ્રી ઉપાસક-અધ્યયન) * ઘેલા લોકો તને ઘેલો-ગાંડો કહે તો તેથી તું ક્ષુબ્ધ થઈશ મા, લોકો ગમે તેમ બોલે, તું તો મોહને ઊખેડીને મહાન સિદ્ધિનગરીમાં પ્રવેશ કરજે. ૪૮૭. (શ્રી પાહુડ-દોહા)
કે પોતાના આત્માના ઉદ્ધારની ચિંતા કરવી તે ઉત્તમ ચિંતા
વૈરાગ્યવષ ]
૧૧૬ છે, શુભરાગના વશે બીજા જીવોનું ભલું કરવાની ચિંતા કરવી તે મધ્યમ ચિંતા છે, કામભોગની ચિંતા કરવી તે અધમ ચિંતા છે અને બીજાનું અહિત કરવાનો વિચાર કરવો તે અધમથી અધમ ચિંતા છે. ૪૮૮.
(શ્રી પરમાનંદસ્તોત્ર) * ચંદ્ર, સૂર્ય, વાયુ અને પક્ષી આદિ આકાશમાં જ ગમન કરે છે; ગાડી આદિનું આવાગમન પૃથ્વી ઉપર જ થાય છે તથા મસ્યાદિ જળમાં જ સંચાર કરે છે. પરંતુ યમ (મૃત્યુ) આકાશ, પૃથ્વી અને જળમાં બધા સ્થળે પહોંચે છે. તેથી સંસારી પ્રાણીઓનો પ્રયત્ન કયાં થઈ શકે? અર્થાતુ કાળ જો બધા સંસારી પ્રાણીઓનો કોળિયો કરી જતો હોય તો તેનાથી બચવા માટે કરવામાં આવતો કોઈ પણ પ્રાણીનો પ્રયત્ન સફળ થઈ શકતો નથી. ૪૮૯.
(શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * જબ યહ મરણકે સન્મુખ હોતા હુઆ જીવ ઇસ શરીરકો છોડકર દૂસરેમેં જાતા હૈ તબ જિનેન્દ્રકથિત ધર્મકો છોડકર કોઈ દૂસરા રક્ષક નહીં હૈ. ૪૯૦.
(શ્રી સારસમુચ્ચય) * જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે તે ઉપસદિ દુઃખો આવી પડતાં નાશ પામે છે, માટે મુનિએ પોતાની શક્તિ અનુસાર કાયકલેશાદિરૂપ દુઃખોથી આત્માની શરીરાદિથી ભિન્ન ભાવના ભાવવી. ૪૯૧.
(શ્રી સમાધિતંત્ર) કે જગતમાં બીજા જીવોની ચોકી વિના આત્મગુણો ધરનાર જીવો બહુ અલ્પ છે. બહુધા જગતવાસી જીવો લોકનિંદાના ભયથી જ પૂર્વ મહાપુરુષોએ યોજેલી સુંદર બાહ્ય મર્યાદામાં પ્રવર્તે છે અને તે પણ હિતકારક છે. ભગવાનનો અને આત્મમલિનતાનો જીવને જેટલો ભય નથી એટલો જગતનો ભય જીવોને મર્યાદામાં રાખી
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૧૭
[ વૈરાગ્યવર્ષા રહ્યો છે, બાકી સર્વ જીવો મનોયોગ પ્રમાણે કાયયોગને જો મોળો મૂકે તો જગતની અને જગતવાસી જીવોની કેટલી અકથ્ય અંધા-ધૂંધી થાય? દુર્જનો એક રીતે સજ્જનોની સજ્જનતાના દરમાયા વિનાના (વગર પગારના) રખવાળ છે, તેથી જ મહાપુરુષો કહે છે કે-“જગત એક રીતે ગુરુની ગરજ સારે છે.” ૪૯૨. (શ્રી આત્માનુશાસન)
* હે ભવ્ય જીવો! જો પોતાનું હિત ચાહતા હો તો ગુરુની તે શિક્ષા મનને સ્થિર કરીને સાંભળો. (કે આ સંસારમાં દરેક પ્રાણી) અનાદિકાળથી મોહરૂપી જલદ દારૂ પીને, પોતાના આત્માને ભૂલી વ્યર્થ ભટકે છે. ૪૯૩. (શ્રી છઢાળા)
* જે શરીરરૂપી ઝૂંપડી દુર્ગન્ધયુક્ત અપવિત્ર ધાતુઓરૂપી દિવાલો સહિત છે, ચામડાથી ઢાંકેલી છે, વિષ્ટા અને મૂત્ર આદિથી પરિપૂર્ણ છે; તથા ભૂખ-તરસ આદિના દુઃખોરૂપ ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલાં છિદ્રોથી સંયુક્ત છે; તે કલેશયુક્ત શરીરરૂપી ઝૂંપડી જ્યારે પોતે જ ઘડપણરૂપી અગ્નિથી ઘેરાઈ જાય છે ત્યારે પણ આ મૂર્ખ પ્રાણી તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે. (શ્રી પદ્મનંદિ પંચવિશત) * હે ભવ્ય! તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો (-તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદયસરોવરમાં જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે. ૪૯૫. (શ્રી સમયસાર-ટીકા)
૪૯૪.
વૈરાગ્યવર્ધા ]
૧૧૮
* જે પુરુષ રાત્રિના ભોજન કરે છે તે સર્વ પ્રકારની ધર્મક્રિયાથી રહિત હોય છે. રાત્રિભોજન કરનાર પુરુષમાં અને પશુમાં માત્ર શિંગડા સિવાય બીજો કોઈ ભેદ નથી. ૪૯૬. (શ્રી ધર્મ પરીક્ષા)
* જેઓએ અંતરંગદૃષ્ટિથી અલૌકિક સિદ્ધસ્વરૂપ તેજને જોયું નથી તે મૂર્ખ મનુષ્યોને સ્ત્રી, સુવર્ણ આદિ પદાર્થ પ્રિય લાગે છે, પરંતુ જે ભવ્ય જીવોનું હૃદય સિદ્ધોના સ્વરૂપરૂપી રસથી ભરાઈ ગયું તે ભવ્ય સમસ્ત સામ્રાજ્યને તણખલાં સમાન જાણે છે તથા શરીરને પર સમજે છે અને તેને ભોગ રોગ સમાન લાગે છે. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
૪૯૭
* પૂર્વકાલમેં ભયે ગણધરાદિ સત્પુરુષ ઐસા દિખાવે હૈ જો જિસ મૃત્યુå ભલે પ્રકાર દિયા હુઆકા ફલ પાઈયે અર સ્વર્ગલોકકા સુખ ભૌગિયે તાતેં સત્પુરુષકે મૃત્યુકા ભય કાહેતે હોય? ૪૯૮. (શ્રી મૃત્યુમહોત્સવ)
* તું લોક સમાન મૂઢ થઈ દેખવામાં આવતા (શરીરાદિ) પર પદાર્થનો ઉપકાર કરે છે. (હવે) તું પરના ઉપકારની ઇચ્છા છોડી દઈ પોતાના ઉપકારમાં તત્પર થા. ૪૯૯. (શ્રી ઇષ્ટોપદેશ)
* આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! તું કોઈપણ રીતે મહા કહે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. ૫૦૦.(શ્રી સમયસાર-ટીકા)
* જે લેશ્યામાં જીવ મરણ પામે છે તે જ લેશ્યામાં તે ઉત્પન્ન થાય એવો એકાંત નિયમ છે. ૫૦૧. (શ્રી ધવલા)
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૧૯
[ વૈરાગ્યવર્ષા * લોકોના સંસર્ગથી વચનની પ્રવૃત્તિ થાય છે; વચનપ્રવૃત્તિથી મનની વ્યગ્રતા થાય છે, તેનાથી ચિત્તમાં વિવિધ પ્રકારના વિકલ્પો ઊઠવા લાગે છે; તેથી યોગીએ લૌકિકજનોના સંસર્ગનો ત્યાગ કરવો. ૫૦૨. (શ્રી સમાધિતંત્ર)
* જો પરિગ્રહયુક્ત જીવોનું કલ્યાણ થઈ શકતું હોય તો અગ્નિ પણ શીતળ થઈ શકે, જો ઇન્દ્રિયજન્ય સુખ વાસ્તવિક સુખ હોઈ શકે તો તીવ્ર વિષ પણ અમૃત બની શકે, જો શરીર સ્થિર રહી શકે તો આકાશમાં ઉત્પન્ન થનારી વીજળી તેનાથી પણ અધિક સ્થિર થઈ શકે તથા આ સંસારમાં જો રમણીયતા હોઈ શકે તો તે ઇન્દ્રજાળમાં પણ હોઈ શકે. ૫૦૩. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
* નિશ્ચયથી રાત્રે ભોજન કરવામાં અધિક રાગભાવ છે અને દિવસે ભોજન કરવામાં ઓછો રાગભાવ છે, જેમ અન્નના ભોજનમાં રાગભાવ ઓછો છે અને માંસના ભોજનમાં રાગભાવ અધિક છે. ૫૦૪. (શ્રી પુરુષાર્થસિદ્ધિ-ઉપાય)
* મારા ચિત્તમાં કલ્પવાસી દેવોના ઇન્દ્રને, નાગેન્દ્રને તથા ચક્રવર્તીને પ્રાપ્ત થતું સુખ નિરંતર તૃણ સમાન તુચ્છ લાગે છે. અલ્પ બુદ્ધિમાન હંમેશાં ભૂમિ, સ્ત્રી, લક્ષ્મી, શરીર તથા પુત્રથી સુખ માને છે-એ આશ્ચર્યકારક છે. ૫૦૫. શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી)
* ચક્રવર્તી અથવા બીજા સાધારણ રાજાઓની આજ્ઞાનો ભંગ થતાં પણ મરણનું દુઃખ થાય છે, તો શું ત્રણલોકના પ્રભુ એવા દેવાધિદેવ જિનેન્દ્રદેવની આજ્ઞાના ભંગથી દુઃખ નહિ થાય?જરૂર થશે જ. ૫૦૬.
(શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા)
* જો હલાહલ વિષે શીઘ્ર હી પ્રાણોકો હરનેવાલા હૈ ઉસકા પી લેના કહીં અચ્છા હૈ, પરંતુ પ્રાણિયોંકો નિરંતર દુઃખ દેનેવાલે
વૈરાગ્યવર્ધા ]
મધુકા ભક્ષણ કરના યોગ્ય નહીં હૈ. ૫૦૭.(શ્રી સુભાષિતરત્નસંદોહ)
૧૨૦
* જેવી રીતે પ્રજ્વલિત દીપક પોતાના હાથમાં રાખીને પણ કુવામાં પડી જાય તો તેને દીપકનું લેવું વ્યર્થ છે, તેમ તત્ત્વજ્ઞાન પામીને પણ હેય-ઉપાદેયના વિવેક રહિત ગમે તેમ પ્રવર્તવાથી તત્ત્વજ્ઞાનનું પામવું વ્યર્થ જાય છે. ૫૦૮. (શ્રી જીવંધર ચરિત્ર)
* જીવોકે મનરૂપી દૈત્યકા પ્રભાવ દુર્વિચિંત્ય હૈ, કિસીકે ચિંતવનમેં નહિ આ સકતા. ક્યોંકિ યહ અપની ચંચલતાકે પ્રભાવસે દો દિશાઓમેં, દૈત્યોકે સમૂહમેં, ઇન્દ્રકે પૂરોમેં, આકાશમેં તથા દ્વીપસમુદ્રોમેં, વિદ્યાધર મનુષ્ય દેવ ધરણેન્દ્રાદિકે નિવાસસ્થાનોંમેં તથા વાતવલયો સહિત તીન લોકરૂપી ઘરમેં સર્વત્ર આધે ક્ષણમેં હી ભ્રમણ કર આતા હૈ. ઇસકા રોકના અતિશય કઠિન હૈ. જો યોગીશ્વર ઇસે રોકતે હૈં વે ધન્ય હૈ. ૫૦૯. (શ્રી જ્ઞાનાર્ણવ)
* હે આત્મા! તેં ઇચ્છિત લક્ષ્મી પ્રાપ્ત કરી લીધી છે, સમુદ્ર પર્યંત પૃથ્વી પણ ભોગવી લીધી છે અને જે વિષયો સ્વર્ગમાં પણ દુર્લભ છે તે અતિશય મનોહર વિષયો પણ પ્રાપ્ત કરી લીધા છે. છતાં પણ પાછળ મૃત્યુ આવવાનું હોય તો બધું વિષયુક્ત આહાર સમાન અત્યંત રમણીય હોવા છતાં પણ ધિક્કારવા યોગ્ય છે. તેથી તું એક માત્ર મુક્તિની ખોજ કર. ૫૧૦. (શ્રી પદ્મનંદિ પંચવિશત)
* બડે ખેદકી બાત હૈ: જો કોઈ કામકે વશ હો જાતે હૈં તો વે બુદ્ધિહીન હૈં, અપને કો પાપી બનાકર સંસારસાગરમેં ગિરા દેતે હેં! ૫૧૧. (શ્રી સારસમુચ્ચય)
* હે ભવ્ય! તું પરમ શ્રદ્ધાપૂર્વક દર્શનજ્ઞાનચારિત્ર-સ્વરૂપ (આત્માના) શરણને સેવન કર; આ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવોને અન્ય કોઈ પણ શરણ નથી. ૫૧૨. (શ્રી બાર અનુપ્રેક્ષા)
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૨૧
[ વૈરાગ્યવર્ધા * પર વિર્ષ અનુકંપા હૈ સો આપ હી વિષે અનુકંપા હૈ, જાતે પરકા બુરા કરના વિચારે તબ અપને કષાયભાવમૈં અપના બુરા સ્વયમેવ ભયા. પરકા બુરા ન વિચારે તબ અપને કષાયભાવ ન ભયે તબ અપની અનુકંપા હી ભઈ. ૫૧૩. (શ્રી દર્શનપાહુડ)
કે બીજી આડી અવળી વાતો કરવાનું છોડો; તે તો માત્ર એક-બે શબ્દોથી ટૂંકમાં જ પતાવી દો, ને સદાય નિજાત્મતત્વના અભ્યાસ વડે આત્મગુણોની વૃદ્ધિ કરો. ૫૧૪.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક) * જો કોઈ કિસી મનુષ્યકો મર જાને કે બદલે મેં નગર, પર્વત તથા સુવર્ણ રન ધન ધાન્યાદિકસે ભરી હુઈ સમુદ્ર પયંતકી પૃથ્વીકા દાન કરે તો ભી અપને જીવનનો ત્યાગ કરનેમેં ઉસકી ઇચ્છા નહિ હોગી. ભાવાર્થ-મનુષ્યોંકો જીવન ઇતના પ્યારા હૈ કિ મરને કે લિયે જો કોઈ સમસ્ત પૃથ્વીકા દાન દે તો ભી મરના નહિ ચાહતા. ઇસ કારણ એક જીવકો બચાનેમેં જો પુણ્ય હોતા હૈ વહ સમસ્ત પૃથ્વી કે દાનસે ભી અધિક હોતા હૈ, ૫૧૫.
(શ્રી જ્ઞાનાર્જ) * જેને જીવન અને ધનની આશા છે, તેને માટે કર્મ વિધાતારૂપ બને છે, પરંતુ જે મહાભાગ્યને આશાનો જ અભાવ વર્તે છે, તેને વિધાતા શું કરી શકે એમ છે? ૫૧૬. (શ્રી આત્માનુશાસન)
* જેમ સૂર્યનો ઉદય અસ્ત થવા માટે થાય છે તેવી જ રીતે નિશ્ચયથી સમસ્ત પ્રાણીઓનું આ શરીર પણ નષ્ટ થવાને માટે ઉત્પન્ન થાય છે. તો પછી કાળ પામીને પોતાના કોઈ બંધુ વગેરેનું મરણ થતાં કયો બુદ્ધિમાન મનુષ્ય તેને માટે શોક કરે ? અર્થાત્ તેને માટે કોઈ પણ બુદ્ધિમાન શોક કરતો નથી. ૫૧૭.
વૈરાગ્યવષ ]
૧૨૨
(શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * હું એમ સમજું છું કે જે પુરુષ જિનધર્મીઓની સહાયતા કરે છે તેનું નામ લેતાં પણ મોહકર્મ લજ્જાયમાન થઈને મંદ પડી જાય છે, અને તેના ગુણગાન કરવાથી કર્મો ગળી જાય છે. ૫૧૮.
(ગ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * જિસકે વશમેં પાંચ ઇન્દ્રિયાં હૈ ઔર જિસકા મન દુષ્ટ યા દોષી નહીં હૈ, જિસકા આત્મા ધર્મમેં રત હૈ, ઉસકા જીવન સફલ હૈ. ૫૧૯.
(શ્રી સારસમુચ્ચય) કે કામકી ચાહકે દાહકો સહ લેના અચ્છા હૈ પરંતુ શીલ યા બ્રહ્મચર્યકા ખંડન અચ્છા નહીં હૈ. જો માનવ શીલખંડનકી આદત ડાલ દેતે હૈં, નિશ્ચયસે ઉનકા નરકમેં પતન હોતા હૈ. પ૨૦,
(શ્રી સારસમુચ્ચય) * હે મૂઢ પ્રાણી! અનેક પ્રકારની અસત્ય કળા, ચતુરાઈ, શૃંગાર આદિ ખોટી વિદ્યાઓના કૌતૂહલથી પોતાના આત્માને ઠગ નહિ, પણ તારે કરવા યોગ્ય જે કંઈ હિતકર કાર્ય છે તેને કર. જગતની આ સમસ્ત કળાઓનું જ્ઞાન વિનાશીક છે. શું તું આ વાત નથી જાણતો? પ૨૧.
(શ્રી જ્ઞાનાર્ણવ) * મોહના ઉદયથી ઉત્પન્ન થયેલી મોક્ષપ્રાપ્તિની પણ અભિલાષા તે મોક્ષની પ્રાપ્તિમાં વિદન નાખનાર બને છે, તો પછી ભલા, શાંત મોક્ષાભિલાષી જીવ બીજી કઈ વસ્તુની ઇચ્છા કરે ? કોઈની પણ નહિ. ૫૨૨.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જે શ્રાવકે જ્યાં ત્યાં દોડવાવાળા મનને વશ કર્યું છે તેણે સંતોષરૂપ અમૃતને પ્રાપ્ત કરીને કયા સુખને પ્રાપ્ત કર્યું નથી?
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૨૩
[ વૈરાગ્યવર્ધા અર્થાત્ સંતોષની પ્રાપ્તિ થવાથી તેણે સર્વ પ્રકારના સુખને પ્રાપ્ત કર્યું છે, કારણ કે ખરેખર સંતોષ એ જ સુખ છે અને અસંતોષ એ જ દુઃખ છે. ૫૨૩.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) પરપરિચયથી આકુળતા છે, નિજપરિચયથી સુખશાંતિ છે, જિનદેવે આવો પરમાર્થ કહીને તે હિતનો સંકેત કર્યો છે. પ૨૪.
(શ્રી આત્માવલોકન) + અભિમાનરૂપી વિષને ઉપશાંત કરવા માટે અરિહંતદેવનું તથા નિગ્રંથ ગુરુનું સ્તવન કરવામાં આવે છે, ગુણ ગાવામાં આવે છે, પરંતુ અરેરે ! તેનાથી પણ જો કોઈ માન પોષે તો તે મોટો અભાગી છે. પ૨૫.
(શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * ભૂત-પિશાચકે સમાન કામભાવને જગતકે સર્વ પ્રાણીયોકો દોષી બના દિયા હૈ, વહ જીવ કામકે આધીન હોકર સંસારરૂપી સાગરમેં સદા ભ્રમણ કિયા કરતા હૈ. પ૨૬. (શ્રી સારસમુચ્ચય)
* વિષય-કષાયોમાં જતાં મનને પાછું વાળીને નિરંજન તત્ત્વમાં સ્થિર કરો. બસ! આટલું જ મોક્ષનું કારણ છે; બીજા કોઈ તંત્ર કે મંત્ર મોક્ષના કારણ નથી. પ૨૭. (શ્રી પાહુડદોષા)
* આર્ય પુરુષોને તરાજૂમેં એક તરફ તો સમસ્ત પાપોંકો રખા ઔર એક તરફ અસત્યસે ઉત્પન હુએ પાપકો રખકર તૌલા તો દોનોં સમાન હુએ. ભાવાર્થ-અસત્ય અકેલા હી સમસ્ત પાપોકે બરાબર હૈ. પ૨૮.
(શ્રી જ્ઞાનાર્ણવ) કે જેવી રીતે વૃક્ષોમાં પત્ર, પુષ્પ, અને ફળ ઉત્પન્ન થાય છે અને તેઓ સમયાનુસાર નિશ્ચયથી પડે પણ છે, તેવી રીતે કુળોમાં (કુટુંબ) જે પુરુષ ઉત્પન થાય છે તે મરે પણ છે. તો પછી
વૈરાગ્યવષ ]
૧૨૪ બુદ્ધિમાન મનુષ્યોને તે ઉત્પન્ન થતાં હર્ષ અને મરતાં શોક શા માટે થવો જોઈએ? ન થવો જોઈએ. પ૨૯. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* રે જીવ! તું અજ્ઞાની-મિથ્યાષ્ટિ જીવોના દોષનો શા માટે નિશ્ચય કરે છે?-તે તો મિથ્યાષ્ટિ છે જ; તું તારા આત્માને પોતાને જ કેમ નથી જાણતો? જો તને નિશ્ચય સમ્યકત્વ ન હોય તો તું પણ દોષવાન છો. માટે જિનવાણી અનુસાર તું દઢ શ્રદ્ધા કર. ૫૩૦.
(શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * બડે ખેદકી બાત હૈ કી નરકરૂપી ગમેં પટકનેવાલે અત્યન્ત ભયાનક કામને માનવકો દુષ્ટ બના દિયા હૈ તથા ધર્મરૂપી અમૃતકે પાનસે છુડા દિયા હૈ. ૫૩૧. (શ્રી સારસમુચ્ચય)
* જેમાં (-જે ખાડામાં) સંતાઈ રહેલા ક્રોધાદિ ભયંકર સર્પો દેખી શકાતા નથી એવો જે મિથ્યાત્વરૂપી ઘોર અંધકારવાળો માયારૂપી મહાન ખાડો તેનાથી ડરતાં રહેવું યોગ્ય છે. પ૩૨.
(શ્રી અાત્માનુશાસન) * દાવાનલસે દગ્ધ હુઆ વન તો કિસી કાલમેં હરિત (હરા) હો ભી જાતા હૈ, પરંતુ જિહારૂપી અગ્નિસે (કઠોર મર્મછેદી વચનોસે) પીડિત હુઆ લોક બહુતકાલ બીત જાને પર ભી હરિત (પ્રસન્નમુખ) નહિ હોતા. ભાવાર્થ-દુર્વચનકા દાગ મિટના કઠિન હૈ. ૫૩૩.
* મનુષ્ય અપને દોષોંકો યદ્યપિ પિટસે આચ્છાદિત કરતા હૈ (ઢંકતા હૈ) તો ભી વહ લોકમેં ક્ષણભરમેં હી ઇસ પ્રકારસે અતિશય પ્રકાશમેં આ જાતા હૈ-પ્રગટ હો જાતા હૈ-કિ જિસ પ્રકારસે જલમેં ડાલા ગયા મળ ક્ષણભરમેં હી ઉપર આ જાતા હૈ, અત એવ મનુષ્યોંકો ઉસ માયાચારકે લિયે હૃદયમેં થોડા-સા ભી
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૨૫
[ વૈરાગ્યવર્ધા સ્થાન નહીં દેના ચાહિયે. ૫૩૪. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* દૂસરોકો ઠગ લૂંગા ઐસા વિચાર કર જો કોઈ માયાચારકા ઉપાય કરતે હૈં ઉન લોગોને ઇસલોક તથા પરલોક દોનોમેં સદા હી અપને આપકો ઠગા હૈ. પ૩૫. | (શ્રી સારસમુરિચય)
* સર્વ કષાયનમેં માયાકા ફલ બહુત હી પાપકો ઉપજાવે હૈ. જો જીવ નિગોદમેં ઉપજી મહા દુઃખી હોય તો માયાકષાયકા ફલ હૈ ઔર અન્ય જો ક્રોધ, માન, લોભ ઇન કષાયતૈ નરક હોય હૈ, નિગોદ નહીં હોય હૈ. ૫૩૬. (શ્રી સુષ્ટિ-તરંગિણી)
ક જિસમેં સમસ્ત પ્રકારકે વિચાર કરનેકી સામર્થ્ય હૈ, તથા જિસકા પાના દુર્લભ હૈ ઐસે મનુષ્યજન્મકો પાકર ભી જો અપના હિત નહીં કરતે, તે અપને ઘાત કરનેકે લિયે, વિષવૃક્ષકો બઢાતે હૈં. ૫૩૭.
(શ્રી જ્ઞાનાવ * પૂર્વે કમાયેલ કર્મ દ્વારા જે પ્રાણીનો અંત જે સમયે લખવામાં આવ્યો છે તેનો તે જ સમયે અંત થાય છે એમ નિશ્ચિત જાણીને કોઈ પ્રિય મનુષ્યનું મરણ થવા થતાં પણ શોક છોડો અને વિનયપૂર્વક સુખદાયક ધર્મનું આરાધન કરો. ઠીક છે-જ્યારે સર્પ દૂર ચાલ્યો જાય છે ત્યારે તેના લીસોટાને કયો બુદ્ધિમાન પુરુષ લાઠી આદિ દ્વારા પીટે છે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન તેમ કરતો નથી. ૫૩૮.
(શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * ઐસા કોઈ સુખ ઇસ સંસારમેં નહીં હૈ જો અનેક તરહ સે ઇસ જીવને રાતદિન દેવ-મનુષ્ય ઔર તિર્યંચ ગતિયોંમેં ભમતે હુએ ન પાયા હો.
ઇસ તરહ ચારો ગતિયોમેં ઇસ બ્રમણકે કષ્ટકો અત્યંત
વૈરાગ્યવષ ]
૧૨૬, વિનાશીક જાનકર કયો વૈરાગ્યનો નહીં પ્રાપ્ત હોતે હો? તેરે ઇસ જીવનકો ધિક્કાર હો. પ૩૯.
(શ્રી સારસમુચ્ચય) * જે જીવ સંસારથી-ભવભયથી ડરે છે તેને જિનભગવાનની આજ્ઞાનો ભંગ કરતાં ભય લાગે છે; અને જેને ભવભયનો ડર નથી તેને તો જિન-આજ્ઞાનો ભંગ કરવો તે રમતમાત્ર છે. ૫૪૦.
(શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * ઇસ અનંતાનુબંધીકા વાસનાકાલ સંખ્યાત અસંખ્યાત અનંત ભવપર્યત ચલા જાય હૈ. એક બાર કિસી જીવ પર કિયા જો ક્રોધાદિકભાવ સો અનંતકાલ તાંઈ દુઃખદાઈ હૈ, તાતેં ઇનકે ઉપજનેકા કારણ ઘટાવના, ઇનકે અભાવ હોનેકા કારણ મિલાવના, સુસંગતિમે રહના, કુસંગતિમે ન રહના, ઇનકે નાશકા પ્રથમ ઉપાય તો યહ હૈ, પીછે જૈસે બને તૈસે ઇનકો છોડનેકા ઉપાય કરના. ૫૪૧.
(શ્રી ભાવદીપિકા) * જૈસે કોઢી પુરુષ શરીરકો ખુજાને તથા તપાને સે સુખ માનતા હૈ ઉસી પ્રકાર તીવ્ર કામરૂપી રોગોસે દુઃખીત હુઆ પુરુષ ભી મૈથુનકર્મકો સુખ માનતા હૈ. યહ બડા વિપર્યય હૈ, કયોકિ જૈસે ખુજાનેસે ખાજ બઢતી હૈ ઔર અંતમેં કષ્ટદાયક જલનકો પૈદા કરતી હૈ ઇસ પ્રકાર સ્ત્રીકા સેવન ભી કામસેવનેચ્છાકો ઉત્તરોત્તર બઢાતા હૈ ઔર અંતમેં કષ્ટદાયક હોતા હૈ! ૫૪૨.
* સંસારરૂપી વનમાં ઉત્પન્ન થયેલ જે મનુષ્યરૂપી સુંદર લતા સહિત સ્ત્રીરૂપી શોભાયમાન વેલોથી વીંટળાયેલ, પુત્રપૌત્રાદિરૂપી મનોહર પર્ણોથી રમણીય તથા વિષયભોગ જનિત સુખ જેવા ફળોથી પરિપૂર્ણ હોય છે; તે જો મૃત્યુરૂપી તીવ્ર દાવાનળથી
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૨૭
[વૈરાગ્યવર્ષા વ્યાપ્ત ન હોત તો વિદ્યાનો બીજું શું દેખે? અર્થાત્ તે મનુષ્યરૂપી વૃક્ષ તે કાળરૂપી દાવાનળથી નષ્ટ થાય જ છે, આ જોવા છતાં પણ વિદ્વાનો આત્મહિતમાં પ્રવૃત થતાં નથી એ ખેદની વાત છે. ૫૪૩. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* પ્રશ્ન-:-બુદ્ધિમાન પુરુષ કોનાથી ડરવું જોઈએ? ઉત્તર-:-બુદ્ધિમાન પુરુષે સંસારરૂપી ભયંકર અટવીથી (કે જ્યાં જન્મ-મરણના ભયંકર દુ:ખો સહેવા પડે છે તેનાથી) ડરવું જોઈએ. ૫૪૪. (શ્રી રત્નમાલા) * કામ, ક્રોધ તથા મોહ યે તીનોં હી ઇસ જીવકે મહાન વૈરી હૈં. જબ તક ઇન શત્રુઓંસે મનુષ્ય પરાજિત હૈં તબ તક માનવોકો સુખ કિસ તરહ હો સકતા હૈ? ૫૪૫. (શ્રી સારસમુચ્ચય)
* ઇસ જગતમેં કોઈ ઐસા સ્થાન નહીં રહા, જહાં પર યહ જીવ નિશ્ચય-વ્યવહારરત્નત્રયકો કહનેવાલે જિનવચનકો નહીં પાતા હુઆ અનાદિ કાલસે ચૌરાસી લાખ યોનિયોમે હોકર ન ઘૂમા હો, અર્થાત્ જિનવચનકી પ્રતીતિ ન કરનેસે સબ જગહ ઔર સબ યોનિયોમેં ભ્રમણ કિયા, જન્મ-મરણ યેિ. યહાં યહ તાત્પર્ય હૈ કિ જિનવચનકે ન પાનેસે યહ જીવ જગતમેં ભ્રમા, ઇસલિયે જિનવચન હી આરાધનેયોગ્ય હૈં. ૫૪૬. (શ્રી પરમાત્મપ્રકાશ)
* જિન મહા પરાક્રમી વીર પુરુષોને યુદ્ધમેં શત્રુકે હસ્તીકે દાતોં પર ચઢકર વીરશ્રીકો દૃઢ કિયા હૈ, અર્થાત્ વિજય પ્રાપ્ત કિયા હૈ ઐસે શૂરવીર યોદ્ધા ભી સ્ત્રિયોંકે દ્વારા ખંડિત (પતિત) હો જાતે હૈં, અર્થાત્ સ્ત્રીકે સામને કિસીકા ભી પરાક્રમ નહિ ચલતા. (શ્રી જ્ઞાનાર્ણવ)
૫૪૭.
વૈરાગ્યવર્ધા ]
૧૨૮
* બુદ્ધિમાન પુરુષ! આ તત્ત્વરૂપી અમૃત પીને અપરિમિત જન્મ-પરંપરા (સંસાર)ના માર્ગમાં પરિભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલ થાક દૂર કરો. ૫૪૮. (શ્રી પદ્મનંદિ પંચવિશશિત)
* જેટલો અનુરાગ વિષયોમાં કરે છે-મિત્ર, પુત્ર, ભાર્યા અને ધન-શરીરમાં કરે છે તેટલી રુચિ-શ્રદ્ધા-પ્રતીતિભાવ સ્વરૂપમાં તથા પંચપરમગુરુમાં કરે તો મોક્ષ અતિ સુગમ થાય. જેમ સંધ્યાનો લાલ સૂર્ય અસ્તતાનું કારણ છે તથા પ્રભાતની લાલાશ સૂર્યોદયને કરે છે, તેમ વિવિધ પરમગુરુ વિના શરીરાદિનો રાગ કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે અને પંચપરમગુરુનો રાગ કેવળજ્ઞાનના ઉદયનું કારણ છે. એવો પંચપરમગુરુ-રાગ છે. ૫૪૯. (શ્રી અનુભવપ્રકાશ)
* પરસ્પર ઝઘડા ઉઠનેસે બહુત નષ્ટ હો ચુકે, બડે બડે ધનિક ભી નષ્ટ હો ગયે; દુષ્ટોકે સાથ ઝગડા કરના અચ્છા નહીં; યદિ દ્રવ્યકા ત્યાગ કરના પડે તો ઠીક હૈ. ૫૫૦. (શ્રી સારસમુચ્ચય)
* પ્રશ્ન-:-અવધીરણા (નિંદા, અવહેલના-અવજ્ઞા, ઉપેક્ષા) ક્યાં કરવી?
ઉત્તર-:-દુષ્ટ પુરુષ, પર સ્ત્રી અને પરધનની સદાય ઉપેક્ષા કરવી જોઈએ-તેમનાથી સદાય દૂર રહેવું જોઈએ. ( દુષ્ટ પુરુષ, પર સ્ત્રી અને પારકા ધનના પરિચયની સદા અવહેલના કરવી જોઈએ.) ૫૫૧. (શ્રી રત્નમાલા)
* હે જીવ! અહીં જે તને ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થાય છે તે તારા પૂર્વકૃત પાપના ઉદયથી થાય છે. તેથી શોક શા માટે કરે છે? તે પાપનો જ નાશ કરવાનો પ્રયત્ન કર કે જેથી આગળ પણ તે બંને (ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ) ન
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૨૯
[વૈરાગ્યવર્ધા થઈ શકે. ૫૫૨.
(શ્રી પાનંદિ પંચવિંશતિ) ઇસ જગતમેં જો સુર (કલ્પવાસી દેવ), ઉરગ (ભવનવાસી) દેવ ઔર મનુષ્યોને ઇન્દ્ર અર્થાતુ ચક્રવર્તીપનેકે ઐશ્વર્ય હૈ, યે સબ ઇન્દ્રધનુષકે સમાન હૈ અર્થાત્ દેખનેમેં તો અતિ સુંદર દિખ પડતે હૈ પરંતુ દેખતે દેખતે વિલય હો જાતે હૈં. ૫૫૩. (શ્રી જ્ઞાનાર્ણવ)
* પિછલી અનેક પર્યાયકા સંસ્કાર લાગુ હુઆ હોનેસે ગુરુકી શિક્ષાકે બિના હી પ્રાણી મૈથૂન, આહાર, વિહાર આદિ કાર્યો મેં પ્રવૃતિ કરતે રહતે હૈં. ૫૫૪. (શ્રી બુધજન-સતસઈ)
કે જેમ તૃણ અને લાકડાથી અગ્નિ તૃપ્ત થતી નથી, ચૌદ ચૌદ હજાર નદીઓથી સહિત ગંગા સિંધુ આદિ મહા નદીઓના જલથી લવણ-સમુદ્ર તૃપ્ત થતો નથી, તેમ આ આત્મા પણ ઇચ્છિત સુખોના કારણ એવા આહાર, સ્ત્રી, વસ્ત્ર વિગેરે પદાર્થોથી તૃપ્ત થતો નથી. પ૫૫.
(ની મુલાચાર) કે મરણ પયંત કષ્ટ તો સંસારી જીવ કબૂલ કરે છે પણ ક્રોધાદિકની પીડા સહન કરવી કબૂલ કરતો નથી. તેથી એવો નિશ્ચય થાય છે કે મરણાદિકથી પણ એ કષાયોની પીડા અધિક છે. પપ૬.
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક) * આત્મહિત-વાંછક પંડિતકા કર્તવ્ય હૈ કિ વિપત્તિયોકે પડને પર ભી જિસ તરહ મનમેં અત્યધિક વિકાર ઉત્પન્ન ન હો ઉસ તરહ હી આચરણ કરના ચાહિયે. પ૫૭. (શ્રી સારમુચ્ચય)
કે મોક્ષના અર્થી એવા મને કોઈની પણ સાથે-મિત્ર-શત્રુ કે મધ્યસ્થ-નજીકમાં વર્તતા પ્રાણી સાથે કામ નથી. પ૫૮.
(શ્રી તત્ત્વજ્ઞાન-ત્તરંગિણી)
વૈરાગ્યવષ ]
૧૩૦ * ધર્મનું મુખ્ય ચિહ્ન આ છે કે જે જે ક્રિયા પોતાને અનિષ્ટ લાગતી હોય તે તે ક્રિયા અન્યને માટે મન-વચન-કાયાથી સ્વપ્નમાં પણ કરવી નહિ. ૫૫૯.
(શ્રી જ્ઞાનાર્ણવ) કે હે દુબુદ્ધિ પ્રાણી! જો અહીં તને કોઈ પણ પ્રકારે મનુષ્યજન્મ પ્રાપ્ત થઈ ગયો છે તો પછી પ્રસંગ પામીને પોતાનું કાર્ય (-આત્મહિત) કરી લે. નહિ તો જો તું મરીને કોઈ તિર્યંચ-પર્યાય પામીશ તો પછી તને સમજાવવા માટે કોણ સમર્થ થશે? અર્થાત્ કોઈ સમર્થ થઈ શકશે નહિ. પ૬૦. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* જીવોંકા આયુર્બલ તો અંજલિકે જલસમાન ક્ષણ ક્ષણમેં નિરંતર ઝરતા હૈ ઔર યૌવન કમલિનીકે પત્ર પર પડે હુએ જલબિંદુકે સમાન તત્કાલ ઢલક જાતા હૈ. યહ પ્રાણી વૃથા હી સ્થિરતાકી ઇચ્છા રખતા હૈ. પ૬૧.
(શ્રી જ્ઞાનાર્ણવ) કે ઐસા કોઈ શરીર નહીં જો ઇસને ન ધારણ કિયા હો, ઐસા કોઈ ક્ષેત્ર નહી હૈ કિ જહાં ન ઉત્પન્ન હુઆ હો ઔર ન મરણ કિયા હો, ઐસા કોઈ કાલ નહીં હૈ કિ જિસમેં ઇસને જન્મમરણ ન કિયે હોં, ઐસા કોઈ ભવ નહિ જો ઇસને પાયા ન હો, ઔર ઐસે અશુદ્ધ ભાવ નહીં હૈ જો ઇસકે ન હુએ હોં. ઇસ તરહ અનંત પરાવર્તન ઇસને કિયે હૈં. ૫૬૨. (શી પરમાત્મા કારા)
કે સારે સંસારમેં હોલી ખેલી જા રહી હૈ, સર્વત્ર ધૂલ ઉડ રહી હૈ, ઐસી સ્થિતિમેં બાહર જાનેવાલા બચ નહીં સકતા. જો અપને સ્થાન પર અપને આપમેં રહતા વહી બચ સકતા હૈ. પ૬૩.
(શ્રી બુધજન-સતસઈ) * જબ યહ પ્રાણી મોહકી સંગતિસે ઉન્મત્ત હોકર ઇન્દ્રિયોકે
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૩૨
૧૩૧
[ વૈરાગ્યવર્ધા આધીન આચરણ કરતા હૈ તબ યહ આત્મા હી અપને લિયે દુઃખોંકા કારણ હોતા હુઆ તેરા શત્રુ હો જાતા હૈ. પ૬૪.
(શ્રી સારસમુરિચય-ટીકા) * પ્રિયજનનું મૃત્યુ થતાં જે શોક કરવામાં આવે છે તે તીવ્ર અશાતાવેદનીયકર્મ ઉત્પન્ન કરે છે, જે આગળ (ભવિષ્યમાં) પણ વિસ્તાર પામીને પ્રાણીને સેંકડો પ્રકારે દુઃખ આપે છે; જેમ યોગ્ય ભૂમિમાં વાવવામાં આવેલું નાનકડું વડનું બીજ પણ સેંકડોં શાખાઓ સંયુક્ત વડવૃક્ષરૂપે વિસ્તાર પામે છે. તેથી જ આવો અહિતકારી તે શોક પ્રયત્નપૂર્વક છોડી દેવો જોઈએ. ૫૬૫. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* અરે જીવ! જિનવરને તારા મનમાં સ્થાપ, વિષય-કષાયને છોડ; સિદ્ધિમહાપુરીમાં પ્રવેશ કર, અને દુઃખોને પાણીમાં ડુબાડીને તિલાંજલિ દે. પ૬૬.
(શ્રી પાહુડદોહા). * જીવોકે મનોજ્ઞ વિષયોકે સાથ સંયોગ સ્વપ્નકે સમાન હૈ, ક્ષણમાત્રમ્ નષ્ટ હો જાતે હૈં. જિનકી બુદ્ધિ ઠગનેમેં ઉદ્ધત હૈ ઐસે ઠગોંકી ભાંતિ યે કિંચિત્કાલ ચમત્કાર દિખાકર ફિર સર્વસ્વ હરનેવાલે
(શ્રી જ્ઞાનાર્ણવ) * યહ જીવ અપને ભાઈ બધુઓકે સાથ સાથ નહીં જન્મતા હૈ, ન બધુઓકે સાથ સાથ મરતા હૈ. મૂઢ બુદ્ધિ માનવોંકા અપને બન્યું એવમ્ રિસ્તેદારોમે સ્નેહ વૃથા હી હૈ. પ૬૮. (શ્રી સારમુચ્ચય)
* સંસારી પ્રાણીઓંકી ગતિ ઉલ્ટી હોતી હૈ. આત્મ-અહિત હોને પર ભી વે પ્રસન્ન હોતે હૈ, હોલીમેં ફંસા દેતે હૈં, નાચતે હૈ ઔર લજજાકા પરિત્યાગ કર ભાંડ સમાન સ્વાંગ બનાતે હૈ. પ૬૯,
(શ્રી બુધજન-સતસઈ)
વૈરાગ્યવર્ધા ]
કે જે પોતાની આગલી-પાછલી વાતને (ભૂત-ભવિષ્યના પરિણામને) જાણતો નથી તે જ ભવસુખ (ઇન્દ્રિયવિષયો)ને માટે તલસે છે; જે પોતાની આગલી-પાછલી વાતને (ભૂત-ભવિષ્યના પોતાના અસ્તિત્વને) જાણે છે તે કદી સંસારની જરા પણ ચાહના કરતો નથી. પ૭૦.
(શ્રી નેમીનાર-વચનામૃત-રીતક) કે દેવાલયના પાષાણ, તીર્થનું જળ કે પોથીનાં સર્વે કાવ્યો વગેરે જે વસ્તુઓ ખીલેલી દેખાય છે તે બધી કાળરૂપી અગ્નિનું ઈધન થઈ જશે. ૫૭૧.
(શ્રી પાહુડ દોહા) કે જો સંસારકે ભ્રમણસે ઉદાસ હૈ તથા કલ્યાણમય મોક્ષકે સુખકે લિયે અત્યંત ઉત્સાહી હૈં વે હી સાધુઓકે દ્વારા બુદ્ધિમાન કહે ગયે હૈ, બાકી સબ જીવ અપને આત્માને પુરુષાર્થકો ઠગનેવાલે હૈ. ૫૭૨.
(શ્રી સારસમુચ્ચય) * ઇસ સંસારમેં પ્રાણીકી માતા તો મર કર પુત્રી હો જાતી હૈ ઔર બહિર મર કર સ્ત્રી હો જાતી હૈ. ઔર ફિર વહી સ્ત્રી મર કર આપકી પુત્રી ભી હો જાતી હૈ. ઇસી પ્રકાર પિતા મર કર પુત્ર હો જાતા હૈ તથા ફિર વહી મર કર પુત્રકા પુત્ર હો જાતા હૈ. ઇસ પ્રકાર પરિવર્તન હોતા હી રહતા હૈ, ૫૭૩. (શ્રી જ્ઞાનાર્ણવ)
* આશારૂપ અલંધ્ય અગ્નિમાં ધનાદિરૂપ ઈધનના ભારા નાખીને તે આશારૂપ અગ્નિને પ્રતિપળે વધારીને તેમાં નિરંતર બળવા છતાં પોતાને શાંત થયો માનવો એ જ ખરેખર જીવનો અનાદિ વિભ્રમ છે. ૫૭૪.
(શ્રી આત્માનુશાસન) * ધર્મનો સત્યાર્થ માર્ગ દેખાડનારા સ્વાધીન ગુરુનો સુયોગ મળવા છતાં પણ જેઓ નિર્મળ ધર્મનું સ્વરૂપ સાંભળતા નથી તે પુરુષો દુષ્ટ અને ધીઠ ચિત્તવાળા છે; તેમ જ ભવભયથી રહિત
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૩૩
[વૈરાગ્યવર્ધા સુભટ છે. ૫૭૫.
(શ્રી ઉપદેશ-સિદ્ધાંત-રત્નમાળા) પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુઃખ થવા અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે, માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખદુઃખ કરી શકે નહિ. તેથી હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. ૫૭૬.
(શ્રી સમયસાર) * જે કેટલાય રાજા ભૃકુટિની વક્રતાથી જ શત્રુઓને જીતી લે છે તેમના પણ વક્ષસ્થળમાં જેણે દૃઢતાથી બાણનો આઘાત કર્યો છે એવા તે પરાક્રમી કામદેવરૂપ સુભટને જે શાંત મુનિઓએ શસ્ત્ર વિના જ સહેલાઈથી જીતી લીધો છે તે મુનિઓને નમસ્કાર હો.
| (wી પદ્મનંદિ પંચવિશતિ) * પ્રશ્ન-:-સ્વ અને પરને છેતરનાર કોણ છે? ઉત્તર-:-માયા-છલકપટ (તે આત્મવંચિકા છે). પ૭૮.
(અપરા પ્રશ્નોત્તર રત્ન માલિકા) કે જે મનુષ્ય ઉત્પન્ન થયો છે તે મૃત્યુનો દિવસ આવતાં મરે જ છે, તે વખતે તેની રક્ષા કરનાર ત્રણે લોકમાં કોઈ પણ નથી. તેથી જે પોતાનું ઇષ્ટજન મૃત્યુ પામે ત્યારે શોક કરે છે તે મૂર્ખ નિર્જન વનમાં બૂમો પાડીને રુદન કરે છે. અભિપ્રાય એ છે કે જેવી રીતે જનશૂન્ય (મનુષ્ય વિનાના) વનમાં રુદન કરનારના રોવાથી કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી તેવી રીતે કોઈ ઇષ્ટજન મૃત્યુ પામતાં તેના માટે શોક કરવાવાળાને પણ કાંઈ પ્રયોજન સિદ્ધ થતું
વૈરાગ્યવષ ]
૧૩૪ નથી. પરંતુ તેથી દુઃખદાયક નવીન કર્મોનો જ બંધ થાય છે. ૫૭૯,
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * હે ભવ્ય! ઈધનના યોગથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને ઈધન વિના આપોઆપ બુઝાઈ જાય છે, પણ અનાદિ મોહાગ્નિ તો એટલો પ્રબળ છે કે તે પરિગ્રહાદિ ઈધનની પ્રાપ્તિમાં તૃષ્ણારૂપ વાળાથી અતિશય ભભુકે છે અને તેની અપ્રાપ્તિમાં પ્રાપ્ત કરવાની વ્યાકુળતાથી પ્રજ્વલે છે. આ રીતે અતિ પ્રબળ એવો મોહાગ્નિ બંને પ્રકારે જીવને બાળે છે તેથી મોહાગ્નિ જેવો આ જગતમાં બીજો કોઈ ભયંકર અગ્નિ નથી. ૫૮૦.
(શ્રી આત્માનુશાસન) * જો યહ કામકા દાહ હૈ સો અગ્નિકે સમાન બઢ જાતા હૈ જિસ કામકી આગમેં માનવકા યૌવન ઔર ધન હોમે જાતે હૈ, જલાદિયે જાતે હૈં. ૫૮૧.
(wી સારસમુચ્ચય) * આ એક મરણના અંતે થવાવાળી સંલેખના જ મારા ધર્મરૂપી ધનને મારી સાથે લઈ જવાને સમર્થ છે. એ રીતે ભક્તિ સહિત નિરંતર ભાવના કરવી જોઈએ. પ૮૨.
(શ્રી પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય) * ત્રણલોકના જીવોને નિરંતર મરતાં દેખીને પણ જે જીવ પોતાના આત્માનો અનુભવ નથી કરતા અને પાપોથી વિરક્ત નથી થતાં-એવા જીવોના ધીઠપણાને ધિક્કાર હો. ૫૮૩.
(શ્રી ઉપદેશ-સિદ્ધાંત રત્નમાળા) * દુઃખના કારણો મળતાં દુ:ખી ન થાય તથા સુખના કારણો મળતાં સુખી ન થાય પણ શેયરૂપથી તેનો જાણવાવાળો જ રહે. એ જ સાચો પરિષહજય છે. ૫૮૪. (શ્રી મોલમાપ્રકાશક)
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૩૬
૧૩પ
[વૈરાગ્યવર્ધા * હે જીવ! યહ શરીર તેરા શત્રુ હૈ, ક્યોંકિ દુઃખોકો ઉત્પન કરતા હૈ, જો ઇસ શરીરકા ઘાત કરે, ઉસકો તુમ પરમ મિત્ર જાનો. ૫૮૫.
(શ્રી પરમાત્મપ્રકાશ) * કષાયરૂપ વેરી નિર્વાણમાં જેટલું વિન કરે છે તેટલું વિદન કોઈ દુશ્મન કરતું નથી, અગ્નિ કરતી નથી, વાઘ કરતો નથી, કાળો સર્પ કરતો નથી, વેરી તો એક જન્મ દુઃખ આપે છે, અગ્નિ એકવાર બાળે છે, વાઘ એકવાર ભક્ષણ કરે છે, કાળો સર્પ એકવાર હસે છે, પણ કષાયભાવ અનંત જન્મમાં દુઃખ આપે છે.
(શ્રી ભગવતી આરાધના) * આત્માનો નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં કોઈ સમર્થ નથી. તેથી તત્ત્વજ્ઞાનીઓએ ક્યાંય પણ પરપદાર્થમાં રોષ કે તોષ ન કરવા જોઈએ. ૫૮૭.
શ્રી યોગસાર પ્રાભૃત) ખેડૂતે એક વર્ષ સુધી કેટલા-કેટલા કષ્ટો વેઠીને પ્રાપ્ત કરેલા અનાજને, ખળામાં અગ્નિનો એક તણખો આવી પડતાં તે બાળી નાખે છે તેમ ક્રોધરૂપી અગ્નિ, ઘણા લાંબા સમયના સાધુપણારૂપ સારભૂત વસ્તુને ક્ષણમાત્રમાં બાળી નાખે છે-નષ્ટ કરે છે. ૫૮૮.
(શ્રી ભગવતી આરાધના) * પાપકર્મ કે ઉદયસે મનુષ્ય બંધુ-બાંધવોકે મધ્યમેં રહતે હુએ ભી દુ:ખ ભોગતા હૈ ઔર પુણ્યકર્મ કે ઉદયસે શત્રુકે ઘરમેં રહકર ભી સુખ ભોગતા હૈ. જબ પુરુષકા ભાગ્યોદય હોતા હૈ તો વજયાત ભી ફૂલ બન જાતા હૈ ઔર ભાગ્યકે અભાવમેં ફૂલ ભી વજસે કઠોર હો જાતા હૈ. ૫૮૯. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* હું જ્યાં જ્યાં જોઉં ત્યાં સર્વત્ર આત્મા જ દેખાય છે, તો પછી હું કોની સમાધિ કરું ને કોને પૂજું? છૂત-અછૂત કહીને કોને
વૈરાગ્યવર્ધા ] તરછોડું? હરખ કે કલેશ કોની સાથે કરું? ને સન્માન કોનું કરું? પ૯).
(શ્રી પાહુડ દોહા) * જિસ પ્રકાર નીમકે વૃક્ષમેં ઉત્પન હુઆ કીડા ઉસકે કડુવે રસકો પીતા હુઆ ઉસે મીઠા જાનતા હૈ, ઉસી પ્રકાર સંસારરૂપી વિટામેં ઉત્પન હુએ થે મનુષ્યરૂપી કીડે સ્ત્રી-સંભોગસે ઉત્પન હુએ ખેદકો હી સુખ માનતે હુએ ઉસકી પ્રશંસા કરતે હૈં ઔર ઉસીમેં પ્રીતિ કો પ્રાપ્ત હોતે હૈં. ૫૯૧. (શ્રી આદિ પુરાણો
* મમતારૂપી લકડી અનેક પ્રકારસે આત્મામેં ચિંતારૂપી અગ્નિ લગા દેતી હૈ. યહ ચિંતારૂપી અગ્નિ આત્મામેં અનંતકાલસે જલ રહી હૈ. ઇસે સમતારૂપ જલક દ્વારા બુઝાયા જા સકતા હૈ. પ૯૨.
(શ્રી બુધજન-સતસઈ) કે આત્માના સ્વરૂપથી અજ્ઞાત પુરુષોને, શરીરમાં પોતાની અને પરની આત્મબુદ્ધિના કારણે પુત્ર-સ્ત્રી-આદિના વિષયમાં વિભ્રમ વર્તે છે. એ વિશ્વમથી અવિદ્યા નામનો સંસ્કાર દેઢ-મજબૂત થાય છે, જે કારણથી અજ્ઞાની જીવ જન્માત્તરમાં પણ શરીરને જ આત્મા માને છે. પ૯૩.
(શ્રી સમાધિતંત્ર) * મિથ્યાષ્ટિ જીવ આત્માના સ્વરૂપને ભૂલી જઈને કર્મબંધના સારા ફળમાં પ્રેમ કરે છે, ખરાબ ફળમાં દ્વેષ કરે છે તથા જ્ઞાન અને વૈરાગ્ય જે આત્માના હિતના કારણ છે તેને આત્માને દુઃખના આપનારા માને છે. પ૯૪.
(શ્રી છઢાળા) * હે દેવ! મને તારી ચિંતા છે, જ્યારે આ મધ્યાહ્નનો પ્રસાર વીતી જશે ત્યારે તું તો પોઢી જઈશ, ને આ પાલી સૂની પડી રહેશે. (આત્મા છે ત્યાં સુધી આ ઇન્દ્રિયોની નગરી વસેલી છે; આત્મા ચાલ્યો જતાં તે બધું સૂનકાર ઉજ્જડ થઈ જાય છે, માટે
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૩૭
[ વૈરાગ્યવર્ધા વિષયોથી વિમુખ થઈને આત્માને સાધી લે.) પ૯૫.
(શ્રી પાહુડ દોહા) * જેમ અગ્નિ ઈધન વડે તૃપ્ત થતી નથી, સમુદ્ર હજારો નદી વડે તૃપ્ત થતો નથી, તેમ સંસારી જીવ ત્રણલોકનો લાભ પ્રાપ્ત થાય તોપણ તૃપ્તિ પામતો નથી. ૫૯૬. (શ્રી ભગવતી આરાધના)
* જો કર્મકો મેં ઉદયમેં લાકર ભોગને ચાહતા થા વહ કર્મ આપ હી આ ગયા, ઇસસે મેં શાંતચિત્તસે ફલ સહન કર ક્ષય કરું, યહ કોઈ મહાન હી લાભ હુઆ. ૧૯૭. (શ્રી પરમાકાશ)
* મનુષ્યપર્યાયની એક એક ક્ષણ મોટા કૌસ્તુભમણિથી પણ કિંમતી છે. એમાં ચોરાશીની ખાણમાંથી નીકળવાનું કરવાનું છે. એક ક્ષણ ક્રોડો અને અબજો રૂપિયાથી પણ અધિક છે. ચક્રવર્તીના છ ખંડના રાજ્યથી પણ એક સમય થોડી મળે છે? એમાં (-મનુષ્યપર્યાયમાં) આ એક જ કરવા લાયક છે. ૧૯૮.
(દષ્ટિનાં નિધાન) કે તમે ભાગ્ય-ઉદયથી મનુષ્યપર્યાય પામ્યા છો તો સર્વ ધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન અને તેનું મૂળ કારણ તત્ત્વનિર્ણય તથા તેનું પણ મૂળ કારણ શાસ્ત્રાભ્યાસ, તે અવશ્ય કરવાયોગ્ય છે, પણ જે આવા અવસરને વ્યર્થ ગુમાવે છે તેમના ઉપર બુદ્ધિમાન કરુણા કરે છે. ૫૯૯.
(શ્રી સત્તાસ્વરૂપ) * શ્રીગુરુ ભગવાસી જીવોને ઉપદેશ આપે છે કે તમને આ સંસારમાં મોહનિદ્રા લેતાં અનંતકાળ વીતી ગયો; હવે તો જાગો અને સાવધાન અથવા શાંતચિત્ત થઈને ભગવાનની વાણી સાંભળો !કે જેનાથી ઇન્દ્રિયોના વિષય જીતી શકાય છે. મારી પાસે આવો,
વૈરાગ્યવષ ]
૧૩૮ હું કર્મકલંક રહિત પરમ આનંદમય તમારા આત્માના ગુણ તમને બતાવું. શ્રીગુરુ આવાં વચનો કહે છે તોપણ સંસારી મોહી જીવ કાંઈ ધ્યાન આપતા નથી, જાણે કે તેઓ માટીના પૂતળા છે અથવા ચિત્રમાં દોરેલાં મનુષ્ય છે. ૬00. (શ્રી નાટક સમયસાર)
* ઇસ સંસારરૂપી રંગભૂમિ પર યહ જીવ નાના પ્રકાર કે શરીરરૂપ વેષ ધારણ કર નટકી તરહ નાટ્ય-લીલા કરતા હૈ, જિસપ્રકાર રંગભૂમિમેં નટ અનેક પ્રકાર ચિત્ર-વિચિત્ર પાત્રોકે રૂપ ધારણ કર ઉન્હીં જૈસી ચેષ્ટા કરતા હૈ ઔર દર્શકલોગોનો વાસ્તવિકકી સી ભ્રાંતિ કરી દેતા હૈ, ઉસી પ્રકાર યહ જીવ ભી જન્મ-મરણરૂપ ઇસ સંસાર-રંગભૂમિ પર મનુષ્ય, તિર્યંચ, નરક, દેવ ઇન ગતિયોંમેં નાના પ્રકારકી એકેન્દ્રિયાદિ જાતિયોમેં જન્મ લેકર નાના પ્રકારથી શુભ-અશુભભાવરૂપ ચેષ્ટા કરતા હુઆ અપને પૂર્વોપાર્જિત નાના પ્રકારકે કર્મોના સુખ-દુઃખ ફલ ભોગતા હુઆ ભ્રમણ કરતા હૈ ઉસ સમય ઉસસે તન્મય હોકર મેં ઉસ પર્યાયરૂપ હી હૈં ઐસા ભ્રમસે માનતા હૈ. ૬૦૧.
શ્રી સુભાષિતરત્નસંદોહ) * હમણાં તો મોટર-ટ્રેઈન-પ્લેન આદિના અકસ્માતથી કેટલાય માણસો મરી ગયાનું સંભળાય છે. આંખ ખૂલે ને સ્વપ્ન ચાલ્યું જાય, તેમ દેહ અને ભવ ક્ષણમાં ચાલ્યો જાય છે. હાર્ટફેઈલ થતાં ક્ષણમાં નાની-નાની ઉંમરમાં ચાલ્યા જાય છે. અરે ! આ સં....સા...૨! નરકમાં અનાજનો દાણો પણ ન મળે, પાણીનું બિંદુ ન મળે તે પ્રતિકૂળતાનો પાર નહીં એવી સ્થિતિમાં અનંતવાર ગયો પણ ત્યાંથી નીકળ્યો ત્યાં બધું ભૂલી ગયો. એનો જરા વિચાર કરે તો એ બધાં દુઃખથી છૂટવાનો રસ્તો શોધે. અહા! આવો માનવભવ મળ્યો છે અને આવું સત્ય સમજવાનો જોગ મળ્યો છે
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૪)
૧૩૯
[ વૈરાગ્યવર્ધા એમાં પોતાના આત્માનું હિત કરી લેવા જેવું છે. ૬૦૨.
(દષ્ટિનાં નિધાન) * હે જીવ! આમ છે અને તેમ છે એમ ઘણું કહેવાથી શું સિદ્ધિ છે? આ સંસારમાં પરિભ્રમણ કરતાં તે આવા શરીર તો અનંતવાર મેળવ્યાં અને છોડ્યાં. ટૂંકામાં એટલું જ કહેવાનું કે જીવને શરીર (શરીર પ્રત્યેની મમત્વબુદ્ધિ) એ જ સર્વ આપત્તિનું સ્થાન છે. ૬૦૩.
(શ્રી આત્માનુશાસન) * આ જન્મ-મરણરૂપ સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતો જીવે મનુષ્યપર્યાય પામે છે અથવા નથી પણ પામતો અર્થાત્ તેને તે મનુષ્યપર્યાય ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. જો કદાચ તે મનુષ્યભવ પ્રાપ્ત પણ કરી લે છે તોપણ નીચ કુળમાં ઉત્પન્ન થવાથી તેનો તે મનુષ્યભવ પાપાચરણપૂર્વક જ નષ્ટ થઈ જાય છે. જો કોઈ પ્રકારે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો તોપણ ત્યાં તે કાં તો ગર્ભમાં જ મરી જાય છે અથવા જન્મ લેતી વખતે મરી જાય છે અથવા બાલ્યાવસ્થામાં પણ શીવ્ર મરણ પામી જાય છે; તેથી પણ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. પછી જો આયુષ્યની અધિકતામાં તે ધર્મ પ્રાપ્ત થઈ જાય તો તેના વિષયમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો જોઈએ. ૬૦૪. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* (દિનપ્રતિદિન બનતાં દેહવિલયનાં ક્ષણભંગુર પ્રસંગો સાંભળીને વૈરાગ્યભર્યા શબ્દોમાં પૂજય ગુરુદેવશ્રી કહે છે કે, હે ભાઈ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે. દેહનો સંયોગ તો વિયોગજનિત જ છે. જે સમયે આયુષ્યની સ્થિતિ પૂર્ણ થવાની છે તે સમયે તારા કોટિ ઉપાયો પણ તને બચાવવા સમર્થ નથી. તું લાખ રૂપિયા ખર્ચ કે કરોડ ખર્ચ, ગમે તો વિલાયતનો ડૉકટર ભાવ પણ આ બધું
વૈરાગ્યવર્ષ ] છોડીને તારે જવું પડશે. દેહવિલયની આવી નિયત સ્થિતિને જાણીને તે સ્થિતિ આવી પડે તે પહેલાં જ તું ચેતી જા. તારા આત્માને ૮૪ના ફેરામાંથી બચાવી લે. આંખ મીંચાયા પહેલાં જાગૃત થા. આંખ મીંચાયા પછી કયાં જઈશ તેની તને ખબર છે? ત્યાં કોણ તારા ભાવ પૂછનાર હશે? તો અહીં, લોકો આમ કહેશે ને સમાજ આમ કહેશે ને સમાજ તેમ કહેશે એવી મોહની ભ્રમજાળમાં ગૂંચવાઈને તારા આત્માને શા માટે ગૂંગળાવી રહ્યો છે? ૬૦૫.
| (દષ્ટિનાં નિધાન) * અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય! હે ભાઈ! અહીં સંસારના જે દુઃખો બતાવ્યાં તેનો અનુભવ તને થાય છે કે નહિ? તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂહાપણું દર્શાવ્યું છે તેમ જ છે કે નહિ? તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં જ સુખ થાય એ વાત બરાબર છે કે નહિ? એ બધું વિચાર! જો ઉપર કહ્યા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય કહીએ છીએ તે કર! વિલંબ ન કર! એ ઉપાય કરતાં તારું કલ્યાણ જ થશે. ૬૦૬. (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક)
Page #76
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ધા
વૈરાગ્યવષ ]
વૈરાગ્યવાણી [ મૃત્યુ-શયામાં પડેલાં મુમુક્ષુને અમૃતસંજીવનીનું સિંચન ]
છ-છ અઠવાડીયા સુધી હંમેશા વડિલશ્રી હીરાચંદ માસ્તર સાહેબને ઘેર પધારીને પરમ પૂજ્ય ગુરુદેવશ્રી અત્યંત કૃપાદૃષ્ટિ પૂર્વક પ્રસંગોચિત્ જે સંબોધન કરતાં હતાં તે આત્માર્થી મુમુક્ષુ માટે એક અપૂર્વ માર્ગદર્શન અને મૃત્યુ સમયે ભેદજ્ઞાનની ભાવનાની અત્યંત જાગૃતિનું કારણ હોઈ આ “વૈરાગ્યવાણી”ના સંકલનને
વૈરાગ્યવર્ષા”ના સંકલનની સાથે જોડતાં સોનામાં સુગંધ જેવો એક સુયોગ થયો છે. “વૈરાગ્યવાણી”ના આ સંકલનને “વૈરાગ્યવર્ષા” સાથે જોડવાની અનુમતિ આપવા બદલ માસ્તર સાહેબના પરિવારનો અત્યંત આભાર માનીએ છીએ.
-સંકલનકાર
રફ મોહ ટાળજો હું સીમંધરનાથજી! મોહ ટાળજો, સુખદ એહવો ધર્મ આપજો, પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. જગત-નાથજી! દર્શ આપજો, સુખદ એહવી ભક્તિ આપજો, પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. જગત તાતજી! કષ્ટ કાપજો, સુખદ એહવું સ્વરૂપ આપજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. પરમ નાથજી! દુઃખ કાપજો, અચલ એહવે શર્મ આપજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. પરમ દેવ રે! વ્યાધિ કાપજો, અચલ એહવી શાંતિ આપજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું, અચલ દેવ રે! શત્રુ વારજો, શરણ તાહરું સર્વદા હજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. વિપત્તિ દાસની સર્વ કાપજો, ચરણ-પદ્રની સેવના હજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું,
Page #77
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ધા
[૧].
મૃત્યુ તો એકવાર થવાનું જ છે માટે જ દેહનું લક્ષ છોડીને અમૃતસ્વરૂપ આત્મા ઉપર દૃષ્ટિ મૂકવા જેવું છે.
-પૂજ્ય ગુરુદેવ
T પ્રથમ સપ્તાહ, તા.૨૯-૯-૬૩ થી ૪-૧૦-૬૩ ]
ધર્માત્મા-સન્તોનું દર્શન કોઈપણ પરિસ્થિતિમાં મુમુક્ષુ જીવને ઉત્સાહિત કરે છે....ધર્માત્માને દેખતાં જ એનાં દેહદુઃખ ને જીવનદુઃખ બધુંય એકવાર તો ભૂલાઇ જાય છે. મોટા મોટા ડોકટરોની દવા જે દર્દને નથી દબાવી શકતી, તે દર્દ ધર્માત્માના એક જ વચનથી ભૂલાઈ જાય છે. એક કવિએ ગઝલમાં સાચું જ કહ્યું છે કે
જગતમાં જન્મવું મરવું નથી એ દરદનો આરો; તથાપિ શાંતિદાતા બે હકીમો સંત ને તીર્થો. સદા સંસારનો દરિયો તૂફાની ફેની અંધારો; દીવાદાંડીસમાં બે ત્યાં અડગ છે સંત ને તીર્થો. મહાભાગ્યે આપણને એવા હકીમો અને અડગ દીવાદાંડી સમા સન્તોનાં દર્શન-વચનનો લાભ પ્રાપ્ત થયા છે...એમાંય અંતિમ પળે તેઓશ્રીની ઉપસ્થિતિ અને તેઓની ઉત્સાહપ્રેરક વૈરાગ્યવાણી બધા જીવોને માટે ખૂબ ઉપકારી છે. તેથી અહીં એ વૈરાગ્યવાણીનું સંકલન મુમુક્ષુઓ માટે કર્યું છે.
માસ્તરસાહેબ હીરાચંદભાઈની માંદગી પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રી દર્શન દેવા પધારતાં માસ્તરસાહેબે ભક્તિભાવથી ગદગદ થઈને
વૈરાગ્યવર્ધા ]
૧૪૪ કહ્યુંઃ પધારો....પધારો....મારા તારણહાર નાથ પધારો, આપે પધારીને મને શિયાળામાંથી સિંહ બનાવ્યો.
ગુરુદેવ કહે: માસ્તર, તમે તો ઘણું સાંભળ્યું છે તે બધાને ઘણું સમજાવતાં. અત્યારે તો બસ, હું જ્ઞાનાનંદસ્વરૂપ છું એનું લક્ષ રાખવું; શરીરનું તો થવાનું હશે તે થશે. આ ચૈતન્યની શક્તિના ગર્ભમાં પરમાત્મા બિરાજે છે-તેનું સ્મરણ કરવું.
ગુરુદેવના આ વચનો સાંભળીને માસ્તરસાહેબે કહ્યું કે આ રીતે વારંવાર દર્શન દેવા પધારવાની મારી વિનંતિ છે.-જે સ્વીકારતાં સૌને ઘણી પ્રસન્નતા થઈ હતી. પછી માંગલિક સંભળાવીને ગુરુદેવ કહેઃ આ તો મૃત્યુ-મહોત્સવ છે, જિંદગીના શુભભાવના ફળમાં સ્વર્ગમાં જવાનું છે ને ત્યાંથી સીમંધર ભગવાન પાસે જાજો....દેહ છૂટે તો છૂટવા ઘો, આત્મા તો અનાદિ અનંત છે.
માસ્તરસાહેબ- રાત્રિ ભયંકર જાય છે, વેદના ને કળતર થાય છે.
ગુરુદેવ કહે- એ શરીરની અવસ્થા છે, એનું લક્ષ ભૂલી જવું; આત્માનું કરવું. આત્માના જ્ઞાન-આનંદના વિચારમાં ચડી જવું. નરકમાં ૩૩-૩૩ સાગરોપમ સુધી ઘોર વેદના જીવે સહન કરી છે. શરીરનો સ્વભાવ ફરશે નહિ, માટે આપણે સમતા રાખવી. “હું તો ચૈતન્યસ્વરૂપ જ્ઞાન છું” એમ ફડાક દઇને પરથી ભિન્ન ચૈતન્યમાં દૃષ્ટિ વાળી લેવી. પછી શરીરનું થવાનું હોય તે થાય. શરીરમાં નવી નવી વ્યાધિ થયા કરે છે.'-પણ ભાઈ! ઊંટના તો અઢારેય વાંકા!....આ શરીરના પરમાણુ સ્વયં કર્તા થઈને એવી દશારૂપે પરિણમી રહ્યા છે. મૃત્યુ તો એકવાર થવાનું છે...એમાં જ્ઞાનસ્વરૂપની દૃષ્ટિ વગર કલ્યાણ નથી.
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૪૫
[વૈરાગ્યવર્ધા શરીરનો અધ્યાસ ઘણા કાળનો છે, માટે ભિન્નતાનો વિચાર કરવો....અત્યારે નિવૃત્તિનો વખત છે. કંઈક નવું કરવું. દેહનું લક્ષ છોડીને ચૈતન્યના અમૃત ઉપર દૃષ્ટિ મૂકવા જેવું છે.
માસ્તર કહે : હું ભાગ્યશાળી છું કે મને રોજ આપનાં દર્શન થાય છે; મને હવે અમરમંત્ર આપો.
ગુરુદેવ કહે : અંદરની ગુપ્ત ગૂફામાં અખંડ આનંદમૂર્તિ આત્મા બેઠો છે, તે અમર છે. એનું લક્ષ કરવું. શરીરનું તો થયા કરે. એક માણસને આઠ આઠ વર્ષ સુધી એવો રોગ રહ્યો કે શરીરમાં ઈયળો પડેલી...એમાં શું છે? દૃષ્ટિ ત્યાંથી ખેંચી લેવી. આપણે તો આત્માના અસ્તિત્વ વગેરે ગુણોનો વિચાર કરવો. આત્મા આનંદકંદ છે.
દીપચંદજી શેઠિયા નીચેની પંક્તિ બોલ્યાશાંતિ સમરમેં કભી ભૂલકર...ધૈર્ય નહીં ખોના હોગા, વજ પ્રહાર ભલે નિતપ્રતિ હો...દઢજીવી હોના હોગા, આત્મકાર્યથી સુંદર ગઠડી ચિત્ત પર રખ ઢોના હોગા, હોગી નિશ્ચય જિત આત્મકી યહી ભાવ ભરના હોગા.
ગુરુદેવ કહે : આપણે તો આત્માનું સંભાળવાનું છે. આ શરીરનો રોગ તો ઠીક, પણ મુખ્ય રોગ આત્માનો છે. “આત્મશ્રાંતિ સમ રોગ નહિ...' એ અનાદિનો રોગ છે તે મટાડીને આત્માનું સારું કરવાનું છે. “આત્મા શુદ્ધ-બુદ્ધ-ચૈતન્યઘન છે...” બસ, એના જ વિચાર કરવા. ગભરાવું નહિ; આ પોતાનું હિત કરવાનો ટાઈમ છે. આત્મા સહજાનંદમૂર્તિ છે-એનો વિચાર કરવો.
આત્મા અસંખ્યપ્રદેશી, અખંડ, અનંતગુણનું ધામ છે, સમયે
વૈરાગ્યવષ ]
૧૪૬ સમયે જે પરિણામ થાય તેનો તે જોનાર-જાણનાર છે. એ જ સમાધિનો મંત્ર છે. આનંદઘનજી કહે છે કે “જિત-નગારા વાગ્યા...' આવો મનુષ્યદેહ મળ્યો; સત્સમાગમનું આવું સાધન મળ્યું,-પછી શું છે ? બસ, જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના ભાવવી...ઉત્સાહ રાખવો...
ગુરુદેવની આવી વાણીથી સૌને ઉત્સાહ જાગતો ને વૈરાગ્યની હિંમત આવતી. માસ્તર પણ ઉત્સાહમાં આવીને બોલ્યા કે : હું બહાદુર છું. આપના વચનથી ઘણી હિંમત આવે છે. ગુરુદેવ કહે: શરીરમાં રોગાદિ તો આવે, અંદરમાં બહાદુર થતાં શીખવું જોઈએ. જુઓને, આત્મા તો દેખનારો, જ્ઞાન-શાંતિનું ધામ છે...અંદર કફ રહી ગયો તેનોય જાણનાર છે. કોઈની પર્યાય કોઈમાં જાય નહિ ને કોઈની પર્યાય કોઈમાં આવે નહિ. સૌ પોતપોતાની પર્યાયમાં પડ્યા છે. શરીરને આત્મા અડતોય નથી, ખાલી કલ્પના કરે છે કે આમ કરું તો આમ થાય. શરીરમાં રોગ આવે ને બધું થાય, અંતરમાં આત્માનો પુરુષાર્થ કરવાનો છે. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે- તેનું ભાન કરવું એ જ ખરો મંત્ર છે. રાગથી પણ રહિત છે ત્યાં દેહની શી વાત?--એવા શુદ્ધ નિરંજન ચૈતન્યનો વિચાર કરવા જેવો છે, તેને લક્ષમાં લઈને તેનું મનન કરવા જેવું છે. બાકી આ દેહની ચિંતા કરવાથી કાંઈ તેનું નથી મટવાનું; એનું લક્ષ કરવાથી કે એના વિચાર કરવાથી કાંઈ એ મટવાનું નથી. તેમાં ધીરજ રાખવી ને આત્માના વિચારમાં મન પરોવવું. તેમાં જ શાંતિ છે. બહારનું કાંઈ ધાર્યું થોડું થાય છે? એ તો પરમાણુની પર્યાય છે. શરીર શિથિલ થઈ ગયું ને દેહ છૂટવાનાં ટાણાં આવ્યા...હવે દુશ્મન સામે તૈયાર થઈ જાવ...રાગ અને મોહરૂપી દુશ્મન સામે કમ્મર કસો...હું તો સિંહ જેવો છું એમ પુરુષાર્થ શું કરવા ન
Page #79
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યવષ ]
[૨]
ભાઈ! શરીર તારું કહ્યું નથી માનતું તો તેના ઉપર પ્રેમ શા માટે કરે છે?
-પૂજ્ય ગુરુદેવ
૧૪૭
| [ વૈરાગ્યવર્ધા થાય ? માસ્તરસાહેબે ગુરુદેવના ચરણસ્પર્શ કરીને કહ્યું-: ગુરુદેવ ! મારા ઉપર આવી કરુણા ચાલુ રાખજો.
તા. ૩-૧૦૬૩ની સાંજે પૂજ્ય ભગવતી બેનશ્રી-બહેન પણ પધાર્યા હતા. બંને બહેનોને દેખીને માસ્તરસાહેબે પ્રસન્નતાથી કહ્યું : પધારો...માતાજી પધારો! આપે મારા ઉપર ઘણી કરુણા કરી. બેનશ્રીબેન કહે : તમે તો ગુરુદેવ પાસેથી ઘણું સાંભળ્યું છે,ઘણા વરસથી સાંભળ્યું છે તેનું રટણ કરવું. રોગની વેદના કાંઈ આત્મામાં થતી નથી, આત્મા તો જાણનાર છે-એનું લક્ષ રાખવું. હું ને દેહ જુદા છીએ, જ્ઞાન અને શાંતિનો પિંડ મારો આત્મા છે -તેનું ગ્રહણ કરવું. ગુરુદેવે ઘણો ઉપદેશ આપ્યો છે તે વારંવાર વિચારવું. આત્માનું રટણ કરવું, તે જ કરવાનું છે. “હું જાણનાર છું, મારામાં વેદના નથી, દુઃખ નથી, વ્યાધિ નથી; હું જ્ઞાન ને આનંદનો પિંડ છું.’ તમે તો ઘણું સાંભળ્યું છે ને ઘણાને શિખડાવ્યું છે; પોતે પોતાનું કામ કરવું. જાગૃતિ રાખવી; શાંતિ રાખવી. એમની પાસે સૌએ ગાવું, ભક્તિ કરવી ને ધર્મની વાતો કર્યા કરવી. તમે તો ગુરુદેવના શરણમાં આવ્યા છો....આ તો આરાધનાનો કાળ આવ્યો છે, માટે એના વિચાર કરવા. કોઈ સંભળાવે, ન સંભળાવે, પણ પોતે પોતાનું રટણ ચાલું રાખવું.
(બીજું સપ્તાહ, તા. ૬-૧૦-૬૩ થી ૧૨-૧૯૬૩)
ગુરુદેવ વૈરાગ્યનો ઉત્સાહ જગાડતાં કહે છે કે : ભાઈ, શરીરમાં ફેરફાર થાય તેમાં આત્માને શું ? વિકલ્પ ને ચિંતા કરવાથી શું મળે છે? ચિંતા શરીરને કામ આવે તેમ નથી, તેમ ચિંતા આત્માનેય કામ આવે તેમ નથી. આમ બંને બાજુથી તે નિરર્થક છે. શરીર થોડું જ કાંઈ તારું માનવાનું છે? આનંદ ને શાંતિ બધું આત્મામાં છે, બાકી આ ધૂળના ઢીંગલામાં કાંઈ નથી; મફતનો આમથી આમ, ને આમથી તેમ કર્યા કરે છે. શરીર તો છોડીને જવાનું છે, તે કાંઈ રહેવાનું નથી.
અરે, આ શરીર તારું કહ્યું માનતું નથી તો તેની સાથે પ્રેમ શું કરવા કરે છે? પોતાનું માને નહિ એના ઉપર પ્રેમ શેનો? શરીરમાં આત્માનું ધાર્યું થાય નહિ. શરીરની ક્રિયા તે જડની ક્રિયા છે. જુઓને, સમયસાર વગેરેની ટીકામાં છેલ્લે આચાર્યદેવ કહે છે કે આ ટીકાના શબ્દોની રચના એ પરમાણુથી બનેલી છે, તે મારું કાર્ય નથી. જ્યાં ટીકા લખવાની આવી સ્થિતિ...ત્યાં આ તો ઠેઠ કયાં આવ્યું!
ગુરુદેવ પધારતાં માસ્તરસાહેબે લાગણીપૂર્વક ઘણો ઉપકાર માન્યો...ગુરુદેવે કહ્યું-: આજે પ્રવચનમાં આવ્યું હતું કે આત્મા
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૫૦
૧૪૯
[ વૈરાગ્યવર્ધા અંદર એકલો અબંધસ્વરૂપ છે. અંતર્મુખ થઈને તેમાં જેટલો રોકાયા તેટલો જ લાભ છે, શુભાશુભ વિકારમાં રોકાયેલો છે તેટલું નુકશાન છે. બાકી તો બહારમાં જેમ છે તેમ છે. આ શરીરની સ્થિતિ જુઓ ને! સંસાર એવો જ છે. પણ વસ્તુ તારાથી તદ્દન જુદી, તેમાં તું શું કરે?
શરીર નબળું પડ્યું......પણ જે આપણી સામું થાય, જે આપણું ધાર્યું ન કરે તેના સામે શું જોવું? આ શરીર તો આડોડિયું છે. એ તો ઊંટના અઢારે અંગ વાંકા જેવું છે. એની તો ઉપેક્ષા કરવા જેવી છે કે જા, તારા સામે હું નથી જોતો! જેમ ઘરમાં કોઈ સામું થાય, આડોડાઈ કરે તો તેની સાથે વ્યવહાર શું કરવો? તેને ઘરમાં કોણ રાખે? તેમ શરીર તો આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળું છે, એ ઘડીકમાં ફરી જાય ને આડું ચાલે, એની સાથે સંબંધ શું કરવો? એનું લક્ષ તોડી નાખવું. અંદર રાગ રહિત આત્મા ચૈતન્યસૂર્ય બિરાજે છે તેની સામે જો. દેહની અનુકૂળતામાં કે રાગમાં આનંદ માને છે તે તો દુઃખ છે; ચૈતન્યસ્વભાવ આનંદરૂપ છે તેનું લક્ષ
વૈરાગ્યવષ ] પણ ભાઈ! જ્યાં તારા શરીરના પરમાણુ ફરવા માંડ્યા ત્યાં તેને કોણ રોકે? કાં જ્ઞાતા રહીને જાણ...ને કાં વિકલ્પ કરીને દુઃખી થા. પોતાના અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે ગુણો પોતામાં પ્રણમી રહ્યા છે; તેનો બરાબર વિચાર કરવો. શરીરનું થવાનું હશે તે થયા કરશે. - પૂજ્ય બેનશ્રીબેન પધારતાં માસ્તરસાહેબે પ્રસન્નતાથી કહ્યું: પધારો માતા! અમે તો આપનાં બાળક છીએ. પૂજ્ય બેનશ્રીબેને બંનેએ કહ્યું-: માસ્તર, તમે તો ગુરુદેવના શરણમાં ઘણા વર્ષો જીવન ગાળ્યું છે; દેવ-ગુરુનું ને આત્માનું સ્મરણ કરવું. ભાવના સારી રાખવી. રોગ તો અનેક જાતના આવે, સનતકુમાર ચક્રવર્તી જેવાનેય કેવા રોગ આવ્યા હતા! પણ આત્મામાં રોગ કયાં છે ? રોગ પરદ્રવ્ય છે. મારો આત્મા ચૈતન્ય છે, જ્ઞાન-આનંદનો પિંડ છે- એવું રટણ કરવું. આ તો વિચાર-મનન કરવાનું ટાળ્યું છે, તેનો પ્રયત્ન કરવો. આનંદમાં રહેજો ને આત્માનું સ્મરણ કરજો. ગુરુદેવે ઘણું સંભળાવ્યું છે.
માસ્તર કહે : મારું મન ગુરુદેવના શરણમાં છે; ગુરુદેવે ઘણું આપેલ છે. બીજે દિવસે ગુરુદેવ પધારતાં માસ્તર કહે : સાહેબ, આપના બતાવેલા પંથે ઠેઠ સુધી પહોંચવું છે. ગુરુદેવ કહે : અંદર બરાબર વિચાર કરવો. આત્માના વિચારમાં રહેવું. આત્મા પુણ્ય -પાપથી ભિન્ન ને દેહથી ભિન્ન એકલો ચૈતન્યકંદ આનંદધામ છે. બસ, એકલો....એના જ વિચાર, વિચાર ને વિચાર, ‘કર વિચાર તો પામ!'-આત્મસિદ્ધિમાં કહ્યું છે ને?
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. -આવા વિચાર-મનન કરે એ બધું સાથે લઈને જાય.
ગુરુદેવની આ વાત સાંભળીને માસ્તરસાહેબે પ્રમોદથી જયકાર કર્યો હતો.
શુદ્ધ જ્ઞાનરૂપી આત્મા આ દેહદેવળમાં સંતાણો છે. ભાવનગરના ભાવસિંહજી દરબારનો દાખલો આપીને ગુરુદેવે કહ્યું કે છાતીમાં બળખો ચોંટી જાય તેને બહાર કાઢવાની આત્માની શક્તિ નથી. ડૉકટરને ઘણું કહે કે એ દાક્તરસા'બ! આ છોકરાવ નાના છે, એને એની માએ તો મૂક્યા છે ને આ બાપ વિનાના રઝળી પડશે હો! આ છાતીમાં એક બળખો છે તે કાઢી ધો ને!
Page #81
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ષા
બીજાને ઘણું શીખવ્યું, આ પોતાને શીખવાના ટાણાં આવ્યા; ભેદજ્ઞાનના પ્રયોગ કરવાના ટાણાં આવ્યા છે. જેમ કસરત કરે છે ને! તેમ અત્યારે આત્મા ને શરીરના જુદાપણાની કસરત કરવાના ટાણાં આવ્યા; કહ્યું છે ને કે
૧૫૧
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किलकेचन । तस्यैवाभावतो बद्धाः बद्धा ये किलकेचन ।।
જેટલા સિદ્ધ થયા છે તે બધાય ભેદજ્ઞાનથી જ એટલે કે રાગથી ભિન્નતા ને ચૈતન્ય સાથે એકતા કરીને જ સિદ્ધ થયા છે.એના અભ્યાસના આ ટાણા આવ્યા છે.
પરમાણુની પર્યાયમાં તેના ઉત્પાદ્ વખતે ઉત્પાદ્ ને વ્યય વખતે વ્યય. આત્મા તેમાં શું કરે?-કાં જ્ઞાન કરે ને કાં અભિમાન કરે? શરીર અને આત્મા અત્યંત જુદા, એકબીજાને અડતા પણ નથી. આ શરીર તો માટીનું કલેવર ને ભગવાન આત્મા અમૃતનો પિંડ. અમૃતસ્વરૂપ ચૈતન્યઘન ભગવાન આત્મા પોતાને ભૂલીને મૃતક કલેવરમાં મૂર્છાણો!-એમ સ.ગા. ૯૬માં આચાર્યદેવે આ શરીરને (અત્યારે જ) મૃતક કલેવર કહ્યું છે.
અરે, આ તો નિવૃત્તિ મળી છે. વિશેષ સ્વાધ્યાય-વિચારનું ટાણું છે. અરે, આ તો શું વ્યાધિ છે? નરકની પીડા તો કેટલી? છતાં ત્યાં પણ વિચાર કરીને જીવો આત્માનું ભાન પામે છે. ભગવાન આત્મા ચૈતન્યમંદિર છે, તેના વિચારમાં કોણ રોકનાર છે?
માસ્તર કહે-: સાહેબ, ત્રણે પડખેથી મને તો વ્યાધિએ ઘેરો
ઘાલ્યો છે.
વૈરાગ્યવર્ધા ]
૧૫૨
ગુરુદેવ કહે-: અરે, પણ આ બીજી બાજુ આખો આત્મા બેઠો છે ને?-એ શુદ્ધ જ્ઞાન-આનંદના ચૈતન્ય સામર્થ્યથી ભરેલો મોટો વાઘ જેવો તે બકરાંને ભગાડી મૂકે. એની સામે જોતાં જ આ વ્યાધિનું લક્ષ ભૂલાઈ જાય. આવા તો કંઈક રોગ આવે ને જાય, તેનાથી જુદું પોતાનું સામર્થ્ય રાખીને ભગવાન આત્મા અંદર બેઠો છે એના વિચાર કરવા.
©
પ્રભુ એવું માગું છું જ
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રહે ચરણ કમળમાં ધ્યાન પ્રભુ એવું માગું છું. તારું મુખડું પ્રભુજી હું જોયા કરું, રાતદિવસ ભજન તારા બોલ્યા કરું,
શ્વાસે શ્વાસે રહે તારું નામ....પ્રભુ એવું માગું છું....
મારા પાપ ને તાપ સમાવી દેજો,
તારા ભક્તને શરણમાં રાખી લેજે.
રહે અંત સમય તારું ધ્યાન...પ્રભુ એવું માગું છું....
મારી આશા નિરાશા કરશો નહિ,
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ. આપી દેજે સમિતના દાન...પ્રભુ એવું માગુંછું... નિર્વિકલ્પ દશામાં છૂટે પ્રાણ....પ્રભુ એવું માગું છું.
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૫૩
[ વૈરાગ્યવર્ધા
[૩]
શરીર તો અચેતન-પુદ્ગલનો પિંડ છે; હું તેનો કર્તા કે આધાર નથી; એનો મને પક્ષપાત નથી; તેનું થવું હોય તે થાઓ....હું તો મારામાં મધ્યસ્થ છું.
(ત્રીજું સપ્તાહ, તા. ૧૩-૧૦-૬૩ થી તા. ૧૯-૧૦-૬૩)
શ્રી માસ્તરને મહાવિદેહ સંબંધી સ્વપ્ન આવેલ; તે ઉપરથી ગુરુદેવે કહ્યું : આ શરીર તો હવે ઘસારા ઉપર છે એ ખ્યાલમાં રાખવું ને આખો દિવસ સારા વિચાર રાખવા. સ્વર્ગમાં જઈને ભગવાન પાસે જવું છે એવી ભાવના રાખવી. ઘણા વખતથી જે સ્વાધ્યાય કરી છે તેના વિચાર કરવા. આજે વ્યાખ્યાનમાં આવ્યું હતું કે આસવને તોડી પાડનારો આ ધનુર્ધર-સમ્યગ્દષ્ટિબાણાવળી ભેદજ્ઞાનના ટંકાર કરતો ફડાક-ફડાક દેહ-મન-વાણીને અને રાગને ભેદીને આત્માથી ભિન્ન કરે છે. આવા ભેદજ્ઞાનનો વારંવાર વિચાર કરવો. ધનુષ્યના ટંકાર કરતો ભગવાન આત્મા જાગ્યો ત્યાં રાગ ભાગ્યો...દેહ તો ક્યાંય બહાર રહી ગયો! દેહ ચીજ જ જુદી છે; તેને ને તારે શું સંબંધ છે?
બીજે દીવસે ગુરુદેવ પધારતાં માસ્તરે કહ્યું : કોટિ કોટિ નમસ્કાર ! મિથ્યાત્વ-અંધકારનો નાશ કરનાર ગુરુદેવનો જય હો. ગુરુદેવે કહ્યું : શરીર નબળું પડતું જાય છે પણ આત્મામાં સબળાઈ રાખવી. આત્મામાં સબળાઈ છે તેનો (-આત્માની અનંત શક્તિનો) વિચાર કરવો, ને દેહની આડે ભિન્નતાની પાળ બાંધી દેવી. અંદર
વૈરાગ્યવષ ]
૧૫૪ ચૈતન્યબાદશાહ બિરાજે છે તે મહા ચૈતન્ય પરમેશ્વર છે, તેના વિચાર-મનન કરવા.
બહારનો ખોરાક તો આત્માનો નથી. આત્મા નિત્યાનંદ ભોજી છે...જે ભેદજ્ઞાન છે તે સદાય આનંદનો સ્વાદ લેનારું છે. એ જ આત્માનું સાચું ભોજન છે-આ નહિ. જુઓ, આ ધનતેરસનું ભોજન. શરીર તો જે છે તે છે. અંદર ભગવાન આત્મા આનંદનો દરિયો છે. આનંદ આત્મામાં છે તેની રુચિ અને વિશ્વાસ ઘૂટવા જોઈએ. આત્માને અને આસવ ભાવોનેય જ્યાં એકતા નથી ત્યાં દેહ સાથે તો એકતાની વાત જ શી?
(આસો વદ અમાસ :) આજે દીવાળી છે. આત્માની દીવાળી કેમ કરવી? કે આત્માના સ્વ-કાળને અંદરમાં વાળીને સમ્યક શ્રદ્ધાજ્ઞાનના દીવડા પ્રગટાવવા તે ખરી દિવાળી કહેવાય; આત્મા પરઘરમાં જાય છે તેને સ્વઘરમાં લાવવો તે દીવાળી. જુઓને, આજે ભગવાન મહાવીર મોક્ષમાં પધાર્યા...હવે સમશ્રેણીએ જે સ્થાનમાં ગયા ત્યાં સિદ્ધાલયમાં સાદિ-અનંતકાળ સુધી...અનંતકાળ સુધી એક જ સ્થાનમાં પૂર્ણાનંદપણે એમને એમ રહેવાના. સંસારભ્રમણમાં તો ઘડીકમાં અહીં ને ઘડીકમાં બીજી ગતિમાં, -અહીંથી ત્યાં ભ્રમણ થતું, એક સ્થાને સ્થિરતા ન હતી; હવે આત્મા પોતામાં પૂરો સ્થિર થતાં બહારમાં પણ સાદિ-અનંત એક જ ક્ષેત્રે સ્થિર રહે છે : ‘અપૂર્વ-અવસર’ની ભાવનામાં પણ આવે છે ને? કે
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો... -આવું યાદ કરીને ભાવના તેની ભાવવા જેવી છે. આ શરીર
Page #83
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યવષ ]
૧૫૬
[૪]
મરણટાણે જિંદગીના અભ્યાસનો સરવાળો આવે છે; એ વખતે ભેદજ્ઞાનપૂર્વક કે તેની ભાવનાપૂર્વક શાંતિથી દેહ છોડે તેનું ડહાપણ સાચું.
-પૂજ્ય ગુરુદેવ
૧૫૫
[વૈરાગ્યવર્ધા તો રોગનું ઘર છે. એમાંથી આત્મા જેવો ભિન્ન છે તેવો કાઢી લેવો. પહેલાં દૃષ્ટિમાં ને જ્ઞાનમાં એને જુદો તારવી લેવો.
માસ્તરને ઢીલા દેખીને ગુરુદેવે કહ્યું : આત્મામાં તો વીરતા ભરેલી છે, આ મોળાશ કેમ થઈ જાય છે? આત્મા તો વીર છે. શરીર જવાની તૈયારી હોય તો રાખવાનું શું કામ છે? આત્માને શરીર જોઈતું નથી, તે જતું હોય તો ભલે જાય. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે ને? કે
એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો... આત્માને શરીર જોઈતું નથી ને સિંહ ખાઈ જતા હોય તો ભલે લઈ જાય...મુનિને ક્ષોભ થતો નથી...એ તો જાણે મિત્ર મળ્યો! આવી અપૂર્વદશા ક્યારે આવશે તેની ભાવના ભાવી છે. સંસાર છે એ તો....શરીરનું હાલ્યા જ કરે....ખરું તો આત્માનું કરવાનું છે.
બેસતાં વર્ષે ગુરુદેવે માંગલિક સંભળાવ્યું. જ્ઞાનસૂર્ય તે મંગલ પ્રભાત છે; દેહ તો જીર્ણ થાય છે. અંદર રાગદ્વેષને જીર્ણ કરવા.
(ચોથું સપ્તાહ, તા. ૨૦-૧૦૬૩ થી ૨૭-૧૦-૬૩)
શરીર નબળું પડવા માંડ્યું પણ આત્મામાં બેહદ સામર્થ્ય છે.... ‘જ્ઞ’ સ્વભાવ....સર્વજ્ઞસ્વભાવ....બેહદસ્વભાવથી આત્મા ભરેલો છે; જેનો “જ્ઞ' સ્વભાવ તેને જાણવામાં વળી હદ શી! જગતને મરણની બીક છે પણ જ્ઞાનીને તો આનંદની લહેર છે. મરણ કોનું? આત્મવસ્તુ શાશ્વત છે એનું ભાન થયું ત્યાં મરણનો ભય નીકળી ગયો. જન્મ કોણ ને મરે કોણ? શરીર અને આત્માની ભિન્નતાનો જે અભ્યાસ કર્યો તેના પ્રયોગના આ ટાણા છે. સં. ૧૯૬૬માં મોરબીના ડાહ્યાભાઈની એક નાટક મંડળી હતી તે મીરાંબાઈ વગેરેના નાટક પાડતી; પછી જયારે એ ડાહ્યાભાઈને છેલ્લું ટાણું આવ્યું ત્યારે તે પોતાને સંબોધીને કહે છે કે “ડાહ્યા! તારું ડહાપણ જાણું-જો અત્યારે શાંતિ રાખ તો!' એટલે જિંદગીમાં નાટક પાડીને બીજાને તો બહુ બોધ આપ્યો પણ હવે મરણ ટાણે તું તારી શાંતિમાં રહે તો તારું ડહાપણ સાચું. (આ એક લૌકિક દૃષ્ટાંત છે.) તેમ મરણના ટાણા આવે ત્યારે ભેદજ્ઞાનપૂર્વક તેની ભાવનાપૂર્વક શાંતિથી દેહ છોડે તેનું ડહાપણ સાચું. મરણ ટાણે જિંદગીના અભ્યાસનો સરવાળો આવે છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૫૭
[વૈરાગ્યવર્ધા સામે આસવ-યોદ્ધો છે ને અહીં જ્ઞાનયોદ્ધો છે; સમ્યગ્દષ્ટિબાણાવલી ભેદજ્ઞાનરૂપ તીરવડે આસ્રવીને જીતી લે છે. આવા જ્ઞાનનો વિચાર કરવો. જીભના પરમાણુમાં ચીકાસ-લૂખાસ થાય તે તેનો સ્વભાવ છે. આત્મા સિવાય બીજું કાંઈ શરણ નથી. આ તો આસ્રવ સામેનો સંગ્રામ છે; સંગ્રામ માટે આત્માને તૈયાર રાખવો.
ગુરુદેવ પધારતાં ને તેમના ઉત્સાહપ્રેરક વચનો સાંભળતાં માસ્તરે આનંદ વ્યક્ત કર્યો. ગુરુદેવે કહ્યું : માસ્તર, હવે તો આ શરીર રાજીનામું આપે છે,ભલે જાય; આત્મા તો અવિનાશી એકલો છે. જુઓને, બેનોએ એકવાર (કુમારી શારદાની માંદગી પ્રસંગે) વૈરાગ્યથી ગાયું હતું ને! (આમ કહીને ગુરુદેવે ઘણા વૈરાગ્યરસથી નીચેનું પદ યાદ કર્યું-).
આતમરામ અવિનાશી આવ્યો એકલો જ્ઞાન અને દર્શન છે તારું રૂપ જો... બહિરભાવો સ્પર્શ કરે નહિ આત્માને,
ખરેખરો એ જ્ઞાયક વીર ગણાય જો... આ ગીત યાદ કરીને પછી ગુરુદેવે કહ્યું કે આત્મા તો અવિનાશી છે. ૧૯૯૩ની સાલમાં ખુશાલભાઈ જ્યારે બહુ માંદા હતા ત્યારે બહેનો ભાવનગર ગયા હતા ને કહ્યું હતું કે ખુશાલભાઈ 'આત્મા તો અવિનાશી છે...’ આ બહેનોના શબ્દ છે..બસ, એક જ વાત! જુઓ તો ખરા, આવો આત્મા ઓળખે તેને જ્ઞાયકવીર કહેવાય. આ વીરતાના મારગ છે.
આત્મા ક્યાકંથી એકલો આવ્યો એ બધા કુટુંબકબીલા ભેગા થયા...પાછા વીખેરાઈ જવાના; શરીરના પરમાણુ પણ વીખરાઈને
વૈરાગ્યવષ ]
૧૫૮ છૂટા પડી જશે. તેમ આ બધું પંખીમેળા જેવું છે. શરીરના રજકણો ભેગા થયા ને તેનો કાળ પૂરો થતાં વીંખાઈ જશે. ચૈતન્યતત્ત્વ એકલું છે તે અવિનાશી છે. બાકી આ સંયોગમાં કાંઈ નથી.
આત્માના વિચાર રાખવા....આત્મા છે તે જ્ઞાન છે. યોગસારમાં કહે છે કે “સર્વ જીવ છે જ્ઞાનમય.’ આત્મસિદ્ધિમાં પણ આવે છે કે સર્વ જીવ છે સિદ્ધસમ.’ જ્ઞાનમય તે જ આત્મા છે. બાકી બીજી બધી લપ છે, તે તો આવે ને જાય. શરીર પણ આવે ને જાય; રાગ પણ આવે ને જાય. આત્મા કાયમ જ્ઞાન...જ્ઞાન....જ્ઞાનપણે રહે છે.-આમ જાણવું તેમાં ખરો સમભાવ છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા.-એવો અવિનાભાવ છે. રાગ વગરનો આત્મા હોય પણ જ્ઞાન વગરનો આત્મા ન હોય. હેડમાસ્તર શ્રી રતિભાઈએ કહ્યું ઃ આવા વિચાર તે જ ખરી દવા છે. ગુરુદેવે ઘણી સારી દવા આપી છે.
આત્મા પરમાં ને વિકલ્પમાં રખડે છે તે પોતાના સ્વભાવઘરમાં આવીને રહે તે ખરૂં વાસ્તુ કહેવાય. આજે પ્રવચનમાં અલિંગગ્રહણની વાત આવી; આત્મા ઇન્દ્રિયોથી ન જાણે; અને ઇન્દ્રિયોથી તે જણાય પણ નહિ. જ્ઞાનથી આવો આત્મા જણાય છે; તે પોતાના અંદરમાં જ છે પણ ‘મારા નયનોની આળસે રે...મેં નીરખ્યા ન હરિને જરી....” નજર કરનારો પોતામાં નજર ન કરે ને પરમાં દેખ્યા કરે-તેમાં શાંતિ ક્યાંથી મળે? અત્યારે તો નિવૃત્તિ મળી છે. કામ કાંઈ નહિ ને પીડા પણ કાંઈ નહિ. અત્યારે અંદરમાં વિચારમનન કરવા.
દેહ સુકાઈ જાય, એ તો ક્ષણભંગુર છે. એક માણસને ભાષણ કરતાં કરતાં દેહ છૂટી ગયો. એક દાખલો આવે છે કે
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૫૯
[ વૈરાગ્યવર્ષા શૂરવીર રાજા હાથી ઉપર બેઠો છે, સામેથી બાણ છૂટે છે ને શરીર વીંધાઈ જાય...પણ પડતો નથી, અંતે દેહ નહિ ટકે એમ લાગતાં હાથીના હોદ્દે બેઠો બેઠો જ સંયમભાવનામાં ચડી જાય છે...તેમ પ્રતિકૂળતા ને પરિષદોના બાણ ઉપર બાણ આવે તોપણ પુરુષાર્થ પૂર્વક તેની સામે ઊભો રહીને ધર્મી તે ઝીલ્યા કરે...પોતાના માર્ગથી ડગે નહિ જ્ઞાનસ્વરૂપ આત્મા આનંદમૂર્તિ એકલો છે તેનું લક્ષ વારંવાર યૂટવું....એનો દોર બાંધી લેવો. જેમ કરોળીયો પાણીમાં ચાલી ન શકે એટલે પોતાની લાળથી લાળનો દોર બાંધીને તેના ઉપર સડસડાટ ચાલ્યો જાય....તેમ ચૈતન્યની રુચિનો દોર બાંધી લીધો હોય તો આત્મા સડસડાટ તે માર્ગે ચાલ્યો જાય. શરીરના રજકણો તો ક્યાંકથી આવ્યા...ને હવે ચાલવા માંડ્યા. બરાબર સરખા પરિણામ રાખીને જવું. “ભગવાન”નું લક્ષ રાખવું, અંદરમાં ભગવાન પોતાનો આત્મા; ને બહારમાં સીમંધર ભગવાન; -તે ભગવાન પાસે જવાનું લક્ષ રાખવું.
ઉપયોગ બરાબર રાખવો; સાવચેત રહેવું. દેહનું તો થવું હોય તે થાય; શરીરને શું કરવું છે? કાળરૂપી સિંહને એ જોઈતું હોય તો ભલે લઈ જાય.-તેમાં આત્માને શું? જોકે કટોકટીનો કાળ
જ્યારે આવે ત્યારે કામ તો આકરું છે, પણ સમતા રાખવી, શરીરમાં શાતા હોય ત્યારે આકરું ન લાગે પણ બરાબરની અશાતા આવે ને પ્રતિકૂળ પ્રસંગ હોય ત્યારે તેની સામે ઝઝૂમવા આત્માને ઘણો પુરુષાર્થ જોઈએ. હું તો જ્ઞાન છું, મારે ને જડ શરીરને શું સંબંધ છે? એવા લક્ષે સમતા રાખવી. બાકી આ તો બધું ક્ષણમાં પલટાઈ જશે. ભવ પલટતાં અહીંના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું ક્ષણમાં બદલાઈ જશે. શરીર બદલાઈ જશે, કાળ બદલાઈ જશે, ભવ પલટી જશે ને ભાવ પણ બદલાઈ જશે. આખું
વૈરાગ્યવર્ષા ]
૧૬૦ ચક્ર પલટી જશે. શરીરનું ચક્ર તો ચાલ્યા જ કરશે, આત્મા તેને
ક્યાં પ્રણમાવી શકે છે? રાજકોટમાં જેચંદભાઈ ફોજદારને છેલ્લી સ્થિતિ વખતે માંગલિક સંભળાવ્યું ત્યારે તેણે પૂછ્યું કે મહારાજ ! આ તમે બોલ્યા તેનો અર્થ શું? તે સમજાવો. પછી માંગલિકનો અર્થ કર્યો કે આત્માની પવિત્રતાને પમાડે ને મમકારને ગાળે તેવા ભાવને માંગલિક કહે છે. ઇત્યાદિ અર્થો સાંભળીને તેઓ ખુશી થયા; ને તે જ રીતે ગુજરી ગયા.
અરિહંતપ્રભુએ કહેલાં ભાવને આત્મામાં ધારી રાખવો, દેહથી ભિન્ન ને રાગથી ભિન્ન એવા આત્મભાવને ધારણ કરવો તે ધર્મ છે, તે મંગળ છે. ધવલામાં શ્રી વીરસેનસ્વામી કહે છે કે આત્મદ્રવ્ય પોતે મંગળરૂપ છે, તું પોતે મંગળ છો. ચિદાનંદ છો. ચિદાનંદ વરૂપી ભગવાન આત્મા અનાદિ અનંત મંગળરૂપ છે. રાગ હો, પણ આત્મા તેનો જાણનાર છે-આવા આત્માના વિચારમાં રહેવું. આત્મા જ્ઞાન-આનંદમય, ને રાગથી તદ્દન ભિન્ન-તેનો વિચાર, તેનું મનન ને મંથન કરવા જેવું છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ધા
[૫]
શરીરમાં ખખડાટ થાય તેના ઉપર લક્ષ ન કરતાં જ્ઞાનાનંદ સ્વરૂપનું લક્ષ કરવું...ભિન્નતાની ભાવના રાખવી....સ્વસત્તાવલંબી ઉપયોગ તે આત્માનું સ્વરૂપ છે તેના વિચાર કરવા. -પૂજ્ય ગુરુદેવ
વૈરાગ્યવષ ]
૧૬૨ વસ્તુ છે, શ્રીમદ્ રાજચંદ્રમાં “સહજાત્મવરૂપ પરમગુરુ, અને સર્વજ્ઞદેવ પરમગુરુ” ઇત્યાદિ આવે છે, એવો પોતાનો સર્વજ્ઞસ્વભાવી આત્મા તે જ પરમદેવ ને પરમગુરુ છે. આત્મા પોતાના સર્વજ્ઞસ્વભાવનો જ સ્વામી છે. જડ શરીરનો સ્વામી આત્મા નથી. જડનો સ્વામી તો જડ હોય; ચેતન ચેતનનો સ્વામી હોય. સર્વજ્ઞસ્વભાવી આત્મા ઇન્દ્રિયોથી કે એકલા અનુમાનથી જણાઈ જતો નથી, સ્વસમ્મુખતાથી જ તે જણાય તેવો છે. અંદર પોતામાં આખી વસ્તુ પડી છે, તેમાં ‘કરણ' નામનો સ્વભાવ છે તેથી તે પોતે જ સાધન થઈને પરિણમે છે; બીજું સાધન કયાં હતું?
એક વસ્તુની બીજી વસ્તુ જરા પણ નથી. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં (પોતપોતાના ગુણપર્યાયમાં) મગ્ન છે, ત્યાં કોણ કોનું
(પાંચમું સપ્તાહ, તા. ૨૮-૧૦૬૩ થી ૪-૧૧-૬૩)
શરીરમાં નબળાઈ થઈ જાય, ઇન્દ્રિયો મોળી પડે-તેથી કાંઈ આત્માને વિચારદશામાં વાંધો આવતો નથી. આત્મા કાંઈ ઇન્દ્રિયથી નથી જાણતો; તેમ જ ઇન્દ્રિયો વડે તે જણાતો નથી. આત્મા તો જ્ઞાનમૂર્તિ છે, તે જ્ઞાનથી જ (-ઇન્દ્રિયજ્ઞાન નહિ પણ અતીન્દ્રિયજ્ઞાનથી) જણાય છે. “શુદ્ધબુદ્ધચૈતન્યન” એ ગાથા કાલે કહી હતી તે યાદ રાખીને તેના વિચાર કરવા. દેહની સ્થિતિ પોતાના અધિકારની વાત નથી પણ અંદરના વિચાર તે પોતાના અધિકારની વાત છે. પોતાનું સ્વરૂપ કેમ પમાય-એના જ વિચારનું રટણ રાખવું.
અરે, અત્યારે તો જુઓને! ભણેલાં પણ ‘જીવીત શરીરથી ધર્મ થાય’ એમ માનીને આ મૃતક કલેવરમાં મૂર્ણાઈ પડ્યા છે. અમૃતસ્વરૂપ ભગવાન આત્મા પોતે પોતાને ભૂલીને જડ-કલેવરમાં મોહિત થયો છે,-તેની ક્રિયાને તે પોતાની માને છે.-શું થાય!
શરીરની હાલત શરીર સંભાળશે, પોતે પોતાના વિચારમાં રહેવું. આત્મા સહજ ચિદાનંદસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી છે, તે પરમ
આ શરીર તો ધર્મશાળા જેવું છે. આત્માને તેમાં રહેવાની મુદત છે. મુદત પૂરી થતાં અવિનાશી આત્મા બીજે ચાલ્યો જશે. અરે, અવિનાશી આત્માને વારંવાર આવા ઘર બદલવા પડે એ તે કાંઈ શોભે છે!
તા. ૩૧ ના રોજ ગુરુદેવ પધારતાં શ્રી માસ્તરસાહેબે કહ્યું : ગુરુદેવ! આપે તો નિર્વાણમાર્ગનો ડંકો વગાડ્યો છે! આપની વાણીનો સીધો લાભ મળે એવી ભાવના રહ્યા કરે છે. ગુરુદેવે કહ્યું આજે તો ભેદજ્ઞાનની વાત આવી હતી; આત્માના પવિત્રસ્વરૂપમાં રાગ નથી, ને રાગમાં આત્માનું પવિત્ર સ્વરૂપ નથી. બંને ચીજ જ જુદી. આવા ભેદજ્ઞાનના વિચાર તે આત્માનો ખોરાક છે, આત્માનો ખોરાક બહારમાં કયાં છે? માટે આત્માના જ વિચાર રાખવા.
શરીર તો ફટફટીયા જેવું છે, તેમાં તો ખખડાટ જ હોય ને?
Page #87
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યવષ ]
૧૬૪ ઉપયોગમાં બરાબર જાગૃતિ રાખવી. “શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ...” એના વિચાર રાખવા. હમણાં તો વ્યાખ્યાન સૂક્ષ્મ આવે છે. આત્માના ઉપયોગલક્ષણમાં કોઈ આવરણ નથી, મલિનતા નથી; આવરણવાળો કે મલિનતાવાળો જે ઉપયોગ તેને આત્માનું ખરું લક્ષણ કહેતા નથી. આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે, ઇન્દ્રિયો દ્વારા તે સુખદુઃખનો ભોક્તા નથી. દુઃખ તો ક્ષણિક કૃત્રિમ વિકાર છે, ને આનંદ આત્માનો ત્રિકાળ શાશ્વત અકૃત્રિમ સ્વભાવ છે માટે આનંદસ્વભાવની દૃષ્ટિમાં આત્મા દુઃખનો ભોક્તા નથી. આવો આત્મા લક્ષમાં લ્યું ત્યાં મરણની બીક કેવી?
જગતને મરણ તણી બીક છે પણ જ્ઞાનીને તો આનંદની હેર.
૧૬૩
[વૈરાગ્યવર્ધા શાંતિ તો આત્માના સ્વરૂપમાં છે, તેનો પ્રેમ કરવો. આત્માનો પ્રેમ છોડીને પરભાવનો પ્રેમ કરવો તે આત્મા ઉપરનો મોટો ક્રોધ છે. શરીરમાં ખખડાટ થાય તેના ઉપર લક્ષ ન કરવું. જ્ઞાનપરિણતિનો આધાર કાંઈ રાગ નથી. રાગ સાથે કે દેહ સાથે જ્ઞાનપરિણતિને શું સંબંધ છે? શરીર આમ રહે તો ઠીક ને આમ રહે તો અઠીક-એવું કાંઈ આત્મામાં નથી. શરીરની જે પર્યાય થાય છે તે યથાયોગ્ય જ છે. તેનાથી ભિન્નતાની ભાવના રાખવી. ભિન્ન જ છે, જુદો....તે....જુદો.
શરીર પડે તો પડો....તે તો પડવાનું છે જ; આત્મા ક્યાં નાશ થવાનો છે. આત્મા અનાદિ છે; ખોળિયું બદલે તેથી કાંઈ આત્મા બીજો થઈ જતો નથી. વિભાવમાં સ્વભાવ નહિ ને સ્વભાવમાં વિભાવ નહિ. જ્ઞાનમાં રાગ પણ નથી, પછી શરીર તો ક્યાં રહ્યું? કર્મ કે નોકર્મ પણ જ્ઞાનમાં નથી. સંવર અધિકારમાં એ વાતનું સરસ ભેદજ્ઞાન કરાવ્યું છે. અરે, પરસત્તાને અવલંબતો પરાલંબી ઉપયોગ પણ નિશ્ચયથી આત્માનું સ્વરૂપ નથી; સ્વસત્તાને અવલંબનારો સ્વાલંબી ઉપયોગ તે જ ખરો આત્મા છે. આ બધું ઘણું સાંભળ્યુંવાંચ્યું-વિચાર્યું તેને હવે પ્રયોગમાં મૂકવાનો અવસર છે.
| (તા.૩) શ્રી ગુરુદેવ પધારીને કહે છે કે આજે અલિંગગ્રહણમાં આત્માની સરસ વાત હતી. આત્માના નિરાલંબી ઉપયોગને કોઈ હરી શકતું નથી. શરીરમાં રોગ આવે કે બીજી કોઈ પ્રતિકૂળતા આવે તેનામાં એવી તાકાત નથી કે આત્માના ઉપયોગને હણી નાખે. કોઈથી હણાય નહિ એવા શુદ્ધ-ઉપયોગસ્વરૂપ આત્મા છે, શુભાશુભ પરિણામ સ્વરૂપ ખરેખર આત્મા નથી. આત્માના વિચાર આવા રાખવા.
Page #88
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ધા
હું તો જ્ઞાન છું એવી શ્રદ્ધાથી જ્ઞાની વજપાત થાય તોપણ ડગતા નથી ને નિજસ્વરૂપની શ્રદ્ધાને છોડતા નથી. શરીર ભલે મોળું પડે પણ આત્માના ભાવ તેજ રાખવા.
-પૂજ્ય ગુરુદેવ
(અંતિમ સપ્તાહ, તા. પ-૧૧-૬૩ થી ૧૧-૧૧-૬૩)
જ્ઞાનનું અચિંત્ય માહામ્ય છે. અનંત આકાશને ને અનંતકાળને જ્ઞાન ગળી જાય છે. અનંત-અમાપ આકાશના પૂરા અસ્તિત્વનો નિર્ણય શ્રુતજ્ઞાન પણ કરી લે છે, તો રાગરહિત પૂર્ણજ્ઞાનમાં કેટલી તાકાત હશે!! આવા આવા તો અનંતગુણની તાકાતવાળું દ્રવ્ય અંદર પડ્યું છે.-એના વિચારમાં રહેવું. આ શરીરનું માળખું તો હવે રજા માગે એવું છે. ચૈતન્ય તો નક્કરપિંડ છે, ને આ શરીર તો ખોખું છે.
ભેદજ્ઞાન વડે દારૂણ વિદારણ કરીને-ઉગ્ર પુરુષાર્થ વડે રાગને આત્માથી અત્યંત જુદો કરવો. મારા જાગૃત ચૈતન્યસ્વરૂપમાં રાગ નથી, ને રાગમાં ચૈતન્યનો પ્રકાશ નથી. રાગ નથી ચૈતન્યદ્રવ્યનો, નથી ગુણનો, કે જડનો.-એની તો ત્રિશંકુ જેવી દશા થઈ. રાગ તો અદ્ધરનો ક્ષણિકભાવ છે, એના મૂળિયા કાંઈ ઊંડા નથી.
નમ: સમીરસરા' એ મંગળ શ્લોકમાં આચાર્યદેવે શુદ્ધ આત્માનું અસ્તિત્વ તેનો જ્ઞાનગુણ તેની સ્વાનુભૂતિરૂપ નિર્મળદશા અને કેવળજ્ઞાનનું સામર્થ્ય-એ બધું બતાવી દીધું છે એક શ્લોકમાં
વૈરાગ્યવર્ષા ] ઘણું ભરી દીધું છે. આવા વિચારમાં રહેવું. બહારમાં તો થવું હોય તેમ થશે.
(તા. ૮) શ્રી માસ્તરે ભક્તિથી કહ્યું : ગુરુદેવ! આપે મારા ઉપર ઘણી કૃપા કરી છે, આપનો ઘણો ઉપકાર છે. ગુરુદેવે વૈરાગ્યથી કહ્યું : જુઓને સંસારની સ્થિતિ : રાજકોટના મૂળજીભાઈ આજે એકાએક હાર્ટફેઇલથી ગૂજરી ગયા. રાજકોટમાં માનસ્તંભ અને સમવસરણ માટે તેમને ઘણી હોંશ હતી-પણ દેહની સ્થિતિનું તો આવું છે-માટે તૈયારી કરીને જાગૃત રહેવું. સમયસારમાં કહે છે કે ઘોર-પ્રચંડ કર્મ ઉદયમાં આવવા છતાં ધર્મજીવ પોતાના સ્વરૂપથી ડગતા નથી; સાતમી નરકની વેદના પરિષહ વચ્ચે પણ સમકિતી ધર્માત્મા નિજસ્વરૂપની શ્રદ્ધાને છોડતા નથી. “હું જ્ઞાન છું' એવી શ્રદ્ધાથી જ્ઞાની વજપાત થાય તોપણ ડગતા નથી-અહીં તો શું પ્રતિકૂળતા છે? જડમાં ફેરફાર થાય તેમાં આત્માને શું છે? સંસાર તો આવો જ છે. કોઈને જીર્ણ શરીર હોય છતાં લાંબો કાળ ટકે, કોઈને સારું શરીર હોય છતાં ક્ષણમાં ફૂ થઈને ઊડી જાય. આ દેહના શા ભરોસા? મૂળજીભાઈ કહેતા : મહારાજસાહેબ! અમારે તો મોટું કામ છે ને મોટો મહોત્સવ કરવો છે. માસ્તર પણ પ્રવચન મંડપમાં બેઠા જ હોય ને નવા નવા માણસોને કંઈક શીખવતા હોય.-હવે તો આત્માનું કામ કરવાનું છે. શરીરની શક્તિ તો ભલે મોળી પડે..પણ આત્માનાં ભાવ તેજ રાખવા.
આત્માનો સ્વભાવ સ્વસહાય છે, પોતે જ પોતાનું શરણ છે; બીજે કયાંય શરણ નથી, બીજું કોઈ સહાયક નથી. આત્મા સિવાય બીજે કયાંય નજર નાખે શરણ મળે તેમ નથી. ચૈતન્યસ્વભાવ સામે નજર કરીને તેનું શરણ કરવું. સ્વશરણ એ જ સહાય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૬૭
[ વૈરાગ્યવર્ધા માસ્તર કહે-: સાહેબ, મને આપનું શરણ છે.
પૂજ્ય ગુરુદેવ કહે-ખરું તો પોતાનું શરણ છે. બીજું કોણ શરણ થાય? શરીરના રજકણો ફરવા માંડ્યા ત્યાં સગાંવહાલાં તો પાસે ઊભા ઊભા જોતાં રહે...બીજું શું કરે? જગતમાં કોઈ શરણ નથી. ચૈતન્યનું ધ્યાન રાખવું. ચૈતન્યચિંતન એ એક જ ઉદ્ધારનો રસ્તો છે. બીજા કોઈ રસ્તે ઉદ્ધાર નથી.
મૂળજીભાઈને છેલ્લે દિવસે હુમલો આવ્યો ત્યારે બીજી વાતને બદલે તેમણે કહ્યું કે બસ, હવે એક ધર્મની જ વાત કરો. એમને લાગણી ને ઉત્સાહ ઘણો હતો. છેલ્લી સ્થિતિનો ખ્યાલ આવતાં માનસ્તંભના ફાળામાં ચાલીશને બદલે પચાસ હજાર કરવાનું તેમણે પોતાની મેળે કહ્યું ને ઘરમાં બધાને ધર્મની ભલામણ કરી ગયા. શરીરનું તો આવું છે, માસ્તર! માટે આત્માનું લક્ષ રાખવું. બીજું બધું લક્ષ ભૂલી જવું.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ,
બીજું કહીએ કેટલું! કર વિચાર તો પામ. એનું લક્ષ રાખવું ને એના જ વિચારે ચડી જવું. અંદર મોટો ચૈતન્યભગવાન બેઠો છે, તેનું જ લક્ષ-વિચાર-મનન કરવા, બહારમાં લક્ષ જાય તો તરત અંદર ખેંચી લેવું.
[ તા. ૧૧-૧૧-૬૩, અંતિમ દિવસ ] આજે માસ્તર હીરાચંદભાઈની સ્થિતિ વધુ ગંભીર જણાતાં શ્રી રતિલાલભાઈ બપોરે ગુરુદેવને બોલાવવા આવેલા. પ્રવચન પછી ગુરુદેવ પધાર્યા અને કહ્યું-શ્વાસની ગતિ ફરી ગઈ છે. માંગલિક સંભળાવ્યું....શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન...વગેરે બોલ્યા...આ પ્રસંગે
વૈરાગ્યવષ ]
૧૬૮ મુમુક્ષુમંડળના ઘણા ભાઈબહેનો તેમજ પૂજ્ય બેનશ્રીબેન પણ ત્યાં ઉપસ્થિત હતાં. ગુરુદેવના સૂચનથી ‘શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન’.....વગેરે પદો બોલ્યા; એ પ્રસંગનું વાતાવરણ વૈરાગ્યથી ગંભીર હતું.
આતમરામ અવિનાશી આવ્યો એકલો, જ્ઞાન અને દર્શન છે તારું રૂપ જો... બહિર ભાવો તે સ્પર્શે નહિ આત્માને,
ખરેખરો એ જ્ઞાયકવીર ગણાય જો... દેહ છતાં જે ની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણીત. અહો, અહો! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો! અહો! ઉપકાર. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર-ધ્યાન.
શ્રી રતિભાઈએ માસ્તરસાહેબને સાકરનું છેલ્લું પાણી પાયું...ને તેમને બોલાવતાં હોંકારો આપેલો. છેલ્લી ઘડી આવી...એક તરફ બધા ‘સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ’ એ ધૂન બોલતા હતા. ગુરુદેવે નમસ્કારમંત્ર સંભળાવ્યો. માસ્તરના કુટુંબીજનો શરણું સંભળાવતા હતા : અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, સીમંધર ભગવાનનું શરણ...પંચ પરમેટ્ટીનું શરણ, આત્માનું શરણ, જૈનધર્મનું શરણ, સદ્ગુરુદેવનું શરણ...
થોડીવારમાં ગુરુદેવે પાસે ઊભેલા ડૉકટરને માસ્તરની નાડ જોવાનું કહ્યું, તો નાડ બંધ પડી ગઈ હતી. ડૉકટરે કહ્યું હવે કાંઈ નથી.
ગુરુદેવે કહ્યું : ચૈતન્ય ચાલ્યો ગયો.
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૬૯
[ વૈરાગ્યવર્ષા
આ રીતે ગુરુદેવની વૈરાગ્યવાણીનાં શ્રવણપૂર્વક અને દેવગુરુના શરણની ભાવનાપૂર્વક શ્રી હીરાચંદભાઈ માસ્તર સ્વર્ગવાસ પામ્યા.
છ
ગુરુદેવ પ્રત્યે ક્ષમાપના-સ્તુતિ છે
ગુરુદેવ! તારા ચરણમાં ફરી ફરી કરું હું વંદના, સ્થાપી અનંતાનંત તુજ ઉપકાર મારા હૃદયમાં.૧. કરીને કૃપાદૃષ્ટિ, પ્રભુ! નિત રાખજો તુમ ચરણમાં, રે! ધન્ય છે એ જીવન જે વીતે શીતળ તુજ છાંયમાં.૨. ગુરુદેવ! અવિનય કંઈ થયો, અપરાધ કંઈ પણ જે થયા, કરજો ક્ષમા અમ બાળને, એ દીનભાવે યાચના.૩. મન-વચન-કાય થકી થયા જાણ્યે-અજાણ્યે દોષ જે, કરજો ક્ષમા સૌ દોષની, હે નાથ! વિનવું આપને.૪. તારી ચરણ સેવા થકી સૌ દોષ સહેજે જાય છે, ક્રોધાદિ ભાવ દૂરે થઈ ભાવો ક્ષમાદિક થાય છે.પ. ગુરુવર! નમું હું આપને, જીવનના આધારને, વૈરાગ્યપૂરિત જ્ઞાન-અમૃત સીંચનારા મેઘનં.૬. મિથ્યાત્વભાવ મૂઢ થઈ નિજતત્ત્વ નહિ જાણ્યું અરે! આપી ક્ષમા એ દોષની આ પરિભ્રમણ ટાળો હવે.૭. સમ્યક્ત્વ-આદિક ધર્મ પામું, તુજ ચરણ-આશ્રય વડે, જય જય થજો પ્રભુ આપનો, સૌ ભક્ત શાસનના ચહે.૮.
વૈરાગ્યવર્ધા ]
શ્રીમદ્ રાજચંદ્રકૃત અનિત્યાદિ ભાવના
અનિત્ય ભાવના
વિદ્યુત્ લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ! અશરણ ભાવના સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય ાશે. એકત્વ ભાવના
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ-આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે.
રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂડ્યો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિભૂપતિ; સંવાદે પણ ઇંદ્રથી દૃઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.
૧૭૦
અન્યત્વ ભાવના
ના માાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહિયો સ્વજન કે, ના ગોત્ર, કે જ્ઞાત ના; ના માાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્યવેગે ગયા; છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્ય જ્ઞાની થયા;
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૭૨
વૈરાગ્યવષ ]
કાળી કેશપટ્ટી વિષે, શ્વેતતા છવાઈ ગઈ; સૂંઘવું સાંભળવું ને, દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ; વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં, લાકડી લેવાઈ ગઈ; અરે! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ, મમતા મરાઈ ગઈ.
૧૭૧
[ વૈરાગ્યવર્ધા ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા; જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્યભાવે યથા.
અશુચિ ભાવના ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.
અંતર્દર્શન-નિવૃત્તિ-બોધ અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા! અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં, વિચિત્રતા!! ઉઘાડ ન્યાય-નેત્રને, નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીદ્યમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું.
જ્ઞાન, ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર.
) છે તૃષ્ણાની વિચિત્રતા છે. હતી દીનતાઈ ત્યારે, તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે, તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે, તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે, તાકી નપતાઈને; મળી નૃપતાઈ ત્યારે, તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે, તાકી શંકરાઈને; અહો! રાજચંદ્ર માનો, માનો શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય, જાય ન મરાઈને.
(જી. કરચલી પડી દાઢી, ડાચાં તણો દાટ વળ્યો,
કરોડોના કરજના, શિર પર ડંકા વાગે, રોગથી રૂંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યાં, પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને; પિત અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય, જીવ ઝાવા દાવા કરે, જંજાળ ઇંડાય નહીં, તજી તૃષ્ણાઈને.
થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન-દીપક પામયો, કેવળ ઝંખાઈને; છેલ્લી ઇસે પડ્યો ભાળી, ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય, તો તો ઠીક ભાઈને; હાથને હલાવી ત્યાં તો, ખીજી બુઢંઢે સૂચવ્યું છે, બોલ્યા વિના બેસ, બાળ તારી ચતુરાઈને! અરે! રાજચંદ્ર દેખો, દેખો આશાપાશ કેવો! જતાં ગઈ નહીં ડોસે મમતા મરાઈને!
=
Page #92
--------------------------------------------------------------------------
________________
[ વૈરાગ્યવર્ષા
છે નવ કાળ મૂકે કોઈને
મોતી તણી માળા ગળામાં, મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભ હારથી, બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા, ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૧. ણિમય મુગટ માથે ધરીને, કર્ણ કુંડળ નાખતા, કાંચન કર્યાં કરમાં ધરી, કશીએ કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ, ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૨. દશ આંગળીમાં માંગળિક, મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રતા, પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી, ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૩. મૂછ વાંકડી કરી ફાંકડા થઈ, લીંબુ ધરતાં તે પરે, કાપેલ રાખી કાતરા, હરકોઈના હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા, છટકચા તજી સૌ સોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૪. છ ખંડના અધિરાજ જે, ચંડે કરીને નીપજ્જા, બ્રહ્માંડમાં બળવાન થઈને, ભૂપ ભારે ઊપયા; એ ચતુર ચક્રી ચાલિયા, હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૫. જે રાજનીતિનિપુણતામાં, ન્યાયયંતા નીવડ્યા, અવળા કર્યો જેના બધા, સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા, તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૬.
૧૭૩
વૈરાગ્યવાં ]
૧૭૪
તરવા૨ બહાદુ૨ ટેક ધારી, પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ, કેસરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે, અંતે રહેલાં રોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૭.
છે મોક્ષકે પ્રેમી' છે
મોક્ષકે પ્રેમી હમને, કર્મોંસે લડતેં દેખેં, મખમલપે સોર્નવાલે, ભૂમિ પે પડતુઁ દેખેં....
સરસોંકા દાના જિનકે, બિસ્તર પર ચુભતા થા, કાયાકી સુધી નાહિં, ગિધડ તન ભખતેં દેખેં... અર્જુન વા ભીમ જિનકે, બલકા ન પાર થા, આત્મોન્નતિકે કારણ અગ્નિનેં જલનેં દેખેં...
પારસનાથ સ્વામી, ઉસ હી ભવ મોક્ષગામી, કર્મોને નાહિ છોડા, પત્થર તક પડત દેખેં... શેઠ સુદર્શન પ્યારા, રાનીને ફંદા ડાલા, શીલકો નાહિં ભંગા, શૂલી પર ચઢતેં દે....
બૌદ્ધોકા જોર થા જબ, નિકલંકદેવ દેખો, ધર્મકો નાહિ છોડા, મસ્તક તક કટતેં દેખેં... ભોગબેંકો ત્યાગ ચેતના જીવન યે બીત જાયે, તૃષ્ણા ના પૂરી હુઈ, ડોલી પર ચઢતેં દે....
મોક્ષકે પ્રેમી હમને કર્મોંસે લડતેં દેખેં...
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૭૫
વૈરાગ્યવષ ]
૧૭૬, નિશ્ચયથી આત્મા મારો. તે તો સદ્ગએ બતાવ્યો, જાયો, જોયો અનુભવીઓ રે એવો આત્મ છે મારો. મારા દિલડાને પૂછી જોયું રે એક ‘રાજ છે મારો, એ જ પ્રભુ છે મારો, એ જ ગુરુ છે મારો.
[ વૈરાગ્યવર્ધા ‘સરવાળો માંડજો’ જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો સમજુ સજ્જન શાણા રે જરા સરવાળો માંડજો. મોટરો વસાવી તમે બંગલા બાંધ્યા, ખૂબ કિધા એકઠા નાણા રે જરા સરવાળો માંડજો. ઉગ્યાથી આથમ્યા સુધી ધંધાની ઝંખના, ઉથલાવ્યા આમતેમ પાના રે જરા સરવાળો માંડજો. ખાધું પીધું ને ખૂબ મોજ માણી, તૃષ્ણાના પૂરમાં તણાયા રે જરા સરવાળો માંડજો. લાવ્યા'તા કેટલું ને લઈ જવાના કેટલું, આખરે તો લાકડા ને છાણા રે જરા સરવાળો માંડજો. આત્મરામને જેણે નથી જાણ્યો. સરવાળે મીંડા મુકાણા રે જરા સરવાળો માંડજો.
છે કોણ છે કોનું જ છે તારા દિલડાને પૂછી જોને રે..કોણ છે કોનું ? તારા અંતરે વિચારી જોને રે...કોણ છે કોનું ? કોના પિતા, કોની માતા, કોના સુત, કોના ભાતા, સહુ એ આવીને જાતા રે...કોણ છે કોનું ? પિતા કહે પુત્ર મારો, જાણે આકાશનો તારો, ઉગ્યો એ તો ખરવાનો રે....કોણ છે કોનું ? બેની કહે વીરો મારો, જાણે અમૂલ્ય હીરો, હીરો એ તો ઝેરે ભરિયો રે...કોણ છે કોનું ? પત્ની કહે મને વરિયો, એ તો પ્રેમી દરિયો, દરિયો એ તો ખારો રે... કોણ છે કોનું ?
છે ‘આટલું તો આપજે છે. આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી, ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી... આ જિંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગ્યો નહીં, અંત સમયે મને રહે સાચી સમજ છેલ્લી ઘડી... જ્યારે મરણ શૈયા પર મિંચાય છેલ્લી આંખડી, તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી.... હાથ પગ નિર્બળ બને ને શ્વાસ છેલ્લા સંચરે,
ઓ કૃપાળુ આપજે દર્શન મને છેલ્લી ઘડી.. હું જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં, તું આપજે શાંતિમય નિધાન મને છેલ્લી ઘડી... અગણીત અધર્મ મેં કર્યા તન મન વચન યોગે કરી, હે ક્ષમા સાગર મુજને આપજે છેલ્લી ઘડી... અંત સંયમ આવી મુજને ના રહે ષટ દુશ્મનો, જાગૃતપણે મનમાં રહે તારું સ્મરણ છેલ્લી ઘડી...
છે.
છે “જીવન સજ્જ બનાના તૂ
અરે ઓ રે... અરે ઓ રે...
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૭૭
[ વૈરાગ્યવર્ધા નર તન કો પાયા હૈ તૂને, ના ઇસકો વ્યર્થ ગુવાના તૂ, પૂજામેં લગા, ભક્તિમેં લગા, ઔર જીવન સજ્જ બનાના ટૂ (૨) તૂ મૂઠી બાંધે આયા થા, ઔર હાથ પસારે જાયેગા, કેવલ ધર્મ સહાયક હૈ તેરા, બાકી સબ યહાં રહ જાયેગા. અરે.. યહ મહલ-મકાન તેરે સુંદરતમ, તેરે ભાઈ-બંધુ ઔર સબ સજ્જન, સુખમેં તો હૈ યે સબ સાથી, દુઃખમે ન રહે કોઈ સંગાથી. અરે. કભી હાથી હુઆ કભી ઘોડા તૂ, કભી ચિટી કભી મકોડા તું, ના જાને પાયે કિતને તન, મુશ્કિલસે મિલા હૈ યહ નર તને... અરે.
છે બાર ભાવના (પં. શ્રી દૌલતરામજી કૃત) શ્રી મુનિ સકલવતી બડભાગી, ભવ ભોગનતે વૈરાગી, વૈરાગ્ય ઉપાવન માઈ, ચિત્તે અનુપ્રેક્ષા ભાઈ. ૧. ઉન ચિત્તત સમમુખ જાગે, જિમ જ્વલનપવનકે લાગે,
જબ હી જિવ આતમ જાનૈ, તબ હી જિય શિવસુખ ઠારૈ. ૨. અનિત્યભાવના :
જોબન ગૃહ ગોધન નારી, હય ગય જન આજ્ઞાકારી,
ઈન્દ્રિય-ભોગ છિન થાઈ, સુરધનુ ચપલા ચપલાઈ. ૩. અશરણભાવના :
સુર અસુર ખગાધિપ જેતે, મૃગ જ્યોં હરિ કાલ દલે તે,
મણિ મંત્ર તંત્ર બાહુ હોઈ, મરતે ન બચાવે કોઈ. ૪. સંસારભાવના :
ચહુ ગતિ દુઃખ જીવ ભરે હૈં, પરિવર્તન પંચ કરે હૈ, સબ વિધિ સંસાર અસારા, યામેં સુખ નાહિ લગાર. ૫.
વૈરાગ્યવષ ]
૧૭૮ એકત્વભાવના :
શુભ-અશુભ કરમલ જેતે, ભોગે જિવ એક હિ તે તે,
સુત દારા હોય ન સીરી, સબ સ્વારથકે હૈં ભીરી. ૬. અન્યત્વભાવના :
જલ-૫ય જ્યોં જિવ તન મલા, ૨ ભિન્ન-ભિન્ન નહિ ભેલા.
તો પ્રગટ જુદે ધન ધામાં, કયોં હૈ ઈક મિલિ સુત રામા. ૭. અશુચિભાવના :
પલ અધિર રાધ મલ શૈલી, કિકસ વસાદિ હૈ મૈલી,
નવ દ્વાર બહૈં ધિનકારી, અસ દેહ કરે કિમ યારી. ૮. આસવભાવના :
જો યોગનકી ચપલાઈ તાતે હૈ આસવ ભાઈ!
આસવ દુઃખકાર ઘનેરે, બુદ્ધિવંત તિર્લ્ડ નિરવેરે. ૯. સંવરભાવના :
જિન પુણ્ય-પાપ નહિ કીના, આતમ અનુભવ ચિત દીના,
તિન હી વિધિ આવતા રોકે, સંવર લહિ સુખ અવલોકે. ૧૦. નિર્જરાભાવના :
નિજ કાલ પાય વિધિ ઝરના, તાસોં નિજ કાજ ન સરના,
તપ કરિ જો કર્મ ખિપાવૈ, સોઈ શિવસુખ દરસાવૈ. ૧૧. લોકભાવના :
કિનહૂ ન કરી ન ધરે કો, ષટ્દ્રવ્યમવી ન હર કો,
સો લોક માંહિ બિન સમતા, દુઃખ સહૈ જીવ નિત ભ્રમતા. ૧૨. બોધિદુર્લભભાવના :
અંતિમ રીવક લૌ કી હદ, પાયો અનંત બિરિયાં પદ, પર સમ્યજ્ઞાન ન લાધૌ, દુર્લભ નિજ મેં મુનિ સાધી. ૧૩.
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૭૯
[વૈરાગ્યવર્ધા ધર્મભાવના :
જો ભાવમોહ હૈ ન્યારે, દૃગ જ્ઞાન વૃતાદિક સારે, સોધર્મ જબે જિવ ધારે, તબ હી સુખ અચલ નિહારે. ૧૪. સો ધર્મ મુનિન કરિ ધરિયે, તિનકી કરતૂતિ ઉચરિયે, તાકો સુનિયે ભવિ પ્રાની, અપની અનુભૂતિ પિછાની. ૧૫.
વૈરાગ્ય ભાવના' (વજનાભિ ચક્રવર્તીકી ] (કવિવર ભૂધરદ્યસજી પ્રણીત)
બીજ રાખ ફલ ભોગવે, જ્યાં કિસાન જગ માંહિ,
ત્યાં ચક્રી નૃપ સુખકરે, ધર્મ વિસારે નાહિં. ઈહ વિધિ રાજ કરે નરનાયક, ભોગે પુણ્ય વિશાલો, સુખ સાગરમેં રમત નિરંતર, જાત ન જાન્યો કાલ એક દિવસ, શુભકર્મયોગસે, ક્ષેમંકર મુનિ વંદે. દેખે શ્રી ગુરુકે પદ-પંકજ, લોચન અલિ આનંદે. ૧. તીન પ્રદક્ષિણા દે સિર નાયો, કર પૂજા સ્તુતિ કીની, સાધુ સમીપ વિનય કર બેઠઠ્યો, ચરનનમેં દિઠિ દીની. ગુરુ ઉપદેશ્યો ધર્મ શિરોમણિ, સુન રાજ વૈરાગે, રાજ રમા વનિતાદિક જે રસ, તે રસ બરસ લાગે. ૨. મુનિ સૂરજ કથની કિરણાવલિ, લગત ભરમ બુદ્ધિ ભાગી, ભવ તન ભોગ સ્વરૂપ વિચારયો, પરમ ધરમ અનુરાગી. ઈહ સંસાર મહાવન ભીતર, ભ્રમ છોર ન આવે, જન્મન મરી જરા દોં દાઝે, જીવ મહા દુઃખ પાવૈ. ૩. કબહું જાય નરકથિતિ શું જે, છેદન ભેદન ભારી, કબહું પશુ પર્યાય ધરે, તહં વધ-બંધન ભયકારી. સુરગતિમ્ પર સંપત્તિ દેખે, રાગ ઉદય દુઃખ હોઈ,
વૈરાગ્યવષ ]
૧૦ માનુષયોનિ અનેક વિપતિમય, સર્વ સુખી નહીં કોઈ. ૪. કોઈ ઇષ્ટ વિયોગી વિલખે, કોઈ અનિષ્ટ સંયોગી, કોઈ દીન દરિદ્રી દીખે, કોઈ તન કે રોગી. કિસ હી ઘર કલિહારી નારી, કે વૈરી સમ ભાઈ, કિસ હી કે દુખ વાહિર દીખે, કિસ હી ઉર દુચિતાઈ. ૫ કોઈ પુત્ર બિના નિત ઝૂરે, હોય મરે તબ રોવૈ, ખોટી સંતતિ સોં દુઃખ ઉપજે, કયોં પ્રાણી સુખ સોલૈ. પુણ્ય ઉદય જિનકે તિનકે ભી, નાહીં સદા સુખ સાતા, યહ જગવાસ યથારથ દેખે, સબ હી હૈ દુઃખ દાતા. ૬. જો સંસાર વિષે સુખ હોતા, તીર્થકર કર્યો ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે, સંયમ સૌ અનુરાગે. દેહ અપાવન અસ્થિર ઘિનાવન, યામેં સાર ન કોઈ, સાગર કે જલ સો શુચિ કીજે, તો ભી શુદ્ધ ન હોઈ. ૭. સપ્ત કુધાતુ ભરી મલ મૂત્રસે, ચર્મ લપેટી સોહૈ, અંતર દેખત યા સમ ગમેં, ઔર અપાવન કો હૈ. નવ મલ દ્વાર ચૂર્વે નિશિ વાસર, નામ લિયે દિન આવે, વ્યાધિ ઉપાધિ અનેક જહાં તહાં, કૌન સુધી સુખ પાવે. ૮. પોષત તો દુખ દોષ કરે અતિ, સોશ્વત સુખ ઉપજાવે, દુર્જન દેહ સ્વભાવ બરાબર, મૂરખ પ્રીતિ બઢાવે. રાચન યોગ્ય સ્વરૂપ ન યાકો, બિરચન યોગ્ય સહી હૈ, યહ તન પાય મહાતપ કીજે, યામેં સાર યહી હૈ. ૯, ભોગ બૂરે ભવ રોગ બઢાવૈ, બૈરી હૈ જગ જીય કે, બેરસ હોય વિપાક સમય અતિ, સેવત લાગે નીકે, વજ અગ્નિ વિષ સે વિષધરસે. હૈં અધિક દુખદાઈ,
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૮૧
[ વૈરાગ્યવર્ષા
ધર્મરત્નકે ચોર પ્રબલ અતિ, દુર્ગતિપંથ સહાઈ. ૧૦, મોહ ઉદય યહ જીવ અજ્ઞાની, ભોગ ભલે કર જાને, જ્યોં કોઈ જન ખાય ધતૂરા, સો સબ કંચન માને, જ્યાં જ્યોં ભોગ સંયોગ મનોહર, મન વાંછિત જન પાવે, તૃષ્ણા નાગિન ત્યોં ત્યોં ડંકે, લહર લોભ વિષ લાવે. ૧૧. મૈં ચક્રીપદ પાય નિરંતર ભોગે ભોગ ઘનેરે,
તો ભી તનિક ભયે નહીં પૂરણ, ભોગ મનોરથ મેરે, રાજ સમાજ મહા અઘકારણ, બૈર બઢાવનહારા, વેશ્યા સમ લક્ષ્મી અતિ ચંચલ, યાકા કૌન પત્યાા. ૧૨. મોહ મહારિપુ બૈર વિચાર્યો, જગજિય સંકટ ડારે, ઘર કારાગૃહ વનિતા બેડી, પરિજન હૈ રખવારે સમ્યગ્દર્શન જ્ઞાન ચરણ તપ, યે જિય કે હિતકારી, યહી સાર અસાર ઔર સબ, યહ ચક્રી ચિત ધારી. ૧૩.
છોડે ચૌદહ રત્ન નવોઁ નિધિ, અરું છોડે સંગ સાથી, કોડિ અઠારહ ઘોડે છોડે, ચૌરાસી લખ હાથી, ઇત્યાદિક સંપત્તિ બહુ તેરી, જીર્ણ તૃણ સમ ત્યાગી, નીતિ વિચાર નિયોગી સુતકો, રાજ દિયો બડભાગી. ૧૪. હોય નિશલ્ય અનેક નૃપતિ સંગ, ભૂષણ વસન ઉતારે, શ્રી ગુરુ ચરણ ધરી જિનમુદ્રા, પંચ મહાવ્રત ધારે, ધનિ યહ રામજ સુબુદ્ધિ જગોત્તમ, ધનિ યહ ધીરજ ધારી, ઐસી સંપત્તિ છોડ બસે વન, તિન પદ ધોક હમારી, ૧૫,
“પરિગ્રહ ઉતાર સબ, લીનો ચારિત પંથ, નિજસ્વભાવમેં થિર ભયે, વજનાભિ નિથ.’
©
વૈરાગ્યવર્ધા ]
ઝ હોતા. વિશ્વ સ્વયં પરિણામ છે
હોતા વિશ્વ સ્વયં પરિણામ, કર્તા બનના દુઃખ કા ધામ. (ટેક) તેં નહીં કરતા પરકા કામ, પ૨ તેરે નહીં આતા કામ, તેં તેરા હી કરતા કામ, હૂં તેરે હી આતા કામ. ૧. હૈ’ બિના નહીં ‘ના’ કા કામ, ‘ના' બિના નહીં ‘હૈ’ કા કામ, હૈ' નહીં કરતા ના' કા કામ, ના' નહીં કરતા હૈ’ કા કામ. ૨.
સત્ શક્તિ હૈ સ્વયં મહાન, જડ, ચેતન દોનોં ભગવાન, ક્રમબદ્ધ કરતે અપના કામ, દાયેં બાયૅ ૨ સમાન. ૩. નિજ કો નિજ પરકો પર જાન, નિજ મહિમા મેં રમતા જ્ઞાન, જ્ઞાતા દૃષ્ટ સહજ મહાન, ચિત્ જ્યોતિ સુખ જ્ઞાન નિધાન, ૪,
આતમકો સંભાલજી’ મોહ નીંદસે અબ તો જગીએ,
કર્યો સુતે બેહાલજી.
કલ્પિત સુખકી દુઃખમય ઘડિયાં,
અંદરકા કયા હાલજી.
૧૮૨
સ્વ-૫૨ સમજમેં અબ હી લગીએ, હેરાફેરી ટાલજી, આનંદઘનકી અમૃત-ઘડિયાં,
આતમકો સંભાલજી,
અહો અબ તો સમઝ ચેતન!
અહો ચેતન સમય પાકર, કહો! તુમને કિયા કયા હૈ! અહો કુછ લાભ જીવન કા, કો! તુમને લિયા ક્યા હૈ. ૧.
Page #97
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યવર્ષા ]
૧૮૩
[ વૈરાગ્યવર્ધા પડા કય દેહ કે પીછે, વહાં અપના ધરા ક્યા હૈ! વૃથા દુનિયા કે ભોગોં મેં, જીવન ખોને લગા કયા હૈ. ૨. વ્યવસ્થિત કી વ્યવસ્થા કો, ફિરાને મેં લગા કયા હૈ! અહો ફિરતે ફિરાને મેં, કહો! કોઈ ફિરા કયા હૈ, ૩. કભી તુમને નિયમ જગ કા, કહો કુછ જ્ઞાન કિયા ક્યા હૈ! અહો અબ તો સમઝ ચેતન, વૃથા પર મેં લગા કયા હૈ. ૪.
છે મમતા તજ સમતા ધરજ્યો! ) યહ મોહ મહા દુખ ખાન, કોઈ મત કરજ્યો, વહ આપા પર બેભાન, કોઈ મત કરો . ૧. યહ ક્રોધ મહા શૈતાન, કોઈ મત કરો , વહ દોષ ભયંકર જાન, કોઈ મત કર. ૨. યહ માન મહા અપમાન, કોઈ મત કરજ્યો, યહ દોષ મેં પ્રધાન, કોઈ મત કરજ્યો. ૩. વહ લોભ બિગાડે યાન, કોઈ મત કરજ્યો, યહ જીવન કો બલિદાન, કોઈ મત કરજ્યો. ૪. વહ કપટ મહા અજ્ઞાન, કોઈ મત કરો , વહ શાંતિ નષ્ટ વિધાન, કોઈ મત કરજ્યો. ૫. યહ દેહ બનેલી રાખ, મમતા મત કરો , યહ વિશ્વ અંગુષ્ઠ દિખાય, સમતા ચિત્ત ધરો. ૬. શ્રી સદ્ગુરુ પૂજ્ય મહાનુ, વંદન નિત કરજ્યો, શ્રી સદ્દગુરુ પૂજ્ય મહાન, વંદન નિત કરજ્યો. ૭.
- ૧૮૪ 9 મેરી આત્મા કી મૂક પુકાર હૈ કહા માનલે ઓ મોરે ભૈયા,
શાંતિજીવન બનાના અબ સાર હૈ; તૂ બન જા બને તો પરમાત્મા,
મેરી આત્મા કી મૂક પુકાર હૈ. (ટેક) માન બુરા હૈ ત્યાગ સજન જો,
| વિપદ કરે ઔર બોધ હરે; ચિત્તપ્રસન્નતા સાર સજન જો,
વિપદ હરે ઔર મોદ ભરે; નીતિ તજને મેં તેરી હી હાર હૈ,
વાણી જિનવર કી હિતકાર હૈ, તૂ બન જા બને તો પરમાત્મા,
મેરી આત્મા કી મૂક પુકાર હૈ. ૧. સમય બડા અનમોલ સજન જો,
ઇધર ફિરે તો ઉધર ફિરે; કર નહીં પાયા મૂલ્ય સજન જો,
સમય ગયા ના હાથ લગે; ગુપ્ત શાંતિ કી યહ ભરમાર હૈ,
ઈનકો સમઝે તો બેડો પાર હૈ; તુ બન જા બને તો પરમાત્મા,
મેરી આત્મા કી મૂક પુકાર હૈ. ૨. ઇસ જીવન કો સદ્ય બના,
યહ પુણ્ય યોગ સે પ્રાપ્ત હુઆ; બાતોં સે નહીં કામ સજન,
કર્તવ્ય સામને ખડા હુઆ;
Page #98
--------------------------------------------------------------------------
________________
[વૈરાગ્યવર્ધા સુખ શાંતિ કા યે હી દ્વારા હૈ
શિક્ષા દૈનિક મહા હિતકાર હૈ; તૂ બન જા બને તો પરમાત્મા,
મેરી આત્મા કી મૂક પુકાર હૈ. ૩.
છે અંતઃકરણકા સંશોધન છે અરે તુમ ઇશ બનતે હો, કિ જડ કે ભકત બનતે હો! અરે તુમ જ્ઞાન કરતે હો, કિ કતપન દિખાતે હો! ૧. અરે તુમ ન્યાય કરતે હો, કિ અન્ધાધુધ માતે હો! અરે તુમ હિત કરતે હો, કિ મિથ્યા ઢોંગ રચાતે હો! ૨. અરે તુમ વીર બનતે હો, કિ દુખ સે થરથરાતે હો! અરે તુમ ત્યાગ કરતે હો, કિ સમ્યફ દાન કરતે હો! ૩.
વૈરાગ્યવર્ષા ]
છે ‘સત્સંગ દુર્લભ છે . સત્સંગ દુર્લભ છે, કાળ નિકૃષ્ટ છે, એવા સમયમાં;
ચેતી લે ચેતન: ચેત્યા વિના કેમ ચાલશે ? દ્રવ્યનો અભ્યાસ કરી, તત્ત્વનો નિર્ણય કરી, સમજણ ખરી કરી;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? સિદ્ધોને યાદ કરો, સ્વરૂપ ચિંતવન કરો, શિવરમણીને વરો;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ? એકત્વનું દુઃખ, ભિન્નત્વનું સુખ, થઈ સ્વ સન્મુખ;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ? આથું મૂકતાં માન, કરતાં નિજની પિછાન, ટળી જાય અજ્ઞાન;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? શુભને પણ હેય જાણી, શુદ્ધ ઉપાદેય જાણી, સાંભળી સદ્દગુવાણી;
ચેતી લે ચેતન: ચેત્યા વિના કેમ ચાલશે ? સંધ્યાના રંગ જેવા, પુણ્યના ફળ તેવા, એના આદર કેવા;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ? આત્મઘોલન કરી, પ્રતીતિ ખરી કરી, માત્ર સ્વદૃષ્ટિ કરી;
ચેતી લે ચેતન: ચેત્યા વિના કેમ ચાલશે ? સત્ ચિદાનંદ, આનંદ આનંદ, સ્વરૂપ સહજાનંદ;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? વીત્યો સમય અનંત, આવ્યો ના ભવનો અંત, પુરુષાર્થ કરો મહેત;
ચેતી લે ચેતન: ચેત્યા વિના કેમ ચાલશે ? ભેદ વિજ્ઞાન સાર, નિજમાં સુખ અપાર, જાણી સંસાર અસાર;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ?
| $જ્ઞાન સૂર્ય ઉદ્યોત હૈ. 9 જ્ઞાન-સૂર્ય ઉદ્યોત હૈ, જ્ઞાયક સુપ્રભાત; ચેતો કૃતકૃત્ય આતમા, ચિદાનન્દ સાક્ષાતું. ૧. જગ-પરિણતિ નિયમિત સા, ફેર સકે નહીં કોય; નિજ જ્ઞપ્તિ કે જોર સે, નિશ્ચય અરિહન્ત હોય. ૨. જ્ઞાયક નિજરૂપ હૈ, સ્પર્શમય જડ રૂપ; માન સ્પર્શમય દુખી બન્યા, શાયક આનન્દ રૂપ. ૩. સદ્વિવેક જબ હોત હૈ, નષ્ટ હોત પાપ; ચેતે સ્વયમ્ આત્મા, સમ્ભલે આપો આપ. ૪.
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૮૮
૧૮૭
[ વૈરાગ્યવર્ધા વૈરાગ્ય અને પુરુષાર્થ પ્રેરક પુરાણ પ્રસંગ
ભરત તથા લોયમંડન હાથીની ભવાવલી [શ્રી સ્વાધ્યાયમંદિર, સોનગઢમાં આ કથાનું એક સુંદર ચિત્ર છે]
ગૌતમસ્વામી રાજા શ્રેણીકને કહે છે કે હે નરાધિપતિ! એક સમયે ઘણા મુનિઓ સહિત દેશભૂષણ તથા કુળભૂષણ કેવળી કે જેમનો ઉપસર્ગ વંશસ્થલગિરિ ઉપર રામ-લક્ષ્મણે નિવાર્યો હતો તથા જેમની સેવા કરવાથી ગરુડેંદ્ર રામ-લક્ષમણ ઉપર પ્રસન્ન થઈને એમને આપેલાં અનેક દિવ્ય શસ્ત્રો વડે લડાઈમાં વિજય પામ્યા હતા તે સુર-અસુરોથી પૂજ્ય લોકપ્રસિદ્ધ તે બે કેવળી ભગવાન અયોધ્યાના નન્દનવન સમાન મહેન્દ્રોદય નામના વનમાં મોટા સંઘ સહિત બિરાજ્યા. તે સમાચાર મળતાં રામ-લક્ષ્મણભરત-શત્રુદન દર્શન કરવા માટે પ્રભાતે હાથી ઉપર બેસીને જવા માટે ઉદ્યમી થયા. રૈલોક્યમંડન હાથી જેને જાતિસ્મરણ થયું છે તે આગળ આગળ ચાલે છે અને જ્યાં બને કેવળી પર્વત ઉપર બિરાજમાન છે ત્યાં દેવ સમાન શુભ ચિત્તવાળા નરોત્તમ ગયા. કૌશલ્યા, સુમિત્રા, કૈકેઈ, સુપ્રભા એ ચારે માતાઓ સાધુ-ભક્તિથી તત્પર, જિનશાસનની સેવિકા, સ્વર્ગનિવાસિનીદેવી સમાન સેંકડો રાણી સાથે ચાલી નીકળી તથા સુગ્રીવ આદિ સમસ્ત વિદ્યાધર મહા વિભૂતિ સહિત આવ્યા. કેવળીનું સ્થાન દૂરથી દેખીને રામ આદિ હાથી ઉપરથી નીચે ઉતરી ગયા, બન્ને હાથ જોડી નમસ્કાર કરી પૂજા કરી, પોતપોતાના યોગ્ય સ્થાને વિનયથી બેઠા. કેવળી ભગવાનની દિવ્યધ્વનિમાં આ રીતે વ્યાખ્યાન આવ્યું કે
ધર્મ જ પૂજ્ય છે, જે ધર્મનું સાધન કરે એ જ પંડિત છે. આ દયા મૂળ ધર્મ મહાકલ્યાણનું કારણ જિનશાસન સિવાય બીજે
વૈરાગ્યવષ ] કયાંય નથી. જે પ્રાણી જિનપ્રણીત ધર્મમાં રસ લે તે વૈલોક્યના અગ્રભાગે પરમધામમાં બિરાજે છે. આ જિનધર્મ પરમ દુર્લભ છે. આ ધર્મનું મુખ્ય ફળ તો મોક્ષ છે તથા ગૌણ ફળ સ્વર્ગમાં ઇન્દ્રપદ તથા પાતાળમાં નાગેન્દ્રપદ તથા પૃથ્વી ઉપર ચક્રવર્તી આદિ નરેન્દ્રપદ છે. આવી રીતે કેવળી ભગવાને ધર્મનું નિરૂપણ કર્યું. કેવળીના વચનો સાંભળીને મનમાં પ્રસન્નતા થઈ. તે વચનો વૈરાગ્ય ઉત્પન કરવાવાળા તથા રાગાદિનો નાશ કરવાવાળા હતા, કેમ કે રાગાદિ સંસારનું કારણ છે તથા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ છે.
પછી ભક્તિથી વંદન કરીને લક્ષ્મણે પૂછ્યું કે હે પ્રભો! વૈલોક્યમંડન હાથી ગજબન્ધનને તોડાવી ખૂબ જ ક્રોધિત થયો અને પછી શીધ્ર શાંત થઈ ગયો તેનું શું કારણ?
ત્યારે કેવળી ભગવાને કહ્યું કે પહેલાં તો આ હાથીને લોકોની ભીડ જોઈ મદોન્મતતાના કારણે ક્ષોભ થયો ત્યારબાદ ભરતને જોઈ પૂર્વભવનું સ્મરણ થતાં શાંત થઈ ગયો. ચોથા કાળની શરૂઆતમાં ભગવાન ઋષભદેવ થયા. તેમણે રાજ્યાદિ સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી મુનિદીક્ષા ગ્રહણ કરી તેમની સાથે ચાર હજાર રાજાઓ પણ પરિગ્રહ ત્યાગી મુનિ થયા; તેઓ પરિષહ સહન નહિ કરી શકવાથી વ્રતભ્રષ્ટ થઈ, સ્વેચ્છાચારી થયા. ભરતના પુત્ર મારીચે પણ ભ્રષ્ટ થઈ ત્રીદંડીનો વેષ ધારણ કર્યો, તે વખતે સૂર્યોદય ચંદ્રોદય નામના બે રાજપુત્રોએ દીક્ષા લઈ ચારિત્રભષ્ટ થઈ મારીચના માર્ગે કુધર્મનું આચરણ કરી અનેક ભવોમાં જન્મમરણ કર્યા. એક વખત ચન્દ્રોદયનો જીવ કર્મના ઉદયથી નાગપુર નામના નગરમાં રાજા હરિપતિની રાણી મનોલતાના ગર્ભમાં ઉપયો. કુલંકર નામનો રાજા થઈ તેણે ઘણા સમય સુધી રાજય કર્યું. સૂર્યોદયનો જીવ અનેક ભવ ભ્રમણ કરી તે જ નગરીમાં
Page #100
--------------------------------------------------------------------------
________________
10
૧૮૯
[ વૈરાગ્યવર્ધા વિશ્વનામાં બ્રાહ્મણની અગ્નિકુંડ નામની સ્ત્રીને શ્રુતિરત નામનો પુત્ર થયો. આ રીતે શ્રુતિરત પુરોહિત પૂર્વ જન્મના સ્નેહથી રાજા કુલકરને પ્રિય થઈ પડ્યો. એક દિવસ રાજા કુલકર તાપસીઓ પાસે જઈ રહ્યો હતો. રસ્તામાં અભિનન્દન નામના મુનિના દર્શન થયા. તે મુનિ અવધિજ્ઞાની હતા તથા સર્વ લોકોના હિત કરવાવાળા હતા. તેમણે રાજાને કહ્યું કે તારા દાદા સર્પ બન્યા છે, તે તાપસીઓના લાકડા વચ્ચે છે. જ્યારે તાપસી લાકડા ફાડશે ત્યારે તું એ સર્પની રક્ષા કરજે. કુલકર રાજા ત્યાં ગયા ને મુનિએ કહ્યું હતું તેમ સર્પને બચાવ્યો તથા તાપસીઓનો માર્ગ હિંસારૂપ જાણ્યો, તેનાથી ઉદાસ થઈ મુનિવ્રત ધારણ કરવાની ઇચ્છા થઈ ત્યારે પાપકર્મી શ્રુતિરત પુરોહિતે કહ્યું, હે રાજન! તારા કુળમાં તો વેદોનો ધર્મ ચાલ્યો આવે છે તથા તાપસ જ તારા ગુરુ છે અને તું રાજા હરિપતિનો પુત્ર છે તો વેદમાર્ગનું આચરણ કર, જિનમાર્ગ નહિ આચર. પુત્રને રાજ્ય સોંપીને તું વેદોક્ત વિધિ વડે તાપસના વ્રત ધર. હું તારી સાથે તપ કરીશ. આ રીતે પાપી પુરોહિતે મૂઢમતિ કુલંકરનું મન જિનમાર્ગથી ફેરવી દીધું. કુલંકરની સ્ત્રી સુદામા પરપુરુષાષક્ત હતી. એણે વિચાર્યું કે રાજા મારા કુકર્મો જાણી દુઃખી થઈને તપ ધરે છે એટલે તપ કરે કે ન કરે અને કદાચ મને મારે તો! એથી પહેલાં હું જ એને મારી નાખું. આ રીતે વિચારી તેણે રાજા તથા પુરોહિતને ભોજનમાં વિષ આપીને મારી નાખ્યા. તે મરીને નિકુંજિયા નામના વનમાં પશુઘાતક પાપથી બંને સુવર બન્યા, પછી બંને દેડકા થયા, ઉંદર થયા, મોર, સર્પ, કુકડા આદિ થયા તથા તિર્યંચ યોનિમાં ભમ્યા. પુરોહિત શ્રુતિરતનો જીવ હાથી થયો તથા રાજા કુલકરનો જીવ દેડકો થયો અને હાથીના પગ નીચે દબાઈને મર્યો. વળી દેડકો થયો ને પાણી વગરના સરોવરમાં
વૈરાગ્યવર્ષ ] ઉપયો, એને કાગડાએ મારી ખાધો. ફરી તે કુકડો બન્યો. હાથી મરીને બિલાડો થયો, તેણે કુકડાને માર્યો. કુલકરનો જીવ ત્રણ જન્મ કુકડો થયો અને પુરોહિતનો જીવ બિલાડો થયો, તે કુલકરના જીવ કુકડાને ખાઈ ગયો. ઘણા સમય બાદ તેઓ શિશુમાર જાતિના મચ્છ થયા તો માછીમારે જાળમાં પકડી કુહાડીથી મારી નાખ્યા. બંને મરીને રાજગૃહી નગરીમાં બ્રહાલનામા બ્રાહ્મણની સ્ત્રી ઉલ્કાની કૂખે પુત્ર જનમ્યા. પુરોહિતના જીવનું નામ વિનોદ તથા કુલકરના જીવનું નામ રમણ રાખ્યું. તે બંને ખૂબ ગરીબ તથા વિદ્યા રહિત હતા. તેથી રમણે પરદેશ જઈને વિદ્યા ભણવા વિચાર્યું. તે ઘરથી નીકળીને પૃથ્વીમાં ચારે તરફ ભમતાં ભમતાં ચારે વેદો તથા વેદોના અંગ શીખ્યો. ઘણા સમય બાદ રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યો. ભાઈને મળવાની ઘણી અભિલાષા હતી પરંતુ નગરીમાં પહોંચતા સૂર્યાસ્ત થઈ ગયો. આકાશમાં મેઘપટલના યોગથી ખૂબ જ અંધકાર થઈ ગયો એટલે એક જૂના બાગમાં એક યક્ષના મંદિરમાં બેઠો. તેના ભાઈ વિનોદની સમિધા નામની કુલટા સ્ત્રીએ એક અશોકદર નામના પુરુષ સાથે આસક્ત બનીને તેને મળવા થક્ષના મંદિરમાં આવવા સંકેત કરેલ, અશોકદત્તને તો માર્ગમાં કોટવાળ પકડી લીધો. અશોકદત્તના દુરાચારની જાણ થતાં વિનોદ હાથમાં ખડગ લઈને તેને મારવા યક્ષના મંદિરમાં આવ્યો અને પોતાના ભાઈ રમણને જ અશોકદત્ત સમજીને મારી નાખ્યો. અંધારામાં નજર ન પડી કે કોણ મર્યું. રમણ મરી ગયો ને વિનોદ ઘરે આવ્યો. થોડા સમય બાદ વિનોદ પણ મરી ગયો. એ રીતે બને અનેક ભવ કરતાં રહ્યાં.
ત્યારબાદ વિનોદનો જીવ તો સાલવનમાં જંગલી પાડો થયો તથા રમણનો જીવ આંધળો રીંછ થયો. બંને દાવાનળમાં મરી
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૯૨
૧૯૧
[ વૈરાગ્યવર્ધા ગયા. મરીને બંનેના જીવ ગિરિવનમાં ભીલ થયા. ત્યાંથી મરીને હરણ થયા તો ભીલે જીવતા પકડયા. બંને અતિ સુંદર હતા. ત્રીજા નારાયણ સ્વયંભૂતિએ શ્રી વિમલનાથજીના દર્શન કરીને પાછા આવતા તે સુંદર હરણને જોઈને બંને લઈ લીધા તથા જિનમન્દિરની બાજુમાં રાખ્યા. રાજદ્વારથી એમને ઇચ્છાનુસાર ભોજન મળે તથા મુનિના દર્શન કરે, જિનવાણીનું શ્રવણ કરે. તેમાં રમણનો જીવ (કુલકરનો જીવ) મૃગ હતો તે સમાધિમરણ કરી સ્વર્ગલોકમાં ગયો તથા વિનોદનો જીવ પુરોહિતનો જીવ) તે આર્તધ્યાનથી તિર્યંચગતિમાં ભમ્યો.
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કંપિલ્યાનગરનો ધનદત્ત નામનો વણીક બાવીસ કોટિ દીનારનો સ્વામી હતો. તે વણીકની વારુણી નામની સ્ત્રીના ગર્ભથી રમણનો જીવ જે દેવ થયો હતો તે ભૂષણ નામનો પુત્ર થયો. નિમિત્તજ્ઞાનીએ તેના પિતાને કહ્યું કે આ તમારો પુત્ર જિનદીક્ષા ધારણ કરશે. તેથી પિતા ચિંતાતુર થયા, પિતાને પુત્ર ઉપર ખૂબ જ પ્રેમ. તેથી એને ઘરમાં જ રાખે, બહાર નીકળવા ન દે, દરેક પ્રકારની સામગ્રી તેના માટે ઘરમાં જ મૌજૂદ હતી. તે ભૂષણ સુંદર સ્ત્રીનું સેવન કરતો, વસ્ત્ર, આહાર, સુગન્ધાદિ વિલેપન કરી ઘરમાં સુખથી રહેતો. તેના પિતા સેંકડો મનોરથ કરીને પુત્ર પામ્યા હતા અને એક જ પુત્ર હતો. પૂર્વ જન્મના સ્નેહથી પિતાને પ્રાણોથી પણ પ્યારો હતો. પિતા તો વિનોદનો જીવ અને પુત્ર તે રમણનો જીવ, પહેલાં બંને ભાઈ હતા તે આ ભવમાં પિતા-પુત્ર થયા. સંસારની ગતિ વિચિત્ર છે. આ પ્રાણી કઠપુતલી સમાન નાચે છે. સંસારનું ચરિત્ર સ્વપ્નના રાજ્ય સમાન અસાર છે. એક દિવસ ભૂષણ પ્રભાત સમયે દુંદુભિ શબ્દોનો અવાજ તથા આકાશમાં દેવોનું આગમન જોઈને આશ્ચર્ય પામ્યો.
વૈરાગ્યવર્ષા ] તે સ્વભાવથી કોમળ ચિત્તવાળો ધર્મના આચારો સહિત મહા હર્ષથી ભરેલો બંને હાથ જોડી નમસ્કાર કરતો શ્રીધર કેવળીને વંદના કરવા જલ્દીથી જઈ રહ્યો હતો ત્યાં સીઢીથી નીચે ઉતરતાં સર્પના ડંસથી મરીને ચોથા સ્વર્ગમાં મહેન્દ્ર નામનો દેવ થયો. ત્યાંથી ચ્યવીને પુષ્કર દ્વીપમાં ચન્દ્રાદિત્ય નામના રાજા પ્રકાશયશની રાણી માધવીના કૂખે જગદ્યુત નામનો પુત્ર જન્મ્યો. યૌવન અવસ્થામાં રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થઈ પરંતુ સંસારથી અતિ ઉદાસ હોવાથી રાજ્યમાં મન ન લાગ્યું. એના વૃદ્ધ મંત્રીએ કહ્યું કે આ રાજય તમારા મૂળક્રમથી ચાલ્યું આવે છે તો એનું પાલન કરો, તમારા રાજ્યની પ્રજા સુખી થશે. તેથી મંત્રીના હઠથી તેણે રાજ્ય કર્યું. રાજ્ય વખતે પણ તે સાધુની સેવા કરતો. તેથી મુનિદાનના પ્રભાવથી મરીને દેવકુરુ ભોગભૂમિમાં ઊપજ્યો. ત્યાંથી ઇશાન નામના બીજા સ્વર્ગમાં દેવ થયો. ચાર સાગર બે પલ્ય સુધી દેવલોકના સુખ ભોગવી દેવાંગનાઓના વૃદમાં નાના પ્રકારના ભોગ ભોગવી ત્યાંથી ચ્યવીને જમ્બુદ્વીપના પશ્ચિમ વિદેહમાં અચલ નામના ચક્રવર્તીની રત્ના નામની રાણીનો અભિરામ નામનો પુત્ર થયો. તે મહા ગુણવાન અને અતિ સુન્દર હતો, તેને દેખી સર્વ લોકોને આનંદ થતો. તે બાલ્યાવસ્થામાં જ અતિ વિરક્ત જિનદીક્ષા ધારણ કરવા ઇચ્છતો અને પિતા તેને ઘરમાં જ રાખવા ઇચ્છતા. ત્રણ હજાર રાણી તેને પરણાવી. પરંતુ તે વિષય સુખને વિષ સમાન જાણતો. કેવળ મુનિ થવાની જ ઇચ્છા હતી. પરંતુ પિતા તેને ઘરની બહાર નીકળવા ન દે. પરંતુ તે મહાભાગ્ય, મહા શીલવાન, મહા ગુણવાન, મહા ત્યાગી, સ્ત્રીઓનો અનુરાગી ન હતો. સ્ત્રીઓ અનેક પ્રકારના રાગ ઉપજાવનારા વચન બોલે તથા અનેક પ્રકારની સેવા કરે તો પણ તેને સંસારની માયા કીચડ સમાન
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૯૪
૧૯૩
[વૈરાગ્યવર્ધા લાગતી. જેવી રીતે કીચડમાં પડેલાં હાથીને તેનો પકડનાર મનુષ્ય અનેક પ્રકારથી લલચાવે પરંતુ હાથીને કીચડ ન રુચે એવી રીતે તેને જગતની માયા ન રુચિ. શાંતચિત્ત તે પિતાની ઇચ્છાથી અતિ ઉદાસ થયો. ઘરમાં રહીને સ્ત્રીઓ વચ્ચે રહીને પણ તીવ્ર અસિધારા વ્રત પાળતો. સ્ત્રીઓની વચ્ચે રહીને શીલવ્રત પાળવું. તેમનો સંસર્ગ ન કરવો તેનું નામ અસિધારાવ્રત. મોતીઓના હાર, બાજુબંધ, મુકુટાદિ અનેક પ્રકારના આભૂષણ પહેરે છતાં આભૂષણોનો પ્રેમ નહીં. તે મહાભાગ્ય સિંહાસન ઉપર બેસીને પોતાની સ્ત્રીઓને જિનધર્મનો ઉપદેશ આપે. ત્રણકાળમાં જિનધર્મ સમાન બીજો કોઈ ધર્મ નથી. આ જીવ અનાદિકાળથી સંસારમાં ભટક્યા કરે છે, આ તો કોઈ પુણ્ય કર્મના યોગથી મનુષ્યદેહ મળ્યો છે. આ વાત જાણીને કોણ એવો પુરુષ સંસારરૂપી કૂવામાં પડે અથવા કોણ વિવેકી ઝેર પીવે અથવા પહાડના શિખર પર કોણ બુદ્ધિમાન સૂવાનું રાખે અથવા મણિની પ્રાપ્તિ માટે કોણ પંડિત નાગનું મસ્તક હાથથી સ્પર્શે? એ વિનાશ કરવાવાળા કામ-ભોગ પ્રત્યે જ્ઞાનીને ક્યાંથી રાગ ઊપજે? એક જિનધર્મનો પ્રેમ જ મહા પ્રશંસા યોગ્ય તથા મોક્ષના સુખનું કારણ છે વગેરે પારમાર્થિક ઉપદેશરૂપ વાણી સાંભળીને સ્ત્રીઓનું મન પણ શાંત થઈ ગયું તથા નાના પ્રકારના વ્રત-નિયમ ધારણ કર્યા. શીલવાન રાજાએ તેની સ્ત્રીઓને પણ શીલ વિષે દૃઢતા રાખવાનું શીખવ્યું. મન તથા ઇન્દ્રિયોને જીતી તે સમ્યગ્દષ્ટિ નિશ્ચલ ચિત્ત મહાધીર-વીરે ચોંસઠ હજાર વર્ષ સુધી કઠિન તપ કર્યું. ઘણા સમય બાદ સમાધિમરણ કરી પંચ નમસ્કારમંત્રનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કર્યો તથા છા બ્રહ્મોત્તર સ્વર્ગમાં અપાર ઋદ્ધિનો ધારક દેવ થયો.
ભૂષણના ભવમાં જે તેનો પિતા ધનદત્ત શેઠ હતો-વિનોદ
વૈરાગ્યવષ ] બ્રાહ્મણનો જીવ તે મોહના યોગમાં અનેક કુયોનિમાં રખડતો જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં પોદન નામની નગરીમાં અગ્નિમુખ નામના બ્રાહ્મણની શકુના નામની સ્ત્રીને મૃદુમતિ નામનો પુત્ર થયો. નામ તો મૃદુ પરંતુ સ્વભાવથી અતિ કઠોર; દુષ્ટ, મહા જુગારી, અવિનયી તથા અનેક પ્રકારના અપરાધોથી ભરેલો દુરાચારી થયો. લોકોના કહેવાથી માતા-પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો. તે રખડતો રખડતો એક વખત પોદનપુર નગરમાં આવ્યો. કોઈ એકના ઘરે પાણી પીવા અંદર ગયો તો એક બ્રાહ્મણી રડતી હતી, તેણે રડતાં રડતાં પાણી પીવડાવ્યું, ઠંડું-મીઠું પાણી પીને તેણે બ્રાહ્મણીને પૂછ્યું કે તું શા માટે રડે છે? તો બ્રાહ્મણીએ કહ્યું કે તારા જેવો મારો પણ એક પુત્ર હતો તેને મેં ગુસ્સો કરીને ઘરમાંથી કાઢી મૂક્યો છે. તને દેખીને મારા પુત્રની યાદ આવતાં આંસુ આવે છે. ત્યારે તે રડતો રડતો કહેવા લાગ્યો કે હે માતા! તું રડ નહીં, તારો પુત્ર તે હું જ છું, બ્રાહ્મણીએ તેને પુત્ર જાણી રાખી લીધો એટલે મોહવશ તેના સ્તનોમાંથી દૂધ ઝરવા લાગ્યું. તે મૃદુમતિ તેજસ્વી, રૂપવાન, સ્ત્રીઓના મન હરનારો, ધૂર્તોનો શિરોમણિ, જુગારમાં સદા જીતનારો, દરેક કળા વિષે જાણનારો, કામ-ભોગોમાં આસક્ત, એક વસંતમાલા નામની વેશ્યાને અતિ પ્રિય હતો.
એક દિવસ મૃદુમતિ શશાંક નગરનાં રાજમહેલમાં ચોરી કરવા ગયો. રાજા નન્દિવર્ધનનું ચંદ્રમુખસ્વામીના મુખેથી ધર્મોપદેશ સાંભળી મન વૈરાગ્યથી ભરાઈ ગયું હતું. તેણે તેની રાણીને આવીને કહ્યું કે હે દેવી! મેં મોક્ષસુખના દેવાવાળા મુનિના મુખેથી ધર્મોપદેશ સાંભળ્યો કે આ ઇન્દ્રિયોના વિષય ઝેર સમાન દુઃખદાયી છે, તેનું ફળ નરક-નિગોદ છે. હું જિનેશ્વરી દીક્ષા ધારણ કરીશ. તું દુઃખી નહીં થતી. આવી રીતે સ્ત્રીને શિક્ષા દેતો સાંભળીને મૃદુમતિ
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૯૫
[ વૈરાગ્યવર્ષા ચોર તેના મનમાં વિચારવા લાગ્યો કે જુઓ! આ રાજઋદ્ધિ છોડીને મુનિવ્રત ધારણ કરે છે અને હું પાપી બીજાનું ધન ચોરી કરું છું. ધિક્કાર છે મને! આવું વિચાર કરી નિર્મળ ચિત્ત થઈને સાંસારિક વિષય ભોગોથી ઉદાસ થયો. સ્વામી ચંદ્રમુખ પાસે જઈને બધા પરિગ્રહનો ત્યાગ કરી જિનદીક્ષા ધારણ કરી. તેઓ મહા કઠિન તપ કરતાં ને અતિ થોડો આહાર લેતા હતા.
દુર્ગનામગિરિના શિખર પર ગુણનિધિ નામના મુનિ ચાર મહિનાથી ઉપવાસ કરતા હતા. તેઓ સુર-અસુર તથા મનુષ્યો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય મહા ઋદ્ધિ ધારી ચારણ મુનિ હતા. તેઓ ચોમાસાના ચાર મહિના પૂર્ણ કરી આકાશમાર્ગે બીજી જગ્યાએ ચાલ્યા ગયા તથા મૃદુમતિ મુનિ આહાર માટે દુર્ગનામગિરિ સમીપ આલોકનગરમાં આવ્યા. પૃથ્વી ઉપર જોતાં જોતાં જતાં હતા, ત્યાં નગરવાસીઓએ જાણ્યું કે આ તો તે મુનિરાજ છે જે ચાર મહિના સુધી ગિરિ-શિખર પર તપ કરતાં હતાં. આમ જાણીને નગરજનોએ ખૂબ જ ભક્તિ કરી, પૂજા કરી તથા ખૂબ જ સુંદર ભોજન આપ્યું અને ઘણી સ્તુતિ કરી. મૃદુમતિ મુનિને થયું કે ગુણનિધિ મુનિરાજ ગિરિ પર રહ્યાં હતા તેમના ભરોંસે મારી પ્રશંસા થાય છે એટલે માનથી તેમણે મૌન ધાર્યું. લોકોને ન કહ્યું કે હું તે મહા- મુનિ નથી, તે મુનિ બીજા છે. તેમ જ ગુરુ પાસે જઇને પણ માયા દૂર ન કરી, પ્રાયશ્ચિત ન લીધું, એટલે તિર્યંચગતિનું કારણ થયું; તપ ઘણું કર્યું હતું તેથી આ પર્યાય પૂરી કરી છઠ્ઠા દેવલોકમાં જ્યાં અભિરામનો જીવ દેવ થયા હતા ત્યાં જ તે ગયો. પૂર્વ જન્મના સ્નેહથી તેને ઘણો પ્રેમ ઊપજ્યો. બંને સમાન ઋદ્ધિધારક ઘણી દેવાંગનાઓની વચ્ચે સુખ-સાગરમાં મગ્ન બંને સાગરો સુધી સુખથી રહ્યા. અભિરામનો જીવ ભરત થયો તથા મૃદુમતિનો જીવ
૧૯૬
વૈરાગ્યવાં ] સ્વર્ગથી ચ્યવીને માયાચારના દોષથી આ જંબૂદ્દીપના ભરતક્ષેત્રમાં આ અતિ સુંદર હાથી થયો. સમુદ્રની ગાજ સમાન જેની ગર્જના છે તથા પવન સમાન જેની ગતિ છે, અતિ મદોન્મત્ત તથા ચંદ્રમા સમાન ઉજ્જ્વળ દાંત છે જેના તથા ગજરાજોના સર્વ ગુણોથી સંપન્ન છે જે વિજયાદિક હસ્તિ વંશમાં તેણે જન્મ લીધો. મહા કાંતિનો ધારક, ઐરાવત સમાન, સ્વછંદ સિંહ-વાઘ આદિનો હરનારો, મહા વૃક્ષોને ઉખેડનારો, પર્વતોના શિખરોને તોડનારો, વિદ્યાધરોથી ન પકડાય તો ભૂમિગોરિયોની તો શું વાત! તેના વાસથી સિંહાદિ નિવાસ છોડી ભાગી ગયા-આવો પ્રબળ ગજરાજ ગિરિના વનમાં નાના પ્રકારના ફળ-ફૂલનો ભોજન કરતો, માનસરોવરમાં ક્રીડા કરતો અનેક હાથીઓ સાથે વિહાર કરતો. ક્યારેક કૈલાસમાં વિલાસ કરતો તો ક્યારેક ગંગાના મનોહર પાણીમાં ક્રીડા કરતો, તથા અનેક વન-ગિરિ-નદી-સરોવરોમાં સુંદર ક્રીડા કરતો, હજારો હાથણી સાથે રમત કરતો, અનેક હાથીઓના સમૂહનો શિરોમણિ સ્વચ્છંદ વિચરતો, મેઘ સમાન ગર્જના કરતો, મદ ઝરતો એવો આ હાથી એક દિવસ લંકેશ્વરે જોયો તથા વિદ્યાના પરાક્રમથી એને વશમાં કર્યો તથા એનું ત્રૈલોક્યમંડન નામ રાખ્યું.
અભિરામનો જીવ ભરત તથા મૃદુમતિનો જીવ આ હાથી તેમને ચંદ્રોદય-સૂર્યોદયના જન્મથી લઈને અનેકભવથી સંબંધ છે એટલે આ ભવમાં પણ ભરતને જોઈને પૂર્વભવ યાદ આવતાં હાથી શાંત થઈ ગયો. ભરત ભોગોથી દૂર રહ્યો, મોહથી દૂર રહ્યો. હવે મુનિપદ ધારણ કરવા ઇચ્છે છે અને આ જ ભવે નિર્વાણ પ્રાપ્ત કરશે, વધારે ભવ નહીં કરે. ઋષભદેવના સમયમાં આ બંને સૂર્યોદય તથા ચન્દ્વોદય નામના બે ભાઈ હતા. મારીચના ભરમાવાથી મિથ્યાત્વનું સેવન કરી ઘણા કાળ સુધી સંસારમાં
Page #104
--------------------------------------------------------------------------
________________ વાચકોની નોંધ 197 [ વૈરાગ્યવર્ષા રખડ્યા, ત્ર-સ્થાવર યોનિમાં પણ જઈ આવ્યા. ચન્દ્રોદયનો જીવ કેટલા ભવ બાદ રાજા કુલંકર પછી રમણ બ્રાહ્મણ, ઘણા ભવો બાદ સમાધિમરણ કરવાવાળો મૃગ, દેવ પછી ભૂષણ નામનો વૈશ્યપુત્ર, પછી સ્વર્ગમાં ગયો, પછી જગદ્યુતિ નામનો રાજા થયો, ત્યાંથી રવીને ભોગભૂમિમાં, ત્યાંથી બીજા સ્વર્ગમાં દેવ, ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં ચક્રવર્તીનો પુત્ર અભિરામ થયો. ત્યાંથી છઠ્ઠા સ્વર્ગમાં દેવ, દેવમાંથી ભરત નરેંદ્ર-તે ચરમશરીરી છે, હવે વધારે ભવ નહીં ધરે. સૂર્યોદયનો જીવ ઘણા કાળ સુધી રખડતો રાજા કુલંકરનો શ્રુતિરત નામનો પુરોહિત થયો તથા ઘણા જન્મો બાદ વિનોદ નામનો વિપ્ર થયો, ત્યાંથી આધ્યાનથી મરીને મૃગ થયો. ઘણા જન્મો બાદ ભૂષણનો પિતા ધનદત્ત નામનો વણિક, ત્યાંથી મૃદુમતિ નામનો મુનિ, પોતાની પ્રશંસા સાંભળીને માન પોષવા માયાચારથી શંકા દૂર ન કરી તેથી તપના પ્રભાવથી પહેલાં છઠ્ઠા સ્વર્ગમાં દેવ થયા પછી ત્યાંથી વીને રૈલોક્યમંડન હાથી થયો. હવે શ્રાવકના વ્રત ધારીને દેવ થશે. આ રીતે જીવોની ગતિ-દુર્ગતિ જાણીને ઇન્દ્રિયોનું સુખ વિનાશક જાણી વિષમ વનને તજી જ્ઞાની પુરુષ ધર્મની આરાધના કરે છે. જે પ્રાણી દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જિનભાષિત ધર્મ નથી કરતા, તે અનંતકાળ સુધી સંસારમાં રખડે છે, આત્મકલ્યાણથી દૂર રહે છે. જિનવરના મુખમાંથી નીકળેલો દયામય ધર્મ મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ છે, તેના જેવો બીજો કોઈ ધર્મ નથી.