Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 402
________________ ભગવઆલંબન ચિત્તવૃત્તિ થકી ફલપ્રાપ્તિ ૩૪૯ અર્થ –અપ્રસન્ન થકી ફલ કેમ પ્રાપ્ત થવા ગ્ય છે? એ (કહેવું) અસંગત છે; વિચેતન–ચેતના રહિત એવા, ચિન્તામણિ આદિ પણ શું નથી ફળતા? વિવેચન નીરાગી સેવે કાંઈ હેવે, ઇમ મનમેં નવિ આણું; ફળે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણે –શ્રી યશોવિજયજી તે પછી કઈ કહેશે કે–અપ્રસન્ન” થકી જે પ્રસન્ન થયા નથી–રીઝીને જેણે કૃપાપ્રસાદ કર્યો નથી એવા આ વીતરાગ દેવ થકી ફલ કેમ પ્રાપ્ત થવા ગ્ય છે? તો એ કહેવું અસંગત છે–સંગત નથી, અઘટમાન –અણઘટતું છે. કારણ કે ‘વિચેતન”-વિગતચેતનચેતનારહિત-જડ એવા ચિન્તામણિ આદિ પણ શું નથી ફળતા? તે પછી શુદ્ધ ચૈતન્યમૂર્તિ અચિંત્ય ચૈતન્યચિંતામણિ એવા વીતરાગ દેવ શું નહિં ફળે? શું અચિંત્ય ફળ નહિં આપે ? કે પ્રત્યે પ્રસન–અપ્રસન્ન નહિં થતા તમારા વીતરાગ દેવને સેવ્યાથી ફલ કેમ પ્રાપ્ત થશે? તેને આ સીધે સાદે ઉત્તર છે. અપ્રસન્ન એવા વીતરાગ થકી ફલની પ્રાપ્તિ શી રીતે હોય ? એ શંકા જ અસ્થાને છે. કારણ કે “તદાલંબન ચિત્તવૃત્તિ થકી”—જ ભગવના આલંબનવાળી x" कथं तहि तत्कलमिति ? उच्यते-तदालम्बनचित्तवृत्तेः, तदाधिपत्यतः __ तत एव तद्भावात्, चिन्तामणिरत्नादौ तथादर्शनादिति वक्ष्यामः ।" –લલિતવિસ્તરા સૂત્ર ૨૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446