________________
છે. ત્યારે શ્રી કેવલજ્ઞાનીને પણ ઉપચારવિનય (પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય) હોય છે. પરંતુ જ્યારે કેવલી પરમાત્માને કેવલજ્ઞાન થયું છે એની જાણ બીજાને થઈ હોય ત્યારે તેઓશ્રી બીજાની પ્રત્યે કાયિકાદિ વિનય કરતા ન હોવાથી શ્રી કેવલીપરમાત્માને અપ્રતિરૂપ જ વિનય હોય છે. તાદશ જ વિનયથી તેઓશ્રીનાં કર્મોની નિર્જરા થાય છે-આ વસ્તુને જણાવવા માટે શ્લોકમાં પ્રવ: પદનું ઉપાદાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનની નિયુક્તિમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે-'પ્રતિરૂપ વિનય, બીજાને અનુસરવા સ્વરૂપ જાણવો. શ્રી કેવલી-પરમાત્માને તો તેનાથી ભિન્ન અપ્રતિરૂપ (બીજાને ન અનુસરવું) વિનય હોય છે.'... ઈત્યાદિ બરાબર સમજી લેવું. ૨૯-૬
બીજા અનાશાતનાસ્વરૂપ ઔપચારિક વિનયનું વર્ણન કરાય છે
अर्हसिद्धकुलाचार्योपाध्यायस्थविरेषु च । गणसङ्घक्रियाधर्मज्ञानज्ञानिगणिष्वपि ॥२९-७।।
શ્રી અરિહંત પરમાત્મા, સિદ્ધપરમાત્મા, કુળ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની અને ગણીને વિશે પણ (ચાર ચાર પ્રકારે