________________
છે-એમ જણાવાયું છે. આ વસ્તુને જણાવતાં બૃહત્કલ્પભાષ્યમાં ફરમાવ્યું છે કે-સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય જ્યાં જેટલા પ્રમાણમાં દેખાય ત્યાં તે શ્રી જિનેશ્વરદેવોએ કહેલા ભાવને ભક્તિથી પૂજવો જોઈએ... ઈત્યાદિ ઉપયોગપૂર્વક બરાબર સમજી લેવું જોઈએ.
।।૨૯-૧૬૦
વિનયનું માહાત્મ્ય વર્ણવાય છે
विनयेन विना न स्याज्जिनप्रवचनोन्नतिः ।
પવ:મે વિના નિં વા, વધતે મુવિ પાપ: ।।૨૧-૬૭।।
‘વિનય વિના શ્રી જિનશાસનની ઉન્નતિ થતી નથી. પાણીનું સિંચન કર્યા વિના આ પૃથ્વી પર શું વૃક્ષ વધે ખરું ?''-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો
આશય સ્પષ્ટ છે કે વૃક્ષની વૃદ્ધિ માટે જેટલી આવશ્યકતા પાણીના સિંચનની છે, એટલી જ આવશ્યકતા શ્રી જિનશાસનની ઉન્નતિ માટે વિનયની છે.
જ્યારે જ્યારે પણ વિનયગુણની હાનિ થતી ગઈ ત્યારે ત્યારે શ્રી જિનશાસનની ઉન્નતિના બદલે તેની અપભ્રાજના થઈ છે. ગંગાનદી કઈ દિશામાં વહે છે-એ જાણવા માટે મોકલેલા પૂ. બાલ સાધુમહાત્માના અદ્ભુત
૨૩