________________
અક્કલને ઉપયોગ
વેણીલાલ બૂચ
કેઈ કાંઇ વગર વિચાર્યું કે મૂર્ખાઇભર્યું કામ કરે ત્યારે એમ કહેવાય છે કે, “એની પરીમાં મગજ જ કયાં છે, એ અક્કલને ઈસ્કોતરે છે પરંતુ ચાવી ગીરે મૂકી છે, એને ઉપલે માળ ખાલી છે, એ ભેજાગેપ છે.'
ખરી હકીકત એ છે કે દરેક માણસના માથાના સહુથી ઉપલા ભાગમાં પરી નીચે મગજ અગર તો જેને ભેજું કહેવામાં આવે છે તે હોય છે ખરું પરંતુ તેનો ઉપયોગ કેમ કરો તે આવડત નથી હોતી. - કોઈ બે—પાંચ મિત્રો એકઠા મળી કાંઈ ચર્ચા કરતા હોય તેમાં કોઈ મિત્ર એકાદ ભૂલભરેલું વિધાન રજૂ કરે તે બીજો કોઈ ટીખળી મિત્ર કહેશે, “ભાઈ જરા બદામનું સેવન કરો તે સારૂં. શીર્ષાસન કરતાં શીખો.”
જે માણસની બુદ્ધિ ખીલેલી નથી હોતી, જેને માનસિક વિકાસ ઓછો થયો હોય છે તેનાથી કોઈ ઉપયોગી કાર્યો થઈ શકતાં નથી. બુદ્ધિ વગરને માણસ સંઢ વગરના વહાણ જેવો હોય છે. તે ગમે ત્યાં ઢસડાઈ જાય છે, કયાંય ટકી શકતા નથી, અથડાય છે, કુટાય છે, અને ભાગીને ભૂકો થઈ જાય છે.
માણસની બુદ્ધિશક્તિને–અક્કલને ઉપયોગ કેમ કરે એ પણ શીખવું જોઈએ. જેમ સાઈકલ ઉપર બેસતાં કે ઘોડેસ્વારી કરતાં શીખવા માટે શેડી ટેવ પાડવી પડે છે અને ટેવાઈ જતાં સાઇકલ કે ઘોડા ઉપર બરાબર કાબૂ આવી જાય છે, તેમ જીવનનાં દરેક ક્ષેત્રમાં અક્કલને યે ઉપયોગ કરવા ટેવાઈ ગયેલે માણસ કયાંય ખત્તા ખાતા નથી, પરંતુ તે આગળને આગળ પ્રગતિ કરે જાય છે.
શરીરને વ્યવસ્થિત રીતે કામ કરવાની ટેવ પાડવી જોઈએ તેમ મગજને પણ વ્યવસ્થિતપણે વિચાર કરવાની ટેવ પાડવી જોઈએ. આ ટેવ એટલે જ કસરત. જેમ શરીરવિકાસ માટે શારિરીક વ્યાયામ હોય છે તેમ માનસિક વિકાસ માટે માનસિક વ્યાયામ હેાય છે.
* કેટલાંક માણસના મગજમાં અનેક જાતના વિચારો અને માહિતીઓ ઠાંસીઠાંસીને ભરી હોય છે પરંતુ વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરવાની ટેવ ન પાડેલી હોવાથી તેના
આવીને થોભી. ને લપલે તે ગાડીમાંથી ઊતરી રાજા સમક્ષ જતાં કહ્યું, “આપે મંગાવેલા અહેવાલની એક ગાડી હું સાથે જ લેતો આવ્યો છું. ને બીજી પાંચ પાછળ આવી રહી છે.”
રાજ વલપલની ગાડીમાં પાકેલા ચેક જતાં તે તપાસી જોવાની કલ્પનાથી જ ગભરાઈ ઊઠયો ને બોલ્યો, “હમણાં એ બધું મુલતવી રાખે.”
રાજભાષામાં “મુલતવી રાખો' એ શબ્દનો અર્થ શો થાય છે તે વોલપેલ સારી રીતે જાણતો હતો, એટલે તેણે ગાડીઓમાં ભરેલા રદ્દી કાગળિયા ગટરને રસ્તે વળાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com