Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 7
________________ ૧૯૯૬ - ૩૦૧ ચિંતન અને યાગમાં લેાહીનું ટીપેટીપું સૂકવી કરતાં એને પૈસાને ત્રાજવે નિયમે ધડનાર મહાન જણાય છે-કેમકે તે એને જે તા તેમ ખેલવાને પણ તે તૈયાર છે. તપ, નાખનાર સ્વતંત્ર યુગના રાજપૂજ્ય ઋષિવરા ગુલામયુગના ગ્રન્થલેખકૈા કે કાયદાખાને વધારે શીખવવામાં આવ્યું છે એને અનુકૂળ ખેલે છે. જેમની નસેામાં ગરમ લેહી વહે છે એવા સાત કરાડ યુવાનેાની ભારતી માતા છે. તે પરહસ્તે ચૂથાય છે. તે માતાને મુક્ત કરવાના વિષયમાં એ આઠ કરેાડના ઊછળતા લેાહીમાં શાંતિના નામે જે મૃત્યુ પ્રવેશી રહ્યું છે એ જ મૃત્યુ, જો એ આઠ કરેાડમાંથી આઠ લાખની પણ સાચી જનેતાએ, બહેનેા, પત્નીએ કે પુત્રીઓ પરહસ્તે ચૂંથાતી હાય તેા જાળવી રખાશે?--નહિજ. કેમકે એમના પ્રત્યેના ભાવ હજી પૂરા સૂકવાયા નથી. પણ મા ભારતી પ્રત્યેના માતૃભાવ તા સુકવી દેવાયા છે. આજસુધી ભારતમાં સમાનતા ને ન્યાયના નામે, ભિન્નભિન્ન ધર્માં વચ્ચે, વર્ગો વચ્ચે, જાતિઓ વચ્ચે, કુટુંબનાં અંગો વચ્ચે કલહનાં બીજ રોપાયાં. ભારતે એની કૂંપળેા વારંવાર જેઈ છે; ગયા વર્ષના અંતમાં એને વિકાસ જોયા છે; આ વર્ષે કાલ જોશે. પણ આમ જોવા છતાં નવા વિગ્રહનાં મૂળ પેાતાના જ હાથે રાપવાનું ભારતની ખૂખ કેળવાયલી પ્રજા હજી ભૂલી નથી ગઈ. ગયા વર્ષમાં તેણે સંપનું છેલ્લામાં છેલ્લું ક્ષેત્ર-સ્ત્રી અને પુરુષ વચ્ચેની અતૂટ એકતાના મૂળમાં સમાનતાના બહાને કંકાસનું એવું ખીજ વાવવા માંડયું છે-જેનાં કટુ કુળને તેને ખ્યાલ પણ નથી. આજે એ ખીજની વાસ્તવિક કિંમત ભલે ધણી ઓછી હાય પણ લાંબા ગાળે તે એવું ખીલી ઊઠશે કે થાડાંક સ્વછંદી સ્ત્રી-પુરુષાની મનેાવૃત્તિઓને સંતાષવાના બદલામાં જે પ્રજાજીવનનાં પ્રત્યેક અંગાને વિખૂટાં, પરસ્પરવિગ્રહી, અર્થપ્રધાન ને કષ્ટજીવી કરી મૂકશે. . આમ છતાં ભારત હજી ઊભું છે. તેનું સંસ્કારમળ બીજી ગુલામ પ્રજાઓની જેમ સમૂળગું નષ્ટ નથી થયું. એને હજી ‘ જ્યારે જ્યારે ધર્મ ગ્લાનિ પામે છે, અધર્મના ઉચ્છેદ માટે હું અવતરૂં છું'—પ્રભુના એ અમર વાકચ પર શ્રદ્ધા છે. યુગેાથી એણે એ વાકયને સાક્ષાત્કાર અનુભવ્યો છે. હજી પણ અનુભવવાની આશા છે. પણ ભારત પસાર તા કસોટીની છેલ્લી પળેામાંથી થઈ રહ્યું છે. થોડાં જ વર્ષોં અને એને ઉગારી લેવાને ઝળહળતા તારકમણિસમા મહાવીર જો નહિ નીકળી આવે તે કહેવાતા અંધારપંડાના બીજા ગુલામ પ્રદેશાની જેમ ભારત પણ સદાયનું દટાયું બનશે. પ્રભુ! આ વર્ષનાં અમારાં મંગલપૂજન તારે ચરણે છે. અમારી પાસે કુસુમમાળ હેાય તે તે તારા કંઠ માટે છે, ઉલ્લાસ હાય તેા તે તને નીરખવાની આશાનેા છે, દીપકની હારમાળાએ હાય તેા તે તને વધાવવાને છે. અમારા હૈયામાં સંવત્સરના આદિ સ્થાપક વિક્રમસમા બીજા વિક્રમતી ભૂખ જાગી છે—આવ કે મેલ.- —જે મા ભારતીનાં બંધન તાડે, વિધર્મીએ કે વિદેશીઓની લાહશૃંખલામાંથી એને મુક્ત કરે, એની સૂકાઈ ગયેલી ઊર્મિઓને ફરી જગવે, એના કપાળે તિલક કરે, એના કંઠમાં વિજયવરમાળ પરેાવે, એનાં અંગેઅંગમાં ઉલ્લાસ, જેમ જીવન અને તેજ ભરી દે; જે પ્રજાનાં ઋણ ફેડે, એની ચિંતા હરે; સ્વધર્મની જે પુનઃ સ્થાપના કરે; કલહ અને દુર્ગુણના જે હામ કરે; ભૂમિને જે વૃક્ષાથી, રાજમાર્ગાથી, જળાશયેાથી, દેવ-૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54