________________
()
પ્રસ્તાવના
પ્રસ્તાવના સંકલનની વિગત : ૧. આ સંકલનમાં નીચે મુજબ વિભાગ પાડેલ છે :
(૧) જુદા જુદા વિષયો ઉપર પરમકૃપાળુદેવનાં વચનો (૨) અન્ય ગ્રંથો વિષેનું પરમકૃપાળુદેવનું લખાણ (૩) ચૂંટેલી વ્યક્તિઓ વિષેનું પરમકૃપાળુદેવનું લખાણ (૪) પોતાની અંતરદશા, પોતાનું લક્ષ્ય અને તે પ્રાપ્ત કરવા માટે પોતાના પુરુષાર્થ વિષેનું
પરમકૃપાળુદેવનું લખાણ. (૫) શબ્દાર્થ ૨. દરેક વિભાગની અંતર્ગત ગોઠવણ મુખ્યપણે “સાર્થ જોડણીકોશ મુજબ કરેલ છે. ૩. આ સંકલનમાં જે પૃષ્ઠ નંબર કસમાં લખવામાં આવ્યા છે તે અગાસ પ્રકશિત “શ્રીમદ્ રાજચંદ્ર
ગ્રંથની પાંચમી | છઠ્ઠી આવૃત્તિના છે. ૪. પરમકૃપાળુદેવે કરેલ અનુવાદ, ભાષાંતર તથા ભાવાર્થનો સમાવેશ અન્ય ગ્રંથો વિષેના વિભાગમાં
સંબંધિત ગ્રંથ શિર્ષક હેઠળ કરેલ છે. પ. “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જ્યાં ‘=' કરીને અર્થ સમજાવેલ છે, તે શબ્દાર્થ વિભાગમાં સમાવેલ છે.
સર્વને એક વિજ્ઞાપન : “આ પુસ્તકમાં સત્પષનાં વચનો છે તેની અવગણના થાય તેમ વર્તવાથી જ્ઞાન ઉપર આવરણ આવી ભવિષ્યમાં અજ્ઞાનવૃદ્ધિનાં માઠા ફળ ભોગવવા પડે એમ છે, અને વિવેકપૂર્વક વાંચવા વંચાવવારૂપે પુસ્તકનો વિનય કરવાથી તેનાં આવરણ સહેજ દૂર થાય તેમ છે.”
એજ લી. સંત ચરણરજ સરોજ જયસિંહ