Book Title: Shrimad Rajchandra Author(s): Atmanandji Maharaj Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ છેઃ ઃ જેનદન શ્રેણી ૧-૩ એમ શ્રીમદ્ વિચારોની શ્રેણીએ ચડી ગયા. આ ઊંડી વિચારણાથી તેમનું જ્ઞાનનું આવરણ ખસી ગયું અને તેમને આગલા ભવેનું જ્ઞાન થયું. તે આવરણ ઉત્તરોત્તર ખસતું રહીને તેઓ જ્યારે જૂનાગઢ ગયા ત્યારે તે વિશેષપણે અસ્યાના નિર્દેશ મળે છે. - આ જાતિસ્મરણજ્ઞાનની સૂચના તેઓએ “સ્વાત્મવૃત્તાંતકાવ્યમાં કરી છેઃ ઓગણીસસે ને એકત્રીસે આ અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે, વળી - “ લધુવયથી અદ્દભુત થયે, તત્વજ્ઞાનને બોધ; આ એ જે સૂથ એમ કે ગતિ આગતિ કાં શેાધ ?” | પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું.” (પત્રાંક ૪૨૪) ઈત્યાદિ અન્ય પણ અનેક વચનથી અને વાર્તાલાપથી તેમને જાતિસ્મરણજ્ઞાન થયાનું નિશ્ચિતપણે જાણી શકાય છે. જાતિસ્મરણજ્ઞાનની તેમના પારમાર્થિક જીવનના વિકાસ ઉપર મુખ્ય અસર એ થઈ કે તેઓને પરભવનું દુઃખ ઇત્યાદિ જાણીને વૈરાગ્ય ઘણે વૃદ્ધિ પામ્યા અને મેક્ષમાર્ગમાં વિશેષ નિઃશંકપણે પ્રવૃત્તિ કરવાનું બની શક્યું. , વિદ્યાભ્યાસને કાળ સાત વર્ષની વય પછી શ્રીમદુને શાળાને અભ્યાસ કરવા માટે નિશાળે બેસાડવામાં આવ્યા.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50