Page #1
--------------------------------------------------------------------------
________________
Id GG-દર્શન પરિચય શ્રેણીનgs
શ્રીમદ્ રાજચંદ્ર
પૂજ્ય આત્માનંદજી [ ડો. મુકુન્દ સોનેજી ]
Se
સ્થિત
((
C
))
MC
૮SS
શ્રી જયભિખુ સાહિત્ય
(6૦૦૦૦ood
A1 TOP
ટ્રસ્ટ
પ્રકાશનો
Page #2
--------------------------------------------------------------------------
________________
સી. યુ. એન. મહેતા અને શ્રીમતી શારદાબેન યુ. મહેતા
જેનદન પરિચયશ્રેણી
શ્રીમદ્ રાજચન્દ્ર
લેખક પૂજ્ય આત્માનંદજી
શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સેસાયટી, જયભિખુ માર્ગ, પાલડી
અમદાવાદ-૩૮૦ ૦૦૭
૧૧, સત્ય
( ૯૭
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ જુલાઈ ૧૯૮૬
સર્વ હક લેખકના પુસ્તકની કિંમતઃ ૫રૂ. ચાર પુસ્તકના સેટની કિંમતઃ ૨૦ રૂ.
મુખ્ય વિક્રેતા : આદર્શ પ્રકાશન, જુમા મસ્જિદ સામે, ગાંધીરેડ,
અમદાવાદ– ૩૮૦ ૦૦૧
પ્રકાશ થી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર * સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુદ્રક : કાન્તિભાઈ મ. મિસ્ત્રી, આદિત્ય મુલય, રાયખડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચન્દ્ર
વીસમી સદીના પ્રથમ પંક્તિના આધ્યાત્મિક મહાપુરુષમાં જેમનું ગૌરવપૂર્ણ સ્થાન છે, તે શ્રીમદ્ રાજચંદ્રજીને જન્મ સૌરાષ્ટ્રના મેરબી રાજ્યના વવાણિયા ગામે થયે હતે. તે શુભ દિવસ કાર્તિક સુદ પુનમ, વિ. સં. ૧૯૨૪ની દેવદિવાળીને હતે. (રવિવાર તા. ૯-૧૧-૧૮૬૭)
તેઓના દાદાનું નામ પંચાણભાઈ મહેતા હતું. જેઓએ પાસેના માણેકપરા ગામમાંથી વવાણિયામાં આવીને વહાણવટાને અને શરાફનો ધંધો ચાલુ કર્યો હતે. શ્રીમદ્જીના માતાનું નામ દેવાબા અને પિતાનું નામ રવજીભાઈ હતું. ધાર્મિક સંસ્કારવાળા ભક્તિમાન અને સેવાભાવી દંપતીના સંદર્ભમાં બે કથાઓનું વર્ણન આવે છે ? પહેલી કથા છે એક વૃદ્ધ આડતિયાની અને બીજી કથા છે એક સંતફકીરની. આ બન્નેની તન-મન-ધનથી ખૂબ સેવાભાવસહિત આ દંપતીએ જે સેવા કરેલી તેથી પ્રસન્ન થઈ તેઓએ, એક પ્રતાપી પુરુષ તેમને ઘેર પુત્ર તરીકે જન્મશે એવા આશીર્વાદ આપેલા. આ બનાવ બન્યા પછી કેટલાક કાળે શ્રીમદ્જીને જન્મ દેવદિવાળીને શુભદિને થયે હતે. ગુજરાતના જિનસમાજમાં આ દિવસ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના જન્મદિવસ તરીકે અને પાલીતાણાની
Page #5
--------------------------------------------------------------------------
________________
૪ : જેનલને શ્રેણીઃ ૧-૩
યાત્રાના પ્રારંભના પવિત્ર અને મંગલમય દિવસ તરીકે ઉજવાય છે. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન રાખવામાં આવ્યું હતું, પરંતુ ચાર વર્ષની વયે તે બદલીને રાયચંદરાજચંદ્ર- એમ રાખવામાં આવ્યું, જે નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા.
બાળપણથી જ શ્રીમને તેમના કુળ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા, કારણ કે તેમના દાદાજી કૃષ્ણભક્ત હતા. તેમની પાસેથી શ્રીમદ્જીએ કૃષ્ણભક્તિની ઘણી વાત સાંભળી હતી. અવારનવાર કથાપ્રસંગમાં જતા. તેમાં આવતી ચમત્કારની, મહંત કે ભેગી થવાની કે ભપકદાર મંડપમાં હરિકથા કહેવાની વૃત્તિ પણ તેમને કઈ કઈ વાર થઈ આવતી. બીજી બાજુ માતા દેવાબા જૈન ધર્મના સંસ્કાર લાવ્યાં હતાં. આમ બાળપણમાં તેમને ઉછેર વૈષ્ણવ અને જૈન સંસ્કારના મિશ્ર વાતાવરણમાં થયે. ગામમાં જે વણિક-વસ્તી હતી તે મોટાભાગે પ્રતિમા– અપૂજક હતી. વળી તે લેકે શુદ્ધિવાળી ક્રિયાઓ ન કરતા હોવાથી તથા જગત્કર્તામાં ન માનતા હોવાથી તે ધર્માવલંબીઓ પ્રત્યે તેમને વિશેષ ઉત્સાહ આવતે નહીં. આમ છતાં વાંચનની ખૂબ જ રુચિ હોવાને લીધે જ્યારે તેમણે જેનેના પ્રતિકમણાદિ સૂત્રેનું વાંચન કર્યું ત્યારે તેમાં આવતી સર્વ જી પ્રત્યેની દયાભાવના અને ક્ષમાપના દ્વારા પ્રગટ થત વિનય – આ બે ગુણે તેમના સંસ્કારી હૃદયને સ્પર્શી ગયા અને ધીમે ધીમે જૈન સૂત્ર” પ્રત્યે તેમને પ્રેમ વધતે ગયે
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચન્દ્ર : : પ
એક બાજુ રમતગમતમાં, ઉન્નત કલ્પનાઓમાં અને જીવનમાં આગળ જ રહેવાની ભાવનાઓમાં તેઓના બાલ્યકાળ વીતતા હતા તા બીજી ખાજુ ભક્તિપ્રધાન વૈષ્ણવ સ`સ્કાર અને જ્ઞાનપ્રધાન તથા ત્યાગપ્રધાન જૈન વાતાવરણ મધ્યે, પૂર્વના તેમને આરાધક આત્મા વૈરાગ્યપ્રધાન એવા જૈન ધર્મ પ્રત્યે વધારે આકર્ષાતા જતા હતા. બાળજીવનની આ કુમળી વયે તેમના જીવનમાં એક મહત્વના પ્રસંગ બન્યો, તે હવે આપણે જોઈ એ.
જાતિસ્મરણુજ્ઞાન
વિ. સં. ૧૯૩૧માં, શ્રીમદ્ના એક વડીલ સ્નેહીશ્રી અમીચંદભાઈનુ` સદંશથી મૃત્યુ થયુ. આ ખાખત શ્રીમદે દ્વાદાજીને પૂછ્યું' કે મૃત્યુ એટલે શું? દાદાજીએ પ્રથમ તે નાના બાળકને જવાબ આપવાનુ ટાળ્યુ, પણ છેવટે તેમણે હ્યુ, “ તેમનામાંથી જીવ નીકળી ગયા અને હવે તે હાલી, ચાલી કે ખેાલી શકે નહીં; વળી ખાવું, પીવું કશું કરી શકે નહી. માટે તેમને તળાવ પાસેના સ્મશાનમાં આળવામાં આવશે.”
''
બાળક રાજચંદ્ર આ સાંભળી વિચારમગ્ન દશામાં ઘરમાં આમતેમ ફ્રી, છાનામાના તળાવે ગયા અને એ શાખાવાળા આવળના ઝાડ ઉપર ચડયા તા ચિતા ભડ ભડ ખળતી દેખાતી હતી અને ડાઘુએ આજુબાજુ બેઠેલા હતા. પેાતાના જ પરિચિત, સ્નેહાળ, સ્વજનને લેક બાળી મૂકે તે કેવી વિચિત્રતા! શું. આ ક્રુરતા છે? આમ બનવાનું કારણુ શું ?
Page #7
--------------------------------------------------------------------------
________________
છેઃ ઃ જેનદન શ્રેણી ૧-૩ એમ શ્રીમદ્ વિચારોની શ્રેણીએ ચડી ગયા. આ ઊંડી વિચારણાથી તેમનું જ્ઞાનનું આવરણ ખસી ગયું અને તેમને આગલા ભવેનું જ્ઞાન થયું. તે આવરણ ઉત્તરોત્તર ખસતું રહીને તેઓ જ્યારે જૂનાગઢ ગયા ત્યારે તે વિશેષપણે અસ્યાના નિર્દેશ મળે છે.
- આ જાતિસ્મરણજ્ઞાનની સૂચના તેઓએ “સ્વાત્મવૃત્તાંતકાવ્યમાં કરી છેઃ
ઓગણીસસે ને એકત્રીસે આ અપૂર્વ અનુસાર રે;
ઓગણીસસે ને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે, વળી - “ લધુવયથી અદ્દભુત થયે, તત્વજ્ઞાનને બોધ; આ એ જે સૂથ એમ કે ગતિ આગતિ કાં શેાધ ?” |
પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું.” (પત્રાંક ૪૨૪) ઈત્યાદિ અન્ય પણ અનેક વચનથી અને વાર્તાલાપથી તેમને જાતિસ્મરણજ્ઞાન થયાનું નિશ્ચિતપણે જાણી શકાય છે.
જાતિસ્મરણજ્ઞાનની તેમના પારમાર્થિક જીવનના વિકાસ ઉપર મુખ્ય અસર એ થઈ કે તેઓને પરભવનું દુઃખ ઇત્યાદિ જાણીને વૈરાગ્ય ઘણે વૃદ્ધિ પામ્યા અને મેક્ષમાર્ગમાં વિશેષ નિઃશંકપણે પ્રવૃત્તિ કરવાનું બની શક્યું.
, વિદ્યાભ્યાસને કાળ સાત વર્ષની વય પછી શ્રીમદુને શાળાને અભ્યાસ કરવા માટે નિશાળે બેસાડવામાં આવ્યા.
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજથળ : : @
-
-
-
-
-
-
-
બાળક રાજચંદ્રની યાદશક્તિ ઘણી તીવ્ર હતી, તેથી એક જ વાર નિશાળમાં શીખવાથી તેમને પાઠ સ્મૃતિમાં રહી જતા. આ પ્રકારના પિતાના “એકપાકીપણાને નિર્દેશ, તેમણે “સમુચ્ચયવયચર્ચામાં કર્યો છે. આવી સ્મૃતિના પ્રભાવથી સાત વર્ષને અભ્યાસ તેમણે બે વર્ષમાં જ પૂરે કર્યો હતે.
પ્રખર અને બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે તેઓએ વિદ્યાર્થીઓમાં ઘણી ચાહના મેળવી હતી. એકવાર શિક્ષકે તેમને ઠપકો આપતાં તેઓ નિશાળે નહેતા ગયા. બીજે દિવસે વિદ્યાથીઓએ શ્રીમને નિશાળમાં ન જોતાં તેઓ તેમને ઘેર ગયા અને સમાચાર મેળવી શ્રીમદ્ જયાં ખેતરમાં બેઠા હતા ત્યાં ગયા. આ બાજુ શિક્ષકે રાહ જોઈ પણ કઈ વિદ્યાર્થી નિશાળમાં આવ્યું નહીં તેથી માહિતી મેળવીને ખેતરમાં જ્યાં શ્રીમદ્ બેઠા હતા ત્યાં ગયા અને સમજાવીને તેમને પાછા લઈ આવ્યા.
વિદ્યા પ્રાપ્ત કરવાની અને નવી વસ્તુઓ વાંચવાની, જાણવાની અને શીખવાની તેમને ખૂબ જ જિજ્ઞાસા હતી.
બાળપણમાં ચમત્કૃતિઓના આવિર્ભાવ
૧. આઠ વર્ષની વયથી તેમણે કવિતા રચવાની શરૂઆત કરી હતી જે પાછળથી તપાસતાં સમાપ જણાઈ હતી. રામાયણ-મહાભારત ઉપર અનેક કડીઓ રચી હતી. આ વયમાં કવિત્વ એ તેમના સહજ-કવિપણા ( Born Poet)ને પૂરાવે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૯ :: જૈનદર્શન શ્રેણી : ૧-૩
૨. પિતાજીની દુકાન ઉપર બેસીને તેમણે ન્યાયનીતિપૂર્વક વ્યવસાય કર્યાં હતા, અને કોઈ ને આછા-અધિકા ભાવ કહ્યો નહાતા કે ઓછું—અધિક તાળી દીધું ન હતું.
૩. અગિયાર વર્ષની ઉંમરથી તેમણે ક્રાન્ચે રચવાની શરૂઆત કરી હતી, ઇનામી નિષધા પશુ લખવા માંડચા હતા, છટાદાર ભાષણે। આપવાની શરૂઆત કરી અને સ્ત્રીકેળવણી વિષે પેાતાના મૌલિક વિચારો રજૂ કર્યાં હતા. જેમાંના કેટલાક ‘બુદ્ધિપ્રકાશ' આદિ માસિકામાં છપાયા હતા.
૪. ખાર વર્ષની વયે તેમણે ઘડિયાળ ઉપર ત્રણ દિવસમાં ત્રણસો કડીઓ રચી હૈાવાનુ મનાય છે.
ઉપરની અનેકવિધ રચનાઓમાંથી ઘેાડીકને ખાદ્ય કરતાં કોઈ પણ કૃતિ ઉપલબ્ધ થતી નથી.
૫. ગુજરાતી, હિંદી, સંસ્કૃત અને પ્રાકૃત-આ ભાષાઓ ઉપર તેમણે તેર ચૌદ વર્ષ સુધીમાં ઠીક ઠીક પ્રભુત્વ મેળવી લીધુ હતું અને તેઓ તે ભાષાના ગ્રંથાના ભાવ ખરાખર સારી રીતે સમજી શકતા હતા.
૬. છટાદાર અક્ષરો હાવાને લીધે કચ્છના દરબાર તરફથી તેમને લખવા માટે તેડુ મળ્યુ હતું.
૭. વિશ્વના સમગ્ર જીવે પ્રત્યે વાત્સલ્ય અને પ્રીતિભાવ તથા સહનશીલતાના ગુણા પણ આટલી "મરમાં તેમનામાં વિકસેલા જણાયા હતા.
Page #10
--------------------------------------------------------------------------
________________
કિશોરાવસ્થાની અદૂભુત અને લોકપ્રભાવક
સળથી વીસ વર્ષની વયમાં શ્રીમદ્ રાજચંદ્રની જે મુખ્ય વિશિષ્ટ શક્તિઓ ખીલી હતી તે નીચે પ્રમાણે છે:
૧. અવધાન-શક્તિ અવધાન એટલે અનેક કાર્યો ભૂલ વિના એકસાથે કરવાં અને યાદ રાખવાં. આ કાર્ય કરવા માટે વિશિષ્ટ સ્કૃતિ અને કેળવણી (training)ની આવશ્યકતા છે.
સેળ વર્ષની ઉંમરે મેરબીમાં શ્રી શંકરલાલ ભટ્ટના અવધાનના પ્રયોગ શ્રીમદે પ્રથમ વખત નિહાળ્યા. પિતાની અદ્ભુત સ્મરણશક્તિ વડે તેમણે તે કરવાની વિધિ બરાબર જાણી લીધી અને બે દિવસ પછી બે હજાર માણસેની હાજરીમાં તેઓએ મોરબીમાં જ બાર અવધાનને પ્રયોગ બતા; જેથી કવિ, વિદ્વાન અને સાહિત્યકાર તરીકેની પ્રતિષ્ઠા ઉપરાંત અદ્દભુત સ્મરણશક્તિ માટે પણ તેઓ વિખ્યાત થયા.
આ પછી અનુક્રમે જામનગરમાં સેળ અને બેટાદમાં બાવન અવધાન તેઓએ કરી બતાવ્યા હતા. બોટાદના આ સાવધાની શક્તિની ગણતરી કરી કઈ વિદ્વાને કહ્યું હતું કે આ પુરુષ એક કલાકમાં ૧૦૦થી પણ અધિક કલેકે સહેલાઈથી કંઠસ્થ કરી શકે.
- શતાવધાન : ઓગણીસ વર્ષની વયે, તા. ૨૨-૧૧૮૮૭ ના રોજ સાંજના, મુંબઈની ફરામજી કાવસજી રા ૨ -
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦: તન મેરીઃ ૧-૩, ઈન્સ્ટિામાં તેઓએ જાહેરસભામાં શતાવધાનને પ્રયોગ કરી બતાવ્યું હતું. આ સભાનું પ્રમુખસ્થાન ડૉ. પીટર્સને સંભાળ્યું હતું, જેમાં સમાજના અનેકવિધ અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, વેપારીઓ, વિદ્વાને, તિષીઓ વગેરે બસેથી પણ વધુ સંખ્યામાં હાજર હતા અને સૌ કેઈ એ એક અવાજે આ સ્મરણશક્તિની અદ્ભુત સિદ્ધિની પ્રશંસા કરી હતી. આ પ્રયેગે પછી મુંબઈની હાઈકેર્ટના મુખ્ય ન્યાયાધીશ સર ચાર્લ્સ સાર્જન્ટ તરફથી તેમને યુરોપના દેશમાં આવવા આમંત્રણ મળ્યું હતું પણ શ્રીમદે તે સ્વીકાર્યું ન હતું.
- ૨. જ્યોતિષજ્ઞાન - અવધાનમાં સફળતા પ્રાપ્ત કરીને ચેડા કાળ માટે
મકે જેતિષશાસ્ત્ર તરફ પણ શેખ વ્યક્ત કર્યો હતે. જોકે નાનપણમાં તેઓએ તિષ શીખવાને પ્રારંભ કર્યો હતો, છતાં તેનું ઊંડું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા અને પ્રેરણા તેમને શ્રી શંકર પંચેની તરફથી પ્રાપ્ત થઈ હતી. મુંબઈના શતાવધાનના પ્રસંગે. અનેક વિદ્વાને અને જ્યોતિષીઓ હાજર હતા તેમાંના કેટલાક તેમને મળ્યા હતા અને એમના સહ
ગથી શ્રીમદે છેડા સમયમાં “ભદ્રબાહુસંહિતા' નામના અધિકૃત સંસ્કૃત તિષગ્રંથનું ગહન અધ્યયન કરીને
જ્યોતિષવિદ્યામાં સારી પ્રગતિ સાધી હતી. આ ઉપરાંત મનુષ્યના હાથ, મુખ વગેરેનું અવલેકન કરીને તેના ભવિષ્યનું કથુન કરવાની.. વિદ્યા –-સામુદ્રિકશાસ્ત્રવિદ્યા – પણ તેમણે
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચન્દ્રઃ : ૧૧
હસ્તગત કરી હતી. શ્રીમદુના તિષજ્ઞાનની પ્રશંસા સાંભળી અનેક મિત્ર-સ્વજનેએ તેને લાભ લીધું હતું.
આ બન્ને વિદ્યાઓ ઉપરાંત આંખોથી જોયા વિના માત્ર સ્પર્શ દ્વારા ગ્રંથને ઓળખવાની શક્તિ અને જીભથી ચાખ્યા વિના વાનગીઓના સ્વાદને જાણવાની અતીન્દ્રિય જ્ઞાનશક્તિ પણ તેમને સિદ્ધ થઈ હતી. આ બધી શક્તિઓ વિષે તે વખતના પ્રબુદ્ધ સમાજને શું પ્રતિભાવ હતો તેની પ્રતીતિ આપણને મુંબઈ સમાચાર, જામે-જમશેદ, ગુજરાતી, Times of India, The Indian Spectator, Bombay Gazette ઇત્યાદિ વર્તમાનપત્રમાં માત્ર સમાચારરૂપે જ નહીં પરંતુ તેના અગ્રલેખે (Editorials) દ્વારા સારી રીતે થઈ શકે છે. શતાવધાનની સભામાં તત્કાલીન જૈન સમાજ દ્વારા તેમને સુવર્ણચંદ્રક એનાયત થયે હતા તથા “સાક્ષાત સરસ્વતી’નું બિરુદ પણ આપવામાં આવ્યું હતું.
ઉપરોક્ત વિશિષ્ટ શક્તિઓ ઉપરાંત કવિ-વિદ્વાનસાહિત્યકાર તરીકે, આધ્યાત્મિક ક્રાંતિકારી તરીકે તેઓનું જે વ્યક્તિત્વ નાની ઉંમરથી માંડીને ક્રમે ક્રમે ખીલ્યું હતું તે આપણે આગળ ઉપર યથા અવસર જોઈશું.
શ્રીમદુના અધ્યાત્મિક વિકાસના સંદર્ભમાં અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કાતિના શિખરને પામવાનું, ધનાદિની સહજપ્રાપ્તિનું અને વિશાળ ચાહકવર્ગ ઊભે કરવાનું જેનાથી વિપુલ પ્રમાણમાં બની શકે તેમ હતું તેવી આ અદ્દભુત શક્તિઓને પ્રવેગ કરવાનું શ્રીમદે અનુક્રમે
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨ :. જેનાદન શ્રેણી: ૧-૩ ૨૦ વર્ષ અને ૨૪ વર્ષની વયે બિલકુલ બંધ કરી દીધું? અવધાનપ્રગથી લકસંપર્ક વધી જવાનું બનવાની સંભાવના હતી જ, તેમ વળી જ્યોતિષ દ્વારા માત્ર ભૌતિક ઉન્નતિની જ વિશેષ સંભાવના હતી જેથી તે બન્નેને તેઓએ “કલિપત'ની શ્રેણમાં મૂકી દીધાં અને આત્માર્થસંપન્નતા માટે શમ, વૈરાગ્ય, અધ્યયન, ચિંતન અને એકાંતચર્યાને જ પોતાના જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું.
વેપાર અને વ્યવહારમાં | ગૃહસ્થ અવસ્થામાં શ્રીમદે હજારનો વેપાર ખેડ્યો, પણ નાનપણથી જ તેમનામાં નીતિન્યાયના જે સંસ્કાર હતા તે ક્રમશઃ શાસ્ત્રાસ્થયનાદિથી વિકાસ પામતા ગયા. મેક્ષમાળાના શિક્ષાપાઠ-૧૨માં તેઓએ શ્રાવકનાં જે લક્ષણે કહ્યાં છે, તે બધાં તેમણે પોતાના જીવનમાં આચરીને સિદ્ધ. કર્યા હતાં. - શ્રી રેવાશંકર જગજીવન તથા શ્રી માણેકલાલ ત્રિવેદીના સહયોગથી ચાલતી તેમની ઝવેરાતની પેઢીએ પિતાને વેપાર રંગુન, અરબસ્તાન, ઈંગ્લેન્ડ તથા યુરોપના દેશ સુધી વિસ્તાર્યો હતે. તેમાં નાણ-વિષયક અને યુરોપીય દેશે સાથેનું કામકાજ શ્રીમદ્દ હસ્તક હતું.
માલ પિતે જાતે જ તપાસીને ખરીદ, એક જ વેચાણભાવ રાખવે, વ્યાજબી નકે જ લે, કેઈનું દિલ દુભાય નહીં તેમ વર્તવું, ગમે તેટલે નફે થતું હોય તે પણ આપેલા વચનથી ફરવું નહીં, હિસાબ ચેખે અને
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચન્દ્ર ઃ : ૧૩
કાળજીપૂર્વક રાખવે ઈત્યાદિ વેપારની ઉચ્ચતમ પ્રણાલિકાએને તેઓ સતતપણે જાળવતા, જેથી થેડા જ કાળમાં તેમની પેઢીએ ઘણું પ્રગતિ કરી હતી.
મહાત્મા ગાંધીજી નેંધે છે, “ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હેય એ વહેમ શ્રી રાયચંદભાઈએ બેટો સિદ્ધ કરી બતાવ્યું હતું. પિતાના વેપારમાં પૂરતી કાળજી અને હોંશિયારી બતાવતા. હીરામતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. આટલી કાળજી અને હોંશિયારી છતાં વેપારની તાલાવેલી કે ચિંતા ન રાખતા. જેવી વેપારની વાત પૂરી થાય કે તરત જ તેઓ કોઈ ધાર્મિક પુસ્તક કે બેંધપોથી ઉઘાડી લેખન-વાંચનમાં લાગી જતા, કારણ કે તેમની રુચિને વિષય વેપાર નહીં પણ આત્માર્થ હતે.”
આમ, શ્રીમદ્ એક શિષ્ટ, પ્રામાણિક અને કુશળ વિપારી તરીકે આપણી સામે તરી આવે છે. | સામાજિક ક્રાંતિના ક્ષેત્રે પણ શ્રીમદે સ્ત્રી-કેળવણી, કોડાના સંબંધને વિરોધ, આર્યપ્રજાની પડતીનાં કારણે, ખર્ચાળ લગ્નજમણને વિરોધ વગેરે વિષયે ઉપર ગદ્યપદ્યમય રચનાઓ દ્વારા નવજાગૃતિને પ્રશંસનીય પ્રયાસ કર્યો હતે.
ગૃહસ્થાશ્રમ પ્રવેશ આપણું ચારિત્રનાયકનું જીવન વિ. સં. ૧૯૪૪માં વીસ વર્ષની વયે ગૃહસ્થાશ્રમ ભણી વળે છે અને તે અનુસાર શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસભાઈ મહેતાના
Page #15
--------------------------------------------------------------------------
________________
: જૈન
શ્રેણી ૧-૩
મોટાભાઈ શ્રી પોપટલાલભાઈની સુપુત્રી ઝબકબેન સાથે તેઓ વિ. સં. ૧૯૪૪ના મહા સુદ બારસને દિવસે લગ્નગ્રંથિથી જોડાય છે. - શ્રીમને બાળપણથી જ ધર્મના અને વૈરાગ્યના સંસ્કાર સારી રીતે દઢ થયા હતા, તે આપણે આગળ જોઈ ગયા છીએ. આમ તેમની જિજ્ઞાસા ધર્મ પ્રત્યે વિશેષ હેવા છતાં તેઓ યથાસમયે સમભાવથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. આમ કરવામાં તેઓશ્રીને ધર્મ-અર્થ-કામ-મેક્ષના પુરુષાર્થને અવિરુદ્ધપણે અનુસરવાનું યોગ્ય લાગ્યું હશે એમ માની શકાય. તે છતાં, પૂર્વકર્મની વિચિત્રતા અને તે વયે તેઓ સર્વસંગ-પરિત્યાગની અંતરંગ જિજ્ઞાસા છતાં તેને સ્વીકાર કરવાનો નિર્ણય નહેતા લઈ શક્યા તે સ્પષ્ટ થાય છે.
ગૃહસ્થાશ્રમ સ્વીકારીને પણ તેમનું લક્ષ આત્માર્થને ગૌણ કરતું નથી અને ધર્મભાવના કેવી રીતે વૃદ્ધિ પામે તેની રુચિ અને દષ્ટિને સતતપણે તેઓ વૃદ્ધિગત કર્યું જાય છે, અને આગલાં બે વર્ષોમાં તેઓના વ્યક્તિત્વમાં ત્યાગ, વૈરાગ્ય, નિર્લેપતા અને તત્ત્વજિજ્ઞાસા વર્ધમાન થતી દેખાય છે. આ બાબત તેઓએ તે સમય દરમિયાન લખેલા અનેક પત્રમાં સ્પષ્ટ થાય છે? ક “ી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી કપાયું છે, પણ તે તેમ નથી જ.”
Page #16
--------------------------------------------------------------------------
________________
મદુ અથઃ આ “અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું છે કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે, તથા
ત્યાં જ પરમ સમાધિ છે.” એક સ્ત્રીના સંબંધમાં કઈ પણ પ્રકારે રાગ-દ્વેષ રાખવા
મારી અંશ માત્ર ઈચ્છા નથી, પણ પૂર્વે પાર્જનથી ઈચ્છાના પ્રવત નમાં અટક્યો છું.” * “જ્યાં સુધી ગ્રહવાસ પૂર્વકર્મના બળથી ભગવ સ્ટ્રો
છે ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત–ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થાશ્રેણું છતાં અંતરંગ નિગ્રંથશ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. મારી આત્માભિલાષા તે શ્રેણમાં ઘણું માસ થયાં વતે છે.” એક “બને ધર્મમૂતિ થવા પ્રયત્ન કરીએ, મોટા હર્ષથી પ્રયત્ન કરીએ ....... તમે સ્વચ્છતાને બહુ ઈચ્છજો, મારી ભક્તિને સમભાવથી ઈરછજો.” ક કુટુંબરૂપી કાજળની કેટરીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશે તે પણ એકાંતથી જેટલે સંસારક્ષય થવાને છે તેને સમે હિસે પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનું નથી. કષાયનું તે નિમિત્ત છે, મહિને રહેવાને અનાદિકાળને પર્વત છે.” -
આ પ્રમાણે શ્રીમદ્દનું ગૃહસ્થાશ્રમમાં રહેવું કઈ અમ મરણે નહીં પણ, પૂર્વકર્મથી નિવૃત્ત થઈ જવા માટે
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬ઃ જનન શ્રેણીઃ ૧-૩ જ મુખ્યપણે હતું એમ માની શકાય. વળી આત્માર્થને સાધનાર માટે ગૃહસ્થાશ્રમ સર્વથા બાધક છે એમ માનનાર માટે શ્રીમદ્દનું જીવન એક સ્પષ્ટ પડકારરૂપ છે. મોક્ષને ધોરીમાર્ગ અને પરોપકારની પ્રવૃત્તિને માર્ગ છે કે નિગ્રંથતામાં સર્વાગે સિદ્ધ થઈ શકે છે પણ તથારૂપ પ્રવર્તન ન બની શકે તે પ્રબુદ્ધ અને સાવધાન ગૃહસ્થ-સાધક ધર્મમાર્ગની આરાધના નિઃશંકપણે કરીને આત્મકલ્યાણ સાધી શકે છે તે પ્રગાત્મક બંધ આપણને શ્રીમદુના જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે, – માત્ર જરૂણ્યિાત છે સતત પ્રમાણિક પુરુષાર્થની અને દઢ ધર્મ-આરાધનાની.
ચિંતન, મનન અને આત્મસાક્ષાત્કાર
શ્રીમદ્દનું સમસ્ત વ્યક્તિત્વ ગંભીર ચિંતન અને સતત ધર્માભિમુખતાનું પ્રતિબિંબ હેવા છતાં સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યેના તેમના પ્રેમપૂર્ણ વ્યવહારનું પણ આપણને દિગ્દર્શન કરાવી જાય છે.
બાળપણથી જ લાગેલી ઉન્નત જીવન જીવવાની ધૂન, જાતિસ્મરણજ્ઞાન, ગહન શાસ્ત્રાધ્યયન, વધતે જ વૈરાગ્ય, સત્’ના જ રટણ અને અનુભવની સતત ઝંખના, સતત સદ્ગુણેની વૃદ્ધિને પુરુષાર્થ અને સન્શાસ્ત્રો દ્વારા જાણેલાં તના અર્થનું ઉપશમભાવ સહિત અંતર્દષ્ટિપૂર્વક ઊંડું ચિંતન-મનન–આ બધાં વિવિધ સત્સાધના અનુષ્ઠાનથી વિ. સં. ૧લ્લામાં તેમને હું આત્મજ્ઞાનને પ્રકાશ થાય છે:
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ રાજચન્દ્ર = = =
૧. “એગણીસે સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકારયું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સવરૂપ અવભાસ્યું રે
...ધન્ય રે દિવસ.” ૨. “આત્મા જ્ઞાન પામ્યા તે નિઃશંસય છે; ગ્રંથિભેદ થયે
તે ત્રણે કાળમાં સત્ય વાત છે.” ૩. “જૈનદર્શનની રીતિએ જોતાં સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે”
માત્ર સામાન્ય સત્સંગને વેગ મળે તેવા છતાં, પિતાને ગૃહસંબંધી અને વ્યાપારસબંધી વિવિધ ઉપાધિએને વેગ હોવા છતાં, મુંબઈ જેવા મહત્પાદક ક્ષેત્રમાં મુખ્યપણે નિવાસ હોવા છતાં સતત પુરુષાર્થથી, અંતરંગ સાધનાના બળ દ્વારા અને નિરંતર તત્વદષ્ટિના પ્રાગથી મનુષ્ય આધ્યાત્મિકતાની જરૂરથી વૃદ્ધિ કરી શકે છે એ બળવાન બંધ આપણને શ્રીમદના જીવનના આ મહત્વપૂર્ણ અને રહસ્યમય કાળના અવલોકનથી મળી શકે છે. આ સમય (વિ. સં. ૧૯૪૭ના અષાઢ માસ પછીના થોડા માસ) પછી તરત જ તેઓશ્રીને નિવાસ રાવજ (ખંભાત પાસે) મુકામે હતા ત્યારે લખાયેલાં ચાર કાવ્યે તેઓએ આત્મદર્શનની પ્રસાદીરૂપે આપણને આપ્યાં છે, તેને આત્મહિતેચ્છુઓએ સ્વકલ્યાણાર્થે બરાબર ઉપગ કરી લેવા જે છે. તે ચાર કાવ્યે આ પ્રમાણે છેઃ I [૧] હે પ્રભુ! હે પ્રભુ! શું કહું . [૨] યમ નિયમ સચમ આપ કિ . રા./૩
Page #19
--------------------------------------------------------------------------
________________
જ: જામ રણ: ૧-૩
[3] જડ ભાવે જડ પરિણમે...... [૪] જિનવર કહે છે જ્ઞાન.......
એકાંત સાધનાને રંગ . અનંતની યાત્રાના રસિક એવા શ્રીમદ્જીને શુદ્ધ આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થઈ તે પણ તેમને આગળની દશાપ્રાપ્તિ માટેને પુરુષાર્થ તે ચાલુ જ રહ્યો – બલકે વધારે જોર પકડતે ગયે, અને આશ્રમ ભજનાવલિમાં ગાંધીજીએ સામેલ કરેલા તથા સંત વિનેબાજીએ કંઠસ્થ કરેલા કાવ્ય “અપૂર્વ અવસરની ભાવના અનુસાર સર્વસંગપરિત્યાગની દિશામાં તેઓએ પુરુષાર્થ આદર્યો.
“કુટુંબ” અને “લક્ષ્મી બનેને અપરિચય થઈ શકે તે હેતુથી તેઓ નિયમિતતાથી વધુ અને વધુ સમય માટે મુંબઈની બહારનાં વિવિધ “નિવૃત્તિક્ષેત્રમાં રહેવા લાગ્યા જેથી ત્યાગ–વૈરાગ્યની વૃદ્ધિ સાથે પિતાને એકાંત અધ્યયનચિંતન-મનનને વેગ પ્રતિબંધ વગર સિદ્ધ થઈ શકે
લેકપ્રતિબંધ, સ્વજન–પ્રતિબંધ, દેહાદિ–પ્રતિબંધ અને સંકલ્પ-વિકલ્પ–પ્રતિબંધને અપરિચય કરવાને તેમને પુરુષાર્થ સમયની અપેક્ષાએ બે વિભાગમાં વહેંચી શકાય? – વિ. સં. ૧૯૪૭થી વિ. સં. ૧૫૧ (પ્રથમ તબક્કો) – વિ. સં.૧૫રથી દેહવિલય પર્યત (બીજો તબક્કો), જેને આપણે હવે પછીના અંતિમ સાધનાના પ્રકરણમાં જોઈશું.
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચન્હ : : ૧૯
પ્રથમ તબક્કો :
આ તબક્કા દરમિયાન તેમના પુરુષાર્થને અવરોધક ઘણે વિપરિત કર્મોદય હતું તેથી પ્રગતિ પણ તેટલા પ્રમાણમાં મંદ ગતિથી જ થઈ શકે તેમ હતું. યથા –
ત્યાં આવ્યો રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે
....ધન્ય૦ * “જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાતું નથી અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સંગને ઈચ્છીએ છીએ.” & “ઉપાધિન જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિને જેગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને ભીડે છે. કેઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તે કોઈને અપરાધ કર્યો ન ગણાય.”
આમ અનેક વિપરિત સંજોગો હેવા છતાં આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળ વડે તેઓ પોતાના પુરુષાર્થમાં જરા પણ ન્યૂનતા આવવા દેતા નથી, અને ખૂબ જ સાવધાનીથી આત્માની નિર્મળતા જળવાય અને વૃદ્ધિ પામે તેવી સાવધાની રાખ્યા કરે છે જેથી સંયમગ્રડણ પ્રત્યે ઉદ્યમવંત અની શકાય અને મૈત્રી, પ્રમેર આદિ પ્રગટેલી ભાવનાઓ. વિશેષપણે વૃદ્ધિગંત પામે.
Page #21
--------------------------------------------------------------------------
________________
થંડ : : જૈનદર્શન શ્રેણી : ૧-૩
તેઓશ્રીની આ દશા જેમાં ત્યાગી જીવનની તીવ્ર. ઝંખના છતાં વ્યવહારને યાગ રહ્યાં કરે છે, તેને સમજવા માટે આધ્યાત્મિક દૃષ્ટિથી જૈનમાની સમજણ આવશ્યક છે. આવી અધ્યાત્મજ્ઞાનયુક્ત દશાને તેઓએ પ્રયાગરૂપે પેાતાના જીવનમાં કેવી રીતે ઉતારી હતી તેનુ સૌમ્ય; સર્વાં'ગી અને નિષ્પક્ષ દૃન તેઓ પરમ-સખા શ્રી સેાભાગભાઈના પત્રમાં રજૂ કરે છેઃ
‘ જ્ઞાનીપુરુષને આત્મપ્રતિ ધપણે સ'સારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિમ ધપણે હોય; એમ છતાં પણ તેથી નિવવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. જે રીતના આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવા સભવ રહે તેવા ઉદય પણ જેટલા બન્યા તેટલે સમપરિણામે વેદ્યો છે, જોકે તે વેદવાના કાળને વિષે સ સગનિવૃત્તિ કોઈ રીતે થાય તે સારુ એમ સૂઝયાં કર્યુ” છે, તાપણુ સસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈ એ તે દશા ઉદયમાં રહે તે અલ્પકાળમાં વિશેષ કર્મીની નિવૃત્તિ થાય એમ જાણી જેટલુ અન્ય તેટલુ તે પ્રકારે કર્યુ છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસ`ગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હેાય તેપણુ વ્યાપારાદ્ધિ પ્રસ’ગથી નિવૃત્ત, દૂર રહેવાય તેા સારૂ', કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યહાથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.’
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચન : ૨
આ પ્રથમ તબક્કા દરમિયાન તેઓએ મુખ્યપણે જે નિવૃત્તિક્ષેત્રમાં સત્સંગની અને આત્મસાધનાની આરાધના કરી હતી તેની વિગત આ પ્રમાણે છેઃ
સમય
નિવૃત્તિક્ષેત્ર
વિ. સં. ૧૯૪૭ ભાદરઆસે.
રાળજ તથા વવાણિયા
વિ. સં. ૧૯૪૮ કાતિક સુદથી માગરાર સુદ
વવાણિયા, મોરબી, આણંદ
વિ. સં. ૧૯૪૯ – ભાદરવા માસમાં આઠ-દસ દિવસ
પેટલાદ તથા ખંભાત
વિ. સં. ૧૯૫૧-શ્રાવણથી આસો માસ સુધીને લગભગ બે મહિનાનો સમય
વવાણિયા, રાણપુર, ધર્મજ
અંતિમ સાધના અને દેહવિલય
[વિ. સં. ૧૯૫રથી ૧૯૫૭] આ સમય તેઓશ્રીની ઉગ્ર આરાધનાને કાળ વિશેષપણે ગણી શકાય. ઉપાધિને વેગ તે દરમિયાન એકસરતે ગયે અને બાહ્યાંતર અસંગદશા પ્રગટ કરવાની પિતાની નેમ ઠીક ઠીક અંશે પાર પડી. આ દરમિયાન તેઓ અધ્યયનચિંતન-મનન ઉપરાંત આહારને, વસ્ત્રોને, પ્રસંગે ને,
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨ : જૈનાદન શ્રેણી ૧-૩ દેહાધ્યાસને તથા અન્યને દઢતાપૂર્વક અપરિચિય કરતા જેથી સંયમી અને ત્યાગી જીવન સંપૂર્ણપણે અને સહજ રીતે અંગીકાર કરી શકાય. ઉત્તરસંડાના જંગલમાં, કાવિઠામાં તથા ઈડરમાં તેઓ જે રીતે ઉગ્ર એકાંતચર્યામાં રહેતા તે પ્રસંગે મુમુક્ષુઓએ ઉલ્લેખ કર્યો છે જેમાં રાત્રે પિતાની સાથે કેઈ ને પણ ન રહેવાની આજ્ઞા આપવી, પથારીને ઉપગ ન કર, એક જ વસ્ત્રને અને એક જ આહારને પ્રયાગ કરે, પગરખાં ન વાપરવા, ડાંસ–મચ્છર, ઠડીગરમી વગેરે સમભાવે સહન કરવાં અને મૌન-ધ્યાન માટે એકાંતે નિર્જન પ્રદેશમાં રહેવું વગેરે મુખ્ય હતાં.
વર્ષના ચાર, છે કે અધિક માસ સુધી મુંબઈથી બહાર સતતપણે સાધના-ક્ષેત્રમાં સત્સંગઅસંગદશાની સાધના અર્થે રહેવું, રેલવેની ટિકિટના પૈસા પણ પિતાની પાસે ન રાખવા, ગૃહવ્યવહારના પ્રસંગમાં બને ત્યાં સુધી ન જવું, પત્રવ્યવહારાદિ પરમાર્થ સિવાય ભાગ્યે જ કરે અથવા સંક્ષેપમાં કરો ઈત્યાદિ અભ્યાસ દ્વારા વિ. સં. ૧૯૫૫માં તેઓએ વ્યાપારાદિને ત્યાગ કરી માતા પાસે દીક્ષા જીવનની માગણી કરી, પણ બીજા વર્ષે જ તેમના શરીરે તેમને સહકાર આપવાનું છોડી દેતાં વિઘ્ન ઊભું થઈ ગયું અને વિ. સં. ૧૯૫૭માં તે તેમને દેહવિલય થયે. નિવૃત્તિસાધનાના આ તબક્કા દરમિયાન તેઓની મુખ્ય સ્થિતિ નીચેના ગામમાં રહી ગત ચતર પ્રદેશઃ કાવિઠા, આણંદ, નડિયાદ, ઉત્તરસંડા, : વસે, ખેડા, રાળજ, વડવા, ખંભાત.
Page #24
--------------------------------------------------------------------------
________________
* સૌરાષ્ટ્ર પ્રદેશ સાયલા, મેરબી, વવાણિયા, રાજકેટ,
વઢવાણ, વીરમગામ. અન્ય પ્રદેશો ઃ ઈડર, અમદાવાદ, નરેડા, ધરમપુર, ઈત્યાદિ.
આમ શુદ્ધાત્મજ્ઞાનના પ્રકાશ પછી પણ સતતપણે આત્મબળની વૃદ્ધિ કરી તેઓએ મોક્ષમાર્ગમાં પિતાનું પ્રયાણ દેહવિલય પયત અવિરત ગતિથી ચાલુ રાખ્યું હતું.
આરાધક-વર્ગ જેમ જેમ પુરુષની સુગંધી ફેલાય છે તેમ ચારે દિશાઓમાંથી ભમરાઓ તે તરફ સ્વયં આકર્ષિત થઈ જાય છે. આ જ પ્રમાણે બાળપણમાં પિતાની નિશાળના શિક્ષકે અને વિદ્યાથીઓથી માંડીને ગામના વડિલે, કવિતા અને સાહિત્યના રસિકે, સુંદર અક્ષરેના ચાહકે, અવધાન,
તિષ અને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા પ્રભાવિત થયેલા હજારે મનુષ્ય તથા શાસ્ત્રના ગૂઢાર્થોના રહસ્યને સમજીને વિદ્વાને અને જિજ્ઞાસુ સાધકોને તત્ત્વજ્ઞાનના અને આત્માના અનુભવના માગે દેરવાની શક્તિથી પ્રભાવિત થયેલે મોટો પ્રશંસકવર્ગ – આ સૌ પોતપોતાની રીતે શ્રીમદ્જી તરફ આદર, સન્માન અને ભક્તિની દૃષ્ટિથી જોતાં થઈ જાય છે.
અહીં તે માત્ર ચાર જ શિષ્ય અને જિજ્ઞાસુઓને પરિચય પ્રસ્તુત છે
Page #25
--------------------------------------------------------------------------
________________
૪જેનર્સને એણ: ૧-૩
[૧] શ્રીમદ્દ અને શ્રી સેભાગભાઈ:
શ્રીમદ્ભા સમસ્ત પત્રસાહિત્યને લગભગ એથે ભાગ જેમના ઉપર લખાયેલું છે તેવા સરળતા, સૌમ્યતા, શરણાગતિ, સાચી સંસ્કારિતા અને જિજ્ઞાસાની મૂર્તિ સ્વરૂપ શ્રી સેભાગભાઈ શ્રીમદુના પરમ સખા હતા. ઉમરમાં ૪૪ વર્ષે મોટા હોવા છતાં પ્રથમ મુલાકાતના અનુભવથી જ તેઓ શ્રીમદુના અનન્ય ભક્ત બની ગયા અને ક્રમશઃ તેમને ગાઢ પ્રેમ અને માર્ગદર્શન સંપાદન કરી ખૂબ જ ઉચ્ચ અધ્યાત્મદશાને પામીને છેવટે પ્રશંસનીય સમાધિમરણની પ્રાપ્તિ કરી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના પણ શ્રીમદે શ્રી સેભાગભાઈની વિનંતીને સ્વીકારીને જ કરી હતી. બન્નેને પારસ્પરિક સ્નેહ અને ઉપકાર અદ્વિતીય ગણી શકાય તેવા રહ્યા છે, અને આ કળિયુગમાં પણ સત્સંગના ગે ઉચ્ચ અધ્યાત્મની શ્રેણીની પ્રાપ્તિના નમૂનારૂપ છે. શ્રીમદે પિતાનું અંતર ખેલીને નિજદશાની અને સૂક્ષ્મ-સિદ્ધાંતની ચર્ચા શ્રી સેભાગભાઈના પત્રવ્યવહારમાં મુખ્યપણે કરી છે, તે સાથે સાથે તેઓએ શ્રી ભાગભાઈને પરમ ઉપકાર તેમને ઉપરના સંબંધનથી, પત્રના અંત ભાગમાં અને અત્યંતર ધમાં પણ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. તેમના સમારકરૂપે શ્રી રાજ-સેભાગ સત્સંગ મંડળ” એ નામના ઈ. સ. ૧૯૮૫માં સાયલા મુકામે એક આશ્રમની સ્થાપના કરી છે. [૨] શ્રીમદ્દ અને શ્રી લાજસ્થાપી
શ્રીમદ્દના આ અનન્ય ઉપાસક ખરેખર મહાને સ્વ-પર
Page #26
--------------------------------------------------------------------------
________________
-
-
શ્રીમદ્ રાજચન્હ : : ૫ કલ્યાણ સાધી ગયા. મૂળમાં સ્થાનકવાસી સાધુ તરીકે દીક્ષિત થયા હોવા છતાં તેઓએ પિતાનું જીવન શ્રીમદ્દને સર્વથા સમર્પણ કરીને, અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પણ અપૂર્વ ગુરુભક્તિ અને ઉગ્ર સાધના દ્વારા મહાન આત્મકલ્યાણ કર્યું."
શ્રીમદે પણ તેઓને પિતાના આત્મીય ગણીને મુંબઈમાં સમાધિશતકની ૧૭ ગાથાઓ સમજાવી “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે એ મંત્ર આપે હિતે અને પછી પણ ઈડરમાં અને વસમાં ઘનિષ્ટ અને વિશિષ્ટ બંધ આપ્યું હતું, જેને શ્રી લઘુરાજસ્વામીએ અંતરમાં ધારણ કરી રેમ રેમ ગુરુભક્તિ અને આત્માની ધૂન જગાવી હતી.
ઉદાર અને વિશાળ ગુણગ્રાહક દૃષ્ટિથી અને જીવમાત્ર પ્રત્યેના વાત્સલ્યથી તેઓએ સ્થાપેલા અગાસ આશ્રમના માધ્યમ દ્વારા ચરોતરની સામાન્ય, સાદી અને સરળ જનતાને તેમણે શ્રીમદુના તત્વજ્ઞાનની ચાલુ ગામઠી ભાષામાં સમજણ આપી. તેમના ગબળથી ઘણુ મનુષ્યોને શ્રીમદ્દના સાહિત્યની અને વ્યક્તિત્વની શ્રદ્ધા થઈ જેને પુરા આજે પણ અગાસ આશ્રમમાં ચાલતા નિયમિત ભક્તિકમ છે.
પિતાના દીર્ઘકાળના સંયમી જીવનના પ્રત્યક્ષ સમાગમથી શ્રીમદુના વ્યક્તિત્વ અને કૃતિત્વને બહેળા પ્રમાણમાં પ્રસારિત કરવાનું શ્રેય જેટલું તેમને ફાળે જાયે છે તેટલું કઈ અન્ય શિષ્યને ફાળે જતું નથી. *
Page #27
--------------------------------------------------------------------------
________________
ર૬ઃ જૈન દર્શન. એવી ઃ ૧-૩
વિ. સં. ૧૯૯રમાં ખૂબ શાંત સમાધિભાવથી અગાસ આશ્રમમાં તેઓને દેહોત્સર્ગ થયે, જ્યાં તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે.
[૩] શ્રીમદ્દ અને શ્રી અંબાલાલભાઈ:
મૂળ ખંભાતના વતની અને શ્રી. જૂઠાભાઈ દ્વારા શ્રીમદ્ભા સંપર્કમાં આવેલા આ સજ્જન જિજ્ઞાસુએ સેવાથી, ભક્તિથી, પ્રશંસનીય ક્ષયપશમથી અને વૈરાગ્યથી આત્મકલ્યાણની ઉચ્ચ શ્રેણી પ્રાપ્ત કરી. વારંવાર તેઓની નિશ્રામાં અનેક મુમુક્ષુઓ શ્રીમદ્દને બેલાવતા અને સૌ શ્રીમદુના અપૂર્વ બેધને લાભ મેળવતા.
તેમની તીવ્ર સ્મરણશક્તિને લીધે શ્રીમદ્દ તેમને શાસ્ત્રના કે પ2ના ઉતારા કરવા માટે આપતા. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના નડિયાદ મુકામે વિ. સં. ૧૫રના આસો વદ એકમની સાંજે થઈ, ત્યારે શ્રી મની પાસે ફાનસ લઈ ઊભા રહેનાર શ્રી અંબાલાલભાઈ જ હતા. આત્મસિદ્ધિના જે અર્થ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયા છે તેનું લેખન પણ શ્રી અંબાલાલભાઈ એ જ કર્યું હતું, અને પાછળથી તે શ્રીમદ્દની દષ્ટિ નીચેથી પણ પસાર થયું હતું.
“શ્રીમદ્ રાજચંદુ’ ગ્રંથમાં લભગભ ૧૨૭ જેટલા પત્રો શ્રી અંબાલાલભાઈ ઉપર લખાયેલા છે જે તેમની શ્રીમદ્દ સાથેની ઘનિષ્ટતા સૂચવે છે. શ્રીમદ્દના દેહાવસાન પછી તેમનું સાહિત્ય એકત્રિત કરવામાં અને વ્યવસ્થિત
Page #28
--------------------------------------------------------------------------
________________
ની
રાજચ% : : ૭
કરવામાં તેઓને અનન્ય સહગ શ્રી મનસુખભાઈને (શ્રીમદ્ના નાના ભાઈ) પ્રાપ્ત થયું હતું.
વિ. સં. ૧૯૬૧માં એક મુમુક્ષુની સેવા કરતાં તેમને પ્લેગને રોગ લાગુ પડ્યો અને તેઓને દેહત્સર્ગ થયે. [૪] શ્રીમદ્દ અને શ્રી જેઠાભાઈ ?
શ્રીમદુના અલ્પકાળના સાનિધ્યથી પિતાનું આત્મકલયાણ નાની ઉંમરમાં કરનાર આ એક મહાન જિજ્ઞાસુ આત્મા હતા. વિ. સં. ૧૯૪૪માં જ્યારે શ્રીમદ્ મોક્ષમાળા છપાવવા અમદાવાદ આવ્યા ત્યારે શ્રી જેસીંગભાઈના નાના ભાઈ તરીકે તેઓ શ્રીમના પરિચયમાં આવ્યા અને પૂર્વસંસ્કારની બળવત્તરતા અને જ્ઞાનીના બેધને ધારણ કરીને અધ્યાત્મવિકાસ સાથે. શ્રીમદે તેમને સંબોધીને લખેલાં વિશેષણે પરથી તેમની ઉચ્ચ અંતરંગ દશાને આપણને ખ્યાલ આવી શકે છે.
ત્રેવીસ વર્ષની યુવાન વયે વિ. સં. ૧૯૪૬માં તેઓએ સ્વર્ગવાસ કર્યો. [૫] શ્રીમદ્દ અને મનસુખભાઈ:
મેરબીના રહીશ શ્રી મનસુખભાઈ કરતચંદ મહેતાએ શ્રીમને ચેડા કાળના પરિચયમાં જ્ઞાની તરીકે ઓળખી લીધા હતા, અને શ્રીમદ્ પ્રત્યે તેમને અનન્ય ભક્તિ ઉત્પન્ન થઈ હતી.
- શ્રીમદ્દના બેધથી તેઓની સદાચારમાં દ્રઢપણે થિરતા થઈ હતી. વિશાળ શાસ્ત્ર-અધ્યયન, વિદ્વત્તા, સાહિત્યનિપુણતા
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮ :: જૈનદર્શન એણી : ૧-૩.
અને ભક્તિના સમન્વયથી તેમણે શ્રીમદ્રના હૃદયમાં પણ સારું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. શ્રીમદ્દ તેમને જે કામ આપતા તે તેઓ ખૂબ ચીવટથી કરતા અને “શાંત સુધારસ' ગ્રંથને અનુવાદ તેમણે શ્રીમની આજ્ઞાથી જ કર્યો હતે.
તેઓએ લખેલે “શ્રીમદ્ રાજચન્દ્ર જીવનરેખા નામને ગ્રંથ પ્રકાશિત થયેલ છે. તેમના સુપુત્ર ડૉ. ભગવાનદાસભાઈએ “પ્રજ્ઞાબેધ–મેક્ષમાળા” અને “અધ્યાત્મ રાજચન્દ્ર” નામના ગ્રંથે ભક્તિભાવથી લખેલ છે. [૬] શ્રીમદ્દ અને ગાંધીજી
ગાંધીજીએ પિતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષમાં, આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે શ્રીમદ્ રાજચન્દ્ર (કવિ રાયચંદભાઈ) અગ્રગણ્ય છે.
“સત્ય”, “અહિંસા અને બ્રહ્મચર્ય” સંબંધીની પ્રેરણા પિતે શ્રીમદના જીવનમાંથી લીધેલી છે તે નિર્દેશ ગાંધીજીએ કરેલ છે, અને સ્પષ્ટપણે કહ્યું છે કે કેઈ એક વ્યક્તિના જીવનમાંથી હું સૌથી વધારે શીખે હોઉં તે તે શ્રી રાયચંદભાઈને જીવનમાંથી શીખે છું.
આફ્રિકાના વસવાટ દરમ્યાનના ધર્મમંથનના કામમાં ગાંધીજીએ ૨૭ પ્રશ્નો શ્રીમદ્જીને પૂછ્યા હતા જેને ખુલાસે મેળવીને ગાંધીજીએ પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતે અને ધર્મને બદલવા માટેની મિત્રની સલાહને અસ્વીકાર કર્યો હતે.
-
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજથ%ઃ ૨૯ શ્રીમદુની જન્મજયંતિના વ્યાખ્યામાંથી તથા આત્મકથામાંથી શ્રીમદ્દ પ્રત્યે ગાંધીજીએ વ્યક્ત કરેલે આદરભાવ આપણને સારી રીતે જાણવા મળે છે.
ગાંધીજીને એક “મહાત્મા અને શ્રીમને એક ધર્માત્માનું બિરુદ ઘણુ લેખકોએ આપેલું છે, તે બન્નેના વ્યક્તિત્વમાં રહેલું સામ્ય પ્રગટ કરવાની સાથે સાથે બનેના. જીવન ધ્યેયની ભિન્નતાને પણ નિર્દેશ કરે છે.
ઉપર્યુક્ત મહાનુભાવે ઉપર શ્રીમદ્ રાજચન્દ્રજીની ખૂબ જ અસર થઈ અને તેમના જીવનની દિશા જ જાણે કે બદલાઈ ગઈ! પરંતુ આ ઉપરાંત બીજા પણ અનેક પુરુષ ઉપર તેમના જીવનની અને બંધની અસર પડી. જેમાં મુખ્ય છે
મલ શ્રી પોપટલાલ મહેકમચંદભાઈ શાહ “ભાઈશ્રી” જેઓએ.
કાવિઠામાં બોધ પામી વડવા મુકામે શ્રીમદ્ રાજચન્દ્રના નામે સંસ્થા ઊભી કરી. જ મરબીના ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ સંઘવી, જેઓ શ્રીમદ્દના વિશિષ્ટ જ્ઞાનથી પ્રભાવિત થયા હતા અને
અંતિમ ચર્યામાં સેવામાં રહ્યા હતા. 2. શ્રી માણેકલાલ ઘેલાભાઈ જેઓ શ્રીમદે રચેલી આત્મ
સિદ્ધિના વાંચન માટે સર્વ પ્રથમ થયેલી ચાર પ્રતમાંથી - એક પ્રત મેળવવા માટે ભાગ્યશાળી થયા હતા.
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦ : જેના
શ્રેણી ૧-૩
છે શ્રી રેવાશંકર જગજીવનદાસ ઝવેરી, જેઓએ શ્રી પરમકૃત પ્રભાવક મંડળની વ્યવસ્થા ઘણાં વર્ષો સુધી સંભાળી હતી. * શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, જેઓ શ્રીમદુના નાના ભાઈ હતા. જીવનની માત્ર છેલ્લી અવસ્થામાં જ તેઓ શ્રીમદુને કંઈક અંશે ઓળખી શક્યા. શ્રીમદ્ સાહિત્ય પ્રગટ કરવામાં તેમણે મુખ્ય અને પ્રશંસનીય કહી શકાય તેવું કાર્ય કર્યું. * શ્રી ત્રિભવન માણેકચંદ જેઓ ખંભાતના એક અગ્રગણ્ય - મુમુક્ષુ હતા. * શ્રી ઝવેરભાઈ શેઠ જેઓ શ્રીમની કવિઠાની એકાંત
ચર્ચા વખતે તેમની સેવામાં રહેતા. * શ્રી જેસીગભાઈ ઉજમશી જેઓ “ક્ષમાળા પ્રગટ કરવામાં સહાયક થયા હતા અને જેઓના વંશજો હજુ સુધી સારી રીતે શ્રીમના ભક્ત-ઉપાસક રહ્યા છે.
આ ઉપરાંત સર્વશ્રી મતીચંદ ગિરધર કાપડિયા, લહેરચંદભાઈ ખીમજી દેવજી, વ્રજલાલભાઈ શંકરભાઈ ડુંગરશીભાઈ છોટાલાલ માણેકચંદ, વિનયચંદ્ર પોપટભાઈ દફતરી, અનુપચંદ મલકચંદ વગેરે સજજને ઉપર પણ શ્રીમને ઠીક ઠીક પ્રભાવ પડ્યો હતે.
Page #32
--------------------------------------------------------------------------
________________
કેટલાક પ્રેરક પ્રસંગ
શાંતિને પ્રભાવ ખંભાતના શ્રી છોટાલાલ માણેકચંદ વગેરે સાથે એક વખત શ્રીમદુ ધર્મજથી વીરસદ જતા હતા. રસ્તામાં એક સાંકડી કેડી આવી. તે પરથી બધા પસાર થતા હતા. તે વખતે તેઓએ તે કેડી પર સામેથી બે સાંઢને લડતા લડતા આવતા જોયા. સામેથી ધસી આવતા સાંઢને જોઈને બીજા સર્વેને ગભરાટ છૂટક્યો, પણ શ્રીમદે બધાને જણાવ્યું કે સાંઢ નજીક આવશે ત્યારે શાંતિ થઈ જશે. પરંતુ ભયને લીધે છોટાભાઈ વગેરે સાથીઓ પાસેના ખેતરમાં છુપાઈ ગયા. માત્ર શ્રીમદ્ અને તેમની પાછળ શ્રી સૌભાગભાઈ તથા ડુંગરશીભાઈ શાંતિથી આગળ વધ્યા. બન્ને સાંઢ નજીક આવતાં જ શાંત બની ઊભા રહી ગયા, અને બધા શાંતિથી પસાર થઈ ગયા.
આત્માની ચિંતા એક જિજ્ઞાસુએ શ્રીમદ્દને પ્રશ્ન કર્યો : “પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલમાં ધકે ગોળ કહે છે, તેમાં ખરું શું?”
શ્રીમદે સામે સવાલ પૂછળ્યો : “તમને સપાટ હોય તે ફાયદો કે ગેળ હોય તે ફાયદે?”
જિજ્ઞાસુએ કહ્યું: “હું એ જ જાણવા માગું છું.”
શ્રીમદે પૂછયું : “તમે તીર્થકર ભગવાનમાં શક્તિ વધારે માને છે કે હાલના શેધકેમ?”
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨ : : જૈનદરાન શ્રેણી: ૧-૩
C
જિજ્ઞાસુએ જણાવ્યું તીથ કર .ભગવાન પર. ’ શ્રીમદે કહ્યું : ‘તી ́કર પર શ્રદ્ધા રાખા અને શકા કાઢી નાખા. આત્માનું કલ્યાણુ કરશે તે તમને પૃથ્વી સપાટ કે ગાળ, જેવી હશે તેવી, કોઈ હરકત કરશે નહિ,’
*
મરણના ભય
કચ્છના વતની પદમશીભાઈ એ શ્રીમને એક વખત પૂછ્યું, “ સાહેખજી, મને ભયસંજ્ઞા વિશેષ રહે છે, તે તેના શા ઉપાય ? ”
શ્રીમદે પૂછ્યું, “ મુખ્ય ભય શેના રહે છે ? ” “ મરણના, ’’
તે માટે શ્રીમદે કહ્યું, “ મરણ તે આયુષ્યબંધ પ્રમાણે ઃઃ તા થાય છે. જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી મરણુ તા નથી. તા પછી એના ભય રાખવાથી શા કાયદો ? એ રીતે મન દૃઢ રાખવુ.”
આપુને ચેતવ્યા
થવાણિયામાં શ્રીમદ્ના ઘરથી થાડે દૂર રહેતા એક ગરાશિયાને ઘેાડા પર બેસી સાંજે ફરવા જવાના નિત્યક્રમ હતા. એ રીતે ગરાશિયા ખાપુ એક વખત ફરવા નીકળ્યા ત્યારે શ્રીમદ્ તેમને સામા મળ્યા.
Page #34
--------------------------------------------------------------------------
________________
આ સીમ શચન્દ્રઃ ઃ ૩૩ : શ્રીમદે તેમને જણાવ્યું, “બાપુ, આજે ઘી લઈને ફરવા જવાનું માંડી વાળે.”
ઘણું કહેવા છતાં બાપુ માન્યા નહિ, ફરવા ગયા. બહાર ગામ પહોંચ્યા ત્યાં તે ઘડીએ તેફાન શરૂ કર્યું અને તેમને પછાડ્યા. ખબર પડતાં ચાર જણે તેમને
ફાળમાં ઊંચકી ઘેર લાવ્યા, પણ થોડા સમયમાં તેમનું મરણ થયું.
છ મહિના પછી પરણુજે શ્રીમદ્ વીરજી દેસાઈ નામના એક ભાઈને કાકા કહેતા. તેઓ બન્ને એક વખત સાંજે ફરવા ગયા હતા, ત્યારે શ્રીમદે દેસાઈને પૂછયું કે, “કાકા, મારા કાકીને કાંઈ થાય તે તમે બીજીવાર પરણે ખરા?” દેસાઈએ કાંઈ જવાબ ન આપે. થોડા દિવસ બાદ દેસાઈનાં પત્ની મરણ પામ્યાં. - ત્યાર પછી સાથે જવાને ફરીથી એક પ્રસંગ આવ્યો ત્યારે શ્રીમદે દેસાઈને પૂછયું, “કાકા, તમે હવે પરણશે?”
દેસાઈએ જવાબ ન આપતાં માત્ર મેટું મલકાવ્યું.
શ્રીમદે કહ્યું, “કાકા, તમે પરણવાને વિચાર કરતા હો તે તે છ માસ પછી રાખજે.”
Page #35
--------------------------------------------------------------------------
________________
જ ઃઃ જૈન એ ઃ ૧-૩
છ મહિના થયા. રાંધણ છઠને દિવસ આવ્યે. તે દિવસે વિરજી દેસાઈ સાંજે બહારથી ઘેર આવ્યા ત્યારે ખાળમાંથી નીકળેલ સર્પ તેમને કરડવો. સર્પનું ઝેર ઉતારવા ઘણી મહેનત કરી, પણ ઝેર ઊતર્યું નહિ, ત્યારે દેસાઈએ કહ્યું,
નવા ઉપચાર કરી મારે ચેવિહાર ભંગાવશે નહિ. મને તે કહેનારે એ વાત કહી દીધી છે.”
પ્રામાણિકતા એક વખત શ્રી ત્રિભુવનદાસ ભાણજી અને શ્રીમદ્ મુંબઈમાં હાઈકોર્ટ પાસેના બેન્ડસ્ટેન્ડ તરફ ફરવા ગયા હતા. ત્યારે ત્રિભુવનભાઈએ એમને પ્રશ્ન કર્યો હતો કે, “એક જેન તરીકે પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ?”
એના ઉત્તરમાં શ્રીમદે હાઈ કેર્ટને બુરજ દેખાડી તેમને કહ્યું કે, “પેલી દૂર જે હાઈ કોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું જે પ્રામાણિકપણું હોય તેના કરતાં જૈનનું પ્રામાણિકપણું ઓછું તે ન જ હોવું જોઈએ. એટલે કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કેઈને પણ શંકા ન થવી જોઈએ, એટલું જ નહિ પણ તે અપ્રામાણિક છે એમ કેઈ કહે તે સાંભળનાર તે વાત સાચી પણ ન માને, એવું તેનું પ્રમાણિકપણું સર્વત્ર જાણીતું દેવું જોઈએ.”
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચદ્ધ : : મ સત્યને આગ્રહ શ્રીમતી લગભગ ૧૩ વર્ષની વયે બનેલે એક પ્રસંગ છે. એક વખત જેઠમલજી નામના વિદ્વાન મનાતા સાધુએ શ્રીમના જ્ઞાનથી ખુશ થઈ મેરબીમાં તેમને કહ્યું કે તમે “ઢેઢકમત” દીપાવે.
જે વખતે સત્યના આગ્રહી શ્રીમદે તત્કાળ જવાબ આપ્યું કે, “સત્ય વસ્તુ હશે તે જ કહેવાશે.”
નિષ્કારણ કરૂણ શ્રીમદ્દ એક વખત મોરબીથી વવાણિયા જતા હતા. સ્ટેશને મૂકવા માટે શ્રી મનસુખભાઈ મહેતા આદિ કેટલાક મુમુક્ષુઓ ગયા હતા. ગાડી આવવાને સમય હતો તેથી બધા ધર્મચર્ચા કરતા હતા. તે અરસામાં મનસુખભાઈને કેઈ બેલાવવા આવતાં ઘેર જવું પડયું. તેથી ગાડી આવતાં સુધીને સત્સંગને લાભ જવા બદલ તેમને મનમાં ને મનમાં ખૂબ ખેદ થયે. તે ખેદ પ્રગટ ન કરતાં મનસુખભાઈ ઘેર ગયા. પણ એ ખેદ શ્રીમદ્ પામી ગયા અને પછીથી ગાડી. આવી ગઈ હોવા છતાં તેઓ વવાણિયા ન જતાં બધા સાથે મોરબી પાછા ફર્યા અને બીજે દિવસે મનસુખભાઈને સત્સંગને લાભ આપ્યું. જ્ઞાનીની નિષ્કારણ કરુણા તે આ
મનને નવરું ન મેલવું એક વખત મુનિ મેહનલાલજીએ શ્રીમદુને પ્રશ્ન કર્યો કે, “મન સ્થિર થતું નથી, તે શું ઉપાય કરવો”
Page #37
--------------------------------------------------------------------------
________________
:: જૈ
ન
શ્રેણી : ૧-૩
શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું કે, “એક પળ પણ નકામે કાળ કાઢવે નહિ. કેઈ સારું પુસ્તક વિરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું, વિચારવું. એ કાંઈ ન હોય તે છેવટ માળા ગણવી. પણ જે મનને નવરું મેલશે તે ક્ષણવારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સદ્દવિચારરૂપ
રાક આપે. જેમ ઢોરને કાંઈને કાંઈ ખાવાનું જોઈએ, દાણાને ટોપલે આગળ મુક્યો હોય તે તે ખાયા કરે છે, તેમ મન ઢેર જેવું છે. બીજા વિકલ્પ બંધ કરવા માટે સવિચાર રૂપ રાક આપવાની જરૂર છે. મન કહે તેથી ઊલટું વર્તવું, તેને વશ થઈ તણાઈ જવું નહિ, તેને ગમે તેથી આપણે બીજે ચાલવું.”
ઉપસંહાર - આમ શ્રીમદ્ રાજચન્દ્રજીનું મુખ્ય વ્યક્તિત્વ આધ્યાત્મિક રહ્યું છે, અને તેમના ટૂંકા આયુષ્યને લીધે તેમને જીવન સંદેશ તેમના વિદ્યમાનપણમાં બહુજન સમાજ સુધી પહોંચી શક્યો નથી. પરંતુ આપણે એ ન ભૂલીએ કે તેઓ માત્ર એક મહાન સંત જ નહીં પણ એક પ્રબુદ્ધ કેળવણીકાર, જન્મજાત કવિ, લેકેત્તર સ્મરણશક્તિધારક, વિશિષ્ટ તર્કપટુતાના સ્વામી, અનેકવિધ અતીન્દ્રિય જ્ઞાનના અધિકારી, સમાજ સુધારક, અહિંસા–સત્યના પ્રયેગવીર અને પૂજારી, સ્ત્રીજાતિની સુધારણાના અને ભારતની સંસ્કૃતિના મહાન હિમાયતી અને સર્વધર્મ સમભાવના એક વિશિષ્ટ તિર્ધર હતા.
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચન્દ્રઃ : ૩૭
અધ્યાત્મપ્રેમી સજજોએ, સમાજના સાચા હિતેચ્છુએએ, ભારતની અસ્મિતાના અગ્રેસરોએ, ગુજરાતી સાહિત્યકારોએ, જૈનધર્મના આરાધકેએ અને શ્રીમદુના અનુયાયી વગે આ વાતને ન વિસરવી જોઈએ કે જે પ્રમાણમાં આપણે શ્રીદયાનંદ સરસ્વતિ, શ્રીમોટા, મહર્ષિ દ્વય શ્રીરમણ અને શ્રી અરવિંદ, આચાર્ય શ્રી વિજયવલ્લભ કે શ્રીબુદ્ધિસાગરના વ્યક્તિત્વને સમાજમાં ઉપસાવ્યું છે, તે રીતે આ મહાપુરુષના વ્યક્તિત્વને ઉપસાવી શક્યા નથી. શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રીમેક્ષમાળા, અપૂર્વ અવસર, અને બીજા અનેક આધ્યાત્મિક પત્રો અને કાવ્યો દ્વારા આધ્યાત્મિક સાધકને, અને સમાજ તથા ધર્મની નીતિમત્તાના ધરણેને ઊંચે લાવવા નિષ્પક્ષપણે ઉચ્ચ કક્ષાનું સર્વતોમુખી માર્ગદર્શન આપનાર આ મહાપુરુષને ગમે તે કારણોસર આપણે યથાર્થ પણે ઓળખી શક્યા નથી અને તેથી તેમના ઉપદેશને યથાયોગ્ય લાભ પણ લઈ શકયા નથી.
કેવળ ભાવુકતા કે કેવળ દેષદર્શનને બાજુમાં રાખી, ખરેખર મધ્યસ્થ થઈ, આપણે સૌ જે તેમને ઓળખીશું તે તે આપણને ઘણું લાભનું કારણ બનશે અને દૂર-સુદૂરના લેઓને પણ તેમણે બેઠેલા શાશ્વત સત્ય-સિદ્ધાંતની જાણ થવાની સાથે સાથે શાંતિ, પ્રેમ, સદગુણે પ્રત્યેને પ્રમોદ, વિચારેની સહિષ્ણુતા, સાત્વિકતા, સત્ય-અહિંસા અને વિશ્વબંધુત્વને સમાજમાં ફેલાવે થશે જે સૌ કોઈને કલ્યાણનું જ કારણ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રીમદની ઉપદેશપ્રસાદી
શ્રીમદ્દે ૩૭ વષઁની ટૂંકી જિંગીમાં આપણતે ધણા વિસ્તૃત, પરમ ઉપકારક અને સર્વાંગ્રાહી ખેાધ આપ્યા છે. તે સં ‘શ્રીમદ્ રાજચન્દ્ર' નામના અગાસથી પ્રકાશિત થયેલા ગ્રંથમાં પ્રગટ થયા છે. સાધક મુમુક્ષુએ તે જરૂર તેનું સત્સંગના યાગે વાંચન-મનન કરવુ જોઈએ. અહીં તે માત્ર સામાન્ય વાચકવર્ગ માટે તેમના ઉપદેશમાંથી થાડી વિશેષ ઉપકારી, સરળ અને વ્યવહારજીવનમાં ઉપયાગી સામગ્રી સંક્ષેપમાં રજૂ કરીએ છીએ, જે સૌ કોઈને જીવન ઉન્નત બનાવવાની પ્રેરણા આપે છે.
૧. સામાન્ય સન્નાથાર અને નીતિ-ન્યાય
(૧) સર્વાં જીવેામાં સમદષ્ટિ – કિવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં.
(૨) જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતા હૈ। તે। અટકજે.
(૩) જિ ંદગી ટૂંકી છે અને જાળ લાંખી છે, માટે જંજાળ ટૂંકી કર તો જિંદગી સુખરૂપ લાંખી લાગશે.
(૪) પવિત્રતાનું મૂળ સદાચાર છે.
(૫) કંઈ પરાપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યે હા તે। આનદ માન, નિરભિમાની રહે.
(૬) તારું, તારા કુટુંબનુ, મિત્રનું, પત્નીનું, માતા-પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તે આજના દિવસની તે સુગંધી છે. (૭) પરિનંદા એ જ સબળ પાપ નવું.
(૮) આ લોકમાં સુખનું કારણ અને પરલાકમાં સુખનું કારણ જે સ`સારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ.
Page #40
--------------------------------------------------------------------------
________________
-
શ્રીમદ રાજયન્તઃ ? કટ
૨. સર્વધર્મ સમભાવ ' (૧) તું ગમે તે ધર્મ માનતા હોય તેને મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.
[ દેહરા ]. (૨) ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ;
એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માનો તેહ. તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.
(દોહરા) (૩) જાતિ વેષને ભેદ નહીં, કહ્યો માર્ગ હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. (૪) અમને તે બ્રાહ્મણ. વૈષ્ણવ ગમે તે સમાન છે. જેના કહેવાતા હોય, અને મતવાળા હેય તો તે અહિતકારી છે; મતરહિત હિતકારી છે.
(૫) રૂઢિએ કંઈ કલ્યાણ નથી, આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં.
૩. માનવદેહ (૧) જ્ઞાનીઓ કહે છે કે એ (માનવ) ભવ બહુ દુર્લભ છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું.
માનવપણું વિદ્વાને એને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય. તે વડે સત્યાસત્યને નિર્ણય સમજીને પરમતત્વ, ઉત્તમ આચાર અને સત ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મેક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાને તેને મનુષ્ય કહેતા નથી; પરંતુ તેના વિવેકને લઈને કહે છે. - કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકને ઉદય થતું નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. કેટલાક મૂર્ખ દુરાચારમાં,
Page #41
--------------------------------------------------------------------------
________________
:: જૈન શ્રેણી ૧-૩ અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલ માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનરરૂપ જ છે.
મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું.
(૨) દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો.
(૩) સર્વ પ્રાણુની અપવાદ સિવાય સુખ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે, તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે; એમ માત્ર મેહદષ્ટિથી થયું છે.
(૪) ચક્રવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જે જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર છે ! જેમણે પ્રમાદને ય કર્યો તેમણે પરમપદને જય કર્યો.
૪. સત્સંગ સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સસંગને સામાન્ય અર્થ કેટલે કે, ઉત્તમનો સહવાસ ... આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષને માર્ગ બતાવે તે મૈત્રી ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. પુરુષોને સમાગમ એ પણ સત્સંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. જ્યાં શાસ્ત્રોના
Page #42
--------------------------------------------------------------------------
________________
મદ્ રાજચ
: ૪૧
સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાનધ્યાનની સુકથા થાય, જ્યાં પુરૂષનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તવજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સતસંગ તે મહાદુર્લભ છે.
મોટા પુરુષોએ અને તેને લઈને અમે એ દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પિતાની સન્માર્ગને વિષે ગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ એના જેવું પરમ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી.
જીવ પિતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આથી આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષના લક્ષમાં હેય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ મૂકી દેવા. | સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હેય, તે પુરુષે આત્માને ગવેષ, અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગષો તેમ જ ઉપાસો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પોતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
* મિયાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઈન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહી, અથવા સત્સંગ
Page #43
--------------------------------------------------------------------------
________________
અર?? જેવા શ્રેણી: ૧-૩ એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણું ન હોય તો ફળવાન થાય નહીં. જે એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અહ૫કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.
૫. ભક્તિ અને ભક્તિમાર્ગ (૧) જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત-દિવસ તે અપૂવ જગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય...તે જ્ઞાની પુરુષનાં સવ ચારિત્રમાં ઐક્યભાવને લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માને ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે.
(૨) ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તે પદાર્થ છે...જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જેવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.
જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.
(૩) ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વછંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પ મટે, આ એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
(૪) શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વદૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આભા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો. જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રીમ રાજયકક સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપી દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.
તિક છંદ] સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે, ભજીને ભગવંત ભવંત લહે.
૬. સુખ (૧) જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કેઈએ સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખને માર્ગ છે, વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું; એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે.
(૨) જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભેગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યાં છે; તેમ જ પરિણામે મહા તાપ, અનંત શોક અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે, વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી. | (૩) અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં, અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ.
સમણ રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગભીર ઉપયોગ રાખ.
એ ક્રમ કંથાગ્ય સલા આવીશ તે તું મુંઝાઈશ નહીં. નિર્ભય થઈશ.
(૪) માયિક સુપની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ
Page #45
--------------------------------------------------------------------------
________________
૧ :: નાહન એકીઃ ૧-૩ .
છોડયા વિના છૂટક થવાનો નથી; તે જ્યારથી એ વાકય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમને અભ્યાસ કર એગ્ય જ છે એમ સમજવું.
૫) દેહથી ભિન્ન, સ્વપરપ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ એ આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશો.
| સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મેટે ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહે! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિંચિતમાત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે.
વિષયથી જેની ઈન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ, ક્યાંથી પ્રતીતિમાં આવે?
૭. વૈરાગ્ય (૧) ગૃહકુટુંબાદિ ભવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે.
(૨) વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
(૩) સપુરુષ કરતાં મુમુક્ષુને ત્યાગ-વૈરાગ્ય વધી જવો જોઈએ. મુમુક્ષુઓએ જાગ્રત જાગ્રત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. પુરુષનું એક પણ વચન સાંભળી પિતાના વિષે દોષ હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે.
(૪) જ્ઞાન, વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે, એકલાં ન હોય. |
(દેહરા) વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમજ્ઞાન, તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણાં નિદાન.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; * અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.
(૫).
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચના :
૮. સદ્ગુરુ-સરુષ
(૧) ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે (૧) કાશ્વસ્વરૂપ (૨) કાગળસ્વરૂપ (૩) પથ્થરસ્વરૂપ. કાષ્ઠસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે, કારણ સંસારરૂપી સમુદ્રને કાસ્વરૂપી ગુરુ જ તરે છે અને તારી શકે છે. કાગળસ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસારસમુદ્રને પોતે તરી શકે નહીં; પરંતુ કઇ પુણ્ય ઉપાર્જન કરી શકે એ ખીજાતે તારી શકે નહીં. પથ્થરસ્વરૂપ તે પોતે બૂડે અને પરને પણ મૂડાડે કાòસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવ ંતના શાસનમાં છે.
: દોહરા ઃ
ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મા; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉય પ્રયેગ; અપૂર્વી વાણી પરમ શ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૨) સદ્ગુરુનું માહાત્મ્ય :
સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાå, નિજ પદના લે લક્ષ. સ્વચ્છંદ્ર મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. જિન પ્રવચન દુ†મ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.
(૩) નિરાબાધપણે જેની મનેાવૃત્તિ વહ્યા કરે છે, સ’કલ્પ–વિકલ્પની મતા જેને થઈ છે. પંચ વિષયથી વિરક્તમુદ્ધિના અંકુરા જેને ફૂટથ છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યાં છે; અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંત
Page #47
--------------------------------------------------------------------------
________________
જઃ કેનાન તેણી: ૧-૩ -દષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તે. - આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(૪) આ કાળમાં પુરુષનું દુર્લભપણું હેવાથી, ઘણે કાળ થયાં પુરૂષને માર્ગ, માહાસ્ય અને વિનય ઘસાઈ ગયા જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક જીવો ઓછા હોવાથી, જીવને સપુરુષનું એાળખાણ તકાળ થતું નથી. ઘણું છે તે પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી કાં તે છ કાયના રક્ષપાળ સાધુને, કાં તે શાસ્ત્ર ભણ્યા હોય તેને, કાં તે કઈ ત્યાગી હોય તેને અને કાં તે ડાહ્યો હોય તેને પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી.
૯ મુમુક્ષુ-આત્માથ-જિજ્ઞાસુ (૧) મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુંઝાઈ એક “મેક્ષને વિષે જ યત્ન કરવો; અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
મુમુક્ષુ જીવમાં સમાદિ કહ્યા તે ગુણ અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષતા ન કહી શકાય. માટે વિચારવાની છે તે લક્ષ રાખી યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી, સદગુરુને વેગ પ્રાપ્ત કરી, કષાયાદિ દોષ છેદ કરવાવાળો એ અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. નિત્ય તે પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં ફરી ફરીને પુરુષાર્થ કરતાં તે મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, તે મુમુક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે.
વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યગ્દર્શન ક્યાંથી થાય? સમ્યગ્યારિત્ર ક્યાંથી થાય? કેમકે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હેતી નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
અમદુ રાજવ :: ૪૭
\ (૨)
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું – આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
[દેહરા] યા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ વૈરાગ્ય; તેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પછી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર;
કરુણા કે મળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. (૩) આરંભ અને પરિગ્રહને જેમ જેમ મોહ. મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે. તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પિતાપણે વર્તતા હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું જ ઉપદેશે છે ને કરવા ગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પિતાનાં થતાં અટકાવવાંત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.
૧૦. જ્ઞાન (૧) જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન.
(૨) જ્ઞાન એ દરે પરેલ સોય જેવું છે, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે. દરે પરોવેલ સોય ખેવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડતું નથી.
(૩) જ્ઞાન તે છે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૮ : જેની શ્રેણીઃ ૧-૩
() જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેનો મેહ ઉપશમ અથવા ક્ષય ન થયે, તે જ્ઞાન “અજ્ઞાન” કહેવા યોગ્ય છે. અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે.
[ચોપાઈ] જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તણા શંકા નહીં સ્થા૫; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન.
(૬) સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસ...સંગથી છવનું વિચારબિળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી...સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાને હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ
પ્રગટે.
[દેહરા ] જબ જ નિજ રૂપકે, તબ જા સબ લેક;
નહીં જા નિજ રૂપકે, સબ જાન્યો સે ફેક. (૮)
હરિગીત] નહીં ગ્રંથમાંહી જ્ઞાન ભાડું જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્રતંત્ર જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા કરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો.
Page #50
--------------------------------------------------------------------------
________________ ല്ലല് e