SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજથ%ઃ ૨૯ શ્રીમદુની જન્મજયંતિના વ્યાખ્યામાંથી તથા આત્મકથામાંથી શ્રીમદ્દ પ્રત્યે ગાંધીજીએ વ્યક્ત કરેલે આદરભાવ આપણને સારી રીતે જાણવા મળે છે. ગાંધીજીને એક “મહાત્મા અને શ્રીમને એક ધર્માત્માનું બિરુદ ઘણુ લેખકોએ આપેલું છે, તે બન્નેના વ્યક્તિત્વમાં રહેલું સામ્ય પ્રગટ કરવાની સાથે સાથે બનેના. જીવન ધ્યેયની ભિન્નતાને પણ નિર્દેશ કરે છે. ઉપર્યુક્ત મહાનુભાવે ઉપર શ્રીમદ્ રાજચન્દ્રજીની ખૂબ જ અસર થઈ અને તેમના જીવનની દિશા જ જાણે કે બદલાઈ ગઈ! પરંતુ આ ઉપરાંત બીજા પણ અનેક પુરુષ ઉપર તેમના જીવનની અને બંધની અસર પડી. જેમાં મુખ્ય છે મલ શ્રી પોપટલાલ મહેકમચંદભાઈ શાહ “ભાઈશ્રી” જેઓએ. કાવિઠામાં બોધ પામી વડવા મુકામે શ્રીમદ્ રાજચન્દ્રના નામે સંસ્થા ઊભી કરી. જ મરબીના ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ સંઘવી, જેઓ શ્રીમદ્દના વિશિષ્ટ જ્ઞાનથી પ્રભાવિત થયા હતા અને અંતિમ ચર્યામાં સેવામાં રહ્યા હતા. 2. શ્રી માણેકલાલ ઘેલાભાઈ જેઓ શ્રીમદે રચેલી આત્મ સિદ્ધિના વાંચન માટે સર્વ પ્રથમ થયેલી ચાર પ્રતમાંથી - એક પ્રત મેળવવા માટે ભાગ્યશાળી થયા હતા.
SR No.005922
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy