________________
૩૦ : જેના
શ્રેણી ૧-૩
છે શ્રી રેવાશંકર જગજીવનદાસ ઝવેરી, જેઓએ શ્રી પરમકૃત પ્રભાવક મંડળની વ્યવસ્થા ઘણાં વર્ષો સુધી સંભાળી હતી. * શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, જેઓ શ્રીમદુના નાના ભાઈ હતા. જીવનની માત્ર છેલ્લી અવસ્થામાં જ તેઓ શ્રીમદુને કંઈક અંશે ઓળખી શક્યા. શ્રીમદ્ સાહિત્ય પ્રગટ કરવામાં તેમણે મુખ્ય અને પ્રશંસનીય કહી શકાય તેવું કાર્ય કર્યું. * શ્રી ત્રિભવન માણેકચંદ જેઓ ખંભાતના એક અગ્રગણ્ય - મુમુક્ષુ હતા. * શ્રી ઝવેરભાઈ શેઠ જેઓ શ્રીમની કવિઠાની એકાંત
ચર્ચા વખતે તેમની સેવામાં રહેતા. * શ્રી જેસીગભાઈ ઉજમશી જેઓ “ક્ષમાળા પ્રગટ કરવામાં સહાયક થયા હતા અને જેઓના વંશજો હજુ સુધી સારી રીતે શ્રીમના ભક્ત-ઉપાસક રહ્યા છે.
આ ઉપરાંત સર્વશ્રી મતીચંદ ગિરધર કાપડિયા, લહેરચંદભાઈ ખીમજી દેવજી, વ્રજલાલભાઈ શંકરભાઈ ડુંગરશીભાઈ છોટાલાલ માણેકચંદ, વિનયચંદ્ર પોપટભાઈ દફતરી, અનુપચંદ મલકચંદ વગેરે સજજને ઉપર પણ શ્રીમને ઠીક ઠીક પ્રભાવ પડ્યો હતે.