________________
૩૨ : : જૈનદરાન શ્રેણી: ૧-૩
C
જિજ્ઞાસુએ જણાવ્યું તીથ કર .ભગવાન પર. ’ શ્રીમદે કહ્યું : ‘તી ́કર પર શ્રદ્ધા રાખા અને શકા કાઢી નાખા. આત્માનું કલ્યાણુ કરશે તે તમને પૃથ્વી સપાટ કે ગાળ, જેવી હશે તેવી, કોઈ હરકત કરશે નહિ,’
*
મરણના ભય
કચ્છના વતની પદમશીભાઈ એ શ્રીમને એક વખત પૂછ્યું, “ સાહેખજી, મને ભયસંજ્ઞા વિશેષ રહે છે, તે તેના શા ઉપાય ? ”
શ્રીમદે પૂછ્યું, “ મુખ્ય ભય શેના રહે છે ? ” “ મરણના, ’’
તે માટે શ્રીમદે કહ્યું, “ મરણ તે આયુષ્યબંધ પ્રમાણે ઃઃ તા થાય છે. જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી મરણુ તા નથી. તા પછી એના ભય રાખવાથી શા કાયદો ? એ રીતે મન દૃઢ રાખવુ.”
આપુને ચેતવ્યા
થવાણિયામાં શ્રીમદ્ના ઘરથી થાડે દૂર રહેતા એક ગરાશિયાને ઘેાડા પર બેસી સાંજે ફરવા જવાના નિત્યક્રમ હતા. એ રીતે ગરાશિયા ખાપુ એક વખત ફરવા નીકળ્યા ત્યારે શ્રીમદ્ તેમને સામા મળ્યા.