Book Title: Shravaka Dharma Swaroop Part 1 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાદ્ધ ધર્મ સ્વરૂપ યાને શ્રાવક ધર્મ સ્વરૂપ. ------ - -- પ્રથમ ભાગ. मंगलाचरणम्. नत्वा श्रीमन्महावीरं गुरुं धर्मोपदेशकम् ।। શ્રાદ્ધ વૈ થ વધહેતવે છે ! શિષ્યપ્રશ્ન–હે સશુરૂ મહારાજ ! શ્રાવકને ધર્મ શું છે, તે મહને કૃપા કરી સમજાવશો? ગુરૂ–હે શિષ્ય શાસ્ત્રોમાં શ્રાવકનો ધર્મ સારી રીતે બતાવ્યો છે અને - તે તારે અવસ્ય જાણવું જોઈએ. શિષ્ય પ્રશ્ન–તે જાણવાથી શું લાભ થાય? ગુરૂ-શાસ્ત્રમાં શ્રાવકનો ધર્મ જેવો કહ્યા છે, તે જે પાળે તે અપ કાળમાં મુક્તિપદ પામે. શિખ્યપ્રશ્ન–શ્રાવક શી રીતે ઓળખી શકાય ? ગુરૂશ્રાવકને યોગ્ય કહેલા સદ્ગુણો તથા શાસ્ત્રમાં કહેલા આચારોને યથા શક્તિ પાળે તે ઉપરથી આ શ્રાવક છે એમ ઓળખી શકાય છે. શિષ્યપ્રશ્ન–યારે શ્રાવકપણે પ્રાપ્ત થાય ? ગુરૂ–નિશ્ચયથી ચોથું અગર પાંચમું ગુણઠાણું પ્રાપ્ત થાય ત્યારે શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. અનન્તાનુબંધી ચારકષાય, સમકિતમોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વમોહનીય એ સાત પ્રકૃતિને ઉપશમ, - પશમ વા ક્ષાવિકભાવ એ ત્રણમાંથી ગમે તે ભાવ ઉત્પન્ન થાય ત્યારે ચતુર્થ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ચોથા ગુણઠાણાને અવિરતિ સમ્યગદષ્ટિગુણસ્થાનક કહે છે. ચોથા ગુણઠાણે અવિરતિ શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. શ્રી નેમિનાથ તીર્થંકરના શ્રાવક શ્રીકૃષ્ણ હતા, તેઓ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44