Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૧૩ અશુભ કરતાં પોતાના હૃદયમાં જે અશુભ પરિણામ છે તેજ પિતાનું બુરૂ કરે છે અને તેથી ખરાબ અવતાર ધારણ કરવા પડે છે. પાપકર્મથી હીનાર મનુષ્ય પાપીઓની અપેક્ષાએ શૂરવીર ન ગણાય પણ તે ધર્મીઓની અપેક્ષાએ શુરવીર ગણાય છે. પાપીઓ પાપથી ભય પામનારાઓને કેટલીક વખત પ્રવૃત્તિ માર્ગમાં હઠાવી દે છે અને પાપભીરૂને પિતાના તાબામાં રાખે છે. પાપીઓ લડાઈ, ટંટા, મારામારી, હિંસા કર્મ વગેરેથી ડરતા નથી તેથી તેઓ પાપભીરૂઓની સાથે યુદ્ધ વગેરેમાં ફાવી જાય છે અને પાપભીરૂ ઓ રંકપ્રજા તરીકે સદાકાળ પાપીઓના પંજામાં ફસાય છે અને તેથી કઈ વખતે તેઓ ધર્મને બચાવ કરવા પણ સમર્થ થતા નથી, તેથી મુસલમાનના જેરથી કેટલાક હિન્દુઓ મુસલમાન થઈ ગયા તેમ પિતાના કુટુંબને પણ અન્ય ધર્મ સ્વીકારવાની ફરજ પડે છે. આમ કોઈ આશંકા કરી પાપભીરૂપણને ઉડાવે તેને ઉત્તરમાં કહેવાનું કે પાપભીરૂપણું પણ અમુક અપેક્ષાઓ લેઇને છે, તેથી પૂર્વોક્ત દેષાપત્તિનું કલંક ઉડી જાય છે. ધર્મ રક્ષણ આદિ માટે, હૃદયમાં પાપને ભય રહે તોપણ, બાહ્યથી અમુક સ્થિતિએ વર્તવું પડે છે અને ધર્મની રક્ષા માટે શૂરવીર થવું પડે છે, વગેરે અનેક અપેક્ષાઓ ઉત્સર્ગ અને અપવાદ માર્ગમાં સમજતાં, પાપભીરૂ થવામાં જે જે અપેક્ષાએ શૂરવીર રહેવાનું છે, તેમાં કોઈ જાતનો બાધ આવતું નથી. શ્રી મહાવીર સ્વામીના શ્રાવક ચેડા મહારાજે પોતાની ક્ષત્રિય ધર્મની નીતિ સાચવવાને માટે ઘોર યુદ્ધ કર્યું હતું અને તેમાં પિતાની સામે લડવાને ચમરેન્દ્ર આવ્યા હતા તો પણ તે ડર્યા નહોતા. કુમારપાળ, ભરતરાજા, બાહુબલિ વગેરેના દાખલા મોજુદ છે. વિશેષ માટે જૈન શૈલીના જ્ઞાતાને પુછી ખુલાસો કરો. પાપભીર બનવાથી અકાર્યો થતાં અટકે છે. પાપભીરૂ, અન્યાય નવા કદી પ્રવૃત્તિ કરતો નથી, તેમજ તે રાજ્યના કાયદાઓ કે જે પ્રજાના ભલા માટે કર્યા છે તેને માન આપી વર્તે છે; રાજ્યવિરૂદ્ધ કૃત્ય કરવામાં પાપભીરૂ કરે છે. અનીતિના કાર્યોમાં તે માથું મારતો નથી અર્થાત પ્રવૃત્તિ કરતો નથી, તેથી નીતિ માર્ગમાં તેને સહેજે પ્રવેશ થાય છે. પાપના ભયથી તે દેવ, ગુરૂ અને ધર્મવિરૂદ્ધ કાર્ય કરી શકતો નથી. પાપના ભયથી તે સાધુ મહાત્માઓને કદી પીડી શકો નથી, તેમજ અછતાં આળ કોઈના ઉપર મૂકી શકતો નથી. પાપના ભયથી તે લીધેલાં વ્રત ભાગી શકતો નથી. વિનાકારણે પાપભીરૂ, કોઈ પણ જીવન ઘાત કરવા અશુભ પ્રવૃત્તિ આદરતે નથી. પાપના ભયથી તે દેવ, ગુરૂ અને ધર્મની નિન્દા કરતાં તેમજ હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર વગેરેમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44