________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
* ૩૧
|| લ | प्रत्यासात्तिं समायातै विषयैः स्वांतरंजकैः ॥
न धैर्य स्खलितं येषां ते वृद्धाः परिकीर्तिताः ॥१॥
પ્રાપ્ત થએલા મન હરનાર વિષયવડે જેનું હૃદય ખલાયમાન થાય નહીં તે વૃદ્ધો જાણવા. વળી કહ્યું છે કે
| ઋોવા | हेयोपादेयविकलो वृद्धोऽपि तरुणाग्रणीः ।।
तरुणोऽपि युतस्तन वृद्धैर्टद्ध इतीरितः ॥ १ ॥ - જે વૃદ્ધ છતાં પણ હેય, રેય અને ઉપાદેયના જ્ઞાનથી હીન હોય તે તરૂણાનો સરદાર જાણવો. કારણ કે તે અવિવેકી અા તરૂણના જેવું આચરણ કરે છે તેમજ તરૂણ છતાં પણ ય, હેય અને ઉપાદેયના જ્ઞાન સહિત હોય તેને વૃદ્ધાવડે વૃદ્ધ કહેવાય છે.
એવા પ્રકારનો વૃદ્ધ પુરૂષ પાપાચારમાં પ્રવર્તતો નથી, કારણ કે તે યથાવસ્થિત તત્ત્વને જાણકાર હોય છે, ઉત્તમ ગુણવંત પુરૂષને અનુસરી ચાલનાર ખરેખર ગુણવંત બને છે, તેવો મનુષ્ય વિશેષજ્ઞ બને છે અને તે દરેક કાર્યના અનુભવોને સારી રીતે જાણી શકે છે. વૃદ્ધ પુરૂષોની સોબતથી સારી અસર થયા વિના રહેતી નથી. કહ્યું છે કે
उत्तमगुणसंसग्गी, सीलदरिदपि कुणइ सीलहूं, ॥
जहमेरु गिरि विलग्गं, तणपि कणगत्तणमुवेइ ॥ १॥ ઉત્તમ ગુણવંત પુરૂષની સોબત, ઉત્તમ સ્વભાવહીનને પણ સારા સ્વભાવવાળો બનાવી દે છે. મેરૂપર્વતને વળગેલું તણખલું પણ જેમ સુવર્ણ પણાની શોભાને ધારણ કરે છે તેમ અત્ર સમજી લેવું.
સંકટ પડતાં પણ ધૈર્યતા રાખીને વૃદ્ધ પુરૂષોને અનુસરવું કે જેથી વિપત્તિયોને પણ નાશ થઈ જાય. વિદ્વાન અનુભવી ગીતાર્થ સાધુઓ વગે. રેને વૃદ્ધમાં સમાવેશ થાય છે. જેણે પિતાના આત્માને વૃદ્ધવાણીરૂપ પાણીથી પખાળ્યો નથી તે રંક જનનો પામેલ શી રીતે દૂર થઈ શકે ? અર્થાત દૂર ન થઈ શકે,
For Private And Personal Use Only