________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૨૫
અશુભ થા પ્રસંગથી કલુષિત મનવાળાનું વિવેકરન, નાશ પામે છે. ધર્મ તે વિવેક સાર છે. માટે ધર્માર્થી પુરૂષે સત્યથા કરવી જોઈએ.
હેય, ય અને ઉપાદેયના સમ્યજ્ઞાનને વિવેક કહે છે. સારી અને ખોટી વસ્તુનું જે જ્ઞાન થાય છે તે વિવેક રત્ન ગણાય છે. અશુભ વાર્તાઓથી વિવેક રનની નષ્ટતા થાય છે. જે વાત કરવાથી પિતાનું શુભ ન થાય અને ઉલટી અનેક પ્રકારની પિતાને તથા અન્યને હાનિ પ્રાપ્ત થાય તેને અસત કથાઓ (વિથાઓ) કહે છે; ઘણું લોકો ચટામાં કેઈની દુકાને બેસીને નકામા આડાઅવળા તડાકાઓ માર્યા કરે છે અને પોતાના જીવનની નિષ્ફળતા કરે છે અને અને તેઓ ઉપાધિરૂપ થઈ પડે છે. “નવરો પડ્યો નખોદ વાળે' એ કહેવત અનુસારે નવરા બેસી રહેલા ગમે તે વર્ણના માનુષ્યો અનેક પ્રકારની નિન્દા–ઈર્ષાગર્ભિત આડીઅવળી વાર્તાઓ ચલાવે છે અને તેથી તેઓ ઘણાઓના શત્રઓ બને છે. વિના પ્રોજને કેટલાક અન્ય મનુષ્યોના બેલવા પર તથા વર્તન પર ટીકાઓ કર્યા કરે છે, તેમાં તે
નું કાંઈ વળતું નથી અને સામાઓને પિતાના પ્રતિપક્ષી બનાવે છે. જે નકામી કુથલી કરે છે તે પિતાનું તથા પરનું કલ્યાણ કરી શકતો નથી. કેટલાક હવામાંથી વાત ઉપજાવી કાઢી એક વખતે ગમે તે બાબતમાં એક મેટી ભયંકરતા ઉપજાવે છે અને તેમાં હજારો છોને કેટલીક વખત અમે કલ્યાણ થાય છે. કેટલાક રાજ્ય સંબંધી અશુભ વાર્તાઓને કરે છે અને તેથી પોતે અનેક પ્રકારના સંકટમાં સપડાય છે. અસત્ કથા કરનારા પ્રાયઃ ઘણું લોકોમાં અપ્રિય થઈ પડે છે. અસત કથા કરનાર કદાપિ સત્કથા કરે છે, તો પણ તેના પર એકદમ વિશ્વાસ આવતો નથી. પોતાના આત્માને અને પરના આત્માને ન્યાયપુરસ્સર જે વાત કરવાથી લાભ થાય છે તેવી કથાઓ કરવાને અભ્યાસ પાડવો જોઈએ. જે વાતેમાં પોતાને અધિકાર નથી અને જે વાત કરવાથી અંશ માત્ર પણ પિતાનું ભલું થવાનું નથી તેવી અસત્ વાતને વિવેકી પુરૂષ કદાપિ કાળે કરતો નથી. કેટલીક વખત તો કલેશકારક વાતો કરવાથી નાતજાત અને આખી સમાજમાં અશાંતિ ફેલાય છે, માટે ગૃહસ્થ મનુષ્યોને ધર્મ છે કે નીતિના વ્યાપાર આદિને અનુસરી
ગ્ય વાર્તાલાપ કરવો, તેમજ મોટા મોટા સપુરૂષોના ઉચ્ચ ચરિત્રની કથાઓ કરવી, કે જે કથાઓ સાંભળીને અન્ય લોકો પણ પોતાનું જીવન ચરિત્ર સુધારે અને ધર્મના માર્ગમાં દોરાય. અસત (ખરાબ) વાર્તાઓ કરનારાએના મનમાં એવી તે ખરાબ વિચારોની અસર થાય છે કે તેઓ પુરૂષ વા સાધુઓની પાસે જઈને પણ એવી જ વાર્તાઓ બોલીને તેઓને કંટાળો
For Private And Personal Use Only