Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 21
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, ( ૧૨ ) [ શત્રુંજય પર્વત કુટુંબ સમેત, એજ આચાર્ય દયના સદુપદેશથી, શાંતિનાથની દેવકુલિકા કરાવી. (૧૦) આ લેખ, મોટા મંદિરની ઉત્તર તરફની દિવાલની સામે અને અને ઉપરના લેખવાળી દેહરીની પશ્ચિમ તરફની દેહરીના ઓટલાના ડાબા ખૂણામાં, ૯ પંકિતમાં કરેલ છે. મિતિ નં. ૬-૭ પ્રમાણે. ગધાર નિવાસી શ્રીમાળી જ્ઞાતીય + પરી દેવા (સ્ત્રી બાઈ કમલાઈ) ના પુત્ર પરીમૃથી (મથા?); તથા ગુજરજ્ઞાતીય દેસી શ્રીકર્ણ (સ્ત્રી બાઈ અમરી) ના પુત્ર દેસી હંસરાજ; આ બંને મળી શત્રુ જ્ય ઉપર, આચાર્ય શ્રીવિજયદાનસૂરિ અને હીરવિજયસૂરિના સદુપદેશથી, આદિનાથની દેવકુલિકા બનાવી. નંબર ૪ થી ૧૦ સુધીના લેખે એકજ સાલના છે. ન. ૭ ને લેખ અમદાબાદનિવાસીને અને બાકીના ગધારનિવાસીના છે. એ વર્ષે તપાગ ચ્છના પ્રતાપી આચાર્ય શ્રીવિજયદાનસૂરિ પિતાના પ્રભાવક શિષ્ય શ્રીહીરવિજયસૂરિ સાથે શત્રુંજય ઉપર યાત્રાર્થે આવ્યા હતા. ઘણું કરીને વિજય દાનસુરિશ્મી શત્રુંજયની આ છેલ્લી યાત્રા હતી. કારણ કે તેઓ શત્રુજ્યથી વિહાર કરી ઉત્તર ગુજરાતમાં ગયા હતા અને સંવત્ ૧૬૨૨ માં પાટણની પાસે આવેલા વટપલ્લી (વડાલી) ગામમાં સ્વર્ગસ્થ થયા હતા. નં. ૫ મા વાળા ગધારનિવાસી સા. રામજીના એ મંદિરને ઉલેખ, વિજયદાનસૂરિના પ્રચંડ શિષ્ય શ્રી ધર્મસાગરજીએ પિતાની પુત્રી (અગર તપગચ્છપટ્ટાવલી) માં પણ કરે છે. तथा यदुपदेशपरायणैर्गान्धारीय सा० रामजी, अहम्मदावादसत्क सं० कुंअरजी प्रभृतिभिः श्रीशत्रुञ्जये चतुर्मुखाष्टापदादिप्रासादा देवकुસ્ક્રિશ્ચ વારિતા: ” એજ પંકિતઓને અનુવાદ, સંઘવી ઝાષભદાસ કવિએ “હીરસૂરિરાસ ” માં પણ કરે છે. + “પરી” એ સંસ્કૃત “પરીક્ષક ' નું ટુંકું રૂપ છે. વર્તમાનમાં જે “ પારેખ ” ચા “પારીખ” કહેવાય છે તે એજ શબ્દના વિકૃત-સ્વરૂપો છે. ૪૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67