________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.' ( ર )
| શત્રુંજય પર્વત
( ૧૫–૧૬. ) એજ ટુંકમાં, વાયવ્ય ખુણામાં આવેલી દેવકુલિકામાં આદિનાથ ભગવાનની બે ચરણ જોડી છે. તેમના ઉપર નં. ૧૫ અને ૧૦ વાળા લેખે કોતરેલા છે. મિતિ બંનેની ઉપર પ્રમાણે જ છે. એમાં પ્રથમની પાદુકાની સ્થાપના તે, નીચે આપેલા લેખવર્ણનવાળા શેઠ રૂપજીનીજ કરેલી છે અને બીજીની, ઓસવાલજ્ઞાતીય અને લેઢા ગોત્રીય સા. રાયમલ્લ (સ્ત્રી રંગાદે ) ના મિત્ર અને સા. જ્યવંત (સ્ત્રી જ્યવંત દે) ના પુત્ર સા. રાજસી, કે જેણે શત્રુજ્યની યાત્રા કરી સંઘપતિનું શુભ તિલક પ્રાપ્ત કર્યું હતું, તેણે કસુભદે અને તુરગદે નામની પિતાની બંને સ્ત્રીઓ તથા અખયરાજ અને અજયરાજ આદિ પુત્ર પિત્ર અને અન્ય સ્વજનાદિ પરિવાર સહિત, આદિનાથ ભગવાનની આ પાદુકા સ્થાપિત કરી છે.
( ૧૭-૨૦ ) નં. ૧૭ થી ૨૦ સુધીના ૪ લેખે, ચામુખની ટુંકમાં આવેલા ચતુર્મુખ-વિહાર નામના મુખ્ય પ્રાસાદમાં, ચારે દિશાઓમાં વિરાજમાન આદિનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાઓની બેઠક નીચે, ૯ થી ૧૧ પંક્તિમાં કરેલા છે. ચારે તેમાં પાઠ અને વર્ણન લગભગ એકજ સરખાં છે.
મિતિ સં. ૧૯૭૫ અને વૈશાખ સુદી ૧૩ શુકવાર છે. એ વખતે સુલતાન ગુરૂદીન જહાંગીર બાદશાહ હતા. શાહજાદા સુલતાન ખાસડ ( ખુસરે ) નું નામ પણ લખવામાં આવ્યું છે. તેના પ્રારંભના ભાગમાં એ મંદિર અને મૂર્તિઓ કરાવનાર સં. રૂપજીના કુટુંબનાં નામે છે અને અંતના ભાગોમાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય જિનરાજસૂરિ સુધીનાં બ્રહખરતગરછના આચાર્યોના, લાંબા લાંબા વિશેષણે સહિત નામે આપ્યાં છેઝ . સારભાગ એટલેજ છે કે, અહમદાબાદ નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય અને લઘુશાખીય સં. સિમજીના
* એ નામની ટીપ ઉપર પૃ. ૮-૯ માં આપેલી છે.
‘૮૦ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org