________________
પ્રાચીનડ્રેનલેખરા ગ્રહ, (x0)
હું શત્રુંજય પર્વત
ગદ્યભાગમાં લખવામાં આવ્યુ` છે કે—પોતાના પરિવાર સમેત, અમાત્ય ( પ્રધાન ) શિરેામણિ વ માનસાહ અને પદ્મસિ ંહસાહે, હાલાર પ્રદેશમાં, નવાનગર ( જામનગર ) માં, જામ શ્રી શત્રુશલ્ય (છત્રશાલ ) ના પુત્ર શ્રીજસવતજીના વિજયવડતા રાજ્યમાં, અચલગચ્છના આચાર્ય શ્રીકલ્યા ણસાગરસૂરિના ઉપદેશથી, શ્રીશાંતિનાથનુ` મદિર અધાવવા રૂપ પુણ્ય કૃત્ય કર્યું. તથા ઉકત તીર્થંકર આદિની ૫૦૧ પ્રતિમાની બે પ્રતિષ્ઠા કરાવી. તેમાં પ્રથમ સવત્ ૧૬૭૬ વૈશાખ શુકલ ૩ બુધવારના દિવસે અને બીજી સંવત્ ૧૬૭૮ ના વૈશાખ શુકલ ૫શુક્રવારના દિવસે, એવી રીતે મ`ત્રીશ્વર વમાન અને પદ્મસંહે છ લાખ રૂપિયા પુણ્યક્ષેત્રામાં ખર્ચ કર્યા !
આ ખને લેખે ઉપરથી જણાય છે કે વદ્ધમાન અને પસિહ-અને ભ્રાતા જામનગરના તત્કાલીન પ્રધાના હતા અને તે ચુસ્ત જૈનધર્મી હાઈ જૈન ધર્મની ઉન્નતિ માટે પુષ્કળ પ્રયત્ન અને દ્રવ્યવ્યય કર્યાં હતા. શ્રાવક હીરાલાલ ટુ'સરાજે માનના વિષયમાં વિઝયાનંવામ્બુચાવ્ય માં નીચે પ્રમાણે હકીકત લખી છે.
વર્ધમાન સાહુનો ઇતિહાસ આ પ્રમાણે છે- તે કાઠીયાવાડની ઉત્તરે આવેલા કચ્છ નામના દેશમાં આવેલા અલસાણ નામે ગામના રહેવાસી હતા. તેઓ ઘણાજ ધનાઢય તથા વ્યાપારના કાર્યામાં પ્રવીણ હતા. તેજ ગા મમાં રાયસી સાહુ નામના પણ એક ધનાઢય સેઠ રહેતા હતા. તે બંને વચ્ચે વહેવાઇના સંબધ હતા. તેઓ બંને જૈનધ મ પાળતા હતા. એક દિવસે જામનગરના રાજા જામસાહેબે તે અલસાણાના ઢાકારની કન્યા સાથે લગ્ન કર્યાં. તેમાં જામશ્રીના કહેવાથી તે કુંવરીએ દાયજ્ઞમાં પેાતાના પિતા પાસે તે બંને સાહુકારા જામનગરમાં આવી વસે એવી માગણી કરી, તે માગણી તેના પિતાએ કબુલ રાખવાથી એસવાલ જ્ઞાતિના દસ હાર માણો સહિત તે બંને સાહુકારાએ જામનગરમાં આવી નિવાસ કર્યાં.
•
ત્યાં રહી તેઓ અનેક દેશે! સાથે વ્યાપાર કરવા લાગ્યા અને તેથી જામનગરની પ્રજાની પણ ઘણી આબાદી વધી. વળી તે અને સાહુકારાએ પેાતાનાં દ્રવ્યને સદુપયોગ કરવા માટે ત્યાં ( જામનગરમાં) લખેા પૈસા ખેંચીને હેટાં વિસ્તારવાળાં તથા દેવવમાને સરખાં જિનમદિરા ખ`ધાવ્યાં.
Jain Education International
૪૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org