Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 22
________________ ઉપરના લેખે.નં. ૧૦-૧૨] (૨૩) અવલોકન, “ રામજી ગંધારા દૂઆ જેહ, જે ચોમુખ કરે તે; " સંધવી કુંઅરજી જસવાદ, શેત્રુજે કીધો પ્રાસાદ ૫૧. ડાભીગમા ત્રિહિબારે જેહ, પ્રથમ પેસતાં દેહવું તે; વિજ્યદાનને શ્રાવક શિરે, તે દેહરૂં કુવરજી કરે.” પર આ ઉલ્લેખથી જણાય છે કે ગંધારવાળા સા. રામજી અને અમદાબાદના સં. અરજી તે સમયે બહુજ શ્રીમાન અને પ્રસિદ્ધ પુરુષે રહેવા જોઈએ. છેલ્લા સંઘવી સંબંધી કઈ લેખ પ્રાપ્ત થયે નથી. ( ૧૧ ) - આ લેખ, હેટા મંદિરની અગ્નિકોણમાં આવેલા મંદિરમાંની પ્રતિમા નીચે બેઠક ઉપર, ૯ પંકિતમાં કેતલે છે. મિતિ સં. ૧૯૪૦, ફાગણ સુદી ૧૩, છે. મંદિર અને મૂર્તિ કરાવનાર કુટુંબનું વાસસ્થાન આ લેખમાં જણાવ્યું નથી. ડીસાવાલ જ્ઞાતિના ઠાકુર કરમસી (સ્ત્રી બાઈ મલી) , ઠાકુર દામા (સ્ત્રી બાઈ ચડી) , ઠાકુર માહવ, ઠાકુર જસુ, ઠાકુર ખીમા, ઠે. જસુ સ્ત્રી જસમા, ઠાકુર માહવસુત તેજપાલ (સ્ત્રી તેજલદે) આદિ કુટુંબે આ પ્રાસાદ કરાવ્યું. ( ૧૨ ) મુખ્ય મંદિરના પૂર્વારના રંગમંડપમાં, નં. ૧ વાળ લેખની સામી બાજુએ આવેલા સ્થભ ઉપર, આ ન. ૧૨ ને શિલાલેખ આવેલે છે. શત્રુજ્ય ઉપરના વિદ્યમાન લેખમાં આ લેખ સાથી હેટે છે. એની કુલ ૮૭ પંકિતઓ છે અને દરેક પંકિતમાં ૪૦ થી ૫૦ અક્ષરે આવેલા છે. જગદૂગુરૂ શ્રી હીરવિજ્યસરિ અને તેમના પટ્ટધર આચાર્ય શ્રી વિજ્યસેનના સદુપદેશથી, ખભાત બંદરના મહાન ધનિક સહ તેજપાલ સાવ ર્ણિ કે શત્રુંજયના એ મહાન મંદિરને સવિશેષ પુનરૂદ્ધાર કરી, તેને ફરીથી તૈયાર કરાવ્યું અને હીરવિજ્યસૂરિના પવિત્ર હાથે તેની પ્રતિષ્ઠા કરાવી તે સંબધી વર્ણન આમાં આપવામાં આવેલું છે. આ આખા લેખને સાર આ પ્રમાણે છે ૪૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67