Book Title: Shastra Vartta Samucchay Part 02
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasuri Gyanmandir

View full book text
Previous | Next

Page 215
________________ પ્રત્યક્ષ વસ્તુમાં ભલે આગમનું પ્રામાણ્ય માનો, પરંતુ અત્યંત અદષ્ટ એવા જે પુણ્ય-પાપમાં આગમનું પ્રામાણ્ય કઈ રીતે હોઈ શકે? આવી શંકા કરનારને નીચેના શ્લોકથી જવાબ આપે છે – चन्द्रसूर्योपरागादे-स्ततः संवाददर्शनात् । तस्याप्रत्यक्षेऽपि पापादौ, न प्रामाण्यं न युज्यते ॥३॥ ११५ ॥ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વગેરેને આગમથી વાસ્તવિક નિર્ણય થાય છે, માટે અપ્રત્યક્ષ એવા પાપાદિકમાં પણ આગમ વચનનું પ્રામાણ્ય નથી એમ નહીં ? અર્થાત્ અવશ્ય પ્રામાણ્ય છે. (૩) વાદીની શંકા– __ यदि नाम क्वचिद् दृष्टः, संवादोऽन्यत्र वस्तुनि । तद्भावस्तस्य तत्त्वं वा, कथं समवसीयते ? ॥ ४ ॥ ११६ ॥ દેખાતા એવા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વગેરે કોઈ સ્થળમાં આગમ-- વચનનો સંવાદ દેખેલ હોય, તેથી પાપાદિકને પ્રતિપાદન કરનાર જે આગમવચન તેનો સંવાદ ભાવ અને પ્રામાણ્ય કઈ રીતે માની શકાય ? (૪) ઉક્ત શંકાનો જવાબ– आगमैकत्वतस्तच्च, वाक्यादेस्तुल्यतादिना । सुवृद्धसम्प्रदायेन, तथा पापक्षयेण च ॥ ५ ॥ ११७ ॥ ગ્રહણને પ્રતિપાદન કરનાર જે વચન અને પાપાદિકને પ્રતિપાદન કરનાર જે વચન, તે બન્ને એક જ આગમના હોવાથી ગ્રહણ પ્રતિપાદન કરનાર વચનને પ્રમાણે માનો , તો પાપાદિકને પ્રતિપાદન કરનાર વચનને પણ પ્રમાણભૂત માનવું જોઈએ. બન્ને વચને એક આગમના છે એમ શાથી માની શકાય ? એના જવાબમાં જણાવે છે કે –બમાં વાક્ય અને પદગા શ્લીયદિકની સમાનતા વગેરે હોવાથી એકાગમપણું છે. અર્થાત એક જ આગમના બન્ને વચનો છે. કદાચ આગમના જેવી શબ્દ રચના કરીને કોઈ કહેવા માગે કે-અમારા વચનમાં પણ તુલ્યા-સમાન્તા છે, માટે એને પણ પ્રમાણ માનવાં જોઈએ, તો તેના જવાબમાં જણાવે છે કે-જ્ઞાન અને ચરણ ૧–જેનાથી વાસ્તવિક પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિનું જે જનકપણું તે સંવાદ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262