SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષ વસ્તુમાં ભલે આગમનું પ્રામાણ્ય માનો, પરંતુ અત્યંત અદષ્ટ એવા જે પુણ્ય-પાપમાં આગમનું પ્રામાણ્ય કઈ રીતે હોઈ શકે? આવી શંકા કરનારને નીચેના શ્લોકથી જવાબ આપે છે – चन्द्रसूर्योपरागादे-स्ततः संवाददर्शनात् । तस्याप्रत्यक्षेऽपि पापादौ, न प्रामाण्यं न युज्यते ॥३॥ ११५ ॥ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વગેરેને આગમથી વાસ્તવિક નિર્ણય થાય છે, માટે અપ્રત્યક્ષ એવા પાપાદિકમાં પણ આગમ વચનનું પ્રામાણ્ય નથી એમ નહીં ? અર્થાત્ અવશ્ય પ્રામાણ્ય છે. (૩) વાદીની શંકા– __ यदि नाम क्वचिद् दृष्टः, संवादोऽन्यत्र वस्तुनि । तद्भावस्तस्य तत्त्वं वा, कथं समवसीयते ? ॥ ४ ॥ ११६ ॥ દેખાતા એવા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વગેરે કોઈ સ્થળમાં આગમ-- વચનનો સંવાદ દેખેલ હોય, તેથી પાપાદિકને પ્રતિપાદન કરનાર જે આગમવચન તેનો સંવાદ ભાવ અને પ્રામાણ્ય કઈ રીતે માની શકાય ? (૪) ઉક્ત શંકાનો જવાબ– आगमैकत्वतस्तच्च, वाक्यादेस्तुल्यतादिना । सुवृद्धसम्प्रदायेन, तथा पापक्षयेण च ॥ ५ ॥ ११७ ॥ ગ્રહણને પ્રતિપાદન કરનાર જે વચન અને પાપાદિકને પ્રતિપાદન કરનાર જે વચન, તે બન્ને એક જ આગમના હોવાથી ગ્રહણ પ્રતિપાદન કરનાર વચનને પ્રમાણે માનો , તો પાપાદિકને પ્રતિપાદન કરનાર વચનને પણ પ્રમાણભૂત માનવું જોઈએ. બન્ને વચને એક આગમના છે એમ શાથી માની શકાય ? એના જવાબમાં જણાવે છે કે –બમાં વાક્ય અને પદગા શ્લીયદિકની સમાનતા વગેરે હોવાથી એકાગમપણું છે. અર્થાત એક જ આગમના બન્ને વચનો છે. કદાચ આગમના જેવી શબ્દ રચના કરીને કોઈ કહેવા માગે કે-અમારા વચનમાં પણ તુલ્યા-સમાન્તા છે, માટે એને પણ પ્રમાણ માનવાં જોઈએ, તો તેના જવાબમાં જણાવે છે કે-જ્ઞાન અને ચરણ ૧–જેનાથી વાસ્તવિક પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિનું જે જનકપણું તે સંવાદ કહેવાય છે.
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy