Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 226
________________ ષષ્ટ પ્રસ્તાવ–પ્રભુને દેવા કરેશેા જન્માભિષેક, [ ૧૫૩ ] ધારણ કરનારી! અને જગતને દીવા આપનારી હે દેવી! તને નમસ્કાર છે. હૈ જગતની માતા ! તુ ધન્ય છે, પુણ્યવાન છે, તુ જ સફળ જન્મવાની છે, તુ જ ઉત્તમ લક્ષણવાળી છે અને ત્રણ ભુવનને વિષે પુત્રવાળી સ્ત્રીઓને વિષે તું જ પવિત્ર છે કે જે તે ધર્મા ઉદ્ધાર કરવામાં ધારી ( ખળ ) સમાન ( અગ્રેસર ), અને ઢાંકેલા માક્ષમાના દીપક સમાન આ સેાળમા તીર્થંકર ભગવાનને જન્મ આપ્યા છે. ” આ પ્રમાણે જિનેશ્વરને અને વિશેષે કરીને તેની માતાને નમીને તથા સ્તુતિ કરીને પછી તે માતાને અવસ્વાષિની ( નિદ્રા ) આપીને અને પ્રભુના પ્રતિરૂપને સ્થાપન કરીને તે ઇંદ્ર પાંચ રૂપવાળા થયા. તેમાં એકે જિનેશ્વરને ધારણ કર્યો, બીજાએ છત્ર ધારણ કર્યું, ત્રીજાએ વજ્ર ધારણ કર્યું અને એએ ( ચેાથા પાંચમાએ) ચામર ધારણ કર્યાં. આ રીતે તે મેરુપર્વતના શિખર ઉપર ગયા. ત્યાં ખીજા દેવેદ્રો પણ તથા સ્વર્ગ અને ભુવનવાસી વ્યંતરા પણુ આવ્યા. ત્યાં અતિપાંડુક ખલ શિલારૂપ શાશ્વત આસન ઉપર સૌધર્મઇંદ્ર પોતાના ઉત્સંગમાં જિનેશ્વરને ધારણ કરીને બેઠા. પછી અશ્રુતાદિક દેવેદ્રોએ હર્ષથી વ્યાસ થઇને તીર્થોદક અને ગ ંધાદકવડે ભરેલા સુવર્ણના, રૂપાના, મણિના, કાઇના અને માટીના કળશેાના સમૂહને ઊંચા કરીને અપાર સુકૃતવડે ભવસાગરમાં ડૂબવાને દૂર કરનારા જિનેશ્વરને સ્નાત્ર કર્યું. ત્યારપછી અચ્યુતેદ્રના ઉત્સંગમાં જિનેશ્વરને સ્થાપન કરીને સૌધર્મેન્દ્રે જગદ્ગુરુનું પુણ્યને પાત્ર સ્નાત્ર કર્યું. પછી સારા વજ્રવર્ડ તેના અંગને લુંછીને તથા ચંદનાદિકવર્ડ વિલેપન કરીને પ્રસન્ન ચિત્તવાળા ઈંદ્રે પૂજા કરી. અને ચક્ષુની શાંતિને માટે લવણુનું ઉતારવું વિગેરે કરીને તથા નમીને ભક્તિવડે આ પ્રમાણે જિનેશ્વરની સ્તુતિ કરી. “ અચિરાદેવીની કુક્ષિરૂપી પૃથ્વી ઉપર રહેલા કલ્પવૃક્ષ સમાન, ભવ્યરૂપી કમળાને વિકસ્વર કરવામાં સૂર્ય જેવા અને કલ્યાણની શ્રેણિને કરનારા હે પ્રભુ! તમે જય પામે. ” ઇત્યાદિ ઉત્તમ વચનાવડે સ્તુતિ કરીને અને ફરીથી ઘેર જઇને જિનેશ્વરને તેની માતાને આપ્યા, અને આ પ્રમાણે એક્લ્યા, કે-“ જિનેશ્વર અને જિનેશ્વરની માતાનું જો કાઇ પ્રાણી દુષ્ટ (અનિષ્ટ) ચિતવશે, તેા તેનું મસ્તક ગ્રીષ્મ કાળમાં એર ડળની જેમ ફુટી જશે. ” ત્યારપછી નદીશ્વર દ્વીપને વિષે યાત્રા કરીને સર્વે દેવેદ્રો તથા તે કુમારીએ પાતપાતાને સ્થાને ગઇ. તે વખતે દેવી જાગી, તેના અંગની સેવા કરનારી( દાસીએ )એ પુત્ર સહિત તેણીને જોઈને ઉત્પન્ન થયેલા આનદવાળી, સભ્રમ સહિત, ગતિની સ્ખલના પામતી, ગાઢ નીવી( નાડી )ના બંધ અને મસ્તકના કેશવાળી તથા પડી જતા ૨પ્રચ્છાદનવાળી થઈને તે પુત્રના જન્મ રાજાને જણાવ્યેા. અને આ પ્રમાણે કહ્યું કે− હૈ દેવ ! દાસીની જેમ દિશાકુમારીઓએ જલદી આવીને આનુ સૂતિકર્મ કર્યું' છે, તથા દેવેદ્રોએ મેરુગિરિના શિખર ઉપર જન્માભિષેક કર્યો છે, એમ હૈ દેવ ! અમે ધ્રુવેાના મુખથી આ વચન ૧. નજર ન પડવા માટે. ૨. આઢવાનું વસ્ત્ર. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304