Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 282
________________ ષષ્ટ પ્રસ્તાવ : વ્યાઘને રાજ્ય પ્રાપ્તિ અને તેના પૂર્વભવ વૃત્તાંત. [ ૨૦૭] લાયક થાય છે. હાથીના સ્કંધ ઉપર ચડેલા તેને જેટલામાં તેઓ લાવતા હતા, તેટલામાં તે નગરમાં જે થયું, તે કહેવાય છે. તે તેની ભાર્યા વણિકની દુકાનેથી નિરંતર ધાન્યાદિક લાવતી હતી, તેથી તે વણિકનું ધન લેણું થયું. વ્યાઘને વૃત્તાંત નહીં જાણવાથી તે વણિક બાળકો સહિત તેણીને ઘરણુંકમાં (ઘરેણે) ધારણ કરીને નગરના આરક્ષકને ઘેર લઈ ગયો. તે વૃત્તાંત જાણીને વ્યાવ્ર રાજા તે વણિકને ધન આપીને તેણીને રાજમંદિરમાં લઈ ગયે. રાજમહેલમાં પ્રાપ્ત થયેલા વ્યાઘને પણ શ્રેષ્ઠ મંત્રીઓએ, સામંતે એ અને બીજા લોકોએ ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો. સભામાં બેઠેલા તેણે તે સર્વની આગળ મોટા વિરમયને કરનારી પિતાની સર્વ કથા કહી. તથા ભાર્યાને અને સર્વ બાળકોને પિતાની વાત કહેવાપૂર્વક વસ્ત્ર અને અલંકારાદિવડે ખુશી કર્યા. સુપાત્રના દાનથી રાજ્યલક્ષ્મીને પામેલો તે રાજા ફરીથી વારંવાર સુપાત્રને દાન દેવા લાગ્યા. પોતાના શરીરમાં અનુભવ કરેલી દુઃખની પરંપરાને સંભારતા તેણે પોતાના સંવેદનથી (જાણવાથી–અનુભવથી સર્વ પ્રાણીને વિષે મૈત્રી કરી, પછી કેઈક દિવસ ત્યાં જ્ઞાનગુપ્ત નામના આચાર્ય આવ્યા. તેમના ચરણને નમવા માટે વ્યાઘ રાજા આવ્યું. તે રાજા તેમને પ્રણામ કરીને બેઠો ત્યારે તે મુનીશ્વરે પ્રતિબધ કરનારી ધર્મદેશના - આપી. રાજા બોલ્યા કે-“હે પ્રભુ! મને ધર્મનું ફળ પ્રત્યક્ષ જ થયું છે, કે જેથી સુપાત્રદાનવડે આ ભવમાં જ ઐશ્વર્ય પ્રાપ્ત થયું, પરંતુ મને આ કહે કે મેં પૂર્વભવે શું પાપ કર્યું હતું કે જેના પ્રભાવથી મેં આ ભવમાં દુઃખ ભેગવ્યું?” ત્યારે તે જ્ઞાની બોલ્યા કે-“તું પૂર્વભવે પર્વતની પૃથ્વી ઉપર દુર્ગસિંહ નામને પહેલી પતિ હતો. જે કે-ભિલે પરધનનું હરણ કરે છે, તો પણ તેઓને શુભ અને અશુભ પરિણામ તે વિશેષ હોય છે. તે આ પ્રમાણે-અવસુંદ(પલી)માં રહેલો કાંઈ એમ બેલે છે કે“સન્મુખ આવેલ દ્રિપાદ કે ચતુષ્પાદ સર્વને શંકા રહિતપણે મારો.” બીજે બોલે કે અરે ! આ તિર્યંચને મારવાથી શું ફળ છે? પુરુષ અને સ્ત્રીઓ જ હણવા લાયક છે કે જેથી ગામને વિષે ભય થાય.” ત્રીજો બોલ્યો કે “સ્ત્રીઓને મારવાથી શું ફળ? પુરુષોને જ મારવા.” બીજો(થ) બોલ્યા કે “પુરુષો પણ શસ્ત્ર સહિત હોય તેને જ મારવા.” બીજે(પાંચમો) બોલે કે-“યુદ્ધ કરનારાને જ મારવા.” પછી છઠ્ઠો બોલે કે“ધનનું હરણ કરવું પણ કોઈને મારવો નહીં.” તેમાં પહેલો કૃષ્ણલેશ્યાવાળે, બીજે નીલલેશ્યાવાળો, ત્રીજો કાપતલેશ્યાવડે યુક્ત, ચોથે તેલેબાવાળો, પાંચમો પદ્મશ્યાવાળો અને છઠ્ઠો શુકલેશ્યાવાળો છે. તેમાં પહેલા ત્રણ અધગામી(નરકમાં જનારા) છે અને બાકીના અનુક્રમે શુભ છે. પદ્મલેશ્યાવાળે યુક્ત તે દુર્ગસિંહ પહેલી પતિ પણ પરધનને હરણ કરવાવડે નિરંતર વૃત્તિ (આજીવિકા) કરતે હતા. પછી કેઈક દિવસ વૈરસિંહ નામના રાજાના સૈન્ય તેને હણ્યા. તે તિર્યંચ યોનિમાં કેટલાક ભવ ભમીને તું થયે છે. પૂર્વભવમાં તે પરધનનું હરણ કર્યું હતું, તેથી તને લક્ષમી પ્રાપ્ત થઈ નહીં, અને પ્રાપ્ત થયેલી પણ હરણ કરાઈ. તે વખતે સુપાત્રદાનનું પુણ્ય ફળીભૂત થવાથી અને ફરીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304