Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 281
________________ [ ૨૦૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. તેટલામાં રસના તુંબડા સહિત તે ભેગી કઈ ઠેકાણે આગળના ભાગમાં ગયો. તેને નહીં જેવાથી “હું ઠગાયો છું.” એવું વચન વ્યાવ્ર બો. તે આહારના પાત્રને તથા વસ્ત્રોને વૃક્ષની નીચે મૂકીને મૂછવડે તે પૃથ્વી ઉપર પડ્યો, અને પછી શુદ્ધિ પામીને બે, કે-“હા દેવ! આ પૃથ્વી ઉપર મારી જેવો શું બીજે કઈ પણ નથી કે જેથી તે મને જ દુઃખ ભંડારી કર્યો? પ્રથમ નિર્ધનપણું કર્યું, પછી સેવા નિષ્ફળ કરી, પછી રસ અને રત્નની હાનિ કરી. અહા ! દુઃખની પરંપરા કેવી કરી? તેથી હવે મારું મરણ કલ્યાણકારક છે.” એમ બેલીને વટવૃક્ષ ઉપર ચડીને તેની શાખાને વિષે પિતાને બાંધવા માટે ઉદ્યમી . તે વખતે ઈસમિતિમાં તત્પર અને માસક્ષમણના પારણાને માટે ગામ તરફ જતા એક સાધુને તેણે જોયા. અને વિચાર્યું કે “આ મહાત્માને હું દાન આપું, કે જેના પ્રભાવવડે મને જન્માંતરમાં સુખ થાય.” પછી વૃક્ષ ઉપરથી ઊતરીને અને શ્રેષ્ઠ મુનિને નમીને તે ભજન અને વસ્ત્રો તેને આપ્યા. ઉદ્દગમ અને ઉત્પાદનાદિક દોષે કરીને રહિત તે જનને એક ઠબકામાંથી તે સાધુએ ગ્રહણ કર્યું, અને ક૯પે તેવાં બે વસ્ત્ર ગ્રહણ કર્યા. પછી ફરીથી પ્રણામ કર્યા અને તે સાધુ પિતાના આશ્રમમાં ગયા. વ્યાઘે પણ વિચાર કર્યો કે-“હું ધન્ય છું, કે જેથી આ સંયોગ થયો. મને આવા આહાર અને વસ્ત્રની પ્રાપ્તિ કયાં? અથવા આ પ્રાંત (છેવટના) ગામને વિષે આવા સાધુનું આગમન કયાં? તથા અહો! વિવેક રહિત એવા પણ મારી આવી દાનની ઈચ્છા શી રીતે થઈ ? તેથી અહા ! મારા જન્મને આ અવશ્ય સાર થયો. (મારી જિંદગી સફળ થઈ.)” આ અવસરે તે વટવૃક્ષમાં રહેલી દેવતાએ તેને કહ્યું કે-“હે વત્સ ! મુનિના દાનથી હું તુષ્ટમાન થઈ છું, તેથી હું તારું શું કરું?” તે બોલ્યા કે-“જે તું કઈપણ દેવતા મારા ઉપર તુષ્ટમાન થઈ છે, તે મને પારિભદ્ર નગરના વૈભવને અને વિભવને આપ.” દેવતા બોલી કે-“હે મહાશય! તને સર્વ પ્રાપ્ત થશે. પ્રથમ તો પ્રાણના આધારને કરનાર આ ભેજનને તું ખા.” દેવતાના આદેશને પામીને મનમાં આનંદ પામેલા વ્યાધ્ર પણ તે ભેજન કર્યું, અને તે બે વસ્ત્રો પહેર્યા. પછી દેવતાના પ્રભાવવડે તે વાનર વનમાંથી આવીને તે રત્નકંથા તેની પાસે મૂકીને ફરીથી વનમાં ગયો. તે ગી પણ રસના તુંબડાને લઈને આવ્યો, અને તેના વડે સુવર્ણ બનાવીને તે વ્યાધ્રને જ આપ્યું. હવે આ તરફ પારિભદ્ર નગરને રાજા કેઈપણ પ્રકારે મરણ પામ્યો. તેના રાજ્યને ધારણ કરનાર કોઈ પણ પુત્ર નહતો. તે વખતે તે દેવતા રન અને સુવર્ણ સહિત તે વ્યાઘને તે નગરમાં લઈ ગઈ. અને કોને આ પ્રમાણે કહ્યું, કે-“હે લેકે ! મેં તમારે યેગ્ય સ્વામી (રાજા) આણ્યો છે. તેને મોટા ઉત્સવપૂર્વક નગરને મળે તમે લાવે ” દેવતાના આદેશથી સંતેષ પામેલા લોકે જેવામાં ત્યાં ગયા, તેવામાં તેઓએ પિતાના નગરના રહેવાશી તે વ્યાઘને જે ત્યારે હર્ષ પામેલા તેઓએ તેનો મહિમા કર્યો. કેમકે દેવતાવડે અધિષિત પાષાણ પણ પૂજવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304