Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 275
________________ [ ૨૦૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કે-“હે દેવ ! સારું થાઓ કે નરસું થાઓ, પરંતુ હું મારા નિશ્ચયનું ખંડન નહીં કરું, કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે-ન્યાય ક્રિયામાં વર્તનારા પુરુષોને લક્ષમી આવે અથવા જાઓ. માણસો જેમ તેમ ( ગમે તેમ) બેલે, તથા જીવિત કે મરણ ભલે હો.” ત્યારે-“અરે ! મારી આજ્ઞાને ભંગ કરનારી અને કેદખાનામાં નાખે.” એમ રાજાએ આદેશ કરેલા પુરુષેએ તેને તે તરફ ચલાવી. આ પ્રમાણે કર્યા છતાં પણ એટલામાં તેણએ પિતાને નિશ્ચય તળે નહી, તેટલામાં તુષ્ટમાન થયેલા રાજાએ તેને ફરીથી પોતાની પાસે અણવી. અને કહ્યું કે-“હે ભદ્રા ! શા કારણથી આ જીર્ણ અને શરીરના વિરૂપને કરનાર કંચુકને તું છોડતી નથી?” તે પણ બેલી કે-“આ વેણી મારા પતિએ આપી છે, અને તેણે જ પોતાના હાથવડે આ કંચુક મને પહેરાવ્યો છે, તેથી હે દેવ! આ મારો કંચુક પતિના હાથથી જ મૂકાશે.” ત્યારે તે બે કે-“તારે ભર્તા હું થાઉં છું, કંચુકનો ત્યાગ કર.” તેણીએ કહ્યું કે “તમારે આવું બોલવું પણ ઉચિત નથી. કેમકે તમે પૃથ્વીનું પાલન કરનારા અને નીતિનું રક્ષણ કરનારા છો. દુશીલવાળા પુરુષવડે પરાભવ પામેલી સતીઓનું શીલ ખંડન થાય, તે “જેનાથી રક્ષા તેનાથી જ ભય.” આ લકવાદ સત્ય થયો. વળી બીજું–જે નિર્લજજ પુરુષે પરસ્ત્રીનું સેવન કર્યું છે, તેણે પિતાનું કુળ, પુરુષાર્થ અને ચરિત્ર વગોવ્યું છે, સમગ્ર પૃથ્વીપીઠ ઉપર અપજશનો પડહ વગડાવ્યે છે તથા મોટા મૂલ્યવાળા પોતાના આત્માને ધૂળ જે કર્યો છે.” પછી પાસે રહેલા પુરુષોએ કહ્યું કે-“હે ભદ્રા ! સ્ત્રીજનવડે જે પ્રાર્થના કરાય છે, તે પ્રાર્થના કરનાર રાજાની તું અવગણના કેમ કરે છે?” તે પણ બોલી કે જીવતી એવી મારા શરીરને વિષે મારો પરણેલે પતિ વળગે, અથવા વાળાવડે ભયંકર અગ્નિ વળગે. બીજો કોઈ પુરુષ ન વળગે.” ત્યારપછી રાજા તેણીના વિશ્વાસવાળા સંકેતના વચનો કહીને બોલ્યો કે-“હે મુગ્ધા (સરળ-ભેળી)! તું મને જોઈને ઓળખ કે જે હું શુરપાળ નામને તારા પતિ, આ નગરમાં પુત્ર વિનાનો રાજા મરી જવાથી પાંચ દિવડે રાજા કરાય છું.ત્યારે વિશ્વાસવાળું રાજાનું સર્વ વચન સાંભળીને વિમય પામેલી તેણીએ સમ્યક પ્રકારે તેની સન્મુખ જોઈને તેને પિતાને પતિ જાયે. ત્યારે જળવાળા મેઘને જેવાથી કોયલની જેમ હર્ષવાળી અને ધારાથી સિંચાયેલા કદંબ વૃક્ષની જેમ શરીરે રોમાંચવાળી થઈ, પછી રાજાએ આદેશ કરેલી દાસીઓએ કમળ અંગવાળી તેને સ્નાન કરાવ્યું, સર્વ અંગેને વિષે કુંકુમવડે વિલેપન કર્યું, પટાંશુક વિગેરે વસ્ત્ર પહેરાવ્યાં, તથા તેર આભરણ અને ચૌદમા તિલકવડે વિભૂષિત કરી. પછી તે રાજાની પાસે ગઈ. તેણે પણ પિતાના અર્ધ આસન ઉપર બેસાડી. પછી મંત્રી અને સામંતો વિગેરેએ તેણીને નમસ્કાર કર્યો. હવે આ તરફ તે દિવસે તેણની સાથે શાંતિમતી આવી હતી. તે તેણીના કેદખાનામાં નાંખવાને કાળે પાછી વળીને પિતાને ઘેર ગઈ. અને આ પ્રમાણે કુટુંબને કહ્યું કે-“રાજાએ આપેલા સારા કંચુકને નહીં ગ્રહણ કરતી તે કેદખાનામાં વસનારી થઈ છે.” ત્યારે સર્વે બેલ્યા કે-“ઘણે પ્રકારે પ્રગટ રીતે કહા છતાં પણ જેણીએ આપણું વચન માન્યું નહીં, તેણીને આ યોગ્ય થયું.” પછી કોઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304