Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 270
________________ ષષ્ટ પ્રસ્તાવ-બારમા અતિથિ વિભાગ દ્વત ઉપર શૂરપાળની કથા. [ ૧૯૫ ] (સ્વર્ગ) જેવું પૃથ્વીતળને વિષે પ્રસિદ્ધ છે. તેમાં રાજહંસ જેવી ઉજવળ કીર્તિવાળો અને વિક્રમી જિતારિ નામના રાજા હતા. તેને સુલોચના નામની રાણી હતી. તે નગરમાં ક્ષત્રિય જાતિને મહીપાળી નામનો કૃષીવલ (ખેડૂત) રહેતું હતું, તેને ધારિણે નામની ભાર્યા હતી. તેમને અનુક્રમે ધરણીધર, કીતિધર, પૃથ્વી પાળ અને શૂરપાળ નામના પુત્ર હતા. તેઓને અનુક્રમે ચંદ્રમતી, કીતિમતી, શાંતિમતી અને શીલમતી એવા નામની ચાર પ્રિયાઓ હતી. એક વખત વષકાળને વિષે મહીપાળના તે ચારે પુત્ર રાત્રિને છેડે ઊઠીને પોતાના ક્ષેત્રમાં કામ કરવા ગયા. પાછળ ત્યાં તેમની પ્રિયાઓ જેટલામાં ચાલી, તેટલામાં વીજળીના ગરવ સહિત મેઘ વરસવા લાગ્યા. ત્યારે તે જળને છેતરવા માટે પાસેના એક વટવૃક્ષની નીચે તેઓ ગઈ, અને તેના એક પ્રદેશને આશ્રીને ઉપદ્રવ રહિત રહી. તેમની પાછળ તેમનો સાસરો આવ્યો. તે પણ જળના ભયથી તે જ વૃક્ષના બીજા પ્રદેશને આશ્રીને રહ્યો. તે મહીપાલને નહીં જાણતી ચંદ્રમતી વિગેરે તે વહુઓ એકાંતપણાને લીધે શંકા રહિત પિતાની ઈચ્છા પ્રમાણે આ રીતે વાત કરવા લાગી. ગુપ્ત રીતે રહેલે સસરે પણ તેમની વાત સાંભળવા લાગે. પછી ચંદ્રમતી આ પ્રમાણે બોલી કે-“હે સખીઓ ! પિતાની રુચિ પ્રમાણે તમે વાત કરે.” ત્યારે શીલતી બોલી કે જેથી કરીને વાડને પણ કાન હોય છે, તેથી કરીને પિતાને ભાવ કહે અહીં યોગ્ય નથી. એમ મારો મત છે.” ત્યારે બીજી બેલી કે“તું ભય પામ નહીં, કેમકે અહીં કોઈપણ નથી.” તે બોલી કે “તે સર્વે એ અનુક્રમે પિતાપિતાની ઈચ્છા કહેવી.” ત્યારે પ્રથમ ચંદ્રમતી બેલી કે-“હે સખીઓ! તત્કાળ રાંધેલી ઘી સહિત ખીચડી ખાવાની મારી ઈચ્છા છે. અથવા તે દહીં કે ઘીવડે યુક્ત અને ભીની કેરીની કચેરની કચરિકા સહિત વાસી (ટાઢી) રાબડી ખાવાની ઈચ્છા છે.” પછી કીતિમતી આ પ્રમાણે બેલી કે “જે મનવાંછિત પ્રાપ્ત થાય, તે ખાંડ અને ઘી સહિત ક્ષીર(ખીર) મને રૂચે છે. અથવા તે ઘી સહિત દાળ ભાત અને અતિ ખાટા શાક મને રૂચે છે.” પછી શાંતિમતી બોલી કે-“હવે તમે મારી ઈચ્છા સાંભળે. સારા સ્વાદવાળા મોદક વિગેરે પકવાન્ન, માંડા અને ઈકરિકા વિગેરે ભક્ષ્ય અને વિશેષ પ્રિય છે.” પછી શીલવ(મ)તી બોલી કે “હું અન્નની સ્પૃહાવાળી નથી, કેમકે જઠર(ઉદર)પતિને માગે છે, પણ કૂરને માગતું નથી. એવી લેકની વાણું છે. હું તો એમ જાણું છું કે–જે નાન કરેલી, કુંકુમાદિકવડે શરીરના વિલેપનવાળી, સારાં વસ્ત્રો પહેરીને ભૂષણવડે ભૂષિત(શોભિત) થઈને સસરાને, જેઠને અને ભતાને સારું ભેજન આપું, તથા ઘરના સર્વ જનને અને દીન(ગરીબ-ભીખારી) વિગેરેને ભેજન આપું. બાકી વધેલું કાંઈક ખરાબ અશનનું જે હું ભેજન કરું, તે નિરંતર મારા મનની નિવૃત્તિ થાય.” આ પ્રમાણે શીલમતીએ પિતાનો અભિપ્રાય જણાવ્યો ત્યારે બીજી ત્રણે બોલી કે-“આ તારી સ્વેચ્છા ઘટે તેવી નથી, કેમકે કૌટુંબિકને ઘેર અશનાદિક પણ દુર્લભ છે, તે પછી સારા વસા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304