Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
વષ્ટ પ્રસ્તાવે–સમુદ્રમાં અને બીજે સુલસે લક્ષ્મી પ્રાપ્ત કરતાં અનુભવેલાં દુખે
[ ૧૭ ]
લક્ષમીના લાભ વિના મારું સુખ શી રીતે દેખાડીશ?” એમ વિચારીને તે સ્થાનથી પાછા વળીને નગરની બહાર જીર્ણ ઉદ્યાનમાં ખરલતાના પત્ર પર ઉપર છરી વડે લખ્યું, કે-“સ્વસ્તિ શ્રી જિનાધીશને નમીને સુલસ પિતાની પ્રિયાને પિતાની કુશળતાની વાતવડે આનંદ પમાડીને શીધ્રપણે આ પ્રમાણે સંદેશ આપે છે, કે-“હે પ્રિયા ! આજે - હું વેશ્યાના ઘરથી નીકળ્યો છું. તે વખતે માતાપિતાના મરણની વાત સાંભળીને લજજાને લીધે હું તારી પાસે આવ્યું નથી. હવે દેશાંતરમાં જઈને તથા મનવાંછિત લક્ષમીને ઉપાર્જન કરીને થોડા દિવસમાં જ હું અહીં આવીશ. તારે ખેદ કરવો નહીં.” આ પ્રમાણે અક્ષરની પંક્તિ છરીના અગ્રભાગવડે લખીને પૂરેલા અંગારાની મેષવડે તેણે તે પત્ર બીડી દીધું. તે વખતે તેની પ્રિયાની દાસી દેવગે ત્યાં આવી. તેને તે પત્ર આપીને તે પરદેશમાં ગયે.
એક નગરમાં જઈને તેના એક જીર્ણ ઉદ્યાનમાં રહ્યો, ત્યાં તેણે પલાશ વૃક્ષના અંકુરાને જોઈને આ પ્રમાણે વિચાર્યું, કે-“વૈભવ વિના પલાશ વૃક્ષનો અંકુર હાય નહીં. શિવ અને પલાશની નીચે અવશ્ય અ૫ કે ઘણું દ્રવ્ય હોવું જોઈએ. સૂક્ષમ અંકુર જેવાથી તેણે થોડું દ્રવ્ય જાણયું. તથા તેને વર્ણ ઉવળ હોવાથી સુવર્ણ છે એમ જાયું. પછી “ધરણેને નમસ્કાર થાઓ, શ્રી કુબેરને નમસ્કાર થાઓ.” ઈત્યાદિ મંત્રનો ઉચ્ચાર કરતા તેણે તે સ્થાન છું. હજાર દીનારના પ્રમાણુવાળા પ્રાપ્ત કરેલા તે નિધાનને પિતાના વસ્ત્રની અંદર ગોપવીને તેણે નગરમાં પ્રવેશ કર્યો. અને એક વણિકની દુકાને બેઠો અને ઘણા ગ્રાહકે વડે વ્યાકુળ થયેલા તેને તે સુલસે સહાય કરી. તેની ચતુરાઈ જોઈને હર્ષ પામેલા શ્રેણીએ વિચાર્યું કે-“અહો ! આ સત્યપુરુષનું વિજ્ઞાન પુણ્ય સહિત છે, કે જેથી આની સહાયથી મને આજે મોટે લાભ થાય છે, તેથી આ સામાન્ય માણસ નથી.” એમ વિચારીને તે બોલ્યો, કે-“હે મહાશય! કયા ગામથી અથવા નગરથી તું આવ્યું છે?સુલસ બોલ્યો કે-“હે ભદ્ર! હું અમરપુરથી આવ્યો છું.ત્યારે “તું કેન પરણે છે?એમ છીએ પૂછેલે તે “તમારો જ છું” એમ બોલ્યા. ત્યારે તે તેને પિતાને ઘેર લઈ ગયે. અને તેને અત્યંગ, ઉદ્વર્તન, નાન તથા ભેજન કરાવ્યું. પછી ફરીથી તે શ્રેષ્ઠ શ્રેષ્ઠીએ તેને આવવાનું કારણ પૂછયું. ત્યારે સુલભ બે કે-“હે તાત! ધન ઉપાર્જન કરવા માટે હું અહીં આવ્યો છું, તેથી કઈક દુકાન મને દેખાડે.” પછી ભાડાવડે એક દુકાન લઈને વેપાર કરતા તેને છ મહિને તે દીનારે બમણી થઈ. પછી કરીયાણા લઈને મોટા સાથે સહિત તે સમુદ્રને કાંઠે રહેલા તિલકપુરને વિષે ગયે. ત્યાં પણ મનને વાંછિત લાભ ન થવાથી તે વહાણ ઉપર ચડીને રત્નદ્વીપમાં ગયે. ત્યાં ભેટ લઈને રાજાની પાસે ગયો. તેણે પણ અર્ધ દાણું લઈને તેના ઉપર પ્રસાદ કર્યો. ત્યાં તેણે રત્ન પ્રાપ્ત કર્યો અને વાંછિત લાભ પ્રાપ્ત કર્યો. તેથી તે ફરીથી પોતાના દેશ તરફ જવા પ્રવર્યો. લક્ષમી ગ્રહણ કરીને તે ચાલે ત્યારે જાણે પિતાના વિયેગથી પીડા પામેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304