Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 229
________________ [ ૧૫૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પ્રગટ થયાં. તેમાં પહેલા નિધિમાં સ્કંધાવાર અને નગરાદિકના નિવાસ હોય છે, બીજામાં સર્વ ધાન્યના બીજની ઉત્પત્તિ હોય છે, ત્રીજા પિંગલક નિધિમાં પુરુષો, સ્ત્રીઓ, હાથી અને અશ્વોના સર્વ આભરણનો વિધિ હોય છે. સર્વનક નિધિમાં ચૌદ રત્ન ઉત્પન્ન થાય છે, મહાપદમ નિધિમાં વસ્ત્રો અને રંગ વિગેરેની ઉત્પત્તિ છે, કાલને વિષે ત્રણ કાળનું જ્ઞાન હોય છે, મહાકાલને વિષે સુવર્ણ, રૂપું, લેહ, મણિ અને પ્રવાલની ઉત્પત્તિ કહી છે, માણુવકને વિષે સમગ્ર યુદ્ધની નીતિ, સર્વ શસ્ત્રો તથા ધાને ચગ્ય તસુત્રાણ વિગેરે હોય છે. તથા શંખ નામના નિધિને વિષે સમગ્ર સૂર્યના (વાજિંત્રના) અંગો, ચાર પ્રકારનું કાવ્ય તથા નાટ્ય અને નાટકનો વિધિ ઉત્પન્ન થાય છે. તેમને વિષે પાપમના આયુષ્યવાળા નિધાનની જેવા જ નામવાળા દે રહે છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. તે જ પ્રમાણે ગંગા નદીના પૂર્વ નિકુટને પોતાને વશ કર્યું. આ પ્રમાણે પ્રભુએ છ ખંડ ભારતક્ષેત્રને સાધ્યું. પછી દિગ્વિજય કરીને તે ફરીથી પોતાના નગરમાં આવ્યા. તેમાં પ્રવેશ કરીને ઉત્સવપૂર્વક પોતાને ઘેર ગયા. ત્યાં બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓએ બાર વર્ષ પ્રમાણુવાળ ચક્રવતી પણાને અભિષેક આરંભ્યા. દિવસે દિવસે એક એક રાજાએ અભિષેકને ઉત્સવ કરીને સ્વામીને ઘણું ધન તથા બબ્બે કન્યાઓ આપી. તેથી અત્યંત રૂપ અને લાવયવડે દેવાંગનાને જીતનારી ચોસઠ હજાર પ્રિયાઓ પ્રભુને થઈ. સેનાપતિ વિગેરે ચૌદ રત્નો હતાં, તે દરેક રત્ન હજાર હજાર યક્ષો વડે અધિષિત હતા. રાશી લાખ હાથી, તેટલા જ અવો હતા તથા ધ્વજના ચિન્હવાળા અને શાસ્ત્રોથી સંપૂર્ણ (ભરેલ) તેટલા જ રથો પણ હતા. અદ્ધિવડે શોભતા બહોતેર હજાર નગર હતાં, ગામ અને પદાતિ છ— કરોડ હતા. બત્રીસ હજાર દેશો તથા રાજાઓ હતા, બત્રીશ બદ્ધ રંગવાળા તરૂણું અને નાટક હતાં. વિશ હજાર રત્નની ખાણે વિગેરે ખાણે હતી. અડતાળીશ હજાર પત્તને (પટ્ટ) હતાં. આ રીતે અસમાન ચક્રવતીની પદવીને પાલન કરતા પ્રભુના પચીશ હજાર વર્ષ વ્યતીત થયા. આ અવસરે બ્રહ્મલેકના અરિષ્ટ પાથડામાં વસનારા સારસ્વતાદિક દેના આસન ચલાયમાન થયા. તેઓએ અવધિજ્ઞાનવડે પ્રભુના વ્રતને સમય જાણીને સિન્યના બંદીની જેમ પ્રભુ પાસે આવીને “તીર્થ પ્રવર્તા” એમ કહ્યું. તે સ્વામી પોતે જ જાણતા હતા, અને તેઓએ આ પ્રમાણે જણાવ્યું ત્યારે પ્રભુએ એક વર્ષ સુધી વાચકોને તેમની ઈચ્છા પ્રમાણે દાન આપ્યું. પછી ચક્રાયુધ નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને ભગવાન દીક્ષા ગ્રહણ કરવા માટે ઉદ્યમી થયા. આ અવસરે ચલાયમાન થયેલા આસનવાળા સર્વે ઇદ્રો શાંતિનાથની દીક્ષાનો મહોત્સવ કરવા માટે આવ્યા. પછી સર્વાર્થ નામની શિબિકા ઉપર તીર્થકર ચડ્યા. તેને બે ચારે વીંઝાવા લાગ્યા અને મસ્તક ઉપર છત્ર ધારણ થયું. જગદ્ગુરુની તે શિબિકા પ્રથમ મનુષ્યોએ ઉપાડી. ત્યારપછી (અનુક્રમે) સુરેદ્ર, અસુરે, ગરૂદ્ધ અને નાગૅદ્રોએ ઉપાડી. આગળના ભાગમાં દેવોએ, ૧ સૈન્યને પડાવ. ૨. શરીરનું રક્ષણ કરનાર બખતર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304