Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 34
________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ગંધહસ્તી સમાન. જિમ ગંધહસ્તીનઈં ગંધિ બીજી હસ્તીના મદ ગલઈં. તિમ જિહાં સ્વામી વિહાર કરઈ, તિહાં ચિંહુદિસે પંચવીસ જોઅણ માહિ દૂર્ભિક્ષ ઈતિ ડમર ઉપદ્રવ સહૂ લાજઈ તે ભણી પુરૂષવર ગંધહસ્તી વલી વીતરાગ કહેવા છઈં. ચક્કુદયાણં. જિમ આંધલા પુરુષ હુંઈ કોઈ આંખિ કિંઈ તિમ સ્વામી અજ્ઞાનિ કરી અંધ જીવનઈ જ્ઞાનરૂપ અંતરંગ લોચન દિઈ. મગંદયાણં જિમ વાટ વાટભૂલાનઈં કોઈ એક વાટ દેખાડઈ તિમ સ્વામી કુમાર્ગ મૂકાવી જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગ જીવનઈં કિંઈ. સમુચિત દૃષ્ટાન્તો અને ઉપમાનોની સાથે શૈલીની પ્રવાહિતા પણ નોંધપાત્ર છે. વિગતપ્રચુર વર્ણનો પણ પ્રવાહી શૈલીને કારણે નિરસ કે નિષ્પ્રાણ બનતાં નથી. ષડાવશ્યક બાલાવબોધમાં શ્રીમેરુસુંદરગણિએ ષડાવશ્યક કર્મના સંદર્ભમાં, શ્રમણજીવનની સફળ સાધના માટે અનિવાર્ય એવા સર્વ પ્રકારના વિધિ વિધાનોનું સંક્ષિપ્ત અને સુવ્યવસ્થિત નિરૂપણ કર્યું છે. જૈન પરંપરા સાથે સંબંધિત અનેક પ્રાચીન ઐતિહાસિક તથ્યોનું પ્રતિપાદન પણ અનેકરૂપે માર્ગદર્શક બન્યું છે. આચાર્ય શ્રીભદ્રબાહુ, જિનભદ્રસૂરિ અને સ્પષ્ટરૂપે તરુણપ્રભસૂરિની વ્યાખ્યાઓની અસર હોવા છતાં પણ શ્રી મેરુસુંદરગણિની સ્વકીય પ્રતિભાની વિશિષ્ટ મુદ્રા અહીં અંકિત થયેલી છે. જૈનદર્શનના પ્રખર જ્ઞાતા હોવાની સાથે અન્ય દર્શનોના પણ તે અભ્યાસી હતા. ભાષાપ્રભુત્વ અને સરળ, પ્રવાહી, સંવાદાત્મક શૈલીને કારણે આ બાલાવબોધ સાધકોને માટે સુગ્રાહ્ય અને માર્ગદર્શક બની રહે તેવો છે. Jain Education International 2010_03 ૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162