Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ
કરેલા) સમય પહેલાં તપ કરવું, ૨. અતિક્રાન્ત નિયત (નિર્ણય કરેલા) સમય પછી તપ કરવું, ૩. કોટિસહિત-જે કોટિ (ચતુર્ભક્ત આદિ ક્રમ) થી પ્રારંભ કર્યો તેનાથી જ સમાપ્ત કરવું, ૪ નિયંત્રિત-વૈયાવૃત્ય આદિ પ્રબલ કારણો બની જાય તો પણ સંકલ્પ કરેલા તપનો પરિત્યાગ ન કરવો, આ પ્રત્યાખ્યાન વજઋષભનારાચસંહનન-ધારી અણગારજ કરી શકે છે, ૫. સાગાર-જેમાં ઉત્સર્ગ અવશ્ય રાખવા યોગ્ય “અણસ્થણાભોગ” અને “સહસાગર રૂપ” તથા અપવાદ (મહત્તર મોટા આદિ) રૂપ આગાર હોય તેને સાગાર કહે છે. ૬. અણાગાર-જેમાં કહેલા અપવાદરૂપ આગાર (છૂટ) રાખવામાં નહિ આવે તેને અણાગાર કહે છે. ૭. પરિમાણકૃત - જેમાં દત્તિ (દાત) આદિનું પરિમાણ કરવામાં આવે. ૮. નિરવશેષ - જેમાં અશનાદિનો સર્વથા ત્યાગ હોય. ૯. સંકેત જેમાં મુઠ્ઠી ખોલવા આદિનો સંકેત હોય, જેવી રીતે કે :-”હું જ્યાં સુધી મુઠ્ઠી નહિ ખોલું ત્યાં સુધી મારે પ્રત્યાખાન છે”. ઈત્યાદિ. ૧૦. અદ્વાપ્રત્યાખ્યાનમુહૂતપોષી આદિ કાલ સબન્ધી પ્રત્યાખ્યાન. તેના અનેક ભેદ છે, તેમાં મુખ્ય મુખ્ય દસ ભેદ કહે છે.
અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારની આહારવિધિ છે. આ ચાર પ્રકારના આહારોનો ત્યાગ કરવો તે આહાર-પ્રત્યાખ્યાન છે. જે શીધ્રા સુધાને શાંત કરે છે તે અશન છે. અશન અર્થાત અન્ન ચોખા, જુવાર, બાજરી, મગ આદિ સર્વ ધાન. ઘઉં આદિના સર્વ પ્રકારના લોટ, લાડુ વગેરે પકવાનું, સૂરણાદિક કંદ, દૂધ-દહીં-મઠો વગેરે કેવલી વસ્તુઓ, હિંગ, વેસણ, લૂણ, સિંધવ વગેરે અશન કહી શકાય. '
જે પ્રાણ અર્થાત્ ઈન્દ્રિયાદિને સંતર્પે છે તે પાન છે. સાકર, આમલી, ઈસુ (શેરડી), ચીભડું, કલિંગર વગેરેના રસ, જવોદર, તંબુલોદક વગેરે પાનક છે. જે ઉદરના રિક્ત ભાગમાં સમાય છે તે ખાદિમ છે. ધન-ધાન્યમાંથી બનાવેલી ખાદ્ય વસ્તુઓનો તેમાં સમાવેશ થાય.
જે સ-રસ આહારના ગુણોનો સ્વાદ પ્રદાન કરે છે તે સ્વાદિમ છે નાળિયેર, ખજૂર, દ્રાક્ષ, આંબા, કેળાં, કાકડી, અખરોટ, ખારેક વગેરે સ્વાદિમ છે. સૂંઠ, મરી, ગંઠોડા, જેઠીમધ, તમાલપત્ર, અજમો, ચીનીકલબાલા વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે.
પ્રતિક્રમણના દેવસિક, રાત્રિક, ઈ–રિક, યાવન્કથિ, પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક, ઉત્તમાર્થક વગેરે પ્રકારે છે. પ્રતિકતવ્યના પાંચ પ્રકાર છે : મિથ્યાત્વપ્રતિક્રમણ, અસંયમપ્રતિક્રમણ, કષાયપ્રતિક્રમણ, અપ્રશરતયોગપ્રતિક્રમણ તથા સંસારપ્રતિક્રમણ. સંસાર પ્રતિક્રમણની ચાર દુર્ગતિઓ અનુસાર ચાર પ્રકાર છે. ભાવપ્રતિક્રમણનો અર્થ છે ત્રણ કરણ અને ત્રણ યોગથી મિથ્યાત્વ વગેરેનો ત્યાગ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162