Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 141
________________ ૧૨૬ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ મુસાફરને પૂછયું કે - હે મુસાફર ! તમે ક્યાંથી આવો છો? અને ક્યાં જાવો છો ? તમે મુસાફરીમાં કાંઈ આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવું કાંઈક દેખ્યું હોય તો અમને કહો.” મુસાફરે કહ્યું કે:-“હું પદ્મનગરથી આવું છું અને શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા જાઉ છું. વળી રસ્તામાં મેં જે આશ્ચર્ય જોયું છે, તે તમે સાંભળો. પદ્મપુર નગરના પદ્મરથ રાજાની હંસી નામની રાણીની કુક્ષિથી ઉત્પન્ન થએલી, રત્નાવતી નામની રાજપુત્રી, ચોસઠ કળામાં નિપુણ સ્વરૂપવાન અને યૌવનાવસ્થાને પામેલી છે. - રાજપુત્રીની યુવાવસ્થાને જોઈને પધરથ રાજાને, તેણીને લાયક વર શોધવાની ચિંતા ઉત્પન્ન થઈ. એક વખતે પ્રસંગ પ્રાપ્ત થતાં રાજાએ પોતાના પ્રધાનને પૂછ્યું કે :-“પ્રધાનજી! આ રાજકુંવરીને યોગ્ય વર ક્યારે મળશે?' પ્રધાને કહ્યું કે :“હે સ્વામી ! ચિંતા કરશો નહીં. તેણીના ભાગ્યયોગે તેણીને લાયક પતિ સ્વયમેવ મળશે.' એક વખત એક નટને ભીલનો વેશ લઈને નાચતો જોઈને, રત્નવતીને મૂછ આવી અને તેણીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જયારે મૂછ વળી ત્યારે તેણીના પિતાએ પૂછ્યું કે :-“હે પુત્રી ! તને આ શું થયું ?' તે વખતે તેણીએ કહ્યું કે - “હે પિતાજી ! પૂર્વભવમાં હું ભીલડી હતી, ને મારો પતિ ભીલ હતો. મને જો મારો તે પતિ પ્રાપ્ત થશે તો જ હું પરણીશ, નહીં તો હું કુંવારી રહીશ.” મુસાફરના મુખમાંથી આ વૃત્તાંત સાંભળવાં જ રાજસિંહ કુમારને મૂછ આવી અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતાનો પૂર્વભવ યાદ આવતાં જ રત્નવતી ઊપર રાગ ધરતા બોલ્યો કે - “હે મુસાફર ! પછી તેણીનું શું થયું?' મુસાફર કહેવા લાગ્યો કે :-કન્યાની પ્રતિજ્ઞાની આ વાત ગામેગામ ફેલાઈ ગઈ. કેટલાએ રાજકુમારો આ સૌંદર્યવાન રાજકન્યાની સાથે લગ્ન કરવા માટે જૂઠું બોલીને કહેવા લાગ્યા કે :-અમે પૂર્વભવમાં ભીલ તરીકે હતા.' રાજકુમારી તેઓને પૂછતી કે, “તમે જો ભીલ હતા તો, તમે ક્યા પુણ્યયોગે અહીં ઉત્પન્ન થયા છો ?' તેઓ તેનો ખુલાસો આપી શકવાને અસમર્થ હોવાથી તેમનું જૂઠ પકડાઈ જતું. આ પ્રમાણે ઘણીવાર બનવાથી, રત્નાવતી પુરુષષિણી બની ગઈ છે. પુરુષો માત્ર જૂઠું બોલનાર જ હોય છે, તેમ માનીને, તે સ્ત્રીઓના સંસર્ગમાં જ રહે છે. કોઈ પણ પુરુષ સાથે વાત કરતી નથી. તે રાજકુમાર ! તમે પુરુષોમાં રત્ન સમાન છો, અને રત્નાવતી સ્ત્રીઓમાં રત્ન સમાન છે. તેથી જો તમારે બંનેનો સમાગમ થાય તો, રામ અને સીતાની માફક તમે શોભો તેમ મારું માનવું છે.” મુસાફરના મુખમાંથી આવાં વચનો સાંભળીને રાજસિંહકુમાર આનંદિત થયો. તે આનંદમાંને આનંદમાં, પોતના બધા દાગીના તે મુસાફરને બક્ષીસમાં આપી દીધા. પછી રાજસિંહકુમાર પોતાના મિત્ર સહિત પોતાના નિવાસસ્થાને આવ્યો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162