Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 137
________________ ૧ ૨૨ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ જિણદાસ શ્રાવકની કથા ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં બલરામ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખતે નગરની પાસેથી નદીના પ્રવાહમાં તણાતું આવતું, એક સુંદર બીજોરાનું ફળ કોટવાલના જોવામાં આવ્યું. એટલે નદીમાં પડીને, તે ફલ લઈને, કોટવાળે મહારાજાને ભેટ આપ્યું. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી સુંદર, એવું તે ફલ જોતાં જ રાજા આનંદ પામ્યો. પછી કોટવાલને સન્માન આપીને, રાજાએ પૂછ્યું કે:-“આ ફળ તને ક્યાંથી પ્રાપ્ત થયું ? કોટવાલે કહ્યું કે :-હું નદીના પ્રવાહમાંથી એ લઈ આવ્યો. તે વખતે રાજાએ કહ્યું કે :- તે ફળ જયાં ઉત્પન્ન થયું હોય, તે સ્થળની તપાસ કરો. તપાસ કરતાં નગરથી દૂરનો ભાગે, નદીના કિનારે તે બીજોરાનું વૃક્ષ તેના જોવામાં આવ્યું. તે ફલ લેવા જે જાય, તે મરણ પામે, એમ કોટવાલના જાણવામાં આવ્યું. એ હકીકત કોટવાલે રાજાને નિવેદન કરી. એટલે રાજાએ કોટવાલને હુકમ કર્યો કે - “ત્યાં વારાફરતી, દરરોજ એક એક પુરૂષને, પ્રવેશ કરાવીને તારે દરરોજ એકએક ફળ લાવીને, મને આપવું.' એમ તે ફળ લાવવામાં દરરોજ એકએક પુરૂષનો નાશ થવા લાગ્યો. - જે પુરૂષનો ફળ લાવવાનો વારો આવતો તે, ધ્રુજતો, કાંપતો, વાડીએ જઈ, ઝાડ ઊપરથી બીજોરું લઈ, નદીમાં વહેતું મૂકી દેતો અને ત્યાં જ મરણ પામતો; અને કોટવાલ નદી કાંઠે ઊભો રહીને તે લઈ લેતો. અને રાજાને આપતો. આ રીતે ઘણાં લોકોનો નાશ થયો. - આ પ્રમાણે એક વખતે જિણદાસ શ્રાવકનો વારો આવ્યો. જિણદાસ શ્રાવક, મહાનિર્ભયપણે, સ્નાન કરી, ધોયેલાં પવિત્ર વસ્ત્ર પહેરી, ઘેર તથા દેરાસરમાં જિનેશ્વરદેવની પૂજા કરીને, સર્વકુટુંબને તથા ચોરાથી લાખ જીવયોનિને ખમાવી, સાગારી અનશન કરી, નમસ્કાર મંત્ર મોટા અવાજે બોલીને નદીમાં બીજોરાનું ફળ લેવાને પડ્યો. અનુક્રમે વાડીએ પહોંચ્યો. વાડીમાં પ્રવેશ કરતાં, ફરીથી મોટા અવાજે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતો જિણદાસ ફળ લેવા વાડીમાં દાખલ થયો. વાડીનો અધિષ્ઠાયક વ્યંતર, નમસ્કાર મહામંત્ર સાંભળીને પૂર્વભવે કરેલી વ્રતની વિરાધના કરતાં તે વાડીનો અધિષ્ઠાયક થએલો વ્યંતર, ચિંતવવા લાગ્યો કે, આ અક્ષર મેં કોઈપણ સાંભળેલા છે. જ્ઞાનનો ઉપયોગ મૂકતાં, પોતાના પૂર્વભવ તે દેખવા લાગ્યો. પૂર્વભવમાં કરેલી વ્રતની વિરાધના યાદ કરતાં તે વાડીનો અધિષ્ઠાયક વ્યંતર પ્રતિબોધ પામ્યો. જેથી પ્રત્યક્ષ થઈને તે શ્રાવકને વ્યંતર હર્ષપૂર્વક કહેવા લાગ્યો કે -‘તારા સ્થાન પર રહેતાં જ તને હું દરરોજ એકએક ફળ આપતો રહીશ. એટલે તે શ્રાવકે નગરમાં આવીને આ વાત રાજાને જણાવી. રાજા આ સાંભળીને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162