________________
સંયમ રંગ લાગ્યો
(દશવિધ ચક્રવાલ સામાચારીઓ)
EEE ઈચ્છાકાર સામાચારી
सामायारी पवक्खामि सव्वदुक्खविमोक्खणीं । जं चरिताण निग्गंथा तिण्णा संसारसागरं ॥ ઉત્તરાધ્યયનસૂત્રમાં ગણધર ભગવંતો કહે છે કે, “આ દવિધ ચક્રવાલ સામાચારી સંસારના સર્વદુઃખોમાંથી છુટકારો અપાવડાવી મોક્ષમાં પહોંચાડનારી છે. આ સામાચારીનું પાલન કરીને સાધુઓ સંસારસાગરનો પા૨ પામ્યા છે. એ સામાચારી હું તમને કહીશ.''
સામાચારીઓ કુલ દસ છે. (૧) ઈચ્છાકાર (૨) મિચ્છાકાર (૩) તથાકાર (૪) આવસહિ (૫) નિસીહિ (૬) આપૃચ્છા (૭) પ્રતિપૃચ્છા (૮) છંદના (૯) નિમન્ત્રણા (૧૦) ઉપસંપદા.
આ સામાચારીઓ રોજેરોજ વારાફરતી સતત ઉપયોગમાં આવનારી છે. સાધુઓએ સાધુજીવનમાં શી રીતે જીવવું? એનું સ્પષ્ટ નિરૂપણ કરનાર આ સાધુઓનું નાગરિક શાસ્ત્ર કહેવાય.
જો આ દસ સામાચારીઓનું બરાબર પાલન કરવામાં આવે તો સાધુજીવનમાં થતાં સંક્લેશો, આર્તધ્યાનો નાશ પામે. સાધુપણામાં લાગતા ડાઘાઓ ધોવાતા જાય, નવા ડાઘાઓ લાગતા અટકે.
આવશ્યકનિર્યુક્તિ, પંચાશક વિગેરે અનેક ગ્રન્થોમાં દસ સામાચારીનું નિરૂપણ કરેલું જ છે. પણ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘સામાચારી પ્રકરણ' નામનો સ્વતંત્ર ગ્રન્થ રચી, વિસ્તારથી એ સામાચારીઓનું નિરૂપણ કરી શ્રમણસંઘ ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. મુખ્યત્વે એ ગ્રન્થને અનુસારે, આ કાળને અનુસારે અહીં ક્રમશઃ દસ સામાચારીઓનું નિરૂપણ કરવામાં આવશે.
(૧) ઈચ્છાકાર સામાચારી
ઉત્સર્ગ માર્ગ તો એ જ છે કે, દરેક સાધુ-સાધ્વીજીઓએ પોતાના નાના-મોટા દરેક કાર્યો જાતે જ કરવા જોઈએ. કાપ કાઢવો, કપડા સુકવવા, વસ્ત્રોનું પ્રતિલેખન, પાતરાનું પ્રતિલેખન, સ્થંડિલ-માત્રાના પ્યાલા પરઠવવા વિગેરે વિગેરે પોતાના તમામ કાર્યો પ્રત્યેક દીક્ષિતોએ જાતે જ કરવા જોઈએ. પોતાનાથી નાના કે પોતાનાથી મોટા કોઈપણ સાધુઓને સાધુ પોતાનું કોઈપણ કાર્ય સોંપી ન શકે.
એના મુખ્યત્વે બે કારણો છે. (૧) પોતાનું કામ પોતે કરી શકે તેમ હોવા છતાં, પ્રમાદાદિને કા૨ણે બીજાને સોંપે એટલે એ સાધુ વીર્યાચારનું પાલન ગુમાવે. એને વીર્યાચારમાં અતિચાર લાગે. (૨) જેને કામ સોંપવામાં આવે એને એ કામ કરવું ન પણ ગમે. સામાન્યથી બીજાનું કાર્ય હોંશે હોંશે કરનારા આત્માઓ તો ખૂબ ઓછા જ હોય. એટલે સાધુ જો બીજા સહવર્તિને કામ સોંપે તો એને થોડું-ઘણું પણ માનસિક દુ:ખ થવાની શક્યતા છે. કરૂણાપ્રધાન જિનશાસનમાં પંચ મહાવ્રતધારી સાધુ પોતાના નિમિત્તે કોઈને પણ, લેશ પણ માનસિક દુઃખ ન પડે એની સતત કાળજી રાખે. માટે એણે પોતાના દરેક કાર્યો સ્વયં કરવા.
આ જ કારણસર શાસ્ત્રકારોએ સાધુઓ માટે એક વિશેષણ વાપરેલ છે, “સ્વયંદાસાસ્તપોધનાઃ” સાધુઓ ‘સ્વયંદાસ’ હોય. એટલે કે સાધુ પોતે જ શેઠ અને પોતે જ પોતાનો નોકર હોય. શેઠીયાઓ કંઈપણ કામ આવી પડે એટલે પોતાના નોકરને જ બધા કામ સોંપે. સાધુ પણ પોતાને કંઈ પણ કામ આવી પડે તો પોતાના નોકરને જ એ કામ સોંપે. સાધુનો નોકર સાધુ પોતે જ છે.
સંચમ રંગ લાગ્યો
-
ઈચ્છાકાર સામાચારી ૭ ૨૩૨