________________
HEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
3333333333 ಯಾ
ઈચછાકાર સામાચારી કે ( કેવા અદ્ભુત છે આ જિનશાસનના સૂક્ષ્મતમ પદાર્થો !
શિષ્ય ! યાદ રાખજે કે જેમ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર એ ચારિત્રધર્મના મૂળ છે એમ વીર્યાચાર પણ ચારિત્રધર્મનું મૂળ છે અર્થાત્ જેમ જ્ઞાનાચારાદિ આચારો વિના ચારિત્ર ન ટકે એમ વીર્યાચાર વિના પણ છે થી ચારિત્ર ન ટકે. એટલે આ બધી બાબતોને તુચ્છ, નકામી માનવાની ભૂલ કદી ન કરીશ. જો આ સૂક્ષ્મ આચારોની આ ઉપેક્ષા કરીશ તો સાચું સંયમ ગુમાવી બેસીશ. બાકી દીર્ઘ સંસારીઓને તો આ બધું નકામું, out of date જ જ લાગવાનું. એમાં હું શું કરું? છે શિષ્યઃ વડીલો તો પોતાનું કામ સોંપતી વખતે ઈચ્છાકાર કરે પણ ગુરુ તો પોતાના શિષ્યને આજ્ઞા કરી છે # શકે કે નહિ ?
ગુરુઃ ના, ન કરી શકે. ગુરુ પણ પોતાના શિષ્ય ઉપર બળજબરી કરવા માટે હકદાર નથી. આદેશાત્મક છે 8 ભાષા પોતાના શિષ્ય વિશે પણ ગુરુ માટે ઉચિત નથી.
આ ઉત્સર્ગ માર્ગ છે. અપવાદ માર્ગે ગુરુ અમુક શિષ્ય ઉપર બળજબરી પણ કરી શકે. શાસ્ત્રકારો આ છે જે વિષયમાં ઘોડાનું દ્રષ્ટાન્ત આપે છે.
એક રાજાએ નવા ઘોડાની પરીક્ષા કરવા મોટા મેદાનમાં લઈ જઈ તેના ઉપર સવારી કરી. એ ઘોડો રાજાની છા મુજબ જ વર્તન કરવા લાગ્યો. ખુશ થયેલા અજાએ એ ઘોડાનો ખૂબ સત્કાર કર્યો. એમ ગુરુના કહ્યા છે મુજબ જ બધા કાર્યો કરનારા શિષ્ય ઉપર ગુરુએ બળજબરી, આદેશ કરવાના હોતા નથી. એ વિનયી શિષ્યો
તો ગુરુની ઈચ્છાને જ અનુસરનારા હોવાથી ગુરુને આજ્ઞા, આદેશ, બળજબરી કરવાનો અવસર જ ન આવે. છે એક રાજાએ એ જ રીતે બીજા એક ઘોડાની પરીક્ષા કરી. પણ એ ઘોડો અવળચંડો નીકળ્યો. સીધું વર્તન છે આ જ કરતો નથી. રાજાએ એને સબક શીખવાડવા આખો દિવસ ભૂખ્યો રાખ્યો, ચાબુકો મરાવી.
એમ જે સાધુ પોતાની મેળે ગુરુના કહ્યા પ્રમાણે વૈયાવચ્ચાદિ ન કરે તેને અપવાદ માર્ગે ગુરુ બળજબરી A દ્વારા પણ વૈયાવચ્ચાદિ કામ કરાવડાવે.
સામાન્યથી શિષ્યો ત્રણ પ્રકારના હોય છે : (૧) ઉત્તમ (૨) મધ્યમ (૩) જઘન્ય. જે ગુરુની ઈચ્છા પ્રમાણે R જ પ્રવૃત્તિ કરે, એમાં કંઈ આડુ-અવડું ન કરે, ગુરુની વાત તરત માની લે તે ઉત્તમ. જે શિષ્ય આમ તો આળસું, તે પ્રમાદી હોય પણ ગુરુના ભયથી, ગુરુની શરમને લીધે, ઈચ્છા ન હોવા છતાં ગુરુના કહ્યા પ્રમાણે કરવા તૈયાર
થાય એ મધ્યમ. જે શિષ્ય સ્વચ્છંદી હોય, ગુરની સામે પણ ગમે તેમ બોલી દેનારો હોય, જેને ગુરનો ભય, છે શરમ કંઈ જ અસર ન કરતા હોય તે જઘન્ય. આમાં ઉત્તમને તો આજ્ઞા કરવાનો અવસર જ ન આવે. જઘન્ય છે
અપાત્ર હોવાથી ગુરુએ એના ઉપર કોઈ બળજબરી, આદેશ વગેરે કરવાના ના હોય. પણ જે મધ્યમ છે એને ગુરુ એની ઈચ્છા ન હોવા છતાં પણ વૈયાવચ્ચાદિ કામ સોંપે.
સૌ પ્રથમ ઉત્સર્ગ માર્ગ તો એ જ છે કે આવા વૈયાવચ્ચાદિ કામો કરવામાં આળસુ, શેઠાઈ કરનારા, અને માટે જ અયોગ્ય એવા શિષ્યો સાથે ગુરુએ રહેવું જ ન જોઈએ, કેમકે આવા સાધુ સાથે રહેવામાં સંક્લેશ થાય, વારંવાર એને સમજાવવામાં પુષ્કળ મહેનત પડે. એટલે આવા સાધુ સાથે ન રહેવું એ જ ઉત્સર્ગ માર્ગ છે. . માટે જ ગર્ગ નામના આચાર્ય પોતાની વાત ન માનનારા, આળસુ, પ્રમાદી શિષ્યોથી કંટાળીને એમને છોડી દઈ છે
એકલા ચાલ્યા ગયા હતા. “ગારિસ મમ સીસા , તારિણી નિદ્દિદ્દા મારા શિષ્યો ગધેડા જેવા છે એવા વિચારો એ આચાર્યો કર્યા હતા. કાલકસૂરિ પણ આ જ રીતે પ્રમાદી, ઠઠ્ઠા-મશ્કરી કરનારા શિષ્યોને છોડીને ચાલ્યા ગયા હતા.
ಯಯಯಯಯಯಯಯಯಯಯಯ
EEEEEEEEEEEEEEEEEEEE
,
,,
,
સંચમ રંગ લાગ્યો - ઈચ્છાકાર સામાચારી , ૨૩૯